________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ
૩૯ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવીશું, એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા.
સનત્કુમારે ત્યાર પછી ઉત્તમ અને અમૂલ્ય વસ્ત્રાલ કાર ધારણ કર્યા. અનેક ઉપચારથી જેમ પિતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટે, વિદ્વાને અને અન્ય સભાસદે યોગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામરછત્રથી અને અને ખમા ખમાથી વિશેષ શોભી રહ્યો છે તેમજ વધાઈ રહ્યો છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્રરૂપે આવ્યા. અદ્ભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે, એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું, અહે બ્રાહ્મણે! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું એનું શું કારણ છે? તે મને કહે. અવધિજ્ઞાનાનુસારે વિપ્રે કહ્યું કે, હે મહારાજા! તે રૂપમાં અને આ રૂપમાં ભૂમિ આકાશને ફેર પડી ગયે છે. ચક્રવત્તએ તે સ્પષ્ટ સમજાવવા કહ્યું. બ્રાહ્મણે કહ્યું, અધિરાજ ! પ્રથમ તમારી કમળ કાયા અમૃત તુલ્ય હતી. આ વેળા એ ઝેર રૂપ છે. તેથી જ્યારે અમૃત તુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા હતા. આ વેળા ઝેરતુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તો તમે હમણાં તાંબૂલ થુંકે તત્કાળ તેપર મક્ષિકા બેસશે અને પરધામ પ્રાપ્ત થશે.
સનત કુમારે એ પરીક્ષા કરી તે સત્ય ઠરી; પૂર્વિત કર્મના પાપને જે ભાગ તેમાં આ કાયાના મદસંબંધીનું
For Private And Personal Use Only