________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
મેક્ષમાળા
ઘડી જે લાભ દે છે તે કુસંગનાં એક કોયાવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતાં અગતિમય મહા પાપ કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલે કે, ઉત્તમને સહવાસ. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. દુર્ગધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડું દઈએ છીએ, તેમ કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્યનું છે; સંસાર એ પણ એક પ્રકારને સંગ છે; અને તે અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવાયેગ્ય છે. ગમે તે જાતને સહવાસ હોય પરંતુ જેવડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મેક્ષને માર્ગ બતાવે તે મિત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે; પુરુષને સમાગમ એ પણ સત્સંગ છે. મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જલ સ્વચ્છ કરે છે તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબોધ અને પુરુષને સમાગમ, ટાળી શુદ્ધતા આપે છે. જેનાથી હંમેશનો પરિચય રહી રાગ, રંગ, ગાન, તાન, અને સ્વાદિષ્ટ ભજન સેવાતાં હોય તે તમને ગમે તે પ્રિય હોય તે પણ નિશ્ચય માનજે કે, તે સત્સંગ નથી પણ કુસંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. તત્ત્વજ્ઞાનીઓએ મુખ્ય બધ એ કર્યો છે કે, સર્વસંગ પરિત્યાગ કરી, અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરે. તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. કેવળ એકાંત તે તો ધ્યાનમાં રહેવું કે ગાભ્યાસમાં રહેવું તે છે, પરંતુ સમ
For Private And Personal Use Only