________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
وف
યૌવનવયના પ્રથમ ભાગમાં મારી આંખે અતિ વેદનાથી ઘેરાઈ આખે શરીરે અગ્નિ બળવા મંડયો; શસ્ત્રથી પણ અતિશય તીર્ણ તે રોગ વરીની પેઠે મારા પર કે પાયમાન થયું. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુ:ખવા લાગ્યું. વજાના પ્રહાર સરખી બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે. દારુણ વેદનાથી હું અત્યંત શેકમાં હતું. સંખ્યાબંધ વૈદ્યશાસ્ત્રનિપુણ વૈદ્યરાજ મારી તે વેદનાને નાશ કરવાને માટે આવ્યા અનેક ઔષધ ઉપચાર કર્યા. પણ તે વૃથા ગયા. એ મહા નિપુણ ગણુતા વૈદ્યરાજે મને તે દરદથી મુક્ત કરી શકયા, નહીં એ જ હે રાજા! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપા માંડયું પણ તેથી કરીને મારી તે વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રને શેકે કરીને અતિ દુઃખાત્ત થઈ; પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં, એ જ હે રાજા! મારું અનાથપણું હતું. એક પેટથી જન્મેલા મારા જયેષ્ઠ અને કનિષ્ઠ ભાઈએ પિતાથી બનતે પરિશ્રમ કરી ચૂક્યા પણ મારી તે વેદના ટળી નહીં, હે રાજા! એ જ મારું અનાથપણું હતું. એક પેટથી જન્મેલી મારી ચેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું તે દુઃખ ટળ્યું નહીં. હે મહારાજા! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવતી હતી, તે આંસુ ભરી મારું હૈયું પલાળતી હતી, તેણે અન્ન પાણી અને નાના પ્રકારનાં અંધેલણ, ચુવાદિક સુગંધી પદાર્થ, તેમજ અનેક પ્રકારનાં ફૂલ ચંદનાદિકનાં જાણીતાં અજાણીતાં વિલેપન કર્યા
For Private And Personal Use Only