________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૧૦૩
મેાક્ષમાળા
શિક્ષાપાઠ ૨૧. બાર ભાવનાઃ—
વૈરાગ્યની અને તેવા આત્મહિતૈષી વિષયાની સુદૃઢતા થવા માટે બાર ભાવના ચિંતવવાનું તત્ત્વજ્ઞાનીએ કહે છે.
૧. શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનેા મૂળ ધમ અવિનાશી છે; એમ ચિ ંતવવું તે પહેલી અનિત્યભાવના.
(
>
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કેાઈ નથી, માત્ર એક શુભ ધર્મોનું જ શરણ સત્ય છે; એમ ચિંતવવું તે આજી ‘ અશરણુભાવના.’
૩. આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જ જીરથી હું કયારે છૂટીશ ? એ સ`સાર મારે નથી, હું મેાક્ષમયી છું; એમ ચિંતવવું તે ત્રીજી ‘ સ’સારભાવના.
"
૪. આ મારે આત્મા એકલા છે, તે એકલે આવ્યે છે, એકલેા જશે; પેાતાનાં કરેલાં કમ એકલા ભાગવશે; એમ ચિતવવું તે ચેાથી ‘ એકત્વભાવના. ’
પ. આ સંસારમાં કાઈ કેાઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી · અન્યત્વભાવના.
"
એમ
૬. આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રાગ જરાને રહેવાનું ધામ છે, એ શરીરથી હું ત્યારે છું, ચિંતવવું તે છઠ્ઠી - અશુચિભાવના. ’
'
૭. રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સવ આસ્રવ છે, એમ ચિતવવું તે સાતમી ‘ આસવભાવના.
>
For Private And Personal Use Only