________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧૪૧ નથી તે પલંગ નથી તે ચામરછત્ર ધરનારા કે નથી તે છડીદારો; નથી તે સ્ત્રીઓ કે નથી વસ્ત્રાલંકારે, નથી તે પંખા કે નથી તે પવન; નથી તે અનુચરે કે નથી તે આજ્ઞા નથી તે સુખ વિલાસ કે નથી તે મોન્મત્તતા, ભાઈ તે પિતે જેવા હતા તેવાને તેવા દેખાયા. એથી તે દેખાવ જોઈને તે ખેદ પામે. સ્વપ્નામાં મેં મિથ્યા આડંબર દીઠે. તેથી આનંદ માન્ય; એમાંનું તે અહીં કશુંએ નથી; સ્વપ્નાના ભેગ ભેગવ્યા નહીં; અને તેનું પરિણામ જે ખેદ તે હું ભોગવું છું. એમ એ પામર જીવ પશ્ચાત્તાપમાં પડી ગયે
અહો ભવ્ય ! ભિખારીનાં સ્વપ્ના જેવાં સંસારનાં સુખ અનિત્ય છે. સ્વપ્નામાં જેમ તે ભિખારી એ સુખ સમુદાય દીઠા અને આનંદ મા તેમ પામર પ્રાણીઓ સંસારસ્વપ્નને સુખ સમુદાયમાં આનંદ માને છે. જેમ તે સુખ સમુદાય જાગૃતિમાં મિથ્યા જણાયા તેમ જ્ઞાન પ્રાપ્ત થતાં સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નાના ભંગ ન ભોગવ્યા છતાં જેમ ભિખારીને ખેદની પ્રાપ્તિ થઈ, તેમ મેહાંધ પ્રાણીઓ સંસારમાં સુખ માની બેસે છે; અને ભગવ્યા સમ ગણે છે, પરંતુ પરિણામે ખેદ, દુર્ગતિ અને પ્રશ્ચાત્તાપ લે છે. તે ચપળ અને વિનાશી છતાં સ્વપ્નના ખેદ જેવું તેનું પરિણામ રહ્યું છે. એ ઉપરથી બુદ્ધિમાન પુરૂ આત્મહિતને શોધે છે. સંસારની અનિત્યતા પર એક કાવ્ય છે કે –
(ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચિયે ત્યાં ક્ષણને પ્રસંગ?
For Private And Personal Use Only