________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૧૨૩ કહ્યું. ચંડાળે કહ્યું, આ કેરીને વખત નથી, એટલે મારે ઉપાય નથી, નહીં તે હું ગમે તેટલે ઊંચે હોય ત્યાંથી મારી વિદ્યાના બળવડે કરીને લાવી તારી ઈચ્છા સિદ્ધ કરું. ચંડાળણીએ કહ્યું કે રાજાની મહારાણીના બાગમાં એક અકાળે કેરી દેનાર આંબે છે; તે પર અત્યારે કેરીઓ લચી રહી હશે, માટે ત્યાં જઈને એ કરી લાવે. પિતાની સ્ત્રીની ઈરછા પૂરી પાડવા ચંડાળ તે બાગમાં ગયે. ગુપ્ત રીતે આંબા સમીપ જઈ મંત્ર ભણીને તેને નમાવ્ય; અને કેરી લીધી. બીજા મંત્રવડે કરીને તેને હવે તેમ કરી દીધું. પછી તે ઘેર આવ્યો અને તેની સ્ત્રીની ઈચ્છા માટે નિરંતર તે ચંડાળ વિદ્યાબળે ત્યાંથી કેરી લાવવા લાગ્યું. એક દિવસે ફરતાં ફરતાં માળીની દષ્ટિ આંબા ભણી ગઈ. કેરીઓની ચોરી થયેલી જોઈને તેણે જઈને શ્રેણિક રાજા આગળ નમ્રતાપૂર્વક કહ્યું. શ્રેણિકની આજ્ઞાથી અભયકુમાર નામના બુદ્ધિશાળી પ્રધાને યુક્તિવડે તે ચંડાળને શોધી કાઢો. પિતા આગળ તેડાવી પૂછ્યું, એટલાં બધાં માણસે બાગમાં રહે છે છતાં તું કેવી રીતે ચઢીને એ કેરી લઈ ગયે કે જે વાત કળવામાં પણ ન આવી? તે કહે. ચંડાળે કહ્યું આપ મારે અપરાધ ક્ષમા કરજે. હું સાચું બેલી જઉં છું કે મારી પાસે એક વિદ્યા છે તેના વેગથી હું એ કેરીઓ લઈ શકે. અભયકુમારે કહ્યું, મારાથી ક્ષમા ન થઈ શકે, પરંતુ મહારાજા શ્રેણિકને એ વિદ્યા તે આપ તો તેઓને એવી વિદ્યા લેવાને અભિલાષ હોવાથી તારા ઉપકારના બદલામાં હું અપરાધ ક્ષમા કરાવી શકું. ચંડાળે એમ કરવાની હા કહી. પછી અભયકુમારે ચંડાળને શ્રેણિક
For Private And Personal Use Only