________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ
અસહ્ય વેદનાથી દુઃખવા લાગ્યું. ઈદ્રના વજના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે અત્યંત પરમ દારુણ વેદનાથી હું બહુ શેકાત હતે. શારીરિક વિદ્યાના નિપુણ, અનન્ય મંત્રમૂળીના સુજ્ઞ વેદ્યરાજ મારી તે વેદનાને નાશ કરવાને માટે આવ્યા; અનેક પ્રકારના ઔષધોપચાર કર્યા પણ તે વૃથા ગયા. એ મહા નિપુણ ગણાતા વિદ્યરાજે મને તે દરદથી મુક્ત કરી શક્યા નહીં. એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડયું, પરંતુ તેથી કરીને પણ મારી વેદના ટળી નહીં. હે રાજા! એ જ મારૂં અનાથઃપણું હતું. મારી માતા પુત્રના શેકે કરીને અતિ દુઃખાતે થઈ પરંતુ તે પણ મને તે દરદથી મૂકાવી શકી નહીં, એ જ હે મહારાજા ! મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલા મારા ચેષ્ઠ અને કનિષ્ઠ ભાઈ એ પિતાથી બનતો પરિશ્રમ કરી ચૂક્યા પણ મારી વેદના ટળી નહીં, હે રાજ! એ જ મારું અનાથપણું હતું. એક ઉપરથી ઉત્પન્ન થયેલી મારી જ્યેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું દુઃખ ટળ્યું નહીં. હે મહારાજા! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવંતી હતી, તે આંખે પરિપૂર્ણ આંસુ ભરી મારા હૃદયને સિંચતા ભીજાવતી હતી. અન્ન, પાણી અને નાના પ્રકારનાં અંઘેલણ ચુવાદિક સુંગધી દ્રવ્ય, અનેક પ્રકારનાં ફૂલ ચંદનાદિકનાં વિલેપન મને જાણતા અજાણતાં કર્યા છતાં પણ હું તે યૌવનવંતી સ્ત્રીને ભેગવી ન શક્યો. મારી સમીપથી ક્ષણ પણ
છે. ૨
For Private And Personal Use Only