________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ
૩૩ અહોહે! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની; એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ; એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીધે; વિપરીત દેખાવથી અશુભ્ય અને અડવાપણું બેદરૂપ થયું. અભ્ય જણાવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ ઠર્યું કે? જે વીંટી હત તો તો એવી અભા ન જેત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શેભા પામી; એ આંગળી વડે આ હાથ શોભે છે; અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કોની ગણું? અતિ વિસ્મયતા! મારી આ મનાતી મનહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિ માણિકયાદિના અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યા. એ કાંતિ મારી ત્વચાની શેભા ઠરી; એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે; અહોહો! આ મહા વિપરીતતા છે ! જે શરીરને હું મારું માનું છું તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકારવડે શેભે છે, ત્યારે શું મારા શરીરની તે કંઈ શભા નહીં જ કે? રુધિર, માંસ, અને હાડને જ કેવળ એ માળે કે? અને એ માળે તે હું કેવળ માર માનું છું. કેવી ભૂલ! કેવી ભ્રમણું! અને કેવી વિચિત્રતા છે ! કેવળ હું પરપુદ્ગલની શેભાથી શકું છું. કેઈથી રમણિકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું તે પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માને એ શરીરથી એક કાળે વિયેગ છે! આત્મા જ્યારે બીજા દેહને ધારણ મે. ૩
For Private And Personal Use Only