________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ
પાર્જન કરનાર છે. આપણે આત્મા જ સુપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર ને આપણે આત્મા જ વૈરી છે. આપણે આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણે આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહ્યો છે. તે તથા બીજુ અનેક પ્રકારે તે અનાથી મુનિએ શ્રેણિક રાજા પ્રત્યે સંસારનું અનાથપણું કહી બતાવ્યું. પછી શ્રેણિક રાજા અતિ સંતેષ પામે. યુગ હાથની અંજલિ કરીને એમ બે કે, “હે ભગવન્! તમે મને ભલી રીતે ઉપદેશે. તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. હે મહાકષિ ! તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છે, તમે સર્વ અનાથના નાથ છે. તે પવિત્ર સંયતિ! હું ક્ષમાવું છું. જ્ઞાન રૂપી તમારી શિક્ષાને વાંછું છું. ધર્મધ્યાનમાં વિન્ન કરવાવાળું ભોગ ભોગવવા સંબંધીનું મેં તમને હે મહા ભાગ્યવંત ! જે આમંત્રણ કીધું તે સબંધીનો મારે અપરાધ મસ્તકે કરીને ક્ષમાવું છું. એવા પ્રકારથી સ્તવીને રાજપુરુષકેસરી પરમાનંદ પામી રેમયના વિકસિત મૂળસહિત પ્રદક્ષિણા કરીને વિનયે કરી વંદન કરીને સ્વસ્થાનકે ગયે.
પ્રમાણુશેક્ષા –અહો ભવ્ય ! મહા તપોધન, મહા મુનિ, મહા પ્રજ્ઞાવત, મહા યશવંત, મહા નિગ્રંથ અને મહાશ્રત અનાથી મુનિએ મગધ દેશના રાજાને પોતાના વીતક ચરિત્રથી જે બોધ આપે છે તે ખરે! અશરણભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ સહન કર્યા તુલ્ય વા એથી અતિ વિશેષે અસહ્ય દુઃખ અનંત આત્માઓ સામાન્ય દષ્ટિથી ભેગવતા દેખાય છે, તત્સંબંધી તમે કિંચિત્ વિચાર કરો!
For Private And Personal Use Only