Page #1
--------------------------------------------------------------------------
________________
કવુિં
प्रथम ग्रंथ
લીક
છે.
લીકાન્તા © સિદ્ધ
થસનાડી થસજીવી ,
કમર ના
ન કરી
ન
ભગવતી
૦૦૦થીની એક
રણલિ ]િ અયુત
@ 09 -MIDI
- સરકારી
ગરિક
GHdais
0
ઉર્વલોક-દેવી
વૈમાનિક દેતીક
કે હબીબેક |
| Gરક
હતી-દાણી જ
GL નવી
- STઇસ લીક
સનતકુમાર B
મહેનE
થી રાજલીક
8િ )
નિચ્છલિક મનુષ્ય-પી.તિચિ
અધલીક-નરક
ની લીઝ દિશા
જીતી લીઈઈ દિશામાં
પ દ્વવ્યાત્મક
અનીતા અનીતા જળ
કામ ? પ દવા મનમાં
Allભકત
wી ૦૦૦૦૦૦dલી જા
મામ
દ્વતી€Eણી જી
ELPHE PLP
લોકની નીચે અનંત અલોક છે.
કા શા- અર્થ હોઇની પોળાઈ૭ રાજ પ્રમાણ છે
લોકાલોક જ્યનીતી
સીપાદક મહેdi રસીકલાલ શાંતિલાલ (સૂઈગામવાળા)
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી આદિનાથાય નમઃ. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ:
પૂ. આચાર્ય દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત Aવિપાકનામાં
પ્રથમ કર્મગ્રંથ
: દિવ્યાશીષદાતા : યુગદિવાકર પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ધર્મસૂરીશ્વરજી મહારજા
: પ્રેરિકા : પ.પૂ. સા. શ્રી સ્નેહલત્તાશ્રીજી મ.સા. પ.પૂ. સા. શ્રી યશોધર્માશ્રીજી મ.સા.
: આલેખિકા : ૫.પૂ. સા. શ્રી જિનયશાશ્રીજી મ.સા.
: મુખ્ય દ્રવ્ય સહાયક : શ્રી સંભવનાથ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ જામલીગલી, બોરીવલી (વેસ્ટ), મુંબઈ.
: સંપાદક : પં. રસિકલાલ શાંતિલાલ મહેતા (સૂઈગામવાળા)
: પ્રકાશક : શ્રી આગમોદ્ધારક પ્રતિષ્ઠાન (સુરત) C/o શ્રેયસ કે. મર્ચન્ટ, નિશા-૧, પહેલા માળે, કાજીનું મેદાન, તીનબત્તી, ગોપીપુરા, સુરત-૧.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાના શ્રી આગમોદ્ધારક પ્રતિષ્ઠાન C/o શ્રેયસ કે. મર્ચન્ટ, નિશા-૧, પહેલા માળે, કાજીનું મેદાન, તીનબત્તી, ગોપીપુરા, સુરત-૧.
૫. રસિકલાલ શાન્તિલાલ ૩૦૧, કુમુદચંદ્રકૃપા, સોની ફળીયા, હિન્દુમિલન મંદિર સામે, સુરત-૧.
શ્રી સંભવનાથ જૈન પેઢી જામલીગલી, બોરીવલી (વેસ્ટ) મુંબઈ-૯૨.
: વિક્રમ સંવત :
૨૦૬૨
પ્રકાશન વર્ષ : વીર સંવત :
૨૫૩૨
૨૦૦૬ પ્રથમ આવૃત્તિ
ફાગણ વદ-૧,
તા. ૧૫-૩-૨૦૦૬,
કિંમત રૂા. ૪૫-૦૦
( પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતને અધ્યયનાર્થે ભેટ )
: મુદ્રક :
| ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : (૦૭૯) ૨૨૧૩૪૧૭૬, ૨૨૧૨૪૭૨૩
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી શત્રુંજય તીર્થપતિ શ્રી આદીશ્વર પરમાત્માને નમઃ
आदिमं पृथ्वीनाथाय मादिमं निष्परिग्रहं । आदिमं तीर्थ नाथं च, ऋषभस्वामीनं स्तुमः ।।
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
કિંચિત્
)
દર્ભાવતીતીર્થમણ્ડન શ્રી લોઢણા પાર્શ્વનાથાય નમો નમઃ પ્રવચન પ્રભાવકાચાર્યદેવ શ્રી મોહન-પ્રતાપ-ધર્મસૂરીશ્વરેભ્યો નમઃ
! દુનિયાના દરેક દેશોમાં યાવત્ રાજ્યોમાં અસ્તિત્વ ધરાવતી કોર્ટ (ન્યાયાલય) નું કાર્યક્ષેત્ર એટલું પ્રબળ અને
સબળ હોય છે કે એ ભલભલા ચમરબંધી પ્રાસ્તાવિકમ ગુનેગારોને પણ કાયદાના દોર-જોરે સખત |
સજા કરી દઈને સીધાદોર કરી દે છે. એટલે જ સજાના ડરથી ય કંઈ કેટલાય માનવો ગુનાખોરી કરતા અટકી જાય છે.
પણ... સબૂર ! આ દુન્યવી કોર્ટને ય ટક્કર મારે તેવી એક સનાતન કોર્ટ સમગ્ર સૃષ્ટિમાં પથરાયેલી છે. એનું નામ છે કર્મ. આ કર્મની કોર્ટ એવી તો પ્રચંડ શક્તિશાળી છે કે એના સકંજામાં સપડાયેલ જીવના એ ક્ષણવારમાં બૂરા હાલહવાલ કરી શકે છે. દુન્યવી કોર્ટ કરતાં આ કર્મની કોર્ટની પ્રથમ વિશેષતા એ છે કે દુન્યવી કોર્ટ માત્ર તે જ ગુનાની શિક્ષા-સજા કરી શકે છે કે જેના કોઈ અકાદ્ય પુરાવા સાક્ષી વગેરે હોય. જેના કોઈ તેવા પુરાવા આદિ ન હોય તેવા ગુનાની સજા કરવાની એની હેસિયત નથી. જયારે કર્મની કોર્ટ તો એવી અપ્રતિમ છે કે જીવ એકાંતમાં ગુનો કરે કે પુરાવા વિનાનો ગુનો કરે તો ! ય એને તેની એ પ્રવૃત્તિના અંજામરૂપે અચૂક સજા-શિક્ષા આપી શકે !!) //
| દુન્યવી કોર્ટની બીજી મર્યાદા એ છે કે ત્યાં લાંચ-રૂશ્વત વગેરે દ્વારા પણ ગુનાની સજામાંથી છટકી શકાય છે. જ્યારે આ કર્મની કોર્ટમાં કોઈ જ લાગવગ કે લાંચ ચાલી શકતી નથી. અહીં તો ભલભલા નરેન્દ્રો ને દેવેન્દ્રો પણ સજામાંથી બાકાત રહી શકતા નથી. ન ત્યાં એમની શક્તિ અસર કરે, કે ન
ત્યાં એમનો પ્રભાવ અસર કરે... દુન્યવી કોર્ટની ત્રીજી મર્યાદા એ છે કે તે સજાનો ક્યારેક પૂરેપૂરો અમલ કરાવી શકતી નથી. ઉદાહરણ રૂપે, એક વ્યક્તિને જુદા જુદા ભયાનક ગુનાઓની સજારૂપે દરેક ગુનાદીઠ ૫૦-૫૦ વર્ષની સજા થઈ હોય તો એની કુલ સજા ૫૦૦ વર્ષની થાય. ગુનેગારને પૂરી જિંદગી કેદમાં રખાય તો ય આ સજાનો અમલ શક્ય જ નથી. જ્યારે કર્મની કોર્ટને આ મર્યાદા કદી નડતી નથી. એ એવી જબરજસ્ત કોર્ટ છે કે એ એક નહિ, અનેક જન્મોપર્યત પણ સજાનો અમલ કરાવી તેનો પૂરેપૂરો ભોગવટો કરાવી શકે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
આ તો માત્ર ઝલકરૂપ ત્રણેક બાબતોનો નિર્દેશ છે. આવી આવી તો કૈક બાબતો છે કે જેમાં દુન્યવી કોર્ટ કરતાં આ કર્મની કોર્ટે વધુ સક્ષમ અને સમર્થ પુરવાર થાય. અને... એટલે જ દુન્યવી કોર્ટના કાયદા-કાનૂન કરતા ય આ કર્મની કોર્ટના સિદ્ધાંતો-નિયમો પર વિશેષ લક્ષ્ય આપવું આવશ્યક છે.
જૈનદર્શનમાં એ કર્મસિદ્ધાંતને સમજાવતું અઢળક નિરૂપણ છે જેને આપણે ‘કર્મસાહિત્ય’ શબ્દથી ઓળખી શકીએ. કર્મગ્રન્થો-કર્મપ્રકૃતિ-પંચસંગ્રહ વગેરે ગ્રન્થો આ કર્મ-સાહિત્યના વિભાગમાં ગણાય. તે પૈકી કર્મગ્રન્થો પ્રત્યેક કર્મસાહિત્યના જિજ્ઞાસુઓ માટે પ્રથમ સોપાનની ભૂમિકા અદા કરે તેમ છે. બીજા શબ્દોમાં કહીએ અગાધ સમુદ્રતુલ્ય કર્મસાહિત્યમાં પ્રવેશવા કર્મગ્રન્થો નાવતુલ્ય છે. આ કર્મગ્રન્થો પણ બે રીતની છે : પ્રાચીન અને નવ્ય. વર્તમાનમાં જૈન સંઘમાં તે પૈકીના નવ્ય કર્મગ્રન્થોનું અધ્યયન-અધ્યાપન પ્રચૂર પ્રમાણમાં પ્રવર્તે છે કે જેમાના એકથી પાંચ કર્મગ્રન્થો પૂજ્ય પ્રવર આચાર્યદેવ શ્રીમાન દેવેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ દ્વારા વિરચિત છે. આ કર્મગ્રન્થો કર્મોના મુખ્ય ભેદો, પેટા પ્રકૃતિઓ, તે તે કર્મોની જીવ પર થતી સારી યા નરસી અસરો, તે તે કર્મના બંધહેતુઓ, તે તે ગુણસ્થાનકે કર્મોની બંધ-ઉદય-ઉદીરણાસત્તા, જીવસ્થાનકોમાં વિવિધ માર્ગણાઓની પ્રરૂપણા, કર્મોની ધ્રુવબંધીઅધુવબંધી આદિ પ્રકૃતિઓ, સ્થિતિબંધ ચસબંધ આદિ અનેકવિધ વિષયોની એવી પદ્ધતિસરની પ્રરૂપણા કરે છે કે જે જિજ્ઞાસુઓને સુસ્પષ્ટપણે બોધ કરાવી શકે. )
એ કર્મગ્રન્થો પ્રાકૃત ભાષામાં ને ગાથાબદ્ધ શૈલીમાં હોવાથી તેમજ તેની સ્વોપજ્ઞ ટીકાઓ સંસ્કૃતમાં હોવાથી, મહેસાણા પાઠશાળાદિ દ્વારા ગાથાર્થશબ્દાર્થ ને જરૂરી સમજણ સાથેના કર્મગ્રન્થોના પાઠ્યપુસ્તકો ગુર્જરભાષામાં પ્રકાશિત થયા છે જેનો પ્રચુર લાભ અભ્યાસુ વર્ગ દ્વારા નિયમિત લેવાય છે. પ્રથમ ‘કર્મવિપાક' કર્મગ્રન્થનું આ પ્રસ્તુત પુસ્તક પણ આ જ શૈલીનું પાઠ્યપુસ્તક છે. પરંતુ એમાં ઠેર ઠેર તે તે વિષયોનો બોધ વધુ સંગીન થાય તેવી સરસ-સરલ વિવેચના છે જે આ પુસ્તકને અભ્યાસુવર્ગમાં આદરણીય બનાવશે તે નિઃશંક છે. આ
પંડિતજી શ્રી રસિકભાઈએ અભ્યાસુ વર્ગને અધ્યયન કરાવતી વેળાએ જે રજૂઆતો કરી છે લગભગ એનું શબ્દસ્વરૂપ આ વિવેચના છે અને એને શબ્દસ્વરૂપ આપનાર છે અમારા સમુદાયના સા. શ્રી સ્નેહલતાશ્રીજી
Page #8
--------------------------------------------------------------------------
________________
યશોધર્માશ્રીજીના શિષ્યા અભ્યાસરત સા. શ્રી જિનયશાશ્રીજી. તેઓએ ખૂબ ખંત અને અથાગૂ ઉત્સાહપૂર્વક એ રજૂઆતોને કલમ દ્વારા કંડારીને આ વિવેચના આલેખી તો છે જ. સાથોસાથ કેટલાય સ્થાને પોતાના ક્ષયોપશમવાંચન આદિનો ઉપયોગ કરીને એ વિવેચનાને નવી સમૃદ્ધિ પણ બક્ષી છે. આપણે એમણે બક્ષેલી એ સમૃદ્ધિની કેટલીક ઝલકો નિહાળીએ :
પ્રથમ ગાથાના વિવેચનમાં ‘કર્મનું સ્વરૂપ’ આ શીર્ષક સાથે, વર્તમાન જગતની દૃષ્ટિએ કર્મ-જૈન સિદ્ધાંતની દૃષ્ટિએ કર્મ-કર્મવિષયક પ્રશ્નોત્તરી વગેરે વિવિધ બાબતો તેમણે પોતાના ક્ષયોપશમ-વાંચન આદિ દ્વારા પ્રરૂપી છે જે અત્યંત બોધક અને રસપ્રદ છે... . ગાથા-૪ થી ૯ માં પાંચજ્ઞાનની નિરૂપણા છે. તેમાં કેટલાય સ્થળે તેમણે સુંદર પુરવણી કરી છે. ઉદાહરણ રૂપે, અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનની ઓત્પાતિકી બુદ્ધિ આદિ ચાર ભેદના ચાર સરસ દષ્ટાંતો સાધ્વીજીએ ‘લોક પ્રકાશ’ ગ્રન્થમાં જે વાંચેલ તે અહીં એ ચાર ભેદના નિરૂપણ પ્રસંગે ઉચિત રીતે ઉપયોગમાં લેવાયેલ છે. આવા અન્ય પણ ઉમેરણો આ પાંચજ્ઞાન નિરૂપણમાં છે. ' ગાથા નં. ૧૩ થી જે મોહનીયકર્મનું નિરૂપણ ગ્રન્થકાર મહર્ષિદ્વારા થયું છે તેના વિવેચનમાં પણ સાધ્વીજીએ પોતાની ક્ષમતાનો ઉપયોગ કરીને અભ્યાસુ વર્ગને સરલતાપૂર્વક વિશેષ વિષયબોધ કરાવ્યો છે. ગોથા નં. ૧૬ ના અંતે દર્શાવાયેલ આત્મિક વિકાસક્રમ (ઔપથમિક સમ્યક્ત્વ સુધીનો), ગાથા નં. ૧૭ માં દર્શાવાયેલ ૪ કષાયોના ૬૪ અવાંતર ભેદ, ચારિત્રે મોહનીય કર્મનું સ્વરૂપદર્શન વગેરેને આનાં ઉદાહરણ ગણી શકાય. ) ગાથા નં. ૫૪ થી આઠેય કર્મના બંધના હેતુઓની જે પ્રરૂપણા ગ્રન્થકાર ભગવંત દ્વારા થઈ છે તેનું વિવેચનમાં વિશેષ વિભાગીકરણ અહીં નિહાળવા મળે છે. જે પ્રત્યનીકપણે ઉપઘાત આદિ કર્મબંધહેતુનું વિવેચન જોતાં સમજાય છે. આવું વિભાગીકરણ ગ્રન્થકાર મહર્ષિની
સ્વોપન્ન સંસ્કૃત ટીકામાં મળે છે. તેને સાધ્વીજીએ અહીં અભ્યાસુ વર્ગ સમક્ષ ધરવાનો અનુમોદનીય પ્રયાસ કર્યો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
એક વિશેષ વાત. વિવેચનનું શબ્દાંકન અને સંવર્ધન કરનાર સા. શ્રી જિનયશાશ્રીજી અભ્યાસની સાથે સાથે શ્રદ્ધાના ક્ષેત્રે આગે કદમ કરી ચૂક્યા છે. એની પ્રતીતિ કરાવે તેવી એક ઘટના એ છે કે આ લેખનમાં મોહનીયકર્મનાં નિરૂપણનો અધિકાર આવ્યા બાદ કોઈ વિષમ સંયોગે તેમને એવો અહેસાસ થવા માંડ્યો કે હવે આગળનું લેખન મારાથી શક્ય નહિ બને. એક તબક્કે એમણે તેનો પુરુષાર્થ પણ થંભાવી દીધો. કિંતુ શત્રુંજય તીર્થાધિનાયક પરમકૃપાળુ પરમાત્મા શ્રી આદીશ્વરદાદાની સમક્ષ એમણે શ્રદ્ધાભીની પ્રાર્થના કરી કે “પ્રભુ ! આ કાર્ય મારી ગુજાયેશનું પરિણામ નહિ હોય, તારી કૃપાનું જ પરિણામ હશે.” અને તે પછી તેઓ આ વિવેચનનું પૂર્ણ શબ્દાંકન કરવા
ભાગ્યશાલી બની શક્યા.
એમને અમારાં અગણિત અંતર-આશિષ છે કે તેઓ શ્રદ્ધા-જ્ઞાન અને
ચારિત્રના ત્રિવેણીસંગમમાં સ્નાન કરીને આવાં આવાં અન્ય પણ
અભ્યાસોપયોગી કાર્યો કરવા ખુશનસીબ બને.
અંતે, આ સરલ અને સરસ ગ્રન્થરત્નનાં પઠન-પાઠન દ્વારા સહુ જીવો અષ્ટવિધ કર્મથી મુક્ત થઈને સુખનિધાન સમા શાશ્વત સિદ્ધસ્થાનમાં સુપ્રતિષ્ઠિત થવાનાં પંથે પ્રસ્થાન કરે એ જ અંતર-અભિલાષા.
મહાશુદિ પંચમી, વિ.સં. ૨૦૬૨, તા. ૨-૨-૨૦૦૬ શાશ્વત સિદ્ધગિરિ નિશ્રાવર્તી, પાલિતાણા
44
આ. શ્રી સૂર્યોદયસૂરીશ્વર ચરણ સંરોજચંચરીક વિજયરાજરત્નસૂરિ
Page #10
--------------------------------------------------------------------------
________________
- સંપાદકીય નિવેદન અનાદિ સંસારસાગરમાં જીવોના પરિભ્રમણના કારણરૂપ કર્મનું સ્વરૂપ અકળ અને અગમ્ય છે. છતાં સર્વજ્ઞ ભગવંતોએ કેવલજ્ઞાન દ્વારા જોયેલ અને વર્ણવેલ તે કર્મોનું વિશદ વર્ણન ગણધર ભગવંતોએ આગમ ગ્રંથોમાં ગુંચ્યું છે.
આ અગાધજ્ઞાનના સમુદ્રરૂપ શાસ્ત્રોમાં અલ્પબુદ્ધિવાળા, અલ્પ આયુષ્યવાળા જીવો અવગાહી શકે નહી. જાણી શકે નહી.
તેથી તે સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળા, જીજ્ઞાસાવાળા જીવોના ઉપકાર માટે પૂર્વાચાર્યો-પૂર્વ મહર્ષિઓએ કર્મવિષયક અનેક ગ્રંથો બનાવ્યા છે.
આ પૂર્વાચાર્યોમાંના તપસ્વીહીરલા પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી જગચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂ. આ. ભ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ નવ્ય પાંચ કર્મગ્રંથ બનાવ્યા છે.
જો કે પ્રાચીન કર્મગ્રંથો પણ પૂર્વાચાર્યોના બનાવેલા છે. તે હમણાં ગાથાર્થ સાથે પ્રકાશિત થયેલ છે. તેમજ નવ્ય કર્મગ્રંથો પણ વિવેચન સાથે મહેસાણા જૈન શ્રેયસ્કર મંડળ, પં. ભગવાનદાસભાઈ તરફથી, પં. અમૃતલાલ પુરુષોત્તમદાસ તરફથી પ્રકાશિત થયેલ છે.
વળી આ નવ્ય કર્મગ્રંથ વિસ્તૃત વર્ણન સાથે પં. ધીરૂભાઈના અને પૂ. રમ્યગુણાશ્રીજી મ.સા. ના ઉપદેશથી પણ પ્રકાશિત થયેલ છે.
આ કર્મગ્રંથોમાં સપ્તતિકાકર્મગ્રંથ મહેસાણા સંસ્થા સિવાય કોઈના પ્રકાશિત નહી હોવાથી અને તે ગ્રંથમાં ભાંગાની ભિન્ન ભિન્ન સંખ્યા તથા તેના ઉપરના સત્તાસ્થાનો અભ્યાસક વર્ગને સરળતાથી સમજાય તો અધ્યયન કરવામાં સુગમતા રહે, તે ઉદેશથી મેં પ્રથમ સપ્તતિકાકર્મગ્રંથનું સંપાદન કર્યું અને પ્રકાશિત કરવામાં આવ્યો.
ત્યારબાદ અધ્યયન કરતાં પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની વારંવાર માગણીથી “શતકનામા પંચમ કર્મગ્રંથ” કર્મસ્તવ અને બંધસ્વામિત્વનામા દ્વિતીય, તૃતીય કર્મગ્રંથ તેમજ ષડશીતિનામા ચતુર્થ કર્મગ્રંથને તે તે વિષયોને મૂખપાઠ કરી શકે અને સરળતાથી સંક્ષેપમાં સમજી શકાય તે આશય રાખી તે ગ્રંથોનું સંપાદન અને પ્રકાશન કર્યું.
હવે શ્રાવક-શ્રાવિક વર્ગ તથા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંત આદિને ભણવામાં અને અધ્યયન કરાવવામાં પણ ઉપયોગી વિવેચન સાથે કર્મવિપાક કર્મગ્રંથ લખવા વિચાર્યું.
Page #11
--------------------------------------------------------------------------
________________
પરંતુ બે વર્ષ પૂર્વે સુરતમાં અધ્યયનાથે ચાતુર્માસ રહેલ પૂ. ધર્મસૂરિ મહારાજ સાહેબનાં સમુદાયમાં પૂ. સ્નેહલતાશ્રીજી મ.સા. તથા પૂ. યશોધર્માશ્રીજી મ.સા. નાં સાધ્વીજી ભગવંતોએ અભ્યાસ કરતી વખતે સમજાવવામાં આવેલ વિષયો પ્રમાણે લખાણ કરી નોટો બનાવી.
તે લખાણને જોઈ-તપાસી વ્યવસ્થિત કરી પ્રકાશિત કરવા વિચાર્યું.
આ લખાણ તૈયાર કરવામાં પૂ. શ્રી જિનયશાશ્રીજી મ.સા. ની ઘણું જ મહેનત છે અને તે અનુમોદનીય છે.
તૈયાર કરેલ તે લખાણને પૂ. આ. ભ. શ્રી રામસૂરિ મ.સા. (ડહેલાવાળા) ના શિષ્ય પૂ. આ. ભ. શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના શિષ્ય પૂ. શ્રી વિનીતચંદ્રવિજયજી મહારાજ સાહેબે વાંચી યોગ્ય સુધારા-વધારા કરી આપ્યા.
| છતાં પણ અભ્યાસક વર્ગને સરળતાથી સમજાય તે આશયથી કર્મગ્રંથના ઉંડાણથી અભ્યાસ કરનાર પૂ. શ્રી રાજરત્નવિજયજી મહારાજ સાહેબને પણ વાંચવા-અવલોકન કરવા આપ્યું. તેઓશ્રીએ કેટલાક સુધારા વધારા સૂચવ્યા તેમજ કેટલીક જગ્યાએ ભાષાને અલંકૃત કરવા પણ બતાવ્યું. આ તે બન્ને મુનિરાજ ભગવંતોની સૂચના મુજબ સુધારા વધારા કરી મેટર તૈયાર કરી પ્રેસ કોપી કરાવી.
પ્રેસકોપી કરવામાં પૂ. શ્રી સ્નેહલતાશ્રીજી મ.સા. ની ભલામણથી જિનેશભાઈ શશીકાન્તભાઈ મણિયાર (મોટુભાઈ) પાલીતાણાએ કરી આપી.
આ ગ્રંથનું લખાણ તૈયાર કરવામાં અને પ્રકાશિત કરવામાં પૂ. સા. મ. શ્રી સ્નેહલતાશ્રીજી મ.સા., પૂ. શ્રી યશોધર્માશ્રીજી મ. ની પ્રેરણા તથા ઉપદેશથી દ્રવ્ય સહાયતા પ્રાપ્ત થતાં તુરત પ્રકાશિત કરી શકાયેલ છે. તે બદલ તે પૂજ્યોનો ઉપકાર ભૂલાય તેમ નથી.
આ ગ્રંથ લખવામાં મુંબઈ ગોરેગાંવસ્થિત પંડિતવર્યશ્રી પુનમચંદભાઈનું સુંદર માર્ગદર્શન મળેલ છે.
આ રીતે આ ગ્રંથનું લખાણ તૈયાર કરવામાં અને પ્રકાશિત કરવામાં અનેકનો લાગણીભર્યો સહકાર મળેલ છે. તે બદલ તે સર્વનો અન્તઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે.
આ ગ્રંથનો અભ્યાસ કરતાં ક્યાંય પણ ક્ષતિ જણાય તો જણાવવા કૃપા કરશો. અજ્ઞાનતાથી જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્
મહેતા રસિકલાલ શાન્તિલાલ
(સુઈગામવાળા)
Page #12
--------------------------------------------------------------------------
________________
ટીંટોઈમંડન શ્રી મુહરી પાર્શ્વનાથ પ્રભુ
હે જગતના જગદીશ, જગચિંતામણિમાં તાહરી સ્તવના કરી ગૌતમ પ્રભુએ, અરજ સુણજો માહરી, દુઃખ દુરિતનું ખંડન કરીને, મોક્ષ દેજો મોહ હરી, શ્રી મુહરી પ્રભુ પાર્શ્વને'' ભાવે કરું હું વંદના
સૌજન્યઃ શ્રી મુહરી પાર્શ્વનાથ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ,
ટીંટોઈ (સાબરકાંઠા).
Page #13
--------------------------------------------------------------------------
________________
જૈન શાસનના જ્વલંત જ્યોતિર્ધર યુગદિવાકર પૂજ્યપાદ આચાર્ય ભગવંત
શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજા
જેની વચનલબ્ધિ થકી જિનમંદિરો શતશઃ થયા, અભુત શાસન કાર્ય જેના પુણ્ય ઉપદેશે થયા; બની સંઘમાં સૂરજ સમા જે “યુગદિવાકર' પદ વર્યા, તે ધર્મસૂરીશ્વર-ચરણમાં ભાવથી કરું. વન્દના.
? સૌજન્ય : શ્રી સંભવનાથ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ
જામલીગલી, બોરીવલી, મુંબઈ.
Page #14
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય કલારત્ન, રાષ્ટ્રસંત, પ્રચંડ પ્રભાવક, પૂજ્યપાદ આચાર્ય ભ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજા
અજ્ઞાન તિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાક્યા
નેત્રોન્મિલિતં યેન તર” શ્રી ગુરવે નમઃ સૌજન્યઃ મણિબહેન ધરમચંદ દીપચંદ વોરા પરિવાર - ટીંટોઈવાળા હો - ઓચ્છવભાઈ, વાડીભાઈ, જયંતિભાઈ, કીર્તિભાઈ,
હસમુખભાઈ, ડૉ. શીરીષભાઈ
Page #15
--------------------------------------------------------------------------
________________
દીર્થસંયમી, સરળ સ્વભાવી, પ્રશાન્તમૂર્તિ પ.પૂ. સાધ્વીજી શ્રી કમલાથીજી મ.સા.
સૌમ્યતા, સુગંભીરતા, જેના મુખે સદા સુપ્રસન્નતા, પૂર્ણિમાના ચંદ્રસમ, જેની વસે સદા શીતલતા, મમતા ભુલાવે માતની, એવી દીસે વાત્સલ્યતા,
ઉપકારી ગુરુ શ્રી કમલ ચરણે, ભાવથી કરું વંદના સૌજન્યઃ ચંદનબહેન હિરાલાલ શાહ પરિવાર (ડભોઈવાળા)
હસ્તે - બાબુભાઈ, હસમુખભાઈ, સુંદરભાઈ,
કેશરીભાઈ, નવિનભાઈ, પુનમભાઈ.
Page #16
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
જેઓશ્રીએ પ્રકરણો-કર્મગ્રન્થો -સંસ્કૃતપ્રાકૃત – ન્યાય ગ્રન્થો - તત્ત્વજ્ઞાનના ગ્રન્થોના અધ્યયનને સતત સ્વાધ્યાય દ્વારા જીવનને શ્રુતથી સજાવ્યું હતું. સદાય પ્રભુભક્તિમાં મસ્ત રહીને અને અંતિમ દિવસે ને અંતિમ કલાકે સિદ્ધ ગિરિરાજના દાદાનું જ સ્મરણ કરતા રહીને જેઓશ્રીએ જીવનને શ્રદ્ધાથી સજાવ્યું હતું.
અને
૯૬ વર્ષના જીવનપથમાં સતત ૭૬ વર્ષ પ્રભુનો અનગારધર્મ અપનાવીને જેઓશ્રીએ જીવનને સંયમથી સજાવ્યું હતું. તે અમારા તારણહાર-પાલનહાર અને પ્રાણાધાર ગુરુદેવશ્રી પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી કમળાશ્રીજી મ. સા.ના કરકમલમાં પવિત્ર પુણ્ય સ્મૃતિ સ્વરૂપ ગ્રંથાંજલી સાદર સમર્પણ...
- ચરણોપાસિકા સા. મંજુલાશ્રી સા. સ્નેહલત્તાશ્રી આદિ
સમસ્ત શિષ્ય-પ્રશિષ્યાવૃંદ
Page #17
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય સાધ્વી શ્રી કમળાશ્રીજી મ.સા. નું જીવન ઝરમર
મળે છે દેહ માટીમાં, પણ ગુરુદેવ નામથી અમર છે, ચિર વિદાય તો લે સહુ કોઈ, પણ તેના કામ અમર બને છે, કેટલું નહિ પણ કેવું જીવ્યા ? તે હરપલ યાદ આવે છે એમના મૃત્યુના કર્યા મહોત્સવ વધામણા તે પણ યાદ આવે છે.
ધર્મ અને સંસ્કૃતિના જાજરમાન મૂલ્યોથી દેદિપ્યમાન એવી ગુજરાતની સોહામણી ધરતી. છ ભવ્ય શિખરબંધી જિનાલયોથી ગુંજતી. ભક્ત કવિ દયારામની જન્મભૂમિ, સંયમરત્નોની ઉત્તમ મહામોહી ખાણ, પ.પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. ની અંતિમભૂમિ હીરાકડિયા રચિત ભવ્ય કિલ્લાઓથી શોભતી જૈનશાસનના કાશ્મીરની ઉપમાને ધારણ કરતી, છેલ્લા દાયકામાં તો આ ધરતીએ ઘણા મહાન નરરત્નોની ભેટ આપી છે એવા પૂ. આ. ભ. શ્રી મોહનસૂરીશ્વરજી મ.સા. પૂ. આ. શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ.સા., પૂ. આ. ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. ના સમુદાયોમાં પૂ. આ. ભ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા. પૂ. આ. ભ. શ્રી મહાનંદસૂરીશ્વરજી મ.સા., પૂ. આ. ભ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મ.સા., પૂ. આ. ભ. શ્રી મહાબલસૂરીશ્વરજી મ.સા., પૂ. પં. શ્રી વાચસ્પતિવિજયજી મ.સા. વગેરે આચાર્ય, શતક સાધુ-સાધ્વીજી વગેરે ભગવંતોની ભેટ આપી ગૌરવવંતી બની છે. એવા ધર્મ સંસ્કાર અને જૈનત્વ પ્રભાવથી ઝળહળતા દર્ભાવતીની તીર્થભૂમિમાં ખુશાલચંદભાઈ અને સુશ્રાવિકા ઝેકોરબેનને ૪ પુત્રો અને ૪ પુત્રીઓ પૈકીમાં સૌથી પ્રથમ પુત્રી કમલાબેન હતા.
બાળપણમાં ધાર્મિક વાતાવરણમાં ગુરુદેવના સાન્નિધ્યમાં પાંદડા પર પડેલ પાણીના પરપોટાને સ્વાતિ નક્ષત્રના સૂર્યના કિરણનો સ્પર્શ થતાં મોતી બને તેવી જ રીતનાં તેમનો વૈરાગ્ય-વાસિત ભાવ દૃઢ બન્યો. સંસારની અસારતા જાણી મુનિ જીવનની મસ્તી માણવા પરિમલ થનગની ઉઠ્યો.
Page #18
--------------------------------------------------------------------------
________________
અને ભગવાન મહાવીરના માર્ગે મક્કમતાપૂર્વક મહાભિનિષ્ક્રમણ કરી પૂ. મોહનસૂરીશ્વરજી મ.સા. ના વરદ્ હસ્તે વિક્રમ સંવત ૧૯૮૫ ના માગસર સુદ બીજના મંગલ દિવસે મહામંગલકારી કલ્યાણકારી પ્રવ્રજયા મહામહોત્સવ સાથે હૈયાના વીર્યોલ્લાસ પૂર્વક ગ્રહણ કરી પૂ. કંચનશ્રીજી મ.સા. ના શિષ્યા પ.પૂ. સા. શ્રી કમલાશ્રીજી મ.સા. તરીકે ઓળખાવા લાગ્યા.
તપસ્વી, ત્યાગી, વૈરાગી, જ્ઞાની ગુરુના સંગમાં ને આત્માના રંગમાં રંગાતા અણગાર જીવનમાં આદરણીય આજ્ઞાનું આચમન, આચારોનું આવર્તન, પ્રકરણ-વ્યાકરણ-ન્યાય-સંસ્કૃત-પ્રાકૃતાદિ સ્વાધ્યાયનું સતત સેવન, વિનય-વૈયાવચ્ચ-તપ-ત્યાગના સંવર્ધન દ્વારા સ્વજીવન અલંકૃત કર્યું.
પોતાની કુશાગ્ર બુદ્ધિથી જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગમાં આગળ વધ્યા. કોમળ મિલનસાર સ્વભાવના કારણે સમુદાયમાં સહુના પ્રિયપાત્ર બન્યા. તેઓશ્રી મૃદુતા, સરળતા અને નમ્રતાના પ્રતિક હતા. સહિષ્ણુતા-વિદ્વત્તાને કરૂણાની અજોડ મૂર્તિ હતા. યશ-આદેયનામી અને વૈરાગ્ય દેશનાના પરિણામે ૧૩ શિષ્યા-પ્રશિષ્યાના જીવન જહાજના નિર્યામક, સંયમ જીવનના સફળ સુકાનીને જીવનોદ્યાનને ખીલવવા માટે કુશળ માળી બન્યા. જેમ વાંસળીના સુસ્વરો સાંભળીને મૃગલા એકતાન બને તેમ ગુરુ મ. ના ગુણોરૂપી વાંસળીથી પ્રેરાઈને પૂ. સા. શ્રી મંજુલાશ્રીજી મ.સા. (સંસા૨ી પક્ષે બેન) પૂ. સા. શ્રી અરૂણપ્રભાશ્રીજી મ.સા. (સંસા૨ી પક્ષે ભત્રીજી) પૂ. સા. શ્રી સ્નેહલત્તાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી કીર્તિલત્તાશ્રીજી મ.સા. (સંસારી પક્ષે ભાણી), પૂ. સા. શ્રી અજીતસેનાશ્રીજી મ.સા. તપસ્વી પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.સા., પૂ. આ. શ્રી યશોધર્માશ્રીજી મ.સા., પૂ. આ. શ્રી શાશ્વતયશાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી શાશ્વતધર્માશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી જિનયશાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી પ્રશાંતપૂર્ણાશ્રીજી મ.સા. આદિ શિષ્યાપ્રશિષ્યાઓનાં વિશાળ પરિવારથી યુક્ત એવા તેઓશ્રી વડલાની છાયા સમાન સંયમ સાધનામાં તેઓ ખૂબ જ પ્રોત્સાહક બન્યા.
Page #19
--------------------------------------------------------------------------
________________
મારવાડ, મહારાષ્ટ્ર, માલવા, સૌરાષ્ટ્ર, સાબરકાંઠા, ગુજરાત આદિ પ્રદેશોમાં વિચરણ દ્વારા અનેકોના જીવન જાગૃત કર્યા. અનરાધાર વરસતી ગુરુકૃપાથી ગૌરવશાળી, ગિરમાશાળી શાસન પ્રભાવનાના સુકૃતોની હારમાળા સર્જી પાઠશાળા, આયંબિલ ભવન, ઉપાશ્રયો, ઉજમણા આદિથી સંઘને પુરસ્કૃત કર્યા, શાસન સમર્પિતતા, સંઘ સાથે સહૃદયતા, સ્વભાવમાં સૌમ્યતા, વાણીમાં વિનમ્રતા, વિચારમાં વિશદતા કેળવી દીર્ઘ સંયમી બની શાસનમાં નામ રોશન કર્યું.
1918
સ્વાધ્યાય અને ધ્યાન તેમના કવચ, નવકારવાળી તેમની સાહેલી, પરમાત્મભક્તિ તેમનો પ્રાણ હતો. પરોપકારિતા, પ્રસન્નતા, કરૂણાશીલતા, સરળતાના ગુણોથી સૌના લાડીલા બન્યા. મૌન, સમતા અને મરક મરક હસવું એ તો એમની સહજ વિશેષતા હતી. ગુણાનુરાગી અને ગુણગ્રાહી હતા. જેમણે જન્મથી પોતાના માતા-પિતાને ધન્ય બનાવ્યા. દીક્ષા લઈને ગુરુને સમર્પિત બન્યા, સંયમ આપી શિષ્યા-પ્રશિષ્યાઓને, સાધનામય જીવન જીવી આત્માને, આરાધનાનો માર્ગ બતાવી અનેકને ધન્ય બનાવ્યા.
“ધન્ય હો ગુરુદેવ ધન્ય હો !!’’
સિદ્ધક્ષેત્રની પવિત્રભૂમિમાં શ્રી આદીશ્વરદાદાની છત્રછાયામાં સતત ૨૦ વર્ષ આજીવન આરાધના કરી આત્માને મોક્ષ તરફ ઉર્ધ્વગામી બનાવવા સજાગ બન્યા. શિષ્યાઓ ગુરુજીને વારંવાર પૂછતા કે તમે આરાધનામાં છો ને ? એક જ જવાબ કે ‘દાદા મારો એવો હોંશીલો, મને બોલાવે ઘડી ઘડી, મને બોલાવે ઘડી ઘડી, સૌને બોલાવે ઘડી ઘડી !!’’. અને દાદાના ધામમાં, દાદાના ધ્યાનમાં, જાપ કરતાં કરતાં વિક્રમ સંવત ૨૦૬૧ ના કારતક વદ દશમના દિવસે સમાધિપૂર્વક નશ્વરદેહનો ત્યાગ કરી સમાધિ મરણ પ્રાપ્ત
કર્યું.
“ગુરુદેવના ગુણ ગાવા માટે કરી તલાશ,
મળ્યો નહીં શબ્દકોષ, ન થયો સંતોષ.’’ ‘ફૂલ એક ગુલાબનું કરમાઈ ચાલ્યું બાગથી,
Page #20
--------------------------------------------------------------------------
________________
અર્ધી ગયું ફોરમ જગતને, ત્યાગના અનુરાગથી, મોરલો ઉડી ગયો, પણ મધુર કેકારવ થયો, ગીત પૂરું થઈ ગયું, પણ મધુર ગુંજારવ રહ્યો.
કલ્પના ન હતી કે એકાએક પંખી માળો છોડીને ચાલ્યો જશે ઉપાશ્રય સૂનો, શ્રી સંઘ સૂનો બન્યો, સૌના હૈયા સૂના બન્યા. વિશાળ પરિવાર છત્રછાયા વિનાનો બન્યો. નાવિક વિનાનો નો ધારો બન્યો. શાસનનો એક સિતારો ખરી પડ્યો. ૯૬ વર્ષની જિંદગીમાં ૭૭ વર્ષનો દીર્ઘ સંયમ પર્યાય પાળી જીવન સફળ બનાવ્યું.
“મુખડું સદા હસતું હતું, વાત્સલ્ય નીતરતું હતું, જ કરૂણાભરી આંખો થકી, અમૃત સદા ઝરતું હતું,
સ્વાધ્યાયમય જીવન હતું, સમતાભર્યું જે શોભતું, અંતે સમાધિમરણ પણ, માંગલ્ય મહોત્સવનું હતું.”
ઓ ગુરુદેવ ! આપશ્રી જ્યાં બિરાજતા હો ત્યાંથી પરિવાર પર સદા આશીર્વાદ વરસાવશો. અમીદ્રષ્ટિથી જોશો. અને આરાધનામાં સહાય કરશો. શાસનદેવ આપશ્રીના આત્માને સમાધિ અપે, સદ્ગતિભાજક બની પરંપરાએ મોક્ષ સુખના ભોક્તા બનો એ જ અભ્યર્થના...!
ગુરુદેવશ્રીના જીવન ઝરમરને વાંચી હરકોઈ આત્મા સંયમ ધર્મને પામી જન્મ, જીવન અને મરણની ઘટનાને અટકાવનાર બને અને પરમસુખના ભોક્તા બને એ જ અંતરભાવના સહ..!!
લી. સ્નેહયશ પરિવાર
Page #21
--------------------------------------------------------------------------
________________
0
આ ગ્રંથ પ્રકાશનમાં દ્રવ્ય સહાયક મહાનુભાવોની નામાવલિ યુગ દિવાકર, દ્રવ્યાનુયોગના અજોડજ્ઞાતા, સંઘનાયક પ.પૂ. આ. ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટપ્રભાવક સાહિત્યકલારત્ન પ.પૂ. આચાર્યદેવશ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તિની દીર્ઘસંયમી પ.પૂ. સા. શ્રી કમળાશ્રીજી મ.સા. ના શિષ્યરત્ના પ.પૂ. સા. શ્રી સ્નેહલત્તાશ્રીજી મ.સા., પૂ.પૂ. સા. શ્રી યશોધર્માશ્રીજી મ.સા., પ.પૂ. સા. શ્રી શાશ્વતયશાશ્રીજી મ.સા., પ.પૂ. સા. શ્રી શાશ્વતધર્માશ્રીજી મ.સા., પ.પ. સા. શ્રી જિનયશાશ્રીજી મ.સા. આદિની પ્રેરણાથી.
શ્રી સંભવનાથ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, જામલીગલી, બોરીવલી, મુંબઈ.
* ૫.પૂ. આ. ભ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. ના વિનયી શિષ્યરત્ન પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી હર્ષસાગરજી મ.સા. ના આચાર્યપદ પ્રદાન નિમિત્તે અ.સૌ. ડાહીબેન વાડીલાલ ધરમચંદ વોરા - ટીંટોઈ
હસ્તે - પ્રકાશભાઈ, જાગૃતિબેન, ડૉ. કમલેશભાઈ
* શ્રીપ્રકાશભાઈ બી. શાહ, મલાડ, મુંબઈ.
પ.પૂ. આચાર્યદેવ શ્રી મહાબલસૂરીશ્વરજી મ.સા. ની ઉપકારની સ્મૃતિમાં અ.સૌ. સુધાબેન ઓચ્છવભાઈ શાહ,
* શ્રી ઋષભ જિન મહિલા મંડળની બહેનો તરફથી-વાલકેશ્વર, મુંબઈ. * અ.સૌ. ભારતીબેન સંપતરાય - બોરીવલી.
* પન્નાબેન વિનોદભાઈ શાહ - અમદાવાદ.
* પાદરલીભવન ધર્મશાળાની આરાધક બહેનો તરફથી - પાલીતાણા. * કૃતિબેન સતીષભાઈ - જામલીગલી, બોરીવલી. * અ.સૌ. રેખાબેન મહેન્દ્રભાઈ ગાંધી - દહિંસર
* અ.સૌ. જ્યોતિબેન યશ્વિનભાઈ કાપડી, હસ્તે – હાર્દિક,વિશાલ, પ્રાચી. * અ.સૌ. કલ્પનાબેન વિરેન્દ્રભાઈ શાહ - વાલકેશ્વર, મુંબઈ.
અ.સૌ. ભારતીબેન પ્રવિણચંદ્ર શાહ - સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર. * અ.સૌ. શોભાબેન પ્રમોદભાઈ શાહ - બોરીવલી. * અ.સૌ. જાગૃતિબેન અનિલકુમાર શાહ - ખાનપુર, અમદાવાદ.
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૫
મુખ્ય ટાઈટલના ચિત્રનો પરિચય (૧) લોકાલોકરૂપ અનંત ગોળાકાર જગત (૨) ગોળાકારવાળા જગત્માં બિંદુતુલ્ય ચૌદરાજ લોક (૩) ચૌદરાજલોકમાં છ દ્રવ્યો છે. (૪) અનંતા જીવોરૂપ ચેતનવાળુ દ્રવ્ય છે. (૫) તે જીવો (૧) કર્મસહિત (૨) કર્મરહિત બે પ્રકારના છે. (૬) કમરહિત જીવો ચૌદરાજલોકના અગ્રભાગે ૪૫ લાખ યોજન લંબાઈ
પહોળાઈવાળી જગ્યામાં રહેલા છે. આ (૭) કર્મસહિત જીવો-ચૌદરાજમાં સર્વત્ર અનંતા છે. (૮) આ કર્મનું વર્ણન જાણવા આ ગ્રંથ વાંચવો. (૯) કર્મ એ પુદ્ગલ દ્રવ્ય છે. તે સંસારી જીવોને પ્રદેશ પ્રદેશ અનંત
અનંત લાગેલ છે. (૧૦) તે કર્મનો કાળ પાકે ત્યારે જીવને ઉદયમાં આવે છે. (૧૧) તે કર્મના ઉદયવાળો જીવ સંસારી કહેવાય છે.
ચિત્ર પરિચય (પાછળનું ટાઈટલ પૃષ્ટ) આરોહ ( પાછળના ટાઈટલ પૃષ્ટ ઉપર આપેલ ચિત્રમાં આરોહ (ચડવા)નો ક્રમ બતાવેલ છે. તે આ પ્રમાણે.... (૧) ૧લા ગુણસ્થાનકની ઉપશમસમ્યકત્વ પામી સાધો ૪થું, પમું, ૬ઠું
અથવા ૭મું ગુણસ્થાનક પામી શકે છે તે કાળી લીટીથી બતાવેલ
(૨) ૧લા ગુણસ્થાનકની મોહનીયની ૨૮ અથવા ૨૭ પ્રકૃતિની સત્તાવાળો
૩જું ગુણસ્થાનક પામે તે પણ કાળી લીટીથી બતાવેલ છે. (૩) ૧લા ગુણસ્થાનકની મોહ. ૨૮ની સત્તાવાળો ક્ષાયોપશમ સમ્યત્વ
પામી ૪થું ગુણસ્થાનક પામી શકે છે. પછી ૪થા ગુણસ્થાનકથી અનુક્રમે અને સીધો પમું, ૬ઠું અને ૭મું ગુણસ્થાનક પામે તે લાલ
લીટીથી બતાવેલ છે. (૪) ૩જા ગુણસ્થાનકથી મોહનીયની ૨૮ની સત્તાવાળો ૪થું ગુણસ્થાનક
પામી શકે છે તે બ્લ લીટીથી બતાવેલ છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૬
(૫) પમા ગુણ. થી સીધો ૭મું પામે તે કાળી લીટીથી બતાવેલ છે. (૬) સાતમા ગુણસ્થાનકથી ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિવાલો અનુક્રમે
૮મું, ૯મું અને ૧૦મું ગુણસ્થાનક પામે. તે લાલ લીટીથી
બતાવેલ છે. (૭) ૧૦માં ગુણસ્થાનકથી ઉપશમશ્રેણિવાલો ૧૧મું ગુણસ્થાનક પામે તે
બ્લ લીટીથી બતાવેલ છે. (૮) ૧૦મા ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિવાળો અનુક્રમે ૧૨-૧૩-૧૪મું |
ગુણસ્થાનક પામી મોક્ષ પામે તે લાલ લીટીથી બતાવેલ છે.
ચિત્ર પરિચય (પાછળનું પૃષ્ટ) અવરોહ (૧) ૧૨-૧૩-૧૪મા ગુણસ્થાનકથી પડે નહીં તેથી ચિત્રમાં અવરોહની
લીટી બતાવેલ નથી. ) (૨) ૧૧મા ગુણસ્થાનકથી કાળક્ષયે પડીને અનુક્રમે ૧૦મે-૯મે-૮મે
અને ૭મે અને ૬કે ગુણસ્થાનકે આવે છે. અને પતિત પરિણામી હોય તો પમે અને ૪થે ગુણસ્થાનકે આવે છે. તે લાલ લીટીથી
બતાવેલ છે. (૩) જો ભવક્ષયે પડે તો ૧૧-૧૦-૯-૮-૭-૬માંના કોઈપણ ગુણ૦ થી
પડી સીધો ૪થું ગુણસ્થાનક દેવલોકમાં પામે છે તે કાળી લીટીથી
બતાવેલ છે. (૪) ઉપશમસમ્યકત્વી ૪થા ગુણસ્થાનકથી ૨ જે આવી શકે છે તે T કાળી લીટીથી બતાવેલ છે. (૫) ૪થા ગુણસ્થાનકથી સીધો ઉપ. કે ક્ષાયો. સમ્ય૦થી ૧લું ગુણસ્થાનક |
પણ પામી શકે છે તે પણ કાળી લીટીથી બતાવેલ છે. ૩જા
ગુણ૦ થી ૧લે પણ આવી શકે છે તે કાળી લીટીથી બતાવેલ છે. (૬) ૪થા ગુણસ્થાનકથી ૩જે આવી શકે છે તે બ્લ લીટીથી બતાવેલ છે. (૭) ૬ઠ્ઠા-પમા-૪થા તથા ૨જા ગુણસ્થાનકથી ૧લા ગુણસ્થાનકને સીધો
પામે છે. તે બ્લ લીટીથી બતાવેલ છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
શત્રુંજયતીર્થમંડન શ્રી આદીનાથાય નમઃ
ૐ હ્રીઁ શ્રીચંદ્રવિઘ્નહરા પાર્શ્વનાથાય નમઃ
ૐ હ્રા શ્રીધરશેંદ્રપદ્માવતીપરિપૂજિતાય શ્રીશંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ૐૐ હ્રીં શ્રીલોઢણપાર્શ્વનાથાય નમઃ ૐ હ્રીઁ શ્રીમુહરીપાર્શ્વનાથાય નમઃ
ૐ હ્રીઁ શ્રીમહાવીરસ્વામિને નમઃ ૐ હ્રીઁ શ્રીઅરિહંતઉવજ્ઝાય શ્રીગૌતમસ્વામિને નમઃ
કર્મવિપાક પ્રથમ કર્મગ્રંથ
सिरि-वीर - जिणं वंदिअ, कम्मविवागं समासओ वुच्छं । જીરૂ નીĪ દેહિં, નેળ તો મનઘુ ‘મં” ।।
।।
શબ્દાર્થ :- સિરિવીનિ=શ્રી વીર જિનેશ્વર પ્રભુને, સમાસો–સંક્ષેપમાં, વુ ં= કહીશ, ને—જે કારણથી, જીદ્દ નીક્ષ્ણ=જીવ વડે જે કરાય છે, મન્નણ =કહેવાય છે, મં=કર્મ
ગાથાર્થ :- શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને કર્મના ફળ વિશેષ (કર્મવિપાક) ને ટૂંકમાં (સંક્ષેપથી) હું કહીશ. જીવથી મિથ્યાત્વ વિગેરે હેતુઓ દ્વારા જે કરાય છે તે કારણથી તે કર્મ કહેવાય છે.
૧
વિવેચન :- કર્મના વિપાક એટલે કર્મનું ફળ, કર્મના વિષયમાં કર્મનું ફળ સમજવું વિશેષ જરૂરી હોવાથી આ પ્રથમ કર્મગ્રંથમાં ગ્રંથકારશ્રી ટૂંકમાં કયા કર્મનું શું ફળ છે, અર્થાત્ કયા કર્મના ઉદયથી જીવને શું થાય, તે આ ગ્રંથમાં કહે છે. જો કે આગમ ગ્રંથોમાં કર્મસંબંધી વર્ણન ઘણું છે તેમાંથી સારરૂપે અહીં સંક્ષેપથી કહેવાય છે.
જગતમાં અનેક પ્રકારના ફળો છે, પરંતુ અહીં જીવ પોતે જે કંઈ ક્રિયાઓ કરે છે અને તેના દ્વારા જે કંઈ પરિણામ પામે છે તેને ‘કર્મવિપાક’ એટલે કે કર્મનું ફળ કહેવામાં આવે છે અને તે જ વિષય ગ્રંથકારશ્રી આ ગ્રંથમાં બતાવે છે.
૧
Page #25
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
જીવ એટલે આત્મા, તેના દ્વારા, હેતુ એટલે મિથ્યાત્વ વિગેરે આંતરિક કારણો વડે અને પ્રત્યનિક વિગેરે બાહ્ય કારણોથી જે કરાય છે તેને “કર્મ' કહેવામાં આવે છે.
અહીં પ્રથમ ગાથામાં મંગલાચરણ વિગેરે ચાર અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે છે તે આ પ્રમાણે- પ્રથમ મંગલાચરણ કહે છે.
અહીં ચાર અતિશયોવાળા આસન્ન ઉપકારી પ્રભુ મહાવીરને નમસ્કાર કરવામાં આવ્યો છે તે ચાર અતિશયો ગાથામાં બતાવેલ ચાર પદોથી આ પ્રમાણે છે.
સિરિ - અષ્ટપ્રતિહાર્યાદિ ૩૪ અતિશયરૂપ બાહ્યલક્ષ્મી અને જ્ઞાનાતિશય રૂપ અત્યંતર લક્ષ્મીવાળા.
વીર – સઘળા કર્મ પર વિજય મેળવનાર કર્મવીર હોવાથી અપાયાપગમાતિશયવાળા.
નિન - વચનાતિશયવાળા વંતિય - ત્રણે લોકને પૂજવા યોગ્ય હોવાથી પૂજાતિશયવાળા.
(૧) અપાયાપગમાતિય - મિથ્યાત્વાદિ અંતરંગ દુઃખો-મહાદુઃખો અને શારીરિક-માનસિક-આર્થિક-કૌટુંબિક દુઃખો-દુન્યવી રીતે આધિ-વ્યાધિઉપાધિરૂપ કહેવાતા દુઃખો તીર્થંકર પરમાત્માના પ્રભાવે શીઘ ક્ષય પામે છે તેથી તીર્થંકર પરમાત્મા અપાયાપગમાતિશયવાળા કહેવાય છે. એટલે તીર્થંકર પરમાત્મા જ્યાં વિચરતા હોય ત્યાંથી ચારે દિશામાં ૧૨૫ યોજન સુધી મારી મરકી વિગેરે ઉપદ્રવો ન હોય.
(૨) જ્ઞાનાતિશય - સામાન્ય કેવલી ભગવાનને કેવળજ્ઞાન હોય છે અને તીર્થંકર પરમાત્માને પણ કેવળજ્ઞાન છે. પણ તીર્થકર ભગવંતોનું કેવળજ્ઞાન જગતને વિશેષ ઉપકારક અને ભાવ પેદા કરનારું હોવાથી તીર્થંકર પરમાત્મા જ્ઞાનાતિશયવાળા છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણાદિ
(૩) વચનાતિશય :- તીર્થકર ભગવંતનું વચન જગતને હિતકર, વિશેષ લાભદાયી અને વિશેષ બોધપ્રદ ૩૫ ગુણવાળુ હોવાથી તીર્થકર પરમાત્મા વચનાતિશયવાળા છે.
(૪) પૂજાતિશય :- તીર્થંકર પરમાત્મા ત્રણે લોકમાં અસુરેન્દ્રો, નરેન્દ્રો અને દેવેન્દ્રોથી વિશેષ કરીને પૂજાતા હોવાથી તીર્થંકર પરમાત્મા પૂજાતિશયવાળા છે.
તીર્થંકર પરમાત્માને આ ચાર અતિશય હોય છે. આ રીતે ગ્રંથકારશ્રીએ આસન્ન ઊપકારી ચાર અતિશયવાળા વીર પરમાત્માને વંદન કરવારૂપ મંગલાચરણ કર્યું છે.
(૧) મંગલાચરણ :- મંગલ એ ઉત્તમકાર્યમાં વિદ્ગોના નાશ કરવામાં શ્રેષ્ઠ કારણરૂપ છે અને જ્ઞાનપ્રાપ્તિ એ જગતમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. તેથી તેના વિષયમાં કોઈપણ વિઘ્ન આત્માના વિકાસને ન અવરોધે તે હેતુથી મંગલ કરવું જોઈએ. તેમજ આ પરંપરા જૈન જગતમાં આર્ષ પુરૂષોથી આવેલી હોવાથી સિદ્ધ-પ્રસિદ્ધ છે.
તેમજ ગ્રંથ બનાવનારને ગ્રંથ રચવામાં અને પરંપરાએ કર્મનો નાશ કરી મોક્ષ મેળવવામાં વિઘ્ન ન આવે તેમજ આ ગ્રંથને ભણનારને ભણવામાં અને પરંપરાએ કર્મનિર્જરા કરી મોક્ષ મેળવવામાં વિઘ્ન ન આવે તે માટે ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ કરવામાં આવે છે.
તથા આર્ષપુરૂષો કોઈપણ કાર્યની શરૂઆતમાં મંગલાચરણ કરે છે, એ માર્ગ શિષ્ય પરંપરામાં પણ ચાલુ રહે અને શિષ્ટપુરુષોને ગ્રંથમાં પ્રવેશ કરાવવા તે માટે ગ્રંથની શરૂઆતમાં સ્પષ્ટપણે મંગલાચરણ કરવામાં આવેલ છે.
(૨) વિષય - કર્મનો વિપાક, કર્મનું ફળ, જોકે કર્મના ભેદ વાસ્તવિક વિચારીએ તો અસંખ્યાતા થાય. તેથી ફળ પણ અસંખ્ય પ્રકારે હોય. તોપણ બાળજીવો અસંખ્ય ભેદો ન સમજી શકે માટે ગ્રંથકારે મૂળ આઠ કર્મ અને તેના ઉત્તરભેદ ૧૫૮માં તે બધા ભેદોનો સમાવેશ કર્યો છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૩) સંબંધ :- તીર્થંકરભગવંતો ગણધરભગવંતોને ત્રિપદી આપે છે. તે ત્રિપદી વડે ગણધરભગવંતોને એવો ક્ષયોપશમ થાય છે જેના દ્વારા તેઓ દ્વાદશાંગી (બાર અંગ) ની રચના કરે છે.
૪
એ સમ્યજ્ઞાનને પૂર્વધર મહાપુરૂષો આદિ પરંપરાએ સૂત્ર પોરિસિ અને અર્થ પોરિસિ દ્વારા વાચના આપી શિષ્ય પરંપરામાં મુખપાઠ દ્વારા પ્રસરાવે છે.
ત્યારપછી અવસર્પિણીના કાળપ્રભાવે સ્મરણ શક્તિ ઓછી થતાં તે જ્ઞાન પુસ્તકારૂઢ થયું.
પુસ્તકારૂઢ થયેલા તે આગમગ્રંથોના આધારે પૂર્વાચાર્યોએ આ યુગના અલ્પાયુષ્ય અને અલ્પ બુદ્ધિવાળા જીવો સમજી શકે, વિચારી શકે તેવા અનેક ગ્રંથો, પ્રકરણો, ભાષ્યો વિગેરે બનાવ્યા છે.
તેમાં તેરમાં સૈકામાં થયેલ ‘તપસ્વી હીરલા'' આ. જગચંદ્રસૂરિજીના શિષ્ય આ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સા.એ બીજા પૂર્વમાંથી ઉદ્ધરીને આ કર્મવિષયક ગ્રંથો (કર્મગ્રંથો) બનાવ્યા છે તેથી આ ગ્રંથનો સંબંધ બીજા પૂર્વની સાથે છે.
(૪) પ્રયોજન :- ‘સમાસઓ' પદથી પ્રયોજન જણાવે છે. કર્મનું વર્ણન આગમગ્રંથોમાં હોવા છતાં આ ગ્રંથ બનાવ્યો છે તેનું કારણ- આ યુગના અલ્પબુદ્ધિ અને અલ્પાયુષ્યવાળા જીવો આગમગ્રંથોને ભણી ન શકે, જાણી ન શકે તે માટે સંક્ષેપથી આ ગ્રંથ બનાવવામાં આવ્યો છે. (બ) પ્રયોજન અહીં બે પ્રકારે કહેવાયું છે.
(૧) સ્વ-પ્રયોજન અને (૨) પર-પ્રયોજન.
જેમાં બન્નેના અનંતર અને પરંપર એવા બે ભેદો છે.
(૧) સ્વ-પ્રયોજન :- ગ્રંથકારનું અનંતર પ્રયોજન- સ્વાધ્યાય
અને બાલજીવોનો ઉપકાર
Page #28
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણાદિ
પરંપર પ્રયોજન - આ પ્રકારની રચના દ્વારા પરંપરાએ કર્મક્ષય કરી મોક્ષપદને પામી શકાય માટે
(૨) પર પ્રયોજન :- ભણનારનું પ્રયોજન
અનંતર પ્રયોજન - જ્ઞાન મેળવીને-ભણીને પોતાના આત્માના અનંત જ્ઞાન પરના આવરણને દૂર કરવા.
પરંપર પ્રયોજન – જ્ઞાન ભણવા દ્વારા, સમજવા દ્વારા કર્મરહિત થઈ પરંપરાએ મોક્ષ સુખને પામવું.
આ ગ્રંથનો સંક્ષિપ્ત પરિચય વિષય : કર્મવિપાક સંબંધ : આગમ પરંપરા, વાચ્ય-વાચકભાવ. પ્રયોજન અનંતર ભવ્ય જીવોના બોધ માટે,પરંપર-મોક્ષપ્રાપ્તિ માટે.... ગ્રંથરચના : પૂ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સા. ટબાના વિવેચનકાર : પૂ. જીવવિજયજી મ. સા.
પ્રભુવીર પરમાત્મા જેમ કોઈ પણ કર્મની સામે ઝઝૂમ્યા નથી. વીરની વીરતાના વખાણ કરવા જોઈએ. તેમણે ૧૨ વર્ષ સુધી લગાતાર કર્મની સામે લડાઈ કરી છે, કર્મસત્તાની સામે વિજય મેળવવા માટે. તેથી જ મહાવીર સ્વામી ભગવાનને વંદના કરવામાં આવી છે.
જગતું આખું કર્મથી પરાધીન છે. ફક્ત સિદ્ધ પરમાત્મા સ્વાધીન છે.
કર્મ વિપાક” એ વિષય છે. કર્મ અને કર્મનો વિપાક આ બંને શબ્દને સમજવા જરૂરી છે. જ્યારે જીવ કોઈપણ ક્રિયા કરે તેના દ્વારા જે કાર્મણવર્ગણા આત્મા સાથે ચોંટે છે તેને કર્મ કહે છે અને જ્યારે તે અનુભવમાં આવીને ભોગવાય છે તેને કર્મનો વિપાક કહેવાય છે. તેથી આ ગ્રંથનો વિષય “કર્મ વિપાક છે. એટલે કયા કર્મથી આત્માને
Page #29
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
શું ફળ પ્રાપ્ત થાય તેનો વિચાર કરવો તે કર્મવિપાક કહેવાય. ‘F વિવાĪ'' પદથી બતાવેલ છે.
કર્મનું સ્વરૂપ ઃ
(૧) વર્તમાન જગતની દૃષ્ટિએ કર્મ - વર્તમાન જગતમાં કર્મની વાત તર્ક અને યુક્તિથી સમજવી કે જેથી આ યુગમાં પણ આપણને આ કર્મવિષયક શાસ્ત્રની હકીકત સ્પષ્ટ રીતે સમજાય અને સિદ્ધ થાય.
આ જગતમાં માનવી પણ જીવનમાં ન કલ્પી શકે તેવા, ન સમજાય તેવા અવનવા પ્રસંગોનો અનુભવ કરતો હોય છે અને વિચારતો હોય છે કે આ શું...? આ કેવી રીતે...? તે વિષયમાં જ્યારે આત્મા તેના ઊંડાણમાં ઉતરતો જાય છે અને વિચારતો જાય છે ત્યારે તે વાત સ્પષ્ટ ન સમજાય કે ન દેખાય તો પણ એ વાતમાં ગુડલક અને બેડલક તરીકે સ્વીકાર કરે છે. કોઈ તેને ભાગ્ય-નસીબ કહે છે. કોઈ તેને ગ્રહદશા કહે છે. આપણે તેને કર્મ કહીએ છીએ. આ રીતે જગતના સર્વ ધર્મો અને દર્શનો કર્મને જુદા-જુદા શબ્દોરૂપે - જુદા જુદા નિમિત્તરૂપે માને છે એ વાત વિદિત છે.
જૈન સિદ્ધાંત પ્રમાણે કર્મ વિષે વિશેષ વિચારણા આ પ્રમાણે છે. (૨) જૈન સિદ્ધાંતની દૃષ્ટિએ કર્મ :
જગતમાં જે કોઈ જીવ જે કોઈપણ ક્રિયા-પ્રવૃત્તિ-ચેષ્ટા કરે છે એનું કારણ, ઘણી વખત આ કેવી રીતે થાય છે ? તે આપણને સમજાતું નથી પણ તેનું પણ કારણ હોય છે જ. એ વાત ભલે આપણા વિચાર કે બુદ્ધિમાં ન સમજાય પણ જ્ઞાની પુરૂષો કહે છે કે કોઈપણ કાર્ય કારણ વિના બનતું નથી. જે કાંઈ બને છે તેનું કારણ હોય જ છે. આ સૂક્ષ્મ વાત જ્ઞાનીઓ સમજાવે છે.
નિયમ એવો છે કે ‘વ્યારાવું વિના જાર્યું ન મવત્તિ ।' તેથી સ્પષ્ટ કે અસ્પષ્ટ, દૃશ્ય કે અદૃશ્ય, કારણનો વિચાર કરવો પડે. અને સમજાય
Page #30
--------------------------------------------------------------------------
________________
કર્મના હેતુ કે ન સમજાય તો પણ કારણ શોધવું પડે. કારણ કે માણસનું મન જે કાંઈ બને છે તેની પાછળ વિચાર કરતું હોય છે કે “આ કેમ બન્યું? શા માટે બન્યું ?” એની મુંઝવણમાં મન મુંઝાતું હોય છે. કારણ કે જીવને ન સમજાય ત્યાં સુધી મનની સ્થિતિ ચંચળ-ડામાડોળ રહેતી હોય છે. તેથી તેનું સમાધાન શોધવું જરૂરી છે. પણ જ્યારે તેનું રહસ્ય સમજાય છે ત્યારે માનવીનું મન શાંત થાય છે. તે માટે જ્ઞાની પુરૂષો આ સૂક્ષ્મ અને અદશ્ય ક્રિયાની પાછળ રહેલાં કારણોને “કર્મ” કહે છે.
અને આ કર્મ આત્માની સાથે લાગવામાં એટલે આ કર્મબંધ થવામાં બાહ્ય અને અત્યંતર બે પ્રકારનાં કારણ છે. તેમાં મુખ્ય કારણ અત્યંતર હેતુઓ છે તેનું વર્ણન આ પ્રમાણે છે. -
કર્મબંધના બાહ્ય અને અત્યંતર હેતુઓનો વિચાર : (૧) મિથ્યાત્વ : જે વસ્તુનું સ્વરૂપ જે રીતે હોય તે રીતે ન માનવું
ન સ્વીકારવું. એટલે કે જ્ઞાનીના જ્ઞાનમાં જે વસ્તુ જે રીતે જણાઈ હોય તે રીતે ન માનવી તે મિથ્યાત્વ. ટૂંકમાં યથા-તધ્યપણું
(યથાર્થપણું) ન સ્વીકારવું તે મિથ્યાત્વ. (૨) અવિરત : અશુભ પ્રવૃત્તિઓ તથા અશુદ્ધ ભાવોથી ન અટકવું
તે અવિરતિ. (૩) કષાય ? કષ-સંસાર, આય-વૃદ્ધિ કરે છે. સંસારની શુભાશુભ
પ્રવૃત્તિઓને વધારનારી વૃત્તિઓને કષાય કહેવાય છે. એટલે
સંસારને વધારનાર તેને કષાય કહેલ છે. (૪) યોગ મન-વચન-કાયાની શુભાશુભ ક્રિયાઓ તે યોગ કહેવાય છે. (૫) પ્રમાદ : અલનવાળી પ્રવૃત્તિ એટલે કે ભુલ ભરેલી પ્રવૃત્તિઓને
પ્રમાદ કહેવામાં આવે છે. ઉદ્યમરહિત અવસ્થાને પણ પ્રમાદ કહે છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
Oી
છે.
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ કર્મવિષયક સંક્ષિપ્ત પ્રશ્નોત્તરી પ્ર. ૧. કર્મરૂપી કે અરૂપી ? જ. કર્મરૂપી છે. કારણ કે તે પુદ્ગલ સ્વરૂપ છે. પ્ર. ૨. જીવરૂપી કે અરૂપી ? જ. જીવ અરૂપી છે. કારણ કે તે વર્ણાદિથી રહિત છે. પ્ર. ૩. જીવ અને કર્મનો સંબંધ કેટલા કાળથી છે ? જ. જીવ કર્મ સંબંધ અનાદિકાળથી છે. પ્ર.૪. અનાદિના સંબંધવાળા કર્મ છૂટાં કેમ પડે ?
જ. જેમ સોનું અને માટી ઘણા કાળથી સંબંધવાળા હોવા છતાં મશીનથી છૂટાં પડે. જેમ દૂધ-પાણી એકાકાર હોવા છતાં હંસ તેને છૂટાં પાડે એટલે હંસ દૂધ પીવે અને પાણી રહી જાય તેમ અનુભવજ્ઞાન દ્વારા કર્મ છૂટાં પાડી શકાય.
પ્ર. ૫. કર્મ ન માનીએ તો શું વાંધો આવે ?
જ. આ જગતમાં જીવોમાં જે વિચિત્રતા દેખાય છે તેનું કારણ કંઈક તો માનવું જ પડે. કારણ કે કારણ વિના કાર્ય ન થાય.
પ્ર. ૬. જગતની વિચિત્રતાનું કારણ ઈશ્વર માનીએ તો ?
જ. ઈશ્વર તો નિરંજન નિરાકાર હોય, રાગ-દ્વેષથી રહિત હોય, તે આવી પ્રવૃત્તિ કરે નહીં અને કરે તો ઈશ્વર કહેવાય નહીં. અર્થાત્ ઈશ્વર જગત્કર્તા નથી, પરંતુ જગદષ્ટા છે.
પ્ર. ૭. ઈશ્વરે જગત બનાવ્યું એમ માનવામાં બીજો શું દોષ આવે?
જ. ઈશ્વરે જગત બનાવ્યું એમ માનીએ તો ઈશ્વરને કોણે બનાવ્યા. ઈશ્વરે જગત શામાંથી બનાવ્યું, અર્થાત્ તે તો હતા જ. આ રીતે ઈશ્વરને અનાદિ માનીને તેના બદલે જીવ અને કર્મનો સંબંધ અનાદિ માનવાથી વાસ્તવિકતા સમજાય. તેથી કર્મ અનાદિથી છે એમ માનવું. માટે જીવ
Page #32
--------------------------------------------------------------------------
________________
કર્મ અંગે પ્રશ્નોત્તરી
અને કર્મ અનાદિથી છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિથી છે એમ માનવું એ વધારે તર્કસંગત છે. જેમ બી અને વૃક્ષ, મરઘી અને ઈડુ એમાં પહેલું કોણ તેનો જવાબ નથી. તેમ કર્મ અનાદિ છે.
અભવ્યની અપેક્ષાએ કર્મ અનાદિ અનંત છે. એટલે પ્રવાહની અપેક્ષાએ નદીના પ્રવાહની જેમ તે અનાદિથી છે અને અનંતકાળ રહેવાનું છે.
પરંતુ કોઈ એક કર્મ (એટલે વ્યક્તિગત કર્મ) સાદિ સાન્ત છે. ભવ્યજીવની અપેક્ષાએ કર્મ અનાદિ સાત્ત છે.
પ્રશ્ન : રૂપી પુદ્ગલો અરૂપી એવાં આત્માને કેવી રીતે દુઃખ આપી શકે ?
જવાબ : આપણા બધામાં બુદ્ધિ છે. જ્ઞાન છે તે અરૂપી છે તે બુદ્ધિ અરૂપી હોવા છતાએ દારૂ પીવાથી બુદ્ધિ બગડી જાય. દારૂ એ પુદ્ગલ છે, રૂપી છે. જેમ દારૂ જીવના જ્ઞાનાદિ ગુણોમાં વિપાક દેખાડી શકે તેવી રીતે રૂપીકર્મ અરૂપી એવા આત્માને પોતાનો પાવર દેખાડી શકે છે. તેને અનુગ્રહ અને ઉપઘાત કહેવાય છે. જેમ અરૂપી બુદ્ધિ બ્રાહ્મી આદિ ગુટીકા વાપરવાથી વધે છે. મદિરાથી બુદ્ધિ હણાય છે તેમ રૂપી એવું કર્મ અરૂપી આત્મા ઉપર ઉપઘાત-અનુગ્રહ કરે છે.
આત્માની શરૂઆત પણ નથી અને અંત પણ નથી માટે આત્મા અનાદિ અનંત છે. કર્મ અનાદિથી છે પણ ભવ્યને તેનો અંત પણ છે તેથી કર્મ ભવ્યને અનાદિ સાત છે.
ફુલમાં રહેલી સુગંધ દેખી શકાતી નથી, વાયુ પણ દેખી શકાતો નથી પણ વાયુ સુગંધને લાવે છે તે ફક્ત અનુભવથી જણાય છે. તેમ બધાં રૂપી પદાર્થ દેખી શકાય તેવું નહિ સમજવાનું. સ્થૂલરૂપમાં હોય તો દેખી શકાય, સૂક્ષ્મરૂપમાં હોય તો દેખી ન શકાય. કામણવર્ગણા સૂક્ષ્મ છે
Page #33
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
માટે દેખી શકાતી નથી. આ જગતમાં વિવિધતા અને વિચિત્રતા જે દેખાય છે તે બધી કર્મના કારણે જ છે. માટે કર્મ પણ છે.
૧૦
શરીર દ્વારા આત્માએ બાંધ્યું માટે કેટલાંક કર્મ શરીર વડે ભોગવવા પડે છે. શુભ અને અશુભ કર્મ બંને સાથે જ બંધાય. ૮ કર્મ પણ સાથે જ બંધાય. તેમાં પ્રધાનપણું ક્યારેક શુભનું હોય ક્યારેક અશુભનું હોય.
કર્મબંધના અત્યંતર હેતુ ૪ છે. (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય (૪) યોગ.
કર્મ બાંધવામાં અત્યંતર હેતુ સાથે બાહ્ય હેતુ પણ હોય, જે ૫૪મી વિગેરે ગાથાઓમાં બતાવેલ છે. કેટલાક કર્મમાં અત્યંતર હેતુ સમાન હોવા છતાં બાહ્ય હેતુ ભિન્ન હોય છે. એટલે બાહ્ય હેતુના લીધે કર્મના બંધમાં અને ઉદયમાં તફાવત પડે છે.
નહિ.
કર્મગ્રંથકારોએ કર્મબંધના અત્યંતર ૪ હેતુ કહેલા છે. ૧લા ગુણસ્થાનકે ચાર હેતુથી કર્મ બંધાય
૨ થી ૫ ગુણસ્થાનકે ત્રણ હેતુથી કર્મ બંધાય
૫ થી ૧૦ ગુણસ્થાનકે બે હેતુથી કર્મ બંધાય ૧૧ થી ૧૩ ગુણસ્થાનકે ફક્ત એક યોગ હેતુથી કર્મ બંધાય. ૧૪માં ગુણસ્થાનકે એકપણ હેતુ હોય નહિ માટે કર્મબંધ થાય
તત્ત્વાર્થ આદિમાં કર્મબંધના ૫ હેતુ કહ્યા છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ...તે ગુણમાં આ પ્રમાણે
૧લા ગુણસ્થાનકે ૫ હેતુથી કર્મ બંધાય.
૨ થી ૫ ગુણસ્થાનકે ૪ હેતુથી કર્મ બંધાય.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧ ૧.
કર્મબંધનું વર્ણન
૬ ગુણસ્થાનકે ૩ હેતુથી કર્મ બંધાય. ૭ થી ૧૦ ગુણસ્થાનકે ૨ હેતુથી કર્મ બંધાય. ૧૧ થી ૧૩ ગુણસ્થાનકે ૧ હેતુથી કર્મ બંધાય.
આ બંધાયેલ કર્મને ભોગવવામાં એટલે કર્મનો ઉદય થવામાં અને ક્ષયોપશમમાં ૫ હેતુ હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ.. (૧) દ્રવ્યહેતુ : કોઈ કર્મનો દ્રવ્યના લીધે ઉદય અને ક્ષયોપશમ થાય
દા.ત. બદામ ખાવાથી બુદ્ધિ ખીલે અને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ
વધુ થાય. મદિરાથી મૂઢતા-જ્ઞાનાવરણીયનો ઉદય થાય. (૨) ક્ષેત્ર હેતુ : કોઈ કર્મ અમુક ક્ષેત્રમાં જાય એટલે ઉદયમાં આવે.
દા.ત. સુરતમાં ઝેરી મેલેરીયા થાય. મુંબઈમાં તબીયત બગડે. આસાતાનો ઉદય થાય, સ્વવતન રૂપ દેશમાં રોગાદિ ઓછા થાય. કાળહેતુ : અમુક કર્મ કાળ પ્રમાણે ઉદયમાં આવે. દા.ત. શિયાળામાં સાંધાના દુઃખાવા થાય, શરદી લાગે, ઉનાળામાં શરીરમાં
ગરમી ફુટે. (૪) ભાવહેતુઃ પરિણામ. દા.ત. ચાલતાં ચાલતાં ઊઠતા-બેસતાં, હસતાં
હસતાં જે કર્મ ઉદયમાં આવે છે. (૫) ભવ હેતુ : અમુક કર્મ અમુક ભવમાં ઉદયમાં આવે. દા.ત.
ગતિ, આનુપૂર્વીનામકર્મનો ઉદય પોતાના ભવમાં જ થાય. આપનો ઉદય તિર્યંચ ગતિની એકે. જાતિ રૂપ ભવમાં હોય. આહારક શરીર નામકર્મનો ઉદય મનુષ્ય ભવમાં જ હોય. આ રીતે કર્મ હેતુથી બંધાય અને હેતુથી ઉદયમાં આવે. પડ્ડ-ફિ-સ-પાસ, તે વેઠ્ઠા મોગા હિÉતા | મૂન-૫૬-૩૨-પારૂ-વનસામેય | ૨ ||
શબ્દાર્થ : મોમાસ = મોદકના, ઢિંતા = દૃષ્ટાંતથી, મૂત્રપટ્ટિ = મૂળ આઠ પ્રકૃતિ, ગવર્નમેયં = ૧૫૮ ભેદોવાળું.
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ ગાથાર્થ તે કર્મ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધના ભેદથી મોદકના દષ્ટાંતે ચાર પ્રકારનું છે. તે કર્મ મૂળ પ્રકૃતિરૂપે આઠ પ્રકારે અને ઉત્તર પ્રકૃતિરૂપે એકસો અઢાવન પ્રકારવાળું છે. / ૨ //
વિવેચન : કાશ્મણ વર્ગણા આત્માની સાથે ચોંટે-એકાકાર બને ત્યારે તે કર્મ ફળ આપવાના સ્વભાવરૂપે બને તે પ્રકૃતિબંધ. તેના પ્રકૃતિબંધના મૂળ કર્મના આઠ ભેદ છે અને તેના ઉત્તરભેદ એકસો અઠ્ઠાવન છે. આ દરેક કર્મ બંધાય ત્યારે ચાર સ્વરૂપે બંધાય છે તે અહીં લાડવાના દૃષ્ટાંતથી જણાવે છે.
(૧) પ્રકૃતિબંધ : પ્રકૃતિના ૩ અર્થ છે. (૧) પ્રકૃતિ એટલે કર્મના સ્વભાવનું નક્કી થયું. (૨) પ્રકૃતિ એટલે પ્રકાર અથવા ભેદ. (૩) પ્રકૃતિ એટલે સ્થિતિ, રસ અને પ્રદેશોનો સમુહ તે પ્રકૃતિબંધ.
અહીં પ્રકૃતિ એટલે “સ્વભાવ” અર્થ મુખ્ય જાણવો. કયા કર્મનો કેવો સ્વભાવ છે. એક ઘરમાં રહેતી બધી વ્યક્તિઓના સ્વભાવ જેમ સરખા હોય નહીં, ભિન્ન-ભિન્ન હોય છે તેમ એક આત્મામાં રહેલ દરેક કર્મના સ્વભાવ પણ જુદા-જુદા હોય છે. એટલે આઠેય કર્મના સ્વભાવ જુદા-જુદા છે. મૂળ પ્રકૃતિ સ્વભાવથી ભિન્ન હોય તેમ ઉત્તરપ્રકૃતિ પણ સ્વભાવથી અલગ હોય છે. - પ્રકૃતિ એટલે શુભાશુભ ફળ આપવાનો સ્વભાવ.
કયા કર્મનો કેવો સ્વભાવ છે તે લાડવાના દષ્ટાંતથી સમજાવે છે.
જેમ સૂંઠનો લાડુ વાયુને દૂર કરે છે. જીરૂ આદિનો લાડુ પિત્તને હરે, કફા હારી દ્રવ્યથી બનાવેલ લાડુ કફને હરે, તેમ કોઈ કર્મ જ્ઞાન ગુણને રોકે, કોઈ કર્મ દર્શનગુણને રોકે. આમ દરેક કર્મ અલગ-અલગ ગુણને રોકે છે. આમ અલગ-અલગ ગુણને રોકવાનો સ્વભાવ બંધ
Page #36
--------------------------------------------------------------------------
________________
કર્મબંધનું વર્ણન
૧૩ વખતે નક્કી થાય. આ રીતે કર્મના દલિયાનો ભિન્ન-ભિન્ન સ્વભાવ નક્કી થવો તે પ્રકૃતિબંધ કહેવાય.
આ કર્મગ્રંથમાં મુખ્યતયા પ્રકૃતિબંધનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્થિતિબંધ અને રસબંધનું વર્ણન પાંચમા કર્મગ્રંથમાં વિસ્તારથી આવશે.
(૨) સ્થિતિબંધ : સ્થિતિબંધ એટલે કાળનું અવધારણ.
કર્મ બાંધ્યા પછી તે કર્મ આત્મા સાથે કેટલો સમય રહેશે તે કાળનું નક્કી થવું તે સ્થિતિબંધ.
કર્મ બાંધ્યા પછી સત્તામાં કેટલો વખત રહેશે તે સ્થિતિબંધ.
જેમકે ગોળના લાડું એકાદ-બે દિવસ સુધી રહે. બુંદીના લાડુ આઠ-દસ દિવસ રહે અને મેથીના લાડુ એકાદ માસ પણ રહે, તેમ કોઈ કર્મ અંતર્મુહૂર્ત સુધી રહે, કોઈ કર્મ ૮ મુહુર્ત સુધી રહે, કોઈ કર્મ પલ્યોપમ, સાગરોપમ સુધી રહે, કોઈ કર્મ ૨૦ કોડાકોડી સાગરોપમ સુધી રહે, કોઈ કર્મ ૩૦ કોડાકોડી સાગરોપમ સુધી આત્મા સાથે રહે. આ રીતે ભિન્ન-ભિન્ન કાળ નક્કી થવો તે સ્થિતિબંધ છે.
(૩) રસબંધ (અનુભાગબંધ) : રસબંધનું બીજું નામ અનુભાગબંધ છે.
રસબંધ એટલે શુભાશુભ ફળરૂપે, તીવ્ર મંદ આદિ રૂપે અનુભવ કરાવવાની જે શક્તિ તેને રસબંધ કહેવાય છે.
કર્મ બાંધ્યા પછી ઉદયમાં આવશે ત્યારે કેવું ફળ આપશે...? શુભ કે અશુભ? તીવ્ર કે મંદ? એવું જે નક્કી થાય તે રસબંધ.
જેમકે કોઈ લાડવામાં ગોળ વધારે હોય તો તે વધારે ગળ્યો લાગે. ઓછા ગોળવાળો ઓછો ગળ્યો. વળી મેથીના લાડુમાં મેથી વધારે હોય તો વધારે કડવાશવાળો, ઓછી મેથીવાળો હોય તો ઓછી કડવાશવાળો. એમ કોઈ કર્મ તીવ્રરૂપે ઉદયમાં આવે, કોઈ કર્મ નંદરૂપે ઉદયમાં આવે
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ તેને કાર્મગ્રંથીક ભાષામાં એક સ્થાનીય-દ્ધિસ્થાનીય-ત્રિસ્થાનીય અને ચતુઃસ્થાનીય રસરૂપે, પુણ્ય (શુભ), પાપ (અશુભ), ઘાતી, અઘાતી વિગેરે રસ સ્વરૂપે નક્કી થાય તે રસબંધ. કેવું ભોગવાય છે તેવું નક્કી થવું તે રસબંધ.
(૪) પ્રદેશબંધ : પ્રદેશબંધ એટલે કર્મલિકોનો ઓછા-વધતા સ્વરૂપે પ્રમાણનો જથ્થો, તે પ્રદેશબંધ. જેટલો યોગનો વ્યાપાર વધારે એ પ્રમાણે કર્મના દળીયાનો જથ્થો વધારે ગ્રહણ કરે. જેટલો યોગ ઓછો એટલો કર્મના દળીયાનો જથ્થો ઓછો ગ્રહણ કરે. ઓછા બંધાય તો પણ અનંતા કર્મસ્કંધને તો ગ્રહણ કરે જ.
જેમકે કોઈક લાડુ નાનો હોય તો તેમાં કણિયા ઓછા હોય અને મોટો લાડુ હોય તેમાં કણિયા વધારે હોય. કોઈક ૧૦૦ ગ્રામનો લાડુ, કોઈક ૨૦૦ ગ્રામનો લાડું એમ કોઈક કર્મના ઓછા દળીયા હોય, કોઈક કર્મના વધારે દળીયા હોય તે પ્રદેશ બંધ.
પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી થાય. સ્થિતિબંધ અને રસબંધ કષાયથી થાય.
પુણ્ય (શુભ) કે પાપ (અશુભ) કોઈપણ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અપેક્ષાએ સારો નહી પરંતુ પુણ્યકર્મનો રસબંધ વધારે થાય તેમ સારો. પાપકર્મનો રસબંધ ઓછો થાય તેમ સારું. કારણ કે પુણ્યનો વધારે રસ સારા (શુભ) પરિણામથી બંધાય. અને પાપનો વધારે રસ ખરાબ (અશુભ) પરિણામથી બંધાય. માટે જેનું કારણ સારું તેનું કાર્ય પણ સારું તેમ પાપમાં પણ વિચારવું.
પ્રકૃતિ - બંધ, ઉદય, ઉદીરણા, સત્તા સ્થિતિ - બંધ, ઉદય, ઉદીરણા, સત્તા રસ - બંધ, ઉદય, ઉદીરણા, સત્તા પ્રદેશ - બંધ, ઉદય, ઉદીરણા, સત્તા
૪૪૪=૧૬
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૫
કર્મને મોદકની ઉપમા
ઉપરાંત તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ સહીત ૧૬+૫ =૨૧ વસ્તુ નક્કી થાય.
રસોઈ બનાવવી તે બંધ. રસોઈ ખાવી તે ઉદય. ભુખ કરતાં વધારે ખાવું અને જલ્દી ખાવું તે ઉદીરણા.
જ્યાં સુધી રસોઈ બનાવ્યા પછી પુરું વપરાય નહીં ત્યાં સુધી રસોઈની સત્તા.
જ્યાં સુધી રસોઈ બનાવ્યા પછી ખાવાની શરૂઆત ન કરીએ ત્યાં સુધીનો કાળ તે અબાધાકાળ. લાડવાનું દષ્ટાંત - ૨ પ્રકારના લાડું. (મીઠો અને કડવો) બુંદીના લાડુ
મેથીના લાડુ પ્રકૃતિબંધ ૧. પુણ્ય પ્રકૃતિરૂપ
પાપ પ્રકૃતિરૂપ મીઠાશ આપવાનો સ્વભાવ | કડવાશ આપવાનો સ્વભાવ સ્થિતિબંધ ૨. ૧૦-૧૨ દિવસ રહેવાવાળો ૩૦ દિવસ રહેવાવાળો રસબંધ ૩. શુભફળ તીવ્રરૂપે અશુભફળ તીવ્રતમરૂપે પ્રદેશબંધ ૪. બુંદીના લાડવાની જેમ મેથીના લાડવાની જેમ.
કર્મદલિકનો નાનો-મોટો જથ્થો નાનો-મોટો કર્મદલિકનો જથ્થો इह नाण-दसणावरण-वेय-मोहाउ-नाम गोआणि । વિર્ષ ૨ ૫-નવ-ટુ-શ્રદ્ભવીસ-૩-તિસવ-ટુ-પUવિ૬ | 3 ||
શબ્દાર્થ ઃ ફૂટ = અહીં, વિર્ષ = અંતરાય, હું = બે, પવિ૬ = પાંચ પ્રકારે.
Page #39
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ગાથાર્થ : તે કર્મ જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, વેદનીય કર્મ, મોહનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્રકર્મ અને અંતરાય કર્મ એમ આઠ ભેદવાળુ છે. તેના અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર, એકસો ત્રણ, બે અને પાંચ ઉત્તર ભેદો છે. ॥ ૩ ॥
૧૬
વિવેચન : આ ગ્રંથમાં કહેવાના વિષયરૂપ પ્રકૃતિબંધનું હવે વર્ણન કરવામાં આવે છે. દરેક સંસારી જીવ-યોગ વ્યાપારવાળો આત્મા પ્રત્યેક સમયે કર્મબંધ કરે છે. તે કર્મના મૂળ આઠ ભેદ છે અને મૂળ આઠ ભેદના ઉત્તરભેદો એકસો અઠ્ઠાવન છે. જેમાં આત્માને આયુષ્યકર્મ છેલ્લા ભવ વિના એક ભવમાં એકવાર બંધાય છે અને બાકીના સાત
કર્મ આ આત્માને નવમા ગુણઠાણા સુધી પ્રત્યેક સમયે બંધાય છે.
આત્મા અનંત ગુણવાળો છે. તેના મુખ્ય ૮ ગુણની અપેક્ષાએ તેને રોકનાર કર્મ પણ ૮ પ્રકારે છે. તે આઠ કર્મના નામ અનુક્રમે કેમ? તેની વિચારણા કરવી તે ઉપન્યાસક્રમ કહેવાય.
અહીં કર્મનો ઉપન્યાસક્રમ જણાવે છે. જ્ઞાનાવરણીયકર્મ પહેલું કેમ...? चेतना लक्षणो जीवः 1
ચેતના લક્ષણવાળો જીવ કહેવાય છે. જીવ જ્ઞાન-દર્શનના ઉપયોગવાળો છે. જ્ઞાન-દર્શનના ઉપયોગ વિનાનાને અજીવ કહેવાય. એટલે ચેતના એ જીવનું લક્ષણ છે. તે દરેક જીવમાં ઓછા વધતા અંશે હોય જ. ચેતના એટલે જ્ઞાન અને દર્શન. તેમાં જ્ઞાન મુખ્ય છે કારણ કે૧. લબ્ધિની પ્રાપ્તિ વખતે જ્ઞાનોપયોગ હોય.
૨. કેવલીને પ્રથમ જ્ઞાનોપયોગ હોય અને પછી દર્શનોપયોગ હોય.
૩. મોક્ષ પ્રાપ્તિ વખતે પણ જ્ઞાનોપયોગ હોય તેથી જ્ઞાનની મુખ્યતા હોવાથી સર્વગુણોમાં જ્ઞાન મુખ્ય છે. તેથી જ્ઞાનને આવનાર કર્મ મુખ્ય માટે જ્ઞાનાવરણીય કર્મ પણ પહેલું.
Page #40
--------------------------------------------------------------------------
________________
આઠ કર્મનો ઉપન્યાસ ક્રમ
૧૭ જોકે છદ્મસ્થ જીવને પ્રથમ દર્શનોપયોગ હોય છે. પછી જ્ઞાનોપયોગ હોય, પરંતુ કોઈપણ લબ્ધિની પ્રાપ્તિ સમયે, કેવળજ્ઞાન પ્રાપ્તિ સમયે, મોક્ષપ્રાપ્તિ સમયે જીવને પ્રથમ જ્ઞાનોપયોગ-વિશેષપયોગ-સાકારોપયોગ હોવાથી સર્વગુણોમાં જ્ઞાનગુણ મુખ્ય છે. માટે તેનું આવરણ કરનારું કર્મ પણ પ્રથમ મુક્યું. માટે પહેલું “જ્ઞાનાવરણીય કર્મ છે.
કેવળી ભગવંતને બીજે સમયે દર્શનોપયોગ-સામાજોપયોગઅનાકારોપયોગ હોય તેથી જ્ઞાનગુણ પછી બીજો દર્શનગુણ છે. માટે તે ગુણને આવરણ કરનારું કર્મ પણ બીજું કહ્યું. તેથી બીજું “દર્શનાવરણીય કર્મ છે.
આ બંને જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મ વિપાક દેખાડતાં બંને કર્મના ક્ષયોપશમ વખતે જીવને સુખ થાય અને બંને કર્મના આવરણના ઉદય વખતે જીવને દુઃખ થાય. આમ, તે બંને કર્મથી જીવને સુખ-દુઃખનો વિપાક અનુભવાય છે. માટે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય પછી ત્રીજું વેદનીય કર્મ કહ્યું.
સુખના અનુભવમાં જીવને શાતા પ્રાપ્ત થવાથી સુખના સાધનરૂપ પુદ્ગલ-પદાર્થો પ્રત્યે રાગ થાય અને દુઃખના અનુભવમાં જીવને અશાતા પ્રાપ્ત થવાથી પુદ્ગલ-પદાર્થો પ્રત્યે દ્વેષ થાય. આ રીતે સુખ-દુઃખના અનુભવથી જીવને રાગ-દ્વેષ થાય તથા રાગ અને દ્વેષ એ મોહ છે તેથી “મોહનીય કર્મ ચોથું કહ્યું.
મોહનીય વડે મુંઝાતો જીવ રાગ-દ્વેષને વશ થઈને બહુ આરંભાદિક પ્રવૃત્તિઓ કરે, તે દ્વારા નરક તિર્યંચાદિનું અને મોહનીયના ક્ષયોપશમથી દેવાદિનું આયુષ્ય બાંધે તેથી મોહનીય પછી “આયુષ્ય કર્મ પાંચમું કહ્યું.
આ આયુષ્યકર્મ જીવને ભવાંતરમાં જતા ઉદયમાં આવે. યદ્યપિ કર્મ તો બધા ઉદયમાં આવે જ, પણ શેષ ૭ કર્મ તે ભવ-ભવાંતર કે ઘણાં ભવે પણ ઉદયમાં આવે પણ આયુઃ જે ભવમાં બાંધ્યું હોય તે ભવમાં આવે જ નહીં. ભવાંતરમાં-બીજા ભવમાં ઉદયે આવે એ વિશેષ છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
એટલે કે બાંધ્યા પછી અનન્તર ભવમાં જ ઉદયમાં અવશ્ય આવે તેમ જાણવું.
આયુષ્યકર્મનો ઉદય થતાં જીવને ગતિ-જાતિ-શરીર વિગેરેની પણ પ્રાપ્તિ થાય છે તેથી આયુકર્મ પછી “નામકર્મ” કહ્યું છે. નામકર્મ છä કહ્યું છે.
નામકર્મના ઉદયથી ગતિઆદિક પ્રાપ્ત થતાં ઉત્તમ કક્ષાના સંસ્કારો પ્રાપ્ત થાય તો ઉચ્ચગોત્ર અને નિમ્નકક્ષાના સંસ્કારો પ્રાપ્ત થાય તો નીચગોત્ર કહેવાય તેથી ગોત્રકર્મ કહ્યું.
અર્થાત્ શરીરધારી જીવ ઉચ્ચ કે નીચપણે અવશ્ય બોલાવાય. માટે નામકર્મ પછી ગોત્ર કર્મ કહ્યું.
ઉચ્ચગોત્ર પ્રાપ્ત થતાં દાનાન્તરાય, લાભાન્તરાયનો વિશેષ ક્ષયોપશમ અને નીચ કુલમાં જન્મેલાને દાનાન્તરાયાદિનો પ્રાયઃ ઉદય વિશેષ હોય તેથી ગોત્રકર્મ પછી અંતરાય કર્મ કહ્યું. “અંતરાય કર્મ” આઠમું છે. આ રીતે આઠ કર્મનો ઉપન્યાસક્રમ જણાવ્યો તેમાં
જ્ઞાનાવરણીય કર્મના ૫ ભેદ છે. દર્શનાવરણીયકર્મના ૯ ભેદ છે. વેદનીય કર્મના ૨ ભેદ છે. મોહનીય કર્મના ૨૮ ભેદ છે. આયુષ્ય કર્મને ૪ ભેદ છે. નામકર્મના ૧૦૩ ભેદ છે. ગોત્ર કર્મના ૨ ભેદ છે. અંતરાય કર્મના ૫ ભેદ છે. આઠ કર્મના કુલ ૧૫૮ ભેદ છે. આ સંખ્યા સત્તાની
અપેક્ષાએ જણાવેલ છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનનું વર્ણન
દરેક આત્માના આત્મપ્રદેશો ૧૪ રાજલોક પ્રમાણના છે. એક એક એક પ્રદેશે અનંત જ્ઞાન છે અને તેની ૫૨ કેવલજ્ઞાનાવરણીય રૂપ અનંતા આવરણો રહેલા છે, તો પણ થોડા ખુલ્લા રહેલા જ્ઞાનના અંશોને મતિજ્ઞાનાદિ નામ કહેવાય છે.
જેમ, સૂર્યનો પ્રકાશ એક જ છે, પણ ઘરમાં પડતા પ્રકાશને જુદા જુદા આવરણ આવવાથી જુદા જુદા નામે - બારીનો, બારણાનો, છતનો પ્રકાશ વિગે૨ે ઓળખાય છે. તેમ, ખરેખર જ્ઞાન એક જ છે પરંતુ મતિજ્ઞાનાદિ ભેદો, જ્ઞાનની ઉપર રહેલા જુદા જુદા આવરણોની તરતમતાથી કહેવામાં આવ્યા છે. તે જ્ઞાનનું વર્ણન આ પ્રમાણે છે
૧૯
મફ-પુત્ર-ોહી-મળ-વનાળિ, નાળા િતત્ત્વ મફનાળું । વંગળવાદ-પડહા, મળ-નયા-વિનિંદ્રિયવડા ।। ૪ ।। શબ્દાર્થ : નાળાનિ = પાંચ જ્ઞાન છે, તત્વ = વ્યંજનાવગ્રહ, વિળા વિના.
ત્યાં, બંનાવાદ
=
=
ગાથાર્થ : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એમ પાંચ જ્ઞાન છે. તેમાં પ્રથમ મતિજ્ઞાનનો મન અને ચક્ષુ વિના બાકીની ઈન્દ્રિયોના ભેદથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે. ૪
વિવેચન : ગ્રંથકારશ્રી ક્રમવાર આઠ કર્મ અને ઉત્તર પ્રકૃતિઓ સમજાવે છે તેમાં પ્રથમ જ્ઞાનાવરણીય કર્મનું વર્ણન આ પ્રમાણે - જ્ઞાનને આવરનારું જે કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ છે. તે જ્ઞાન પાંચ પ્રકારે છે. તેથી જ્ઞાનાવરણીયના પણ પાંચ ભેદ કહ્યા છે.
જ્ઞાનના પાંચ પ્રકાર તેમાં સર્વપ્રથમ ‘મતિજ્ઞાન' છે.
(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન.
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
મતિજ્ઞાન - “પાંચ ઈન્દ્રિય અને મન વડે પદાર્થોને વિશેષ ધર્મસહીત જાણવા.” જેમ ગોળ જીભ ઉપર મૂકવાથી આ ગોળ છે, ગળ્યો છે, સારો છે વિગેરે.
શ્રુતજ્ઞાન - “શબ્દ ઉપરથી પદાર્થનું અને પદાર્થ ઉપરથી શબ્દનું જ્ઞાન થાય તે.” જેમ સાકર શબ્દ સાંભળવાથી સાકરનો સ્વાદ-કલર વિગેરેનો ખ્યાલ આવે છે અથવા સાકરનો ગાંગડો જોતાં સાકર નામ યાદ આવે, આને સાકર કહેવાય એવું જ્ઞાન થાય તે.
અવધિજ્ઞાન - પાંચ ઈન્દ્રિય અને મન વિના રૂપીપદાર્થો ( પુલ)નું આત્મસાક્ષાત્ જ્ઞાન, દૂર રહેલ પદાર્થ પણ પ્રત્યક્ષ દેખાય.
આ જ્ઞાનથી જેટલા ક્ષેત્રનું થયું હોય અને જેવો ક્ષયોપશમ હોય તેટલા ક્ષેત્રનું તેવા પદાર્થોનું જ્ઞાન (બોધ) થાય.
મન:પર્યવજ્ઞાન - અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણામ પામેલ મનોભાવનું આત્મસાક્ષાત્ જ્ઞાન તે.
કેવલજ્ઞાન - એક સમયમાં સર્વ દ્રવ્યોના ત્રણે કાળના સર્વ ભાવોને વિશેષ ધર્મસહિત જાણવા.
આ પાંચ જ્ઞાનનું વિસ્તારથી વર્ણન આગળ આપવામાં આવેલ છે. જ્ઞાનના બે ભેદ પણ કહેલ છે. (૧) પરોક્ષ જ્ઞાન (૨) પ્રત્યક્ષ જ્ઞાન
પરોક્ષ જ્ઞાન - આત્મા ઈન્દ્રિયો દ્વારા પદાર્થોનો બોધ કરે તે. તે બે જ્ઞાન છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન.
પ્રત્યક્ષ જ્ઞાન - ઈન્દ્રિયોના આલંબન વિના આત્મા સાક્ષાત્ પદાર્થોનું જ્ઞાન કરે છે. તેના ત્રણ પ્રકાર છે. (૧) અવધિજ્ઞાન (૨) મન:પર્યવજ્ઞાન (૩) કેવલજ્ઞાન.
Page #44
--------------------------------------------------------------------------
________________
૨ ૧
મતિજ્ઞાનનું વર્ણન
પરોક્ષ જ્ઞાનનું વર્ણન : મતિજ્ઞાન - મન્ ધાતુમાંથી મતિ શબ્દ બન્યો છે. (૧) મનનમ્ જાણવું તે મતિજ્ઞાન. (૨) પાંચ ઈન્દ્રિય અને મન વડે જાણવું તે મતિજ્ઞાન.
(૩) મર્યાદામાં રહેલા વિષયને પાંચ ઈન્દ્રિય અને મન વડે વિશેષ કરીને (વિશેષ ધર્મસહિત) જાણવા તે મતિજ્ઞાન
મતિજ્ઞાનનું બીજું નામ આભિનિબોધિક જ્ઞાન છે.
મતિજ્ઞાનના ૨, ૪, ૫, ૬, ૧૨, ૨૮, ૩૩૫, ૩૪૦ એમ અનેક રીતે ભેદો બતાવ્યા છે.
બે ભેદ - (૧) શ્રુતનિશ્રિત (૨) અશ્રુતનિશ્રિત.
(૧) કૃતનિશ્રિત - શ્રુતના અભ્યાસથી થાય છે. એટલે પહેલા શ્રુતજ્ઞાનથી જાણ્યું હોય તે પદાર્થને ઈન્દ્રિય દ્વારા જાણે છે. એટલે હમણાં જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે શ્રુતનો અભ્યાસ નથી. પરંતુ પ્રથમ શ્રુતજ્ઞાન દ્વારા બુદ્ધિ સંસ્કારવાળી થઈ હોય અને વર્તમાનકાળે મૃતના અભ્યાસ વિના ઈન્દ્રિયાદિ વડે ગ્રહણ કરાતા પદાર્થોનું જ્ઞાન તે ધૃતનિશ્ચિત મતિજ્ઞાન.
(૨) અશ્રુતનિશ્રિત - પૂર્વે જે પદાર્થોનો શ્રુતજ્ઞાન દ્વારા અભ્યાસ ન કર્યો હોય-તે પદાર્થને ન જાણ્યો હોય-ન જોયો હોય પરંતુ સ્વાભાવિક ક્ષયોપશમની વિશેષતાથી જ્ઞાનશક્તિ-પદાર્થની બોધશક્તિ પ્રગટ થાય.
શ્રુતના અભ્યાસ વિના સહજ રીતે પદાર્થનો બોધ થાય તે.
આ અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ચાર ભેદ છે. તે ચાર બુદ્ધિરૂપે કહેવાય છે તે આ પ્રમાણે છે.
(૧) ત્યાતિકી બુદ્ધિ - ૧. પ્રશ્નનો યોગ્ય જવાબ આપવાની
Page #45
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ જ્ઞાનશક્તિ, ૨. સહજ રીતે ઉત્પન્ન થતું જ્ઞાન, અભયકુમાર, બિરબલ અને રોહકની જેમ પ્રશ્નને અનુરૂપ જવાબ આપવાની જ્ઞાનશક્તિ પ્રગટ થાય તે.
જેમ રોહકને નગરના રાજાના આદેશથી ગામનો કુવો કેવી રીતે મોકલવો એમ ગામ લોકોએ પૂછ્યું ત્યારે રોહકે જવાબ આપ્યો કે - રાજાને કહો કે અમારો કુવે શહેરના રસ્તાથી અજાણ છે તેથી તમારા કુવાને લેવા મોકલો.
આ રીતે પ્રશ્નના યોગ્ય જવાબ આપવાની જ્ઞાનશક્તિ અભ્યાસ વિના સહજ ઉત્પન્ન થાય તે.
(૨) વૈનયિકી બુદ્ધિ - “જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોનો વિનયાદિ કરવાથી જે જ્ઞાનશક્તિ ઉત્પન્ન થાય છે.”
જેમ ઘણાં સમયથી પરદેશ ગયેલા પુત્રની ચિંતા કરતાં વૃદ્ધ માતા નદીથી પાણીનો ઘડો ભરીને આવતાં હતાં ત્યારે સામે જોષી જેવા લાગતા બે બ્રાહ્મણ વિદ્યાર્થી મિત્ર મળ્યા.
વૃદ્ધ માએ જોષીઓને પૂછ્યું - હે મહારાજ ! મારો દીકરો ઘણા સમયથી પરદેશ ગયો છે તેના કંઈ સમાચાર નથી. આપના જોષ (જ્યોતિષમાં) શું જણાય છે ? એમ બોલતા-બોલતાં માથા ઉપરથી ઘડો પડી ગયો અને ફુટી ગયો.
અવિનીત બ્રાહ્મણ વિદ્યાર્થી બોલ્યો - મા ! તમારો પુત્ર મરી ગયો છે.
ડોશીમા ગુસ્સે થઈ ગાળો ભાંડવા લાગ્યાં. ત્યારે વિનીત વિદ્યાર્થી બોલ્યો - માજી ! તમારો પુત્ર અત્યારે ઘેર આવેલ છે અને હમણાં તમને મળશે.
ડોશીમા ખુશખુશ થતાં ઘેર ગયા અને ઘેર પુત્રને આવેલ જોઈ આનંદીત થઈ ગયા.
Page #46
--------------------------------------------------------------------------
________________
મતિજ્ઞાનનું વર્ણન
પુત્રના ઘેર આવવાના સમાચાર આપનાર જ્યોતિષ (જોષી) મહારાજને દક્ષિણા આપવા તેમના ગુરુની શાળા શોધતાં શોધતાં આવ્યા અને પ્રથમ તો પુત્રના મરી ગયાના સમાચાર બોલનાર બ્રાહ્મણ વિદ્યાર્થીને આવું ખોટું જોષ જણાવ્યું છે એમ ઠપકો (ઉપાલંભ) આપવા લાગ્યા.
ત્યારે ગુરુએ બંને વિદ્યાર્થીઓને કેવા સંયોગોમાં જવાબ આપ્યો. એમ પૂછતાં પ્રથમ અવિનીત વિદ્યાર્થીને પુછયું ત્યારે તેમણે કહ્યું કે – ગુરુજી ડોશીમા પૂછતાં હતાં ત્યારે ધ્રુજતાં-ધ્રુજતાં બોલતા હોવાથી માથા ઉપરથી પાણીનો ઘડો પડી ગયો, ફુટી ગયો તેથી “તમારો પુત્ર મરી ગયો” એમ મેં કહ્યું.
વિનીત વિદ્યાર્થીને પુછતાં તેણે જવાબ આપ્યો કે - ડોશીમાં જ્યારે પુછતાં હતા ત્યારે (૧) ગ્રહો ઉચ્ચ સ્થાને હતા. (૨) ઘડો ફૂટી જવાથી માટીનો ઘડો માટીને મળ્યો. (૩) ઘડાનું પાણી નદીના પાણીને મળ્યું. માટે આ પ્રશ્નનું ઉત્તમ ફળ સૂચવે છે. માટે માજીનો પુત્ર માજીને મળવો જોઈએ. એ ઉત્તમ ગ્રહોના સંયોગોના કારણે એ પ્રમાણે જવાબ આપ્યો.
આ રીતે વિનિત વિદ્યાર્થીને ગંભીરતાપૂર્વક વિચાર કરી જવાબ આપવાની બુદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગુરુનો વિનયાદિ કરવાથી વૈનયિકી બુદ્ધિ કહેવાય.
(૩) પારિણામિકી બુદ્ધિ - વય-ઉંમરના પરિણામથી-ઉંમરની પરિપક્વતાએ “અનુભવજ્ઞાનના કારણે જે બુદ્ધિ-વિશેષ-જ્ઞાનશક્તિ ઉત્પન્ન થાય તે પરિણામિકી બુદ્ધિ કહેવાય.”
તે માટેની કહેવતો - - જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ
જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી. - ઘરડાં ગાડાં વાળે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
આ વિષયમાં એક વાર્તા -
એકવાર એક રાજાએ યુવાન મંત્રીઓ અને વૃદ્ધ મંત્રીઓમાં વધારે હોંશિયાર કોણ ? તેની પરીક્ષા કરવા અને મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું કે, મારા મસ્તક ઉપર પગ મૂકે તેને શું દંડ કરાય ? ત્યારે યુવાન મંત્રીઓ બોલ્યા કે – તેને દેહાન્ત દંડ કરાય. તેના શરીરના ટૂકડે ટૂકડા કરાય. પછી વૃદ્ધ મંત્રીઓએ કહ્યું કે તેની ફુલથી પૂજા કરાય. કારણ કે તમારા મસ્તક ઉપર પગ મૂકવાની કોની તાકાત છે ? પરંતુ તમારો પુત્ર જ તમારા મસ્તક ઉપર રમતા રમાડતાં પગ મૂકે, માટે તેની પૂજા કરાય. આ સાંભળી રાજા ખુશ થયો. આ વયની પરિપક્વતાથી જે બુદ્ધિ થાય તે પરિણામિકી છે.
(૪) કાર્મિકી બુદ્ધિ : “કામ (કાર્યો કરતાં કુશળતા આવે.” જેમ સુથાર, લુહાર, કુંભાર, ચિત્રકાર વિગેરે પોતાના કાર્યમાં કુશળ બને તે. અનુભવ વિનાનો ચિત્રકાર સુંદર અને આબેહુબ ચિત્ર ન બનાવી શકે અને વારંવાર પ્રેક્ટીશથી આબેહુબ બનાવે જેમ –
મલ્લિનાથ ભગવાનના વખતમાં કુંભરાજાની ચિત્રશાળામાં મલ્લિકુમારીનું બનાવેલ ચિત્ર જોઈ કુંભરાજાએ પુછ્યું કે આ ચિત્રશાળામાં મારી દીકરી કેમ આવ્યા છે ?
ત્યારે ચિત્રકારે કહ્યું કે, રાજન! એ આપની દીકરી નથી, તેમનું ચિત્ર છે.
સારાંશ કે રાજાને ચિત્ર પણ સાક્ષાત્ જેવું લાગ્યું. આવી ચિત્ર બનાવવાની કળા તે કાર્મિકી બુદ્ધિ. આ ચાર બુદ્ધિ તે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય. હવે કૃતનિશ્રિતમતિજ્ઞાનના ભેદ
Page #48
--------------------------------------------------------------------------
________________
મતિજ્ઞાનનું વર્ણન
શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના વિસ્તારથી ૩૩૬ ભેદ છે. તે સમજવા પ્રથમ તેના ચાર-પાંચ-છ-બાર-અઠ્યાવીશ વિગેરે ભેદનું વર્ણન આ પ્રમાણે છે :
ચાર ભેદ : (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અપાય (૪) ધારણા પાંચ ભેદ : (૧) વ્યંજનાવગ્રહ (૨) અર્થાવગ્રહ (૩) ઈહા (૪) અપાય (૫) ધારણા.
૨૫
છ ભેદ : (૧) સ્પર્શેન્દ્રિય મતિજ્ઞાન વિગેરે પાંચ ઈન્દ્રિયો તથા (૬) મન મતિજ્ઞાન એમ છ ભેદ થાય.
બાર ભેદ : (૧) બહુ (૨) અબહુ (૩) બહુવિધ (૪) અબહુવિધ (૫) ક્ષિપ્ર (૬) અક્ષિપ્ર (૭) નિશ્રિત (૮) અનિશ્રિત (૯) સંદિગ્ધ (૧૦) અસંદિગ્ધ (૧૧) ધ્રુવગ્રાહી (૧૨) અવગ્રાહી.
અઠ્યાવીસ અને ૩૩૬ ભેદનું વર્ણન આગળ આપવામાં આવેલ છે. અવગ્રહ ઈન્દ્રિયો વડે વિષયને જાણવો-ઈન્દ્રિયો વડે વિષયને ગ્રહણ કરવો તે.
-
--
અવગ્રહના બે ભેદ છે (૧) વ્યંજનાવગ્રહ (૨) અર્થાવગ્રહ વ્યંજનાવગ્રહ - (૧) વ્યંખ્યતે-પ્રટીયિતે અનેન અર્થ:, ડીપેન घटः इव इति व्यञ्जनम् ।
(૨) વિષય જેના વડે સ્પષ્ટ કરાય તે વ્યંજનાવગ્રહ.
(૩) વ્યંજન વડે (ઈન્દ્રિયો વડે) વિષય (વ્યાન) ગ્રહણ કરાય તે, અહીં એકશેષ સમાસ થવાથી એક વ્યંજન શબ્દનો લોપ થયો. (૪) ઈન્દ્રિયો વડે વિષયને અવ્યક્તપણે જાણવો તે,
એટલે કે ઈન્દ્રિય અને વિષયનો સંન્તિકર્ષ (જોડાણ-સંબંધ) થાય, પરંતુ વ્યક્ત જ્ઞાન ન થાય એટલે સ્પર્શેન્દ્રિયને કંઈક અડકે તો
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
પણ ખ્યાલ ન આવે તે-તે પ્રમાણે બીજી ઈન્દ્રિયોમાં પણ જાણવું.
પ્રશ્ન : વ્યંજનાવગ્રહમાં કંઈ જ્ઞાન થતું નથી, તો જ્ઞાનના ભેદમાં કેમ ગ્રહણ કર્યો ?
જવાબ : પરંતુ વ્યક્ત જ્ઞાન થવામાં સતત અથવા વારંવાર સક્નિકર્ષ એ કારણ બને માટે જ્ઞાનનું કારણ થાય છે. માટે “કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી તે પણ જ્ઞાન કહેવાય.
તે વ્યંજનાવગ્રહ મન અને ચક્ષુ: ઈન્દ્રિય વિના ચાર ઈન્દ્રિયો દ્વારા થાય છે તેથી તેના ચાર ભેદ છે.
ચા પોતાના વિષયને પ્રાપ્ત (સંનિકર્ષ) થયા વિના જ જાણે છે, પરંતુ સંક્નિકર્ષ થયેલાને જાણતી નથી.
જેમ આંખમાં આંજેલ કાજળ, આંખમાં પડેલ તણખલું, આંખમાં નાંખેલ સુરમો, દવા વિગેરે પદાર્થોને આંખ (ચક્ષુ) સાથે જોડાણ થવાથી જાણી શકાતાં નથી તેથી તેનો વ્યંજનાવગ્રહ ન હોય.
વળી મનનો પણ વ્યંજનાવગ્રહ ન હોય. કારણ કે, ઘણાં દૂર રહેલ અથવા વ્યતિત થયેલ પ્રસંગને પણ મન વડે ગ્રહણ કર્યા વિના જણાય છે. એટલે મનને તે પદાર્થ સ્પર્શતો નથી છતાં વિચાર દ્વારા તે પદાર્થનું જ્ઞાન થાય છે - યાદ આવે છે.
આ રીતે વ્યંજનાવગ્રહના ચાર ભેદ જાણવા. અર્થાવગ્રહ - ઈન્દ્રિય વડે વિષયને સામાન્યપણે જાણવું. (૧) મને કંઈક અડક્યું. (૨) મને કંઈક સ્વાદ આવ્યો. (૩) મને કંઈક સુગંધ-દુર્ગધ આવી, (૪) મને કંઈક દેખાયું. (૫) કંઈક અવાજ આવ્યો. (૬) મારે કંઈક પૂછવાનું છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
મતિજ્ઞાનનું વર્ણન
આવું સામાન્ય જ્ઞાન તે અર્થાવગ્રહ.
આમાં ઈન્દ્રિય અને વિષયનો સક્નિકર્ષ (સંબંધ) થાય છે પણ કંઈક ? એવું જ્ઞાન થાય તે અર્થાવગ્રહ.
નૈશ્ચયિક અર્થાવગ્રહ એક સમયનો જાણવો. કારણ કે, બીજા સમયથી “તે શું હશે” તેવો વિચાર થાય અને તે ઈહા કહેવાય. ' અર્થાવગ્રહ પાંચ ઈન્દ્રિય અને મન દ્વારા થાય તેથી છે ભેદ છે. તેમ ઈહા વિગેરેમાં પણ છ ભેદ જાણવા.
ઈહા - ઈન્દ્રિય વડે ગ્રહણ કરેલ પદાર્થનું “તે શું હશે તેવું વિચારવું તે ઈહા જ્ઞાન. ઈમ્ = વિચારવું.
અપાય - ઈન્દ્રિય વડે ગ્રહણ કરેલ વિષયનો નિશ્ચય (નક્કી) કરવો. અર્થાત્ આનો સ્પર્શ થયો, આનો સ્વાદ છે, આની ગંધ છે વિગેરે અપાયજ્ઞાન કહેવાય.
ધારણા - ઈન્દ્રિય વડે ગ્રહણ કરેલ વિષયને ધારી રાખવો-સતત યાદ રાખવો, ફરી યાદ આવવો તે ધારણા મતિજ્ઞાન.
ધારણા મતિજ્ઞાનના અવાજોર (પેટા) ભેદ ત્રણ છે.
(૧) અવિસ્મૃતિધારણા - ઈન્દ્રિય વડે પ્રથમવાર જાણેલ પદાર્થ સતત યાદ રહેવો તે.
(૨) વાસના - જાણેલ, જોયેલ, સમજેલ પદાર્થો ફરી યાદ આવે તેના કારણરૂપ આત્મામાં તેના સંસ્કારો રહેવા તે.
કાળ સંખ્યાતો અથવા અસંખ્યાતો કાળ.
સંખ્યાતો કાળ - સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચને પહેલાં નાની વયમાં જોએલ-જાણેલ પદાર્થ પાછલી વયમાં યાદ આવે તે અપેક્ષાએ.
અસંખ્યાતો કાળ - દેવ, નારક, યુગલિક, મનુષ્ય, તિર્યંચોને તે
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ભવનું અથવા અન્ય ભવનું અસંખ્ય વર્ષ પહેલાનું યાદ આવે અથવા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય તિર્યંચોને પૂર્વના અસંખ્યકાળ પહેલાંના ભવો યાદ આવવા તે અપેક્ષા અસંખ્ય કાળ.
(૩) સ્મૃતિધારણા- પ્રથમ અનુભવેલ જાણેલ પદાર્થ ફરી યાદ આવવો તે જ્ઞાન.
આ જ્ઞાનને જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે.
આ રીતે મતિજ્ઞાનના ૨૮ ભેદ છે. તેના નામ બે રીતે બોલી શકાય :
બીજી રીતે પ્રથમ રીતે.
(૧) સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૧) સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન
(૨) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૨) સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ મતિજ્ઞાન
(૩) ઘ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૩) સ્પર્શેન્દ્રિય ઈહા મતિજ્ઞાન
(૪) શ્રોતેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૪) સ્પર્શેન્દ્રિય અપાય મતિજ્ઞાન
(૫) સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ (૫) સ્પર્શેન્દ્રિય ધારણા મતિજ્ઞાન
||(૬) રસનેન્દ્રિય અર્થાવગ્રહ (૬) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન
(૭) ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ (૭) રસનેન્દ્રિય અર્થાવગ્રહ મતિજ્ઞાન
(૮) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ (૮) રસનેન્દ્રિય ઈહા મતિજ્ઞાન
[(૯) શ્રોતેન્દ્રિય અર્થાવગ્રહ (૯) રસનેન્દ્રિય અપાય મતિજ્ઞાન
(૧૦) મન અર્થાવગ્રહ (૧૦) રસનેન્દ્રિય ધારણા મતિજ્ઞાન
(૧૧) સ્પર્શેન્દ્રિય ઈહા (૧૧) ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન
(૧૨) રસનેન્દ્રિય ઈહા (૧૨) ઘ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ મતિજ્ઞાન
(૧૩) ધ્રાણેન્દ્રિય ઈહા (૧૩) ધ્રાણેન્દ્રિય ઈહા મતિજ્ઞાન
(૧૪) ચક્ષુરિન્દ્રિય ઈહા (૧૪) ધ્રાણેન્દ્રિય અપાય મતિજ્ઞાન
(૧૫) શ્રોતેન્દ્રિય ઈહા (૧૫) ઘ્રાણેન્દ્રિય ધારણા મતિજ્ઞાન |(૧૬) મન ઈહા આ રીતે અપાયચક્ષુ-શ્રોતેન્દ્રિય અને મનના પણ બોલવા.|ધારણાના ભેદ સમજવા.
આ રીતે શેષ ભેદ જાણવા. તે ભેદનો ગુણાકાર કરવાથી બને રીતે આ પ્રમાણે ભેદ સમજવા.
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૯
મતિજ્ઞાનનું વર્ણન
મતિજ્ઞાનના ૨૮ ભેદ સ્પર્શેન્દ્રિયના ૫ ભેદ વ્યંજનાવગ્રહનાને ૪ રસનેન્દ્રિયના ૫ ભેદ અર્થાવગ્રહનાને ૬ ધ્રાણેન્દ્રિયના૫ ભેદ ઈહાના – ૬ શ્રોતેન્દ્રિયના– ૫ ભેદ અપાયના – ૬ ચક્ષુરિન્દ્રિયના- ૪ ભેદ ધારણાના – ૬ મનના – ૪ ભેદ ૨૮ ભેદ
૨૮ આ પ્રમાણે બન્ને રીતે ૨૮ ભેદ જાણવા. જ્યારે જ્ઞાનના ૫૧ ખમાસમણ દેવા હોય ત્યારે આ મતિજ્ઞાનના ૨૮માંથી એક એક ભેદ દુહા સાથે બોલવા અને ખમાસમણ દેવું જેમ :
(૧) સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ (૨) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ
મતિજ્ઞાનના ૧૨ ભેદ (૧) બહુજ્ઞાન-ઈન્દ્રિય વડે ગ્રહણ કરેલા વિષયમાં ઘણા પદાર્થનું જ્ઞાન.
જેમ - દાળ-શાક વાપરતાં તેમાં જીરુ, મરચું, હળદર, ગોળ, લીંબુ આદિની ખટાશ વિગેરે ઘણા પદાર્થનો ખ્યાલ આવે છે.
આ રીતે દરેક વ્યાખ્યામાં સમજવું. (૨) અબહુ - કેટલાક પદાર્થનું જ્ઞાન.
શ્રોતેન્દ્રિય દ્વારા ગ્રહણ કરેલ વાજિંત્રોના અવાજમાં કેટલાક
વાજિંત્રોનો અવાજ સમજાય. ઘણા બધાનો નહીં તે. (૩) બહુવિધ - તીવ્ર-મંદ-મંદતર ધર્મસહિત જ્ઞાન.
ધ્રાણેન્દ્રિય દ્વારા ગ્રહણ કરાયેલ બગીચાના પુષ્પોની સુગંધમાં અમુક ફુલની સુગંધ ઘણી અને સારી છે. કેટલાકની મંદ (ઓછી) છે એવો ખ્યાલ આવે છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૪) અબહુવિધ - કેટલાક પદાર્થના ગુણધર્મ તીવ્ર મંદાદિ ભેદ સમજાય,
ઘણા પદાર્થો નહિ તે. - કેટલાક પુષ્પની સુગંધ ખ્યાલ આવે છે. (૫) ક્ષિપ્ર - ઈન્દ્રિય વડે ગ્રહણ કરેલ વિષય એકવાર ગ્રહણ કરવા
માત્રથી શિધ્ર જાણે. (૬) અક્ષિપ્ર - વારંવાર ગ્રહણ કરવા વડે વિષયને જાણે. (૭) નિશ્રિત - ચિહ્ન દ્વારા જાણે, જેમ દૂરથી દેખેલ સુકા, છેદાયેલ
ઝાડને હલતું નથી માટે માણસ નથી પરંતુ ઠાણું (ઠુંઠું) છે. (૮) અનિશ્રિત - ક્ષયોપશમની પટુતાથી નીશાની (ચિહ્ન) વિના
પદાર્થનો બોધ થાય. (૯) સંદિગ્ધ - સંશયસહિત બોધ. જેમ પ્રાય, ઘણુ કરીને ૯૯% ટકા
હઠ છે. પણ ૧૦૦% નહીં. આવું સંશયવાળું જ્ઞાન તે. (૧૦) અસંદિગ્ધ - સંશય વિના ૧૦૦% ઠાણું જ છે તેમ નિશ્ચય કહેવો. (૧૧) ધ્રુવગ્રાહી - એકવાર ઈન્દ્રિય વડે ગ્રહણ કરેલ પદાર્થ ફરીવાર
ગ્રહણ કરવામાં આવે તો ભૂલાય નહીં. ફરી તે પદાર્થનું જ્ઞાન
કરવામાં કોઈને પુછવું ન પડે. (૧૨) અધૂવગ્રાહી - એકવાર ગ્રહણ કરેલ ભૂલાઈ જાય. ફરી તે
પદાર્થને જાણવામાં અન્યની સહાય લેવી પડે.
જીવોમાં ક્ષયોપશમની વિચિત્રતાથી ઉપરના ભેદ પદાર્થના જ્ઞાન કરવામાં સમજવા. કાળ : આ ૨૮ ભેદનો કાળ આ પ્રમાણે : જઘન્ય કાળ
ઉત્કૃષ્ટ કાળ વ્યંજનાવગ્રહ-આવલિકાનો અસં ભાગ – શ્વાસોશ્વાસ પૃથકત્વ અર્થાવગ્રહ – એક સમય - અંતર્મુહૂર્ત
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૧
મતિજ્ઞાનનું વર્ણન ઈહા – અંતર્મુહૂર્ત
- અંતર્મુહૂર્ત અપાય - અંતર્મુહૂર્ત
- અંતર્મુહૂર્ત ધારણા - અંતર્મુહૂર્ત
- અસંખ્યાતો કાળ ઉપરના ૨૮ ભેદને બહુ વિગેરે ૧૨ ભેદથી ગુણતાં ૩૩૬ ભેદ થાય. તેમાં ૪ અશ્રુતનિશ્રિતના ભેદ ઉમેરતાં ૩૪૦ ભેદ થાય. બહુ વિગેરેના ૧૨-૧૨ ભેદ આ રીતે લખાય-બોલાય :
(૧) બહુ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૨) અબહુ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૩) બહુવિધ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૪) અબહુવિધ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૫) ક્ષિપ્ર સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૬) અલિપ્ર સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૭) નિશ્રિત સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૮) અનિશ્રિત સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૯) સંદિગ્ધ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૧૦) અસંદિગ્ધ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૧૧) ધ્રુવગ્રાહી સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૧૨) અધુવગ્રાહી સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન આ રીતે ૨૮ ભેદના ૧૨-૧૨ ભેદ બોલવા-જાણવા.
આ રીતે મતિજ્ઞાનના ભેદોનું વર્ણન કર્યું. પાંચ ઈન્દ્રિયની વિષયને ગ્રહણ કરવાની ઉત્કૃષ્ટ મર્યાદા : (૧) સ્પર્શેન્દ્રિયનો વિષય ઉત્કૃષ્ટથી ૯ યોજન દૂરથી (૨) રસનેન્દ્રિયનો વિષય ઉત્કૃષ્ટથી ૯ યોજન દૂરથી (૩) ઘ્રાણેન્દ્રિયનો વિષય ઉત્કૃષ્ટથી ૯ યોજન દૂરથી
Page #55
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૪) ચક્ષુરિન્દ્રિયનો વિષય ઉત્કૃષ્ટથી (અપ્રકાશિત) ૧ લાખ યોજન દૂરથી (૫) શ્રોત્રેન્દ્રિયનો વિષય ઉત્કૃષ્ટથી ૧૨ યોજન દૂરથી
વિશિષ્ટ ક્ષયોપશમ હોય તો ઉત્કૃષ્ટથી આલંબન વિના આ પ્રમાણે વિષય જાણવાની શક્તિ હોય. દ્રવ્ય - મતિજ્ઞાની ઉત્કૃષ્ટથી સર્વદ્રવ્યો જાણે, પરંતુ સર્વપર્યાયો નહીં. ક્ષેત્ર - સર્વલોકાલોક ક્ષેત્રને જાણે, પરંતુ તેના સર્વ પર્યાયો નહીં. કાળ - ભૂત, ભાવિ અને વર્તમાનકાળને જાણે, પરંતુ તેના સર્વ
પર્યાયો નહીં. ભાવ - ધર્માસ્તિકાયના અને ઔદયિક ભાવાદિના કેટલાક પર્યાયો
જાણે સર્વપર્યાયોને નહીં.
અર્થાત્ મતિજ્ઞાની આત્મા પૂર્વે આગમ-શાસ્ત્રાદિથી જાણેલ દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવને પોતાના ક્ષયોપશમના અનુસાર જાણે.
શ્રુતજ્ઞાન - (૧) શ્રુતે તિ શ્રુતમ્ | (૨) સાંભળવા વડે જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન.
(૩) શબ્દ ઉપરથી અર્થનું અને અર્થ ઉપરથી શબ્દનું જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન.
(૪) શબ્દોલ્લેખવાળું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. (૫) શાસ્ત્રોનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
જો કે નિગોદાદિ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જીવોને શ્રોત્રેન્દ્રિય નથી. તેથી આ વ્યાખ્યાઓ ઘટે નહીં. એટલે તેઓને દ્રવ્ય શ્રુત હોય નહીં.
પરંતુ ભાવ શ્રુત તેઓને હોય, તેથી નિગોદ આદિ જીવોને જઘન્યથી અક્ષરના અનંતમા ભાગનું જ્ઞાન હોવાથી બે જ્ઞાન કહ્યાં છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાનનું વર્ણન
મને
એટલે ઈષ્ટ કે અનિષ્ટ આહાર-સ્થાન આદિ પ્રાપ્ત થવાથી આ અનુકૂળ છે” ‘આ પ્રતિકૂળ છે” એવું ભાવપ્રધાન શ્રુતજ્ઞાન હોય. વળી એકેન્દ્રિયમાં કેટલીક વનસ્પતિ આદિના જીવોને દ્રવ્ય અને ભાવશ્રુત હોય તેવો ક્ષયોપશમ હોય છે. જેમ
-
૩૩
લજ્જામણી-વેલ-તેને અડકવાથી તે સંકોચાય છે એટલે સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શનું જ્ઞાન થાય છે.
કુદુમ્બર વૃક્ષ કુંવારી કન્યા પાનની પીચકારી મારે તો ફળે એટલે રસનેન્દ્રિયના ક્ષયોપશમથી પાનનો સ્વાદ આવે ત્યારે ફળે.
ચક્ષુરિન્દ્રિયના ક્ષયોપશમથી કુવામાં રહેલ પારો કુમારિકાના મુખને જોવાથી ઉછળી બહાર આવે છે.
શ્રુતજ્ઞાનના ૧૪ અથવા ૨૦ ભેદ છે. તેમાં પ્રથમ ૧૪ ભેદ બતાવે છે.
=
અવર-સનિ-સમાં, સાળં હતુ સપન્નવસિયં ચ । गमिअं अंगपविट्टं, सत्तवि एए सपडिवक्खा ।। ६ ।। શબ્દાર્થ : સાદ્અં સાદિ, સપત્નતિગં = આ, સવિશ્ર્વા = પ્રતિપક્ષ સહિત.
ગાથાર્થ : અક્ષરશ્રુત, સંજ્ઞીશ્રુત, સભ્યશ્રુત, સાદિશ્રુત, સપર્યવસિત શ્રુત, ગમિકશ્રુત, અંગપ્રવિષ્ટ શ્રુત આ સાતે પણ ભેદ પ્રતિપક્ષ સહિત શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે. ॥ ૬ ॥
-
સપર્યવસિત, CC
વિવેચન : જ્ઞાનના ૫૧ ભેદની વિવક્ષા કરાય ત્યારે શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ ગણ્યા છે. તે આ પ્રમાણે
(૧) અક્ષરશ્રુત : અક્ષરો વડે અભિલાપ્ય ભાવોનું પ્રતિપાદન કરવું તે અક્ષરશ્રુત. અક્ષરો-વર્ણો લખવા કે બોલવાથી જે બોધ થાય તે. આ અક્ષરશ્રુતના ત્રણ પેટાભેદ છે.
૩
Page #57
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૧) સંજ્ઞાક્ષર (૨) વ્યંજનાક્ષર (૩) લબ્બક્ષર (લબ્ધિ અક્ષર). સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષ૨ એ ઔપચારિક શ્રુતજ્ઞાન હોવાથી દ્રવ્યશ્રુત છે, જ્યારે લધ્યક્ષર એ વાસ્તવિક શ્રુતજ્ઞાન હોવાથી ભાવશ્રુત છે.
૩૪
સંજ્ઞાક્ષર : (૧) અક્ષરનો આકાર વિશેષ તે એટલે (૨) જુદીજુદી લીપીનું જ્ઞાન એટલે ભિન્ન-ભિન્ન લિપીના બોલેલા અક્ષરો લખી શકાય તે અર્થાત્ લખતાં આવડે તે સંશાક્ષર.
જેમકે, ક-ખ-A-B-અ-આવિગેરે ઉચ્ચારેલ અક્ષરો લખતાં આવડે તે. શાસ્ત્રોમાં ૧૮ પ્રકારની લિપી કહી છે તે લીપીનું જ્ઞાન તે સંજ્ઞાક્ષર ૧૮ લિપી આ પ્રમાણે છે.
(૧) હંસલિપી (૨) ભૂતલિપી (૩) યક્ષલિપી (૪) રાક્ષસી લિપી (૫) ઉડ્ડીલિપી (૬) યવની લિપી (૭) તુર્કી લિપી (૮) કીરી લિપી (૯) દ્રાવિડ લિપી (૧૦) સિંધી લિપી (૧૧) માલવી લિપી (૧૨) નટી લિપી (૧૩) નાગરી લિપી (૧૪) લાટ લિપી (૧૫) પારસી લિપી (૧૬) અનિમિત્તક લિપી (૧૭) ચાણક્ય લિપી (૧૮) મૂળદેવી લિપી.
ગુજરાતી લિપી તે લાટ લીપી અને હિંદી લીપી તે નાગરી લીપી હોય તેમ જણાય છે.
આ ઉપરાંત ઈગ્લિશ-ઉર્દૂ લિપી વિગેરે લિપીઓ પણ છે.
વ્યંજનાક્ષર : લખેલ-છાપેલ અક્ષરોનો ઉચ્ચાર આવડે તે વ્યંજનાક્ષર જેમ આ A કહેવાય B કહેવાય ક કહેવાય. એમ અક્ષરો-વર્ણોને ઓળખતાં આવડે તે.
લબ્ધિ અક્ષર : લખેલા અથવા ઉચ્ચારેલા-બોલેલા અક્ષરો અથવા શબ્દોનો ગર્ભિત ભાવ સમજવો તે.
જેમ ‘“તક્ર” શબ્દથી છાશનું, ‘“એપલ” શબ્દથી સફરજનનું જ્ઞાન થાય તે.
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાનનું વર્ણન
૩૫ જો કે – સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર તે પુદ્ગલ સ્વરૂપ છે અને જ્ઞાન તે આત્માનો ગુણ છે. પરંતુ તે સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર લબ્ધિઅક્ષર જ્ઞાનનું કારણ બનતા હોવાથી તે પણ જ્ઞાન કહેવાય. અથવા અક્ષરોવર્ષો બોલવા અને લખવા તે દ્રવ્યશ્રુત અને તે વર્સોનો ભાવ જાણવોસમજવો તે ભાવથુત છે.
(૨) અનક્ષર શ્રત : શબ્દોચ્ચાર વિના હાથ-મુખ-આંખ-મસ્તક આદિના ઈશારાથી જે પોતાનો ભાવ જણાવવો. અથવા બીજાનો ભાવ જાણવો તે અનક્ષર શ્રત. છીંક... વિ. દ્વારા ચેષ્ટાઓ/ક્રિયાઓ કરવી એ દ્રવ્ય અનક્ષરગ્રુત તથા તેના વડે અન્ય વ્યક્તિને બોધ થાય તે ભાવ અનક્ષરગ્રુત કહેવાય.
છીંક, ઓડકાર, ખોંખારા, ઊધરસ, ચપટીનો અવાજ, ઘંટડીનો અવાજ વિગેરે સ્પષ્ટ શબ્દરૂપ નથી તેથી તે પણ અનર શ્રુત કહેવાય. જો કે તે અવાજરૂપ હોવાથી અને શ્રોતેન્દ્રિયથી ગ્રાહ્ય હોવાથી કેટલાક આચાર્યો તેને પણ અક્ષર શ્રુત કહે છે.
માત્ર શિરકંપન, હાથ-મુખ-આંખની ચેષ્ટા દ્વારા જે ભાવ કહેવોજાણવો તે અનક્ષરદ્યુત એમ કહે છે.
(૩) સંજ્ઞીશ્રુત : “સંજ્ઞી જીવોનું જ્ઞાન તે સંજ્ઞીશ્રુત”. અહીં સંજ્ઞા ત્રણ પ્રકારે છે. (૧) હેતુવાદોપદેશિકી (૨) દીર્ઘકાલિકી (૩) દ્રષ્ટિવાદોપદેશિકી. તેમાં દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જીવોને સંશી કહ્યા છે. તેઓનું જ્ઞાન તે સંજ્ઞીશ્રુત.
ત્રણ સંજ્ઞાનો અર્થ :
હેતુવાદોપદેશિકી સંજ્ઞા : વર્તમાન હેતુ દ્વારા તે સમયનું ઈષ્ટઅનિષ્ટનું વર્તમાનકાળનું જ્ઞાન. આમાં પૂર્વાપરના ઈષ્ટ-અનિષ્ટનો વિચાર હોય નહીં.
દીર્ઘકાલિકી સંજ્ઞા : વર્તમાન નિમિત્તાદિથી પૂર્વાપરના લાભાલાભના
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
વિચારપૂર્વકનું જ્ઞાન, વર્તમાન સુખ-દુખાદિમાં, ભૂતકાળ અને ભવિષ્યકાળના નિમિત્તોનું પર્યાલોચન તે.
આ સંજ્ઞા ગર્ભજ મનુષ્ય, તિર્યંચ, સર્વ દેવ, નારકીને હોય.
ડાઉન મગજવાળા અથવા ગાંડા મનુષ્યને પણ આ સંજ્ઞા હોય. તેને ક્ષયોપશમ મંદ હોવાથી અસંજ્ઞી જેવો જણાય, પરંતુ ગર્ભજ હોવાથી તેને પણ દીર્ઘકાલિકી સંજ્ઞા હોય.
દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા : દૃષ્ટિવાદ (બારમું અંગ) સૂત્ર પ્રત્યે શ્રદ્ધાવાળા વિશિષ્ટ કૃતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી હેય-ઉપાદેયના ઉચિત વિવેકવાળા સમ્યગ્દષ્ટિ જીવોનો બોધ તે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય.
જો કે આ સંજ્ઞાવાળાને દીર્ઘકાલિકી સંજ્ઞા પણ હોય તેથી તે પણ સંજ્ઞી કહેવાય. તેઓનું જ્ઞાન પણ સંજ્ઞીશ્રુત કહેવાય.
(૪) અસંજ્ઞી દીર્ઘકાલિકી સંજ્ઞા જેઓને ન હોય તેવા એકેન્દ્રિયવિકલેન્દ્રિય-અસંશી મનુષ્ય તિર્યંચનું જ્ઞાન તે અસંશી શ્રુત.
(૫) સમ્યકશ્રુત : “સમ્યગ્દષ્ટિ જીવોનું જ્ઞાન તે.” અહીં સમ્યકત્વ ત્રણ પ્રકારે છે. (૧) ઉપશમ (૨) લાયોપશમ (૩) ક્ષાયિક.
આ ત્રણે સમ્યકત્વ ચારે ગતિમાં સંજ્ઞી જીવોને હોઈ શકે છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાશાસ્ત્રો ભણે-વાંચે-જાણે તો પણ તે સમ્યકકૃત કહેવાય. કારણ કે હેયને હેય અને ઉપાદેયને ઉપાદેયરૂપે સ્વીકારે છે. વળી જેને ક્ષયોપશમના કારણે અલ્પજ્ઞાન હોય જઘન્યથી અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન હોય તો તે પણ સમ્યગૂઠુત કહેવાય.
કારણ કે હેય-ઉપાદેય, સાર-અસારને યથાર્થપણે ગ્રહણ કરે છે. સમ્યગ્દષ્ટિના બનાવેલ જે ગ્રંથો હોય તે સમ્યકશ્રુત.
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ
૩૭
એટલે કે સમ્યગ્દષ્ટિ શ્રાવક અથવા મુનિ ભગવંત મહાભારતરામાયણ-કુરાન-બાઈબલ વાંચે અથવા અંગ્રેજી આદિભાષાનું જ્ઞાન મેળવે, દૈનિક પેપર આદિ વાંચે તો પણ તે સમ્યક્રુત કહેવાય.
તે જ રીતે મિથ્યાદષ્ટિ આચારાંગાદિ આગમો વાંચે-ભણે, કલ્પસૂત્ર વાંચે તો પણ તેનું જ્ઞાન મિથ્યાજ્ઞાન-મિથ્યાશ્રુત કહેવાય. માટે જ અભવ્ય ૯ી પૂર્વ સુધીનું જ્ઞાન મેળવે તો પણ તે મિથ્યાશ્રુત કહેવાય.
(૬) મિથ્યાશ્રુત : “મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન તે મિથ્યાશ્રુત.” વીતરાગ ભગવાનના વચન ઉપરની શ્રદ્ધા વિનાના જીવનું થોડું કે ઘણું જ્ઞાન તે મિથ્યાશ્રુત કહેવાય.
(૭) સાદિકૃત : “જે શ્રુતજ્ઞાનની આદિ હોય તે સાદિષ્ણુત.” જો કે જીવમાં અનાદિકાળથી બે જ્ઞાન તો હોય જ, તેથી આદિ ન ઘટે, પરંતુ સમ્યકત્વ પામે ત્યારે શ્રુત અજ્ઞાનમાંથી શ્રુતજ્ઞાન થાય, તે શ્રુતજ્ઞાન કહેવાય તે અપેક્ષાએ સાદિ.
(૮) અનાદિ : અનાદિકાળથી જગતના જીવોને જે જ્ઞાન હોય તે અનાદિ, “જે શ્રુતજ્ઞાનની આદિ-શરૂઆત નથી તે અનાદિઠુત”
(૯) સપર્યવસિત : “જે શ્રુતજ્ઞાનનો અંત આવે, છેડો, પર્યવસાન હોય તે સપર્યવસિત.” જ્યારે આત્મા સમ્યકત્વ વમી મિથ્યાત્વમાં જાય ત્યારે, અથવા જ્યારે આત્મા કેવલજ્ઞાન પામે ત્યારે શ્રુતજ્ઞાન સપર્યવસિત કહેવાય.
(૧૦) અપર્યવસિત : “જે શ્રુતજ્ઞાનનો અંત ન હોય, છેડો ન આવે તે અપર્યવસિત.” જે શ્રુતજ્ઞાન અનંતકાળ સુધી રહેવાનું જ છે તે અપર્યવસિત શ્રુત કહેવાય. તેને “અનંતશ્રુત” પણ કહી શકાય છે.
આ ચાર ભેદને સમજવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ વિચારવા તે આ પ્રમાણે
Page #61
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
દ્રવ્ય : એક વ્યક્તિની અપેક્ષાએ સાદિ એટલે એક આત્મા જ્યારે સમ્યક્ત્વ પામે ત્યારે તેનું જ્ઞાન તે શ્રુતઅજ્ઞાન હતું તે હવે શ્રુતજ્ઞાન કહેવાય. માટે તે સમ્યજ્ઞાનની અપેક્ષાએ સાદિ અને કેવલજ્ઞાન પામે અથવા ફરી મિથ્યાત્વે જાય ત્યારે કેવલજ્ઞાન પામવાથી તેમાં સમાવેશ થઈ જાય તેથી શ્રુતજ્ઞાનનો અંત આવે અથવા મિથ્યાત્વના કારણે શ્રુતઅજ્ઞાન થઈ જાય માટે સપર્યવસિત કહેવાય અને અનેક જીવોની વિવક્ષાએ જગતમાં સમ્યગ્દષ્ટિ હંમેશા હોય જ તેથી અનાદિ અને અપર્યવસિત.
૩૮
સારાંશ : એક વ્યક્તિની અપેક્ષાએ સાદિ સપર્યવસિત. અનેક વ્યક્તિની અપેક્ષાએ અનાદિ અપર્યવસિત.
ક્ષેત્ર : ભરત-ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ યુગલિકકાળમાં અને છઠ્ઠા આરામાં હંમેશ સમ્યગ્દષ્ટિ હોય એવું નથી તેથી સાદિ અને સપર્યવસિત.
મહાવિદેહમાં હંમેશા સમ્યગ્દષ્ટિ હોય તેથી તે ક્ષેત્રની અપેક્ષાએ અનાદિ અપર્યવાસિત.
કાળ : ઉત્સર્પિણી-અવસર્પિણી કાળની અપેક્ષાએ સાદિ અને સપર્યવસિત.
અહીં ઉત્સર્પિણી - પ્રાણીઓના આયુષ્ય-શરીરની ઊંચાઈ-બળબુદ્ધિ જે કાળમાં વધતાં જાય તે, અને અવસર્પિણી - પ્રાણિઓનાં આયુષ્યાદિ ઘટતાં જાય તે. આ બન્ને કાળ ભરત-ઐરાવતક્ષેત્રમાં હોય છે તેથી આ ક્ષેત્રોમાં કાળની અપેક્ષાએ સમ્યક્ત્વ હોય અને સમ્યક્ત્વનો અભાવ પણ હોય માટે સાદિ અને સપર્યવસિત અને નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાળ જ્યાં છે, તે મહાવિદેહ ક્ષેત્રમાં કાળની અપેક્ષાએ સમ્યક્ત્વી હંમેશા હોવાથી અનાદિ અને અપર્યવસિત
12211
ત
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાનના ૨૦ ભેદ
|
૩૯
ભાવ : ભવસિદ્ધિયા (ભવ્ય) ની અપેક્ષાએ સમ્યકત્વાદિ ગુણ પામે ત્યારે શ્રુતજ્ઞાન આવે અને કેવલજ્ઞાન પામે અથવા મિથ્યાત્વભાવ પામે ત્યારે ચાલ્યું જાય તેથી સાદિ સપર્યવસિત અને અભવસિદ્ધિયા (અભવ્ય) ની અપેક્ષાએ ક્ષાયોપથમિક ભાવથી શ્રત (જ્ઞાન કે અજ્ઞાનની વિવફા વિના) અનાદિથી છે અને તે ક્યારેય કેવલજ્ઞાન પામવાનો નથી. હંમેશા શ્રુતઅજ્ઞાન રહેવાનું તેથી અનાદિ અપર્યવસિત જાણવું.
(૧૧) ગમિક શ્રુત : દષ્ટિવાદ સૂત્રાદિમાં જે એક સરખા આલાવા હોય ફક્ત અમુક ભાવ બતાવનાર કેટલાક શબ્દોમાં તફાવત હોય એવા “એકસરખા આલાવાવાળા શાસ્ત્રોનું જ્ઞાન તે ગમિકશ્રુત.”
(૧૨) અગમિક શ્રુત : “એકસરખા આલાવા ન હોય તેવાં (કાલિકાદિ) સૂત્રોનું જ્ઞાન તે અગમિક શ્રુત.”
(૧૩) અંગપ્રવિષ્ટ વ્યુત : બાર અંગનું જ્ઞાન એટલે અત્યારે દૃષ્ટિવાદ વિચ્છેદ હોવાથી અગ્યાર અંગનું જ્ઞાન તે અંગપ્રવિણ શ્રત.
અગ્યાર અંગ : (૧) આચારાંગ (૨) સૂયગડાંગ (૩) ઠાણાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતી સૂત્ર (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસક દસાંગ (૮) અંતકૃતદસા (૯) અનુત્તરોપપાતિક (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર અને (૧૨) દૃષ્ટિવાદસૂત્ર જે અત્યારે વિચ્છેદ પામેલ છે. આ ૧૨ અંગનું જ્ઞાન તે અંગપ્રવિષ્ટ શ્રુત.
(૧૪) અંગબાહ્ય શ્રુત : ગણધર ભગવંતો પછી થયેલ સ્થવિર ગીતાર્થ આચાર્યોના બનાવેલ શ્રી દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નિશીથ સૂત્રાદિનું જ્ઞાન તે અંગબાહ્ય. पज्जय-अक्खर-पय-संघाया, पडिवत्ती तह य अणुओगो । પાદુ -પાદુઈ-પાદુઈ, વલ્થ પૂળ્યા ય -સમાસા | ૭ |
શબ્દાર્થ : =પદદ્ભુત, સંધાયા=સંઘાતશ્રુત, પૂબી=પૂર્વશ્રુત, સમાસા=સમાસસહિત.
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ગાથાર્થ : પર્યાયશ્રુત, અક્ષરશ્રુત, પદદ્ભુત, સંઘાતશ્રુત, પ્રતિપત્તિશ્રુત, અનુયોગશ્રુત, પ્રાકૃતપ્રાભૃતશ્રુત, પ્રાભૃતશ્રુત, વસ્તુશ્રુત અને પૂર્વશ્રુત. આ ૧૦ ભેદો સમાસ સહિત જાણવા. || ૭ |
વિવેચન : પૂર્વની ગાથામાં પ્રતિપક્ષ (વિરુદ્ધ) ભેદ સહિત શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ કહ્યા. હવે વીશ ભેદ બતાવે છે.
(૧) પર્યાયશ્રુત : “એક પર્યાય (નિર્વિભાજ્ય જ્ઞાનનો અંશ)નું જ્ઞાન છે.”
જો કે એક પર્યાય (અંશ)નું જ્ઞાન કોઈ જીવને હોય નહીં પરંતુ સર્વથી અલ્પજ્ઞાનવાળા નિગોદના જીવને પણ અનેક પર્યાય (અંશ)નું જ્ઞાન હોય તેથી વ્યાખ્યા આ પ્રમાણે :
સૂક્ષ્મ નિગોદ લબ્ધિ અપર્યાપ્તા જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે જેને સર્વથી ઓછું જ્ઞાન હોય તેના કરતાં એક પર્યાયનું અધિકજ્ઞાન તે પર્યાયશ્રુત કહેવાય.
(૨) પર્યાવસમાસ શ્રુત : સર્વથી અલ્પજ્ઞાનવાળા સૂ. નિગોદ લબ્ધિ અપ. ના જ્ઞાન કરતાં બે-ત્રણ-ચાર-સંખ્યાત-અસંખ્યાત કે અનંત પર્યાયનું વધારે જ્ઞાન હોય તેવા જીવોનું જ્ઞાન પર્યાયસમાસશ્રુત કહેવાય.
(૩) અક્ષરદ્યુત : અ વિગેરે સ્વરો અને ૪ વિગેરે વ્યંજનોમાંના “એક અક્ષરનું જ્ઞાન તે અક્ષરદ્યુત.”
(૪) અક્ષરસમાસ શ્રુત : એકથી વધારે અક્ષરો એટલે સ્વરો અને વ્યંજનો રૂપ વર્ગોનું જ્ઞાન એટલે “અક્ષરોમાં રહેલ ગર્ભિત ભાવનું જ્ઞાન છે.”
(૫) પદધૃત એક પદનું જ્ઞાન તે પદધૃત. પદની ત્રણ વ્યાખ્યા છે. (૧) વિભક્તિ લાગેલ હોય તે શબ્દ કે ધાતુ તેને પદ કહેવાય.
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાનના ૨૦ ભેદ
૪૧
(૨) અર્થની સમાપ્તિવાળું હોય તે પદ એટલે વિવક્ષિત અર્થની પૂર્ણતા જ્યાં થાય ત્યાં સુધીના પદો તે પણ પદ કહેવાય.
(૩) આચારાંગાદિ સૂત્રોના પદ તે પદ કહેવાય. એટલે આચારાંગ સૂત્રમાં ૧૮000 પદો છે. સૂયગડાંગ સૂત્રમાં ૩૬000 પદો છે. અહીં ત્રીજો અર્થ તે પદભૃતની વ્યાખ્યા જાણવી એટલે આચારાંગાદિ સૂત્રોના પદોમાંથી “એક પદનું જ્ઞાન તે પદભૃત જાણવું.” અહીં શ્રુતજ્ઞાનના ભેદમાં તે પ્રમાણે પદની વ્યાખ્યા કરેલ છે.
(૬) પદસમાસ શ્રુતઃ ઉપર જણાવેલ આચારાંગાદિ સૂત્રોમાંના એક કરતાં વધારે પદોનું જ્ઞાન તે પદસમાસ શ્રુત.”
(૭) સંઘાત શ્રુત : કોઈપણ પદાર્થોનું સ્વરૂપ ચિંતવવા એટલે તત્વ-ચિંતવન કરવા જે મુખ્ય દ્વાર બતાવ્યા તેને માર્ગણા નામ આપેલ છે. માર્ગણા-શોધવાના સ્થાન તે મૂળ ચૌદ ભેદે છે અને તેના ઉત્તરભેદ ૬૨ ભેદ છે.
તેમાં એક ઉત્તરમાર્ગણાભેદ ઉપર કોઈપણ સત્પદ અથવા જીવાદિ એક અનુયોગ દ્વારથી વિચારવું-ઘટાવવું તે સંઘાતશ્રુત.
(૮) સંઘાતસમાસઃ એકથી વધારે (પરંતુ એક મૂળ માર્ગણાના બધા ભેદ નહીં) ઉત્તર માર્ગણા ઉપર સત્પદાદિ-જીવાદિ એક અનુયોગ દ્વાર ઘટાવવું તે સંઘાત સમાસ.
(૯) પ્રતિપત્તિશ્રુત : ગતિ આદિ ચૌદ મૂળ માર્ગણામાંથી કોઈપણ એક માર્ગણા ઉપર એક અથવા જીવાદિ એક અનુયોગ દ્વાર સમજવું-જાણવું-ઘટાવવું તે.
(૧૦) પ્રતિપત્તિસમાસ શ્રુત : એક કરતાં વધારે મૂળ માર્ગણાનું (પરંતુ ૧૪ પૂર્ણ માર્ગણા નહીં) જાણવું તે પ્રતિપત્તિસમાસ.
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૧૧) અનુયોગ શ્રત : મૂળ ૧૪ અને ઉત્તર ૬૨ માર્ગણા ઉપર (૧) સત્પદ પ્રરૂપણા (૨) દ્રવ્ય પ્રમાણ (૩) ક્ષેત્ર (૪) સ્પર્શના (૫) કાલ (૬) અંતર (૭) ભાગ (૮) ભાવ (૯) અલ્પબદુત્વ એ નવ અથવા ૨૪ અનુયોગ દ્વારમાંથી કોઈપણ એક અનુયોગદ્વારનું જ્ઞાન તે.
(૧૨) અનુયોગ સમાસ શ્રુત : એક કરતાં વધારે અનુયોગ દ્વારનું જ્ઞાન.
અહીં પ્રાભૃત પ્રાભૃત વિગેરેનું સ્વરૂપ સમજવા આ પ્રમાણે જાણવું. પરમાત્મા પાસેથી “ઉપૂomતિ વા વિપતિ વા યુવેતિ વા’’ આ ત્રિપદીને પામીને ગણધર ભગવંતો અંગ આદિ સૂત્રોની રચના કરે. તેમાં બારમું દૃષ્ટિવાદસૂત્ર (જે હાલ વિચ્છેદ પામેલ છે) છે. તેમાં પાંચ વિભાગ છે. (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વાનુયોગ (૪) પૂર્વગત (૫) ચૂલિકા. તેમાં પૂર્વગત નામનો ચોથો વિભાગ તેમાં ચૌદ પૂર્વની રચના કરી છે તે ચૌદ પૂર્વે આ પ્રમાણે - (૧) ઉત્પાદ પૂર્વ (૨) અગ્રાયણી (૩) વીર્યપ્રવાદ (૪) અસ્તિપ્રવાદ (૫) જ્ઞાનપ્રવાદ (૬) સત્યપ્રવાદ પૂર્વ (૭) આત્મપ્રવાદ (૮) કર્મપ્રવાદ (૯) પ્રત્યાખ્યાન પ્રવાદ (૧૦) વિદ્યાપ્રવાદ (૧૧) કલ્યાણપ્રવાદ (૧૨) પ્રાણપ્રવાદ (૧૩) ક્રિયા વિશાલ (૧૪) લોક બિંદુસાર. અહીં ચૌદ પૂર્વેમાં મુખ્ય-મુખ્ય વિષયના વિભાગને વસ્તુ કહેવાય છે. તેની સંખ્યા આ પ્રમાણે છે. તેમજ તે વસ્તુમાં પ્રાભૃત (વિષયના પેટા વિભાગ) ની સંખ્યા પણ અહીં સાથે બતાવવામાં આવેલ છે. વસ્તુ પ્રાભૃત પૂર્વ
વસ્તુ પ્રાભૃત સંખ્યા સંખ્યા
સંખ્યા સંખ્યા ૧ ઉત્પાદ પૂર્વ દશ ૨૦૦ ૪ અસ્તિનાસ્તિપ્ર0 અઢાર ૩૦૦ ૨ અગ્રાયણી ચૌદ ૨૮૦ ૫ જ્ઞાનપ્રવાદ બાર ૨૪૦ ૩ વીર્યપ્રવાદ આઠ ૧૦૦ ૬ સત્યપ્રવાદ બે ૪૦.
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાનના ૨૦ ભેદ
૪૩
૭ આત્મપ્રવાદ સોળ ૩૨૦ ૧૧ કલ્યાણપ્રવાદ બાર ૨૦૦ ૮ કર્મપ્રવાદ ત્રીશ ૪૦૦ ૧૨ પ્રાણપ્રવાદ તેર ૨૦૦ ૯ પ્રત્યાખ્યાનપ્રવાદ વીશ ૬૦૦ ૧૩ ક્રિયાવિશાલ ત્રીશ ૨૦૦ ૧૦ વિદ્યાપ્રવાદ પંદર ૩૦૦ ૧૪ લોક બિંદુસાર પચ્ચીસ ૨૦૦
આ રીતે પૂર્વના અંતર્ગત વિભાગ તે વસ્તુ કહેવાય. વસ્તુનો વિભાગ તે પ્રાભૃત કહેવાય. પ્રાભૃતના વિભાગ તે પ્રાભૃત પ્રાભૃત કહેવાય. એટલે એક પ્રાભૃતના પેટા વિભાગ ૨૦ હોય તેને પ્રાભૃત પ્રાભૃત કહેવાય.
(૧૩) પ્રાભૃત પ્રાભૃત શ્રુત : પ્રાભૃતના એક અન્તર્વર્તી અધિકારનું જ્ઞાન તે પ્રાભૃત પ્રાભૃત શ્રત.
(૧૪) પ્રાભૃત પ્રાભૃત સમાસ શ્રુત : એક કરતાં વધારે પ્રાભૃત પ્રાભૂતનું જ્ઞાન તે.
(૧૫) પ્રાભૃતશ્રુત : વસ્તુના એક અન્તર્વર્તી અધિકારનું જ્ઞાન તે. (૧૬) પ્રાભૃતસમાસશ્રુત : એક કરતાં વધારે પ્રાભૂતનું જ્ઞાન તે. (૧૭) વસ્તુશ્રુત : પૂર્વના એક અન્તર્વર્તી અધિકારનું જ્ઞાન તે.
(૧૮) વસ્તુ સમાસ શ્રુત : પૂર્વના એક કરતાં વધારે અન્તર્વર્તી અધિકારનું જ્ઞાન.
(૧૯) પૂર્વ શ્રુત : ૧૪ પૂર્વમાંથી એક પૂર્વનું જ્ઞાન તે. (૨૦) પૂર્વ સમાસ શ્રુત : એક કરતાં વધારે પૂર્વનું જ્ઞાન તે. આ રીતે ક્ષયોપશમના કારણે શ્રુતજ્ઞાનના ૨૦ ભેદ બતાવ્યા છે.
હવે દ્રવ્યાદિની અપેક્ષાએ શ્રુતજ્ઞાનનું વર્ણન આ પ્રમાણે-અહીં આગમમાં કહેલ સ્વરૂપ શ્રુતજ્ઞાની સમજી શકે એ વિવક્ષાથી આ પ્રમાણે
દ્રવ્ય - શાસ્ત્રના આધારે સર્વ દ્રવ્યને જાણે. ક્ષેત્ર – શાસ્ત્રના આધારે લોકાલોક રૂપ સર્વક્ષેત્રને જાણે. કાળ -- શાસ્ત્રના આધારે ભૂત-ભવિષ્ય અને વર્તમાન કાળને જાણે.
ભાવ - કેટલાક પર્યાયસહિત સર્વભાવને જાણે. એટલે ઔદયિકઆદિ સર્વભાવને જાણે પરંતુ સર્વદ્રવ્યના સર્વપર્યાય રૂપ ભાવને ન જાણે.
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
अणुगामि-वड्डमाणाय-पडिवाईयरविहा छहा ओही । रिउमइ-विउलमई, मणनाणं केवलमिगविहाणं ॥ ८ ॥
શબ્દાર્થ ઃ મોદી = અવધિજ્ઞાન, = છ પ્રકારે, શ્યરવિદ્યા = વિપરીત ભેદે, રૂાવિહાઈ = એક પ્રકારે
ગાથાર્થ : અનુગામી, વર્ધમાન અને પ્રતિપાતિ અને તેઓથી વિરુદ્ધ-વિપરીત ભેદો (અનનુગામી, હીયમાન, અપ્રતિપાતિ) સહિત અવધિજ્ઞાન છ પ્રકારે છે. જુમતિ અને વિપુલમતિ એમ મન:પર્યવજ્ઞાન બે પ્રકારે છે અને કેવલજ્ઞાન એક પ્રકારે છે. દા.
વિવેચન : હવે પ્રત્યક્ષ જ્ઞાનનું વર્ણન આ પ્રમાણે છે. પ્રત્યક્ષ જ્ઞાન, મન અને ઈન્દ્રિયોના આલંબન વિના આત્મસાક્ષાત્ જ્ઞાન તે.
તેના ત્રણ ભેદ છે. (૧) અવધિજ્ઞાન (૨) મન:પર્યવજ્ઞાન (૩) કેવલજ્ઞાન. તેમાં પ્રથમ અવધિજ્ઞાનનું વર્ણન.
અવધિજ્ઞાન : (૧) સવ-નીચે, નીચે, ઉધ-બોધ, નીચે નીચે રૂપી પદાર્થોનો વિસ્તૃત બોધ અથવા
(૨) વય-મર્યાદા, જ્ઞાન-જાણવું એટલે મર્યાદામાં રહેલાં રૂપી પદાર્થનો આત્મસાક્ષાત્ વિશેષ બોધ.
અવધિજ્ઞાન-દેવોની અપેક્ષાએ નીચે નીચે વિસ્તૃત બોધ એટલે
પહેલા-બીજા દેવલોકના દેવો અવધિજ્ઞાનથી પહેલી નારકી સુધી જુએ, ત્રીજા અને ચોથા દેવલોકના દેવો નીચે બીજી નરક સુધી જુએ.
પ-૬ દેવલોક- ૩જી નરક સુધી. નવરૈવેયક-૬ઠ્ઠી નરક સુધી. ૭-૮ દેવલોક- ૪ નરક સુધી. અનુત્તર - ૭મી સુધી ૯ થી ૧૨/૫ નરક સુધી. પરંતુ વૈમાનિક દેવો ઉર્ધ્વમાં પોતાની વિમાનની ધ્વજા સુધી ઉંચે
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૫
અવધિજ્ઞાનનું વર્ણન જોઈ શકે. આ રીતે જેમ-જેમ ઉપરના દેવો હોય તે નીચે નીચે વધારે વિસ્તાર સુધી જોઈ શકે એટલે અનુત્તરના દેવો સાતમી નારકી સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે. ફક્ત પોતાના વિમાનની ધ્વજા ઉપર ૧૨ યોજન લોકના પ્રમાણને ન જોઈ શકે. એટલે અનુત્તરના વિમાન પછી ૩યોજન ખાલી જગ્યા + ૮ યોજન સિદ્ધશિલા પછી ૧ યોજનના અંતે લોકનો છેડો છે. તેથી તે વિમાનની ઉપર ૧૨ યોજન માત્ર લોકને જોઈ ન શકે.
અવધિજ્ઞાનના મુખ્ય બે ભેદ છે. (૧) ભવપ્રત્યયિક, (૨) ગુણપ્રત્યયિક
(૧) ભવ પ્રત્યયિક : “ભવના નિમિત્તથી જે ક્ષયોપશમ થાય તે.” આ અવધિજ્ઞાન દેવો અને નારકીને જન્મતાંની સાથે જ હોય છે.
(૨) ગુણ પ્રત્યયિક : તપશ્ચર્યા–ધ્યાન, સ્વાધ્યાય આદિથી થાય તે. આ અવધિજ્ઞાનના છ પ્રકાર છે તે આ પ્રમાણે
(૧) અનુગામી : જે ક્ષેત્રમાં જ્ઞાન થયું હોય તે ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જાય તો પણ રહે, દા.ત. બેટરી-ફાનસના દિપકની જેમ સાથે અનુસરે, સાથે રહે છે.
(૨) અનનુગામી : જે ક્ષેત્રમાં અવધિજ્ઞાન થયું હોય તે ક્ષેત્રથી બીજે જાય તો સાથે ન રહે છે. અથવા સાંકળે બાંધેલ દીપકના પ્રકાશની જેમ જ્યાં થયું હોય ત્યાં જ ઉપયોગ મૂકી શકે, બીજે નહીં.
(૩) વર્ધમાન : જે અવધિજ્ઞાન પ્રારંભમાં થોડું હોય અને પછી વિશુદ્ધિના કારણે વધતું જાય. એટલે શરૂઆતમાં અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય અને પછી વધતું વધતું સંપૂર્ણલોક અને તેથી પણ અધિક એટલે અલોકમાં પણ લોક જેવડા અસંખ્ય ખંડુક જોવાની શક્તિ થાય તે.
(૪) હીયમાન : જે અવધિજ્ઞાનથી પ્રારંભમાં સંખ્યાત અસંખ્યાત યોજન સુધી જોઈ શકે અને ધીમે ધીમે ક્ષયોપશમ ઘટતો જાય છે. છેલ્લે
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
અંગુલના અસંખ્યાતમા ભાગનું રહે અને પછી ચાલ્યું પણ જાય. તે કોડીયાના દીપક જેવું છે.
(૫) પ્રતિપાતિ ઃ જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી એકી સાથે ચાલ્યું જાય તે.
આ અવધિજ્ઞાનથી લોકાવધિ સુધી જ જ્ઞાન થાય. કેટલોક ટાઈમ રહે, પછી ક્ષયોપશમના અભાવે ચાલ્યું જાય છે. તત્ત્વાર્થમાં પ્રતિપાતિને અનવસ્થિત કહેલ છે. પવનના ઝપાટાથી ઓલવાઈ જતા દીપક જેવું.
(૬) અપ્રતિપાતિ : “જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી જાય નહીં.” ભવપર્યન્ત અથવા કેવલજ્ઞાન થાય ત્યાં સુધી રહે છે. તેનું બીજું નામ અવસ્થિત કહેવાય.
આ અવધિજ્ઞાન ચૌદ રાજલોક કરતાં વધારે જોઈ શકવાની શક્તિવાળું હોય. ઉત્કૃષ્ટથી અસંખ્ય ખંડુક જોવાની શક્તિવાળું
જો કે અલોકમાં અવધિજ્ઞાનથી જાણી શકાય-જોઈ શકાય તેવાં પદાર્થો નથી છતાં જોવાની શક્તિની અપેક્ષાએ આ વર્ણન છે.
એટલે અલોકમાં જોવાની શક્તિ હોવા છતાં પદાર્થના અભાવે જુએ નહીં, પરંતુ લોકમાં રહેલ પદાર્થો વધારે ચોક્કસ અને સારી રીતે ઘણા ધર્મસહિત અને સ્પષ્ટપણે જાણી શકે.
પ્રશ્ન : પ્રતિપાતી અને હિયમાન અવધિજ્ઞાનમાં શું તફાવત ?
જવાબ : પ્રતિપાતિ એકી સાથે ચાલ્યું જાય અને હિયમાન ધીમેધીમે ઓછી શક્તિવાળું થાય એટલે ધીમે ધીમે જાય તે હિયમાન કહેવાય.
અવધિજ્ઞાનના દ્રવ્યાદિની અપેક્ષાએ ભેદો આ પ્રમાણે છે. દ્રવ્ય : જઘન્યથી અનંતારૂપી દ્રવ્યોને જાણે. કારણ કે ક્ષેત્રથી
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૭
અવધિજ્ઞાનનું વર્ણન જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણમાં રહેલા અનંતારૂપી દ્રવ્ય હોય તેને જાણે માટે.
ઉત્કૃષ્ટથી સર્વરૂપી દ્રવ્યોને જાણે એટલે ચૌદ રાજલોકમાં રહેલાં સર્વરૂપી દ્રવ્યો (પુદ્ગલ) અનંતા છે તેને જોઈ શકે છે. માટે અનંતારૂપી દ્રવ્યોને જાણે.
ક્ષેત્ર : જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી ચૌદ રાજલોક અને અલોકમાં પણ ચૌદ રાજલોક જેવડા અસંખ્ય ખંડુક જાણે.
ક્ષેત્ર અરૂપી હોય તેથી તે ક્ષેત્રમાં રહેલ પુદ્ગલ દ્રવ્યને જાણે એમ જાણવું. તેમ કાળમાં પણ સમજવું.
કાળ : જઘન્યથી આવલિકાના અસંખ્યાતમા ભાગના થયેલા અને થનારા પુદ્ગલના ભાવોને જાણે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીના થયેલા અને થનારા ભાવોને જાણે.
ભાવ : જઘન્યથી કેટલાક રૂપી દ્રવ્યોના અનંતા પર્યાયને જાણે અને ઉત્કૃષ્ટથી ઘણા અનંતા પર્યાયોને જાણે પરંતુ સર્વપર્યાયોને ન જાણે.
આ અવધિજ્ઞાન કરણ અ૫૦ ૫૦ સંજ્ઞીજીવોને હોય છે. તેમજ મનુષ્યને ગુણ પ્રત્યયિકના છએ ભેદ હોઈ શકે. દેવ અને નારકીને અનુગામી અવધિજ્ઞાન હોય અને ભવપર્યત રહેનારૂ અપ્રતિપાતી હોય તો પણ તે ભવ પ્રત્યયિકની જ વિવક્ષા કરી છે. તિર્યંચોને અપ્રતિપાતી વિના પાંચ ભેદ હોઈ શકે.
મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન મિથ્યાદૃષ્ટિ જીવોને પણ હોય તે મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનરૂપે કહેવાય.
અહીં અજ્ઞાન એટલે શ્રદ્ધા વિનાનું જ્ઞાન એમ સમજવું. અર્થાત્ સર્વજ્ઞના વચનો ઉપર વિશ્વાસ-શ્રદ્ધા ન હોય તેથી તેઓનું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય. પરંતુ અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ એવો અર્થ ન કરવો. એટલે શ્રદ્ધા (વિશ્વાસ) વિનાનું જ્ઞાન તે અજ્ઞાન.
Page #71
--------------------------------------------------------------------------
________________
४८
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
અવધિજ્ઞાનના જોય દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ અનંતભેદ જાણવા. ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ અસંખ્યાતા ભેદ જાણવા. ' અર્થાત્ અવધિજ્ઞાનથી અનંતા પુદ્ગલના સ્કંધોને જોઈ શકે છે. તેથી જ તે દ્રવ્યોના પર્યાયો પણ અનંતા છે. તેમાંના કેટલાક અનંતા પર્યાયોને જાણે માટે અનંત ભેદવાળું કહ્યું છે.
મન:પર્યવજ્ઞાન : મન:પર્યવ, મન:પર્યાય
(૧) મનના ભાવોને ચારે બાજુથી જાણવા એટલે “મન-મનના ભાવોને “પરિ–ચારે બાજુથી “મવ’ જાણવું તે.
(૨) મન પર્યયજ્ઞાન એટલે “મનઃ-મનના ભાવોને “પરિચારેબાજુથી “તિ’ જાણવું તે મનઃ પર્યયજ્ઞાન.
(૩) માંસિ પતિ પરિ + રૂ ની વૃદ્ધિ માય થાય તેથી મનના પર્યાયો-ધર્મોને જાણવા તે, આ રીતે શબ્દ પ્રમાણે ત્રણ વ્યાખ્યા છે.
સારાંશ - અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણામ પામેલાં મનના ભાવોને આત્મસાક્ષાત્ વિશેષ ધર્મ સહીત જાણવા.
તે મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે. (૧) ઋજુમતિ મન:પર્યવજ્ઞાન (૨) વિપુલમતિ મન:પર્યવજ્ઞાન, તેનો અર્થ આ પ્રમાણે –
(૧) ઋજુમતિમ પર્યવજ્ઞાન : અઢી દ્વીપમાં રહેલાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણામ પામેલા મનના ભાવોને કેટલાક (થોડા) ધર્મસહિત જાણવા.
(૨) વિપુલમતિ મન:પર્યવજ્ઞાન : અઢી દ્વીપમાં રહેલાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણામ પામેલ મનના ભાવોને વિશેષ (ઘણા) ધર્મસહિત જાણવા તે.
પ્રશ્ન : ઋજુમતિ અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાનમાં તફાવત શું?
Page #72
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનનું વર્ણન
૪૯
જવાબ : તે બન્નેમાં બે બાબતમાં તફાવત છે. (૧) વિશુદ્ધિની અપેક્ષાએ (૨) અપ્રતિપાતિપણાની અપેક્ષાએ
(૧) વિશુદ્ધિ : ઋજુમતિ મનના ભાવોને અવિશુદ્ધપણે જાણે એટલે બહુ નિર્મળતાથી ચોક્કસપણે ન જાણે.
(૧) અપ્રતિપાતિ વિપુલમતિ મનના ભાવોને વિશુદ્ધપણે નિર્મળતાથી-ચોક્કસપણે જાણે.
(૨) ઋજુમતિ : આવેલ ચાલ્યું પણ જાય, ભવપર્યત રહે એવું નહીં. પ્રતિપાતિ છે.
(૨) વિપુલમતિ ભવપર્યત અથવા કેવલજ્ઞાન થાય ત્યાં સુધી રહે તેથી તે અપ્રતિપાતિ છે.
મન:પર્યવજ્ઞાન અપ્રમત્ત સંયમીને જ થાય અને તે પણ કેટલાક સંયમીને જ થાય, બધાને થાય તેવો નિયમ નથી. તીર્થંકર પરમાત્મા કરેમિ સામાઈય” એમ વ્રત ઉચ્ચરે તે વખતે થાય. એટલે દ્રવ્ય અને ભાવ બન્ને સંયમ હોય તેવા કેટલાક સંયમીને થાય. અપ્રમત્ત અવસ્થામાં થયા પછી પ્રમત્ત સંયત અવસ્થા પામે તો પણ રહે.
તેથી માત્ર દ્રવ્ય સંયમ હોય, સંયમના ગુણસ્થાનકને ન પામેલ હોય એટલે ભાવ સંયમ ન હોય તેવા આત્માને પણ ન થાય અને કોઈ આત્મા પરિણામથી-ભાવથી સંયમી હોય, પરંતુ સંયમવેશને ન પ્રાપ્ત કરેલ હોય તેમને પણ ન થાય.
હવે દ્રવ્યાદિથી વિચારણા કરવામાં આવે છે.
દ્રવ્ય : ઋજુમતિ અઢી દ્વીપના સંશી જીવોના મન રૂપે પરિણામ પામેલ અનંતાનંત પ્રદેશવાળા સ્કંધોને જાણે.
વિપુલમતિ વિશેષ અધિક તે સ્કંધોને વિશુદ્ધપણે સ્પષ્ટપણે જાણે.
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ ક્ષેત્ર : અઢી દ્વીપ એટલે અધોલોકમાં અધોગ્રામ સુધી, ઉર્ધ્વમાં જ્યોતિષચક્રના તલ સુધી અને તીર્જી-અર્ધા પુષ્પરાવર્ત સુધીના દ્વીપ સમુદ્રોમાં રહેલાં સંજ્ઞી પંચે.ના મનરૂપે પરિણામ પામેલા ભાવોને ઋજુમતિ જાણે અને વિપુલમતિ તે જ ક્ષેત્રથી અઢી અંગુલ અધિક જાણે અને વિશુદ્ધપણે જાણે. (જુઓ લોકપ્રકાશ સર્ગ-૩ શ્લોક ૯૩૦)
કોઈ જગ્યાએ ઋજુમતિ અઢી અંગુલ ન્યુન અઢી કીપ જુએ. વિપુલમતિ સંપૂર્ણ અઢીદ્વીપ જાણે. (પ્રવચન સારોદ્ધાર તથા ઔપપાતિકવૃત્તિ)
કાળ : પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં થનારા મન વડે ચિંતવેલા મનોગત ભાવોને ઋજુમતિ જાણે અને વિપુલમતિ તે ભાવોને વિશુદ્ધપણે જાણે.
ભાવ : મનરૂપે પરિણામ પામેલ મનોદ્રવ્યના અનંતા ભાવોને ઋજુમતિ અસ્પષ્ટપણે જાણે અને વિપુલમતિ તે મનના ભાવોને વિશુદ્ધપણે જાણે.
મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાન છદ્મસ્થ જીવોને હોય. તેમાં મન:પર્યવજ્ઞાન ૬ ગુણ. થી ૧૨ ગુણ. સુધી હોય અને મતિ આદિ ત્રણ જ્ઞાન ૧લા થી ૧૨ ગુણ. સુધી હોય.
તેમાં પણ મતિ આદિ ત્રણ અજ્ઞાન ૧ થી ૩ ગુણ સુધી અને ત્રણ જ્ઞાન ચોથા ગુણ. થી ૧૨ ગુણ. સુધી હોય.
પ્રશ્ન : અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન અને પ્રત્યક્ષ છે. તો બન્નેમાં શું તફાવત ?
જવાબ : તત્ત્વાર્થ સૂત્રમાં ચાર બાબતમાં તફાવત કહેલ છે. તે આ પ્રમાણે -
(૧) વિશુદ્ધિ : અવધિજ્ઞાની સર્વરૂપી દ્રવ્યોને જાણવા છતાં
Page #74
--------------------------------------------------------------------------
________________
મન:પર્યવજ્ઞાનનું વર્ણન
૫૧ મન:પર્યવજ્ઞાનની જેમ વિશુદ્ધપણે જાણતો નથી, સ્પષ્ટપણે જાણતો નથી અને તે અપેક્ષાએ મન:પર્યવજ્ઞાની મનરૂપે પરિણામ પામેલ મનોવર્ગણાને વધારે વિશુદ્ધપણે જાણે છે.
(૨) ક્ષેત્ર : અવધિજ્ઞાનીને લોક અને અલોકમાં પણ અસંખ્ય ખંડુક જોવાની શક્તિ છે, જ્યારે મન:પર્યવજ્ઞાની માત્ર અઢીદ્વીપના જ સંજ્ઞી પંચે ના મનોભાવને જાણે.
(૩) સ્વામી : અવધિજ્ઞાનના સ્વામી ચારે ગતિના લબ્ધિ ૫૦ સંજ્ઞી જીવો છે. એટલે અસંજ્ઞીને ન થાય અને મન:પર્યવજ્ઞાનના સ્વામી કેટલાક સંયમી આત્માઓ જ છે.
(૪) વિષય : અવધિજ્ઞાનનો વિષય સર્વરૂપી દ્રવ્યોનો છે. ઉત્કૃષ્ટથી સર્વ પુદ્ગલરૂપ રૂપી પદાર્થોને જાણે, જ્યારે મન:પર્યવજ્ઞાની અઢીદ્વિીપમાં રહેલ હોય તેવા સંજ્ઞી પંચે. ના મન રૂપે પરિણામ પામેલ એવા મનોવણાના પુલોને જોઈ શકે.
પ્રશ્ન : અવધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાનનો વિષય ઓછો છે છતાં તેનો નંબર ચઢીયાતો કેમ ?
જવાબ : જો કે મન:પર્યવજ્ઞાનનો વિષય ઓછો છે છતાં વિશુદ્ધિની અપેક્ષાએ અને સ્વામીની અપેક્ષાએ તે ચઢીયાતું છે.
એટલે અવધિજ્ઞાનથી સર્વરૂપી દ્રવ્યોને જોવા છતાં મન:પર્યવજ્ઞાની મનોવણા અને તે પણ મનરૂપે પરિણામ પામેલી જુએ છે છતાં વધારે વિશુદ્ધપણે અને ચોક્કસપણે જાણે છે.
જેમ હાઈસ્કૂલનો ટીચર આઠે વિષયને ભણાવે છે અને કોલેજનો પ્રોફેસર એક વિષયને જ સમજાવે તો પણ તે પોતાના વિષયમાં ઘણો નિપુણ હોવાથી તેનું ગ્રેડેસન ઊંચું ગણાય છે તેમ
સ્વામીની અપેક્ષાએ પણ અવધિજ્ઞાન ન હોય તો પણ નરકાદિને પણ ઉત્પન્ન થતાં જ થાય છે, જ્યારે મન:પર્યવજ્ઞાન અતિ વિશુદ્ધિવાળા
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
કેટલાક સંયમીને જ થાય. આ રીતે સ્વામીની અપેક્ષાએ પણ ઉંચા અધ્યવસાયવાળાને જ થાય. તેથી પણ ચડીયાતું છે. માટે મન:પર્યવ જ્ઞાનનો ક્રમ ઉપર બતાવ્યો છે.
કેવલજ્ઞાન : એક સમયમાં જગતના સર્વદ્રવ્યો (છએ દ્રવ્યો) ના ત્રણે કાળના સર્વ પર્યાયનું સંપૂર્ણ જ્ઞાન તે.
જેમ પ્રદર્શન હોલમાં અથવા લાઈબ્રેરી હોલમાં ગયેલાને સામે રહેલા સર્વ પદાર્થો એક સાથે દેખાય, તેમ જગતના સર્વ દ્રવ્યના સર્વ ભાવો એકી સાથે દેખાય-જણાય. છતાં સામે રહેલા સર્વ પદાર્થો દેખાવા છતાં વર્ણન અનુક્રમે કરી શકાય. કારણ કે “વાળી ક્રમાનુસારણી” ના ન્યાયે કેવલી ભગવાન પણ કેટલાક અભિલાખ ભાવોનું વર્ણન કરે.
વળી કેવલજ્ઞાનથી જોય ભાવો અનંતા છે. તેમાંના કેટલાંક ભાવો એવા છે જે કેવલજ્ઞાનથી જાણી શકાય, પરંતુ જગતમાં ઉપમારહિત હોવાથી તેનું વર્ણન કરે નહિ તે અનભિલાપ્ય ભાવો કહેવાય.
જેમ ગોળ અને ખાંડની મિઠાશ સમજી શકાય છે. કંઈક ભિન્ન છે છતાં કહી શકાતી નથી. તેમ પદાર્થના અભિલાપ્ય અને અનભિલાખ એમ બે પ્રકારના ભાવો-શૈય ભાવો અનંતા છે. તેમાં અભિલાપ્યભાવો કરતાં અનભિલાપ્યભાવો અનંતગુણા છે. તે અભિલાપ્ય કહી શકાય તેવા પણ અનંતા છે. તેનો અનંતમો ભાગ જ કેવલી ભગવાન કહે છે.
કેવલજ્ઞાનનાં પર્યાયવાચી નામ અને તેનો અર્થ આ પ્રમાણે છે.
(૧) શુદ્ધઃ સર્વ આવરણ ચાલ્યા જવાથી જરાપણ મલિનતા નથી તેથી શુદ્ધ.
(૨) સકલ : એકી સાથે પૂર્ણ જ્ઞાન ઉત્પન્ન થાય છે એટલે પ્રથમ થોડું થાય અને ધીમે ધીમે વધતું જાય એવું નથી તેથી સકલ.
(૩) અસાધારણ ? જગતમાં ઉપમા રહિત એટલે તેના સમાન બીજું કોઈ જ્ઞાન નથી માટે અસાધારણ.
Page #76
--------------------------------------------------------------------------
________________
કેવલજ્ઞાનનું વર્ણન
પ૩ (૪) અનંત : કેવલજ્ઞાનથી જોય ભાવો અનંતા છે. તેમજ અપર્યવસિત અનંતકાળ રહેનારું છે માટે. એટલે અંત વિના અનંતકાળ રહેનારું છે.
(૫) નિર્વાઘાત : લોક-અલોકના પદાર્થોનું જ્ઞાન કરવામાં કોઈ પદાર્થ વ્યાઘાત-સ્મલના કરી શકતું નથી. '
(૬) એક : કેવલજ્ઞાન હોય ત્યારે બીજા છાપસ્થિક જ્ઞાન તેમાં અત્તભૂત થાય છે. એટલે તે હોય ત્યારે બીજા જ્ઞાન ન હોય માટે એક.
કેટલાકના મતે - મતિ આદિ જ્ઞાનો હોવા છતાં વિવક્ષા કરી નથી. જેમ સૂર્યના પ્રકાશમાં ગ્રહ-નક્ષત્ર-તારા અને ચંદ્રનો પ્રકાશ અન્તભૂત થાય છે તેથી હોવા છતાં દિવસે નથી એમ કહેવાય છે. તેમ મતિ આદિ આંશિક જ્ઞાનો નિરુપયોગી હોવાથી હોવા છતાં નથી એમ કહેવાય છે.
કહ્યું છે કે, अन्ने आभिणिबोहियणाणाईणि जिणस्स विजंति । अफलानि य सूरुदए जहेव नक्खत्तन्तमाईणि ।।
(૧) આત્માનો જ્ઞાનગુણ એક છે. તેના ઉપર આવરણ આવવા છતાં ખુલ્લાં રહેલા અંશરૂપ જ્ઞાનને મતિ આદિ નામ આપવામાં આવ્યા છે. આવરણ ચાલ્યા જવાથી આંશિક જ્ઞાન મૂળ જ્ઞાનમાં ભળી જાય છે. તેથી ભિન્ન રહેતાં નથી માટે કેવલજ્ઞાન હોય તો મતિ આદિ જ્ઞાનો હોય નહીં. માટે કેટલાક કહેવાય છે.
(૨) બાર ગુણ. સુધી આવરણ કર્મનો ક્ષયોપશમ થાય એટલે આંશિક જ્ઞાનો ક્ષયોપશમના અનુસારે હોય.
હવે પાંચ જ્ઞાનાવરણ કર્મ ૧૨મા ગુણ. ના અંતે ક્ષય થાય તેથી ૧૩માં ગુણ૦માં પાંચ જ્ઞાન પરિપૂર્ણ થાય. પરંતુ કેવલજ્ઞાન રૂપી સૂર્યના પ્રકાશમાં અંતભૂત થવાથી ઉપયોગી ન હોવાથી પાંચ જ્ઞાન હોવા છતાં
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
-
-
વિવક્ષા કરવામાં આવેલ નથી. જેમ દિવસે સૂર્યના પ્રકાશમાં અમાસના દિવસે ચંદ્ર-નક્ષત્ર-ગ્રહ-તારાદિનો પ્રકાશ હોવા છતાં ઉપયોગી ન હોવાથી વિવક્ષા થતી નથી તેમ અહીં જાણવું.
આ રીતે પાંચ જ્ઞાનનું વર્ણન કર્યું. એક જીવને (શક્તિની) લબ્ધિની અપેક્ષાએ એકી સાથે એક, બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય.
એક જ્ઞાન : કેવલજ્ઞાન અથવા મતિજ્ઞાન
અહીં સાંભળવા વડે જ્ઞાન થાય તે શ્રુત અથવા શાસ્ત્રોનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન એ અર્થ પ્રમાણે એકેન્દ્રિયાદિમાં શ્રોતેન્દ્રિય ન હોવાથી શ્રુત ન હોય. એક મતિજ્ઞાનની વિવક્ષા કરી છે. એટલે એકલું મતિજ્ઞાન વિવક્ષાથી જાણવું. પરંતુ નર્થી મના તી સુચનાનું, નસ્થ સુચના તલ્થ મરૂના એ શાસ્ત્રપાઠના નિયમથી એકલું મતિજ્ઞાન ન હોય.
બે જ્ઞાન : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એમ બે જ્ઞાન અથવા બે અજ્ઞાન પણ હોય.
ત્રણ જ્ઞાન : મતિ-શ્રુત-અવધિજ્ઞાન અથવા મતિ અજ્ઞાનશ્રુતઅજ્ઞાન-વિર્ભાગજ્ઞાન અથવા મતિ-શ્રુતજ્ઞાન-મન:પર્યવજ્ઞાન એમ ત્રણ રીતે ત્રણ જ્ઞાન હોય.
એટલે અવધિજ્ઞાન ન હોય અને મન:પર્યવજ્ઞાન થાય તેવું પણ બને, તેથી આ ત્રણ પણ હોય.
ચાર જ્ઞાન : મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવજ્ઞાન એમ ચાર હોય. ચાર જ્ઞાન મનુષ્યમાં જ હોય.
તેમજ પાંચ જ્ઞાન સાથે હોય નહીં. તત્વાર્થમાં કહ્યું છે કે - एकादीनि भाज्यानि युगपदेकस्मिन्ना चतुर्थ्यः (१-३१) એક જીવમાં-એક વિગેરે ચાર સુધીનાં જ્ઞાન ભજનાએ હોય.
Page #78
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાવરણીયનું વર્ણન
વિશેષોપયોગે કૃપાની :
પરોક્ષ
પ્રત્યક્ષ
મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યવ કેવલજ્ઞાન ૨૮ ૧૪ ૬
૨
૧ કુલ જ્ઞાનના પ૧ ભેદ છે.
જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મનું વર્ણન एसिं जं आवरणं, पडुव्व चक्खुस्स तं तयावरणं । दंसण चउ पण निद्दा, वित्तिसमं दंसणावरणं ॥ ९ ॥
શબ્દાર્થ : કિં = એ પાંચ જ્ઞાનોનું, પડુત્ર = પાટા જેવું, પણ = પાંચ, વિત્તિ = દ્વારપાળ.
ગાથાર્થ આ પાંચ જ્ઞાનોનું આવરણ કરનાર કર્મ તે જ્ઞાનાવરણ કર્મ છે. તે ચક્ષુના પાટા જેવું છે. ચાર દર્શનાવરણ અને પાંચનિદ્રા એમ દ્વારપાળ-પોળીયા જેવું દર્શનાવરણ કર્મ છે. / ૯ /
વિવેચન : જ્ઞાનના પાંચ ભેદ છે. તેથી તેને આચ્છાદન કરનાર કર્મ પણ પાંચ પ્રકારે છે.
(૧) મતિજ્ઞાનાવરણીય કર્મ પાંચ ઈન્દ્રિય અને મનની સહાય દ્વારા મર્યાદામાં રહેલાં રૂપી પદાર્થના થતા વિશેષ બોધને રોકે, ચાર પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન ન થવા દે, જોયેલું-સાંભળેલું-અનુભવેલું ભૂલી જાય કે કિંચિત્ પણ યાદ ન રહે તે, એટલે મતિજ્ઞાનને આવરે તે. અર્થાત્ મંદ-તીવ્ર-ગાઢ વિગેરે આવરણ પ્રમાણે જ્ઞાનગુણ અવરાય. શેષગુણ લયોપશમથી ખુલ્લો રહે.
Page #79
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ (૨) શ્રુતજ્ઞાનાવરણીય કર્મ : પાંચ ઈન્દ્રિય અને મનની સહાય વડે શબ્દ પરથી અર્થનો અને અર્થ પરથી શબ્દના થતા વિશેષ બોધને રોકે, ભણવું ન ગમે, ભણેલું ભૂલી જાય, ભણાવતાં ન આવડે તે, ગોખવા છતાં યાદ ન રહે, બીજા વડે સમજાવતા છતાં પદાર્થો સમજાય નહીં તે એટલે તે શ્રુતજ્ઞાનને આવરે તે શ્રુતજ્ઞાનાવરણીય.
(૩) અવધિજ્ઞાનાવરણીય કર્મ : પાંચ ઈન્દ્રિયો અને મનની સહાય વિના ચૌદ રાજલોક અથવા તેના અંશરૂપ-મર્યાદામાં રહેલાં રૂપી પદાર્થોના આત્મસાક્ષાત્ વિશેષ બોધને ન થવા દે તે એટલે અવધિજ્ઞાનને આવરે તે અવધિજ્ઞાનાવરણીય.
(૪) મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મ અઢી લીપમાં રહેલા સંશી પંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણામ પામેલાં મનોવર્ગણાના પુદ્ગલોના વિશેષ પર્યાયો તે આત્મસાક્ષાતુ. જાણી ન શકે તે એટલે મન:પર્યવજ્ઞાનને આવરે તે મન:પર્યવજ્ઞાનાવરણીય.
(૫) કેવળજ્ઞાનાવરણીય કર્મ: એક સમયમાં સર્વ લોકાલોકના, સર્વ દ્રવ્યોના ત્રણે કાળના સર્વ પર્યાયોને જે કર્મના ઉદયથી જીવ એકીસાથે જાણી ન શકે તે એટલે કેવળજ્ઞાનને આવરે તે કેવળજ્ઞાનાવરણીય.
આમ પાંચ પ્રકારે જ્ઞાનાવરણીયકર્મ છે અને તે ચક્ષુ ઉપર બાંધેલા પાટા જેવું છે. જેમ નિર્મળ આંખ દૂરની વસ્તુ સારી રીતે જોઈ શકે છે પણ આંખ ઉપર પતલા પડવાળો પાટો લગાવેલ હોય તો કેટલુંક જોઈ શકે અને કેટલુંક નહીં અને જાડા પડવાળો પાટો હોય તો કંઈક જોઈ શકે અને ગાઢ પાટો હોય તો જરાક જોઈ શકે. તેમ જ્ઞાનાવરણીકર્મનો જેટલો ક્ષયોપશમ વધારે તેટલું જ્ઞાન વધારે અને જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ ઓછો તેટલું જ્ઞાન ઓછું થાય છે. આમ જ્ઞાનને આવરણ કરનાર કર્મનો સ્વભાવ આંખે બાંધેલા પાટા જેવો કહ્યો છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
દર્શનાવરણીયકર્મ
પ૭
જ્ઞાન શબ્દ જ્ઞા ધાતુ પરથી બનેલો છે. જ્ઞા = જાણવું. જ્ઞા + મન (ન) ભાવવાચક પ્રત્યય. જાણવું તે જ્ઞાન.
सरउग्गयससिनिम्मलतरस्स जीवस्स छायणं जमिह નાણાવર નં પડવમં દોડું પર્વ તુ (બૃહત્કર્મવિપાક ગા. ૧૦) દર્શનાવરણીય કર્મ :
દર્શન એટલે પદાર્થનો સામાન્ય બોધ.. દર્શન એટલે જોવું, જાણવું. પાંચ ઈન્દ્રિયો અને મનની સહાય દ્વારા થતો પદાર્થનો સામાન્ય બોધ તે દર્શન. એને આવરણ કરનારું જે કર્મ તેને દર્શનાવરણીયકર્મ કહેવાય છે. તે ચાર દર્શનાવરણીય અને પાંચ નિંદ્રા એમ કુલ ૯ પ્રકારે છે.
દર્શનાવરણીય કર્મ દ્વારપાળ જેવું છે. જેમ બહારથી આવનારને રાજાના દર્શન કરવા છે પણ દ્વારપાળ જો અંદર ન જવા દે તો રાજાના દર્શન કરી શકતો નથી. તેમ આ કર્મ ઈન્દ્રિયોથી થતાં સામાન્ય બોધને આવરે, બોધ ન થવા દે.
દર્શન શબ્દ દસ્ ધાતુ પરથી બનેલો છે. દસ્ એટલે જોવું-દેખવું. ટૂલ્સ + મન (મન) = હર્શન = જોવું તે - જાણવું તે. બૃહત્કર્મવિપાકમાં કહ્યું છે કે –
दसणसीले जीवे दंसणघायं करेइ जं कम्म तं पडिहारसमाणं दंसणवरणं भवे कम्मं ।। १९ ।। બૃહ. દ્રવ્યસંગ્રહમાં પણ કહ્યું છે કે – जं सामन्नग्गहणं भावाणं, नेव कट्ट आगारं
अविसेसिउण अत्थे, दंसणमिय वुच्चए समये ।। ४३ ।। દર્શનાવરણીયકર્મના ભેદ : चक्खु-दिट्ठि-अचक्खु-सेसिंदिय-ओहि-केवलेहिं य । दंसणमिह सामन्नं, तस्सावरणं तयं चउहा ।। १० ।।
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
= સામાન્ય બોધ,
=
શબ્દાર્થ : હ અહીં, ૬ = અને, સામનં તજ્ઞ = તેનું, વહા = ચાર પ્રકારે છે, તયં = તે કર્મ.
ગાથાર્થ : ચક્ષુ દ્વારા જોવું તે ચક્ષુદર્શન અને ચક્ષુ સિવાયની ઈન્દ્રિયો તથા મન વડે જાણવું તે અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એમ દર્શન ચાર પ્રકારે છે. અહીં દર્શન એટલે સામાન્ય બોધ. તેનું આચ્છાદન કરનારું કર્મ પણ ચાર પ્રકારે છે. ૧૦
વિવેચન : (૧) ચક્ષુદર્શનાવરણીયકર્મ દર્શન એટલે જોવું. સામાન્ય રીતે જાણવું. સામાન્ય બોધ. પદાર્થના સામાન્ય ધર્મને જાણવો. તેમાં ચક્ષુરિન્દ્રિય દ્વારા થતો જે સામાન્ય બોધ તે ચક્ષુદર્શન. તેને આચ્છાદન કરનાર કર્મ તે ચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે.
દરેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ ધર્મો હોય છે. તેમાં વસ્તુનું સામાન્ય સ્વરૂપ જાણવું તે ‘દર્શન’ અને વસ્તુનું વિશેષ સ્વરૂપ જાણવું તે ‘જ્ઞાન' કહેવાય છે. વસ્તુનો સામાન્ય બોધ તે દર્શન અને વસ્તુનો વિશેષ બોધ તે ‘જ્ઞાન' છે.
પ્રશ્ન : ચક્ષુનું દર્શન જુદું કેમ બતાવ્યું અને ચક્ષુ સિવાયની ઈન્દ્રિયો દ્વારા થતા બોધને એક દર્શનમાં કેમ કહ્યું ?
જવાબ : ચક્ષુની પ્રધાનતા છે. જોવાનું કામ આંખ કરે છે. સામાન્ય રીતે પદાર્થને જોવું એટલે જાણવું. તે ચક્ષુ દ્વારા થાય છે. માટે તેનું દર્શન જુદું કહ્યું. બહુ વિસ્તાર ન થાય, માટે બાકીની ઈન્દ્રિયોનું દર્શન એક કહ્યું.
છદ્મસ્થને પ્રથમ અંતર્મુહૂર્ત સામાન્યોપયોગ-દર્શન હોય અને પછી અંતર્મુહૂર્ત વિશેષોપયોગ-જ્ઞાન હોય અને કેવલીને પ્રથમ સમયે વિશેષોપયોગ-કેવળજ્ઞાન પછીના સમયે સામાન્યોપયોગ-કેવળદર્શન હોય. કેવલીને સમયે સમયે ઉપયોગ બદલાય. છદ્મસ્થને અંતર્મુહૂર્ત-અંત. ઉપયોગ બદલાય.
Page #82
--------------------------------------------------------------------------
________________
દર્શનાવરણીયકર્મ
(૨) અચક્ષુદર્શનાવરણીય કર્મ :
ચક્ષુ સિવાયની ચાર ઈન્દ્રિય અને મન વડે પદાર્થોને સામાન્ય રીતે જાણવું તે અચક્ષુદર્શન. તેને આવરણ કરનારું જે કર્મ તે અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. આ કર્મના ઉદયથી જીવને બહેરાપણું, બોબડાપણું, ખોડખાંપણ, લકવો વગેરે થાય છે.
અચક્ષુદર્શનાવરણીય કર્મના જુદી જુદી ઈન્દ્રિયોની શક્તિના ફળની અપેક્ષાએ કુલ પાંચ ભેદ છે. પરંતુ તે સર્વ ભેદો અચક્ષુદર્શનાવરણીયમાં જ ગણ્યા છે.
(૧) સ્પર્શ અચક્ષુદર્શનાવરણીય કર્મ ઃ જીવને લકવો વિગેરે ચામડીના દર્દો થવાથી સ્પર્શેન્દ્રિય દ્વારા પદાર્થના ગુણો-શીત-ઉષ્ણ-ચીકણુંલુખ્ખ-હળવું-ભારે આદિનું જ્ઞાન સામાન્ય બોધ પણ મંદપણાને પામે તે
સ્પર્શ અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. . (૨) રસન અચક્ષુદર્શનાવરણીય કર્મ : આ કર્મના ઉદયથી જીવને રસના (જીભ) મળે નહિ અને મળે તો મંદ ક્ષયોપશમને કારણે મીઠું, ખાટું, તીખું આદિ સ્વાદ કરાવનારી રસશક્તિ અલ્પ પામે તેમજ સ્પષ્ટ ઉચ્ચાર ન કરી શકે વળી બોબડાપણું મળે તેને રસનઅચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય.
એકેન્દ્રિય જીવોને જીભ મળતી નથી. બેઈન્દ્રિયાદિ જીવોને જીભ મળે તો પણ ક્ષયોપશમાનુસાર રસનશક્તિ મળે છે.
(૩) ઘાણ અચક્ષુદર્શનાવરણીય કર્મ : આ કર્મના વિપાકથી જીવને નાક મળે નહિ અને ધ્રાણેન્દ્રિય (નાક) મળે તો સામાન્ય બોધરૂપ ગંધશક્તિ મંદ મળે. તેને ઘાણ અચક્ષુદર્શનાવરણીય કર્મ કહે છે.
એકેન્દ્રિય, બેઈન્દ્રિય જીવને ધ્રાણેન્દ્રિય હોય નહિ. તેઈન્દ્રિય જીવને
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ધ્રાણેન્દ્રિય છે તેથી ગંધ પારખવાનો ક્ષયોપશમ પામે છે. એટલે કીડી, મંકોડા, ગોળ-ખાંડને ધ્રાણેન્દ્રિય દ્વારા જાણી તે સ્થાન તરફ જાય છે. મચ્છર-માંકડ માણસના લોહીની ગંધથી તેની પાસે જાય છે.
ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય ન હોવાથી પ્રાણેન્દ્રિયની શક્તિ કંઈક તીવ્ર પણ મળે.
(૪) શ્રોત્ર અચક્ષુદર્શનાવરણીય કર્મ : જીવને કાન ન મળે અને કાન મળે તો પણ બહેરાપણું - ઓછું સંભળાય, તેથી શબ્દઅવાજનો સામાન્ય બોધ કરાવનારી શક્તિ મંદ-મંદતર થાય તેને શ્રોત્ર અચક્ષુદર્શનાવરણીય કર્મ કહે છે.
એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને કાન (શ્રોત્રેન્દ્રિય) મળતાં જ નથી અને પંચેન્દ્રિયને કર્ણ મળે છે તો ક્ષયોપશમ મંદ-ઉત્કટ મળે એટલે કે બહેરાપણું વિગેરે મળે.
(૫) મન અચક્ષુદર્શનાવરણીય કર્મ : આ કર્મથી જીવને મનશક્તિ મળતી નથી અને મળે છે તો સામાન્ય બોધ કરાવનારી વિચાર શક્તિ કુંઠિત થઈ જાય એટલે મંદ મળે તેને મન અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય.
એકેન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોને મન નથી મળતું. સંજ્ઞી જીવોને મન મળે તો મંદબુદ્ધિ અથવા મંદ વિચાર શક્તિ મળે અને ક્ષયોપશમ વધારે હોય તો તત્ત્વચિંતનાદિની સારી શક્તિ મળે.
આ રીતે અચક્ષુદર્શનાવરણીય કર્મના પાંચ પેટાભેદ છે. છતાં બહુ વિસ્તાર ન થાય તેથી તે પાંચ પ્રકારનો એક અચક્ષુદર્શનાવરણીયમાં સમાવેશ કર્યો છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
દર્શનાવરણીયકર્મ
(૩) અવધિદર્શનાવરણીય કર્મ :
પાંચ ઈન્દ્રિય અને મન વિના મર્યાદામાં રહેલા રૂપી દ્રવ્યોનો આત્મસાક્ષાત્કારે થતો સામાન્ય બોધ જે કર્મના ઉદયથી ન થાય તેને અવધિદર્શનાવરણીય કર્મ કહેવાય. અર્થાત્ આત્મસાક્ષાત્ રૂપી પદાર્થના સામાન્ય બોધને આવરે તે.
અહીં કર્મગ્રંથકાર અવિરત સમ્યગ્દષ્ટિગુણથી ક્ષયોપશમ હોઈ શકે એમ માને છે. એટલે અવધિજ્ઞાનીને જ અવધિદર્શનાવરણનો ક્ષયોપશમ હોય એમ માને છે.
સિદ્ધાંતકાર વિભંગજ્ઞાની મિથ્યાત્વીને પણ અવધિદર્શન હોય એમ માને છે એટલે ૧ થી ૧૨ ગુણ. સુધી હોય.
(૪) કેવળદર્શનાવરણીય કર્મ :
૬૧
એક સમયમાં ત્રણે લોકના ત્રણે કાળના સર્વ દ્રવ્યોના સર્વપર્યાયોના એકી સાથે થતા સામાન્ય અવબોધને અટકાવનાર કર્મને કેવળદર્શનાવરણીય કર્મ કહે છે.
આ કર્મનો ઉદય ૧ થી ૧૨ ગુણ. સુધી હોય.
દર્શનના ઉત્તરભેદનું યંત્ર
ઈન્દ્રિયદર્શન
ચક્ષુદર્શન
અચક્ષુદર્શન
અવધિદર્શન
કેવળદર્શન
સ્પર્શદર્શન રસનદર્શન પ્રાણદર્શન શ્રોત્રદર્શન મનોદર્શન
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
૨૩
આ પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયો છે તે આ પ્રમાણે -
વિષયનું ગ્રહણ - જાણવું તે ઉત્કૃષ્ટથી (૧) સ્પર્શેન્દ્રિયનો વિષય -૮ સ્પર્શને ઉત્કૃષ્ટથી ૯ યોજન દૂરથી (૨) રસનેન્દ્રિયનો વિષય - ૫ રસને ઉત્કૃષ્ટથી ૯ યોજન દૂરથી (૩) ઘ્રાણેન્દ્રિયનો વિષય – ૨ ગંધને ઉત્કૃષ્ટથી ૯ યોજન દૂરથી (૪) ચક્ષુરિન્દ્રિયનો વિષય-૫ વર્ણને અપ્રકાશિત એક લાખ યોજનથી (૫) શ્રોતેન્દ્રિયનો વિષય -૩ શબ્દને (સચિત, અચિત, મિશ્ર) ૧૨
યોજન દૂરથી આ વિષયોને બતાવેલ યોજન દૂરથી ઈન્દ્રિય દ્વારા બોધ કરવાની શક્તિ છે તેને આવર-મંદ કરે તે દર્શનાવરણીય કહેવાય. सुहपडिबोहा निद्दा, निहानिद्दा य दुक्खपडिबोहा । पयला ठिओवविट्ठस्स, पयलपयला उ चंकमओ ॥ ११ ॥
શબ્દાર્થ : કિમ = ઉભેલાને, ૩વદિ = બેઠેલા, ૩ = વળી, વંમો = ચાલતા.
ગાથાર્થ : સુખપૂર્વક જાગી શકાય તેવી અલ્પનિદ્રા હોય તે નિદ્રા, દુઃખે કરીને જાગૃત થાય તેવી ગાઢ નિદ્રા હોય તે નિદ્રા નિદ્રા, ઊભા રહેલાને કે બેઠેલાને જે નિદ્રા આવે તે પ્રચલા અને ચાલતાંને જે નિદ્રા આવે તે પ્રચલા પ્રચલા કહેવાય છે. ૧૧ /
વિવેચન : દર્શનાવરણીય કર્મ બે વિભાગમાં વહેંચાયેલું છે. (૧) દર્શનાવરણીય ચતુષ્ક (૨) નિદ્રાપંચક.
હવે અહીં નિદ્રાપંચકનું વર્ણન જણાવે છે.
(૧) નિદ્રા : ચૈતન્યને અસ્પષ્ટ કરે તે નિદ્રા. નિદ્રાંતિ કુત્સિતવં गच्छति चैतन्यं यासु ता निद्राः ।
Page #86
--------------------------------------------------------------------------
________________
દર્શનાવરણીયકર્મ-નિદ્રાપંચક
જે અવસ્થામાં ચૈતન્ય કુત્સિતપણાને-અસ્પષ્ટપણાને પામે તે નિદ્રા, ચપટી માત્રથી જાણી શકાય તેવી ઊંઘ તે નિદ્રા. જે નિદ્રા સુખપૂર્વક ત્યાગ કરી શકાય, સહેલાઈથી જાગી જવાય. તે અર્થાત્ નિદ્રા છોડતાં કષ્ટ ન લાગે તે.
(૨) નિદ્રા નિદ્રા : નિદ્રાત: ગતિશયિની યા નિદ્રા સા નિદ્રાનિદ્રા
(૧) જે કર્મના ઉદયથી જીવ ખૂબ જ મુશ્કેલીથી જાગી શકે એવી ગાઢ નિદ્રા આવે તે નિદ્રાનિદ્રા.
(૨) દુઃખપુર્વક છોડી શકાય તેવી નિદ્રા તે નિદ્રાનિદ્રા. (૩) નિદ્રાથી જે અતિશય ચડીયાતી ઉંઘ તે નિદ્રા-નિદ્રા. (૪) ઢંઢોળવા માત્રથી જાણી શકાય તેવી ગાઢ નિદ્રા. (૩) પ્રચલા : પ્રવતિ-વિધૂતે યાં વાપીવાય સી
(૧) જે જીવને બેઠાં બેઠાં કે ઊભા ઊભા પણ નિદ્રા આવે તે નિદ્રાને પ્રચલા દર્શનાવરણીય કર્મ કહેવાય છે.
(૨) પ્રવતિ સ્વીપાવસ્થાયાં – જે નિદ્રાવસ્થામાં ચાલે-ધૂણે-ડોલેબેઠાં બેઠાં ડોલાં-ઝોકાં આવે છે.
(૪) પ્રચલાપ્રચલા ઃ જે કર્મના ઉદયથી જીવને ચાલતાં ચાલતાં પણ નિદ્રા આવે તે પ્રચલપ્રચલા દર્શનાવરણીય કર્મ કહેવાય છે.
આવી નિદ્રા ગાય, બળદ, પાડા, ઘોડા વગેરે પશુઓને વધુ સંભવે છે. કારણ કે જેઓ ગાડા વગેરેમાં જોડાયા છતાં ચાલતાં ચાલતાં નિદ્રા લે છે. સાંભળવા પ્રમાણે એક પૂ. સાધ્વીજી મ. વિહારમાં બીજા સાધ્વીજી અથવા બહેન પકડીને ચાલે તો ચાલતા ચાલતા રસ્તામાં પણ ઊંધે.
प्रचलातः अतिशायिनी या सा प्रचलाप्रचला
પ્રશ્ન : નિદ્રા-નિદ્રાનિદ્રા આદિના ઉદયમાં જીવની જ્ઞાનશક્તિ અને દર્શનશક્તિ બને અવરાય છે. તો નિદ્રા-૫ જ્ઞાનાવરણીય કેમ ન કહેવાય, દર્શનાવરણીય કેમ કહેવાય ?
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ જવાબ : છદ્મસ્થ જીવોને પ્રથમ દર્શનોપયોગ હોય પછી જ્ઞાનોપયોગ થાય તેથી નિદ્રાનો ઉદય આવે ત્યારે પ્રથમ દર્શનશક્તિ અવરાઈ જાય છે તેથી દર્શનાવરણીય કહી.
પ્રશ્ન : નિદ્રા વિગેરેથી દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલ દેશ દર્શનગુણ હણાય છે. છતાં પાંચમાં કર્મગ્રંથમાં સર્વઘાતી કેમ કહી ?
જવાબઃ જો કે નિદ્રાના ઉદયમાં (ક્ષયોપશમથી થયેલ) દેશગુણ ને આવરે છે. છતાં તે ગુણ સંપૂર્ણપણે અવરાય છે. માટે સર્વઘાતી કહી છે.
પ્રશ્ન : ચક્ષુઈન્દ્રિય વડે સામાન્યપણે જાણવું તે ચક્ષુદર્શન અને શેષ ઈન્દ્રિયો વડે સામાન્ય બોધ તે અચક્ષુદર્શન.
આમ ચક્ષુઈન્દ્રિયનું દર્શન જુદું કહ્યું અને બાકીની ઈન્દ્રિયોનું દર્શન એક જ કહ્યું આમ કેમ ?
એટલે કે બધી ઈન્દ્રિયોનું એક જ દર્શન કહેવું જોઈએ અથવા દરેક ઈન્દ્રિયનું દર્શન ભિન્ન ભિન્ન કહેવું જોઈએ.
જવાબ : પ્રશ્ન તમારો બરાબર છે, પરંતુ લોકમાં જોવાનું ચક્ષુ વડે થાય છે. દર્શન એટલે જોવું તેમાં ચક્ષુ મુખ્ય છે. તેથી તેનું દર્શન ભિન્ન કહ્યું અને વધારે વિસ્તાર ન થાય માટે બાકીની ઈન્દ્રિયોનું દર્શન એક કહ્યું. અહીં દર્શન-સામાન્ય બોધ.
પ્રશ્ન : મતિ-શ્રુત જ્ઞાન પૂર્વે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન હોય. અવધિજ્ઞાનીને પૂર્વે અવધિદર્શન થાય પછી અવધિજ્ઞાન થાય.
તો મન:પર્યવજ્ઞાનીને દર્શન કેમ નહીં. અર્થાત્ મન:પર્યવદર્શન કહેવું જોઈએ ને.
જવાબ : જો કે છદ્મસ્થને દર્શનપૂર્વક જ્ઞાન થાય છે. પરંતુ મન:પર્યવજ્ઞાનીને તેવા પ્રકારના ક્ષયોપશમની પટુતાથી પ્રથમથી જ
Page #88
--------------------------------------------------------------------------
________________
દર્શનાવરણીયકર્મ
૬૫
મનના ભાવો આત્મસાક્ષાત્ વિશેષ ધર્મસહિત જ જાણે છે. માટે તેનું દર્શન કહ્યું નથી.
વેદનીયકર્મનું વર્ણન :
વિન-ચિંતિઅર્થે રળી, સ્થિદ્ધિ, અ-વશી-અ-વતા । મહુ-તિજ્ઞ-ઘુળ-ધારા, ભિજ્ઞળ વ તુન્હાડ નેમળીમં ।। ૨ ।। અર્થ-કામ, દિવસે ચિંતવેલું, અસ્ત્ય =
શબ્દાર્થ : વિચિંતિ અદ્ધવલી = અર્ધચક્રવર્તીથી-વાસુદેવથી, અદ્મવત્તા = અડધા બળવાળી છે, મહુ મધથી, ત્તિત્ત - લેપાયેલી, લુહા બે પ્રકારે, હિળ ચાટવા જેવું
=
=
=
૫
ગાથાર્થ : દિવસે ચિંતવેલા કાર્યને ઉંઘમાં કરવાવાળી જે નિદ્રા તે થિણદ્ધિ છે. તે અર્ધ ચક્રવર્તી (વાસુદેવ) ના અડધા બળવાળી છે. મધથી લેપાયેલી તલવારની ધારને ચાટવા જેવું બે પ્રકારે વેદનીય કર્મ છે. ॥ ૧૨ ॥
=
વિવેચન : દિવસે કંઈક કરવાની ઈચ્છા થઈ અને શક્તિના અભાવે કરી શકે નહિ. તે વિચારોમાં-વિચારોમાં વર્તતો રાત્રે ઊંઘી જાય અને રાત્રે દિવસે વિચારેલ તે કાર્ય ઊંઘમાં-ઊંઘમાં રહેલો બેઠો થઈને ચાલવા માંડે અને તે કાર્ય કરવાનું બળ આવે તેથી તે કાર્ય કરે તેવી ગાઢ નિદ્રા તે થિણદ્ધિ નિદ્રા કહેવાય, થિણદ્ધિ અર્ધમાગધિ ભાષાનો શબ્દ છે. સંસ્કૃતમાં સ્ત્યાદ્ધિ, ત્યાનવૃદ્ધિ છે. તેનો અર્થ આ પ્રમાણે
स्त्यानर्धिः स्त्याना पिण्डीभूता, ऋद्धि-शक्तिः यस्याम् सा स्त्यानगृद्धि : → स्त्याना पिण्डीभूता, गृद्धि: - आसक्तिः यस्यां सा
==
એકઠી થયેલ છે આત્મિક શક્તિ જે નિદ્રમાં તે સ્થાનદ્ધિ એકઠી થયેલ છે કાર્યમાં આસક્તિ જે નિદ્રામાં તે. થિણદ્ધિ નિદ્રાના ઉદયમાં અનેક દ્રષ્ટાંતો છે. તેમાં -
Page #89
--------------------------------------------------------------------------
________________
६६
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
એક સાધુ મહાત્મા દિવસે ચંડીલ ભૂમિએ ગયા. રસ્તામાં હાથીએ તેમને હેરાન-પરેશાન કર્યા. તેથી હાથી ઉપર ચિત્તમાં ઠેષ પ્રવેશી ગયો, પરંતુ હાથી સામે લડી શકાય નહીં અને તે વિચાર રાત્રે નિદ્રામાં આવ્યો.
થિણદ્ધિ નિદ્રાના ઉદયમાં રાત્રે ઉપાશ્રયથી બહાર જઈ હાથી સાથે યુદ્ધ કર્યું, તેના દંતશૂળ તોડી નાંખ્યા અને ઊપાશ્રયમાં આવી સૂઈ ગયા. સવારે લોહી ખરડાયેલાં કપડાં જોઈ ગુરુએ પૂછતાં ખ્યાલ આવ્યો કે નિદ્રાના ગાઢ ઉદયમાં આ અકાર્ય કર્યું છે.
આ રીતે થિણદ્ધિના ઉદયમાં હાથી સામે યુદ્ધ કરવાનું બળ આવી ગયું તેમ જાણવું.
એક રજપૂત જ્ઞાતિના ભાઈએ જિનેશ્વર ભગવાનના ધર્મને પામી દીક્ષા લીધી. પૂર્વે તેમણે પાડા વિગેરેના માંસનો માંસાહાર કરેલ. એકવાર ચંડીલ ભૂમિએ જતાં એક રાષ્ટ-પુષ્ટ પાડાને જોયો. પૂર્વે કરેલ માંસાહાર યાદ આવ્યો અને રાત્રે ઉંઘમાં પાડાને જોવા માત્રથી થિણદ્ધિનો ઉદય આવ્યો. ઉપાશ્રયની બહાર જઈને પાડાને મારી, માંસના ટૂકડા ઉપાશ્રયના ધાબા ઉપર નાખી સૂઈ ગયા.
આ રીતે ગાઢ નિદ્રામાં અકાર્ય થઈ જાય. માટે થિણદ્ધિ નિદ્રાના ઉદયવાળા જીવને દીક્ષા આપવાને અયોગ્ય કહેલ છે.
સ્વાનગૃદ્ધિ આ નિદ્રામાં શારીરિક બળ અને તીવ્ર આસક્તિ એકઠી થઈને દુષ્કાર્ય કરાવે છે.
આ નિદ્રાના ઉદય વખતે જીવ જો પ્રથમ વજઋષભનારાચા સંઘયણવાળો હોય તો તેને અર્ધચક્રવર્તી (વાસુદેવ)ના બળ કરતાં અર્ધા બળવાળો થાય છે અને અન્ય સંઘયણવાળાને પણ વધુમાં વધુ સાતઆઠ ગણું બળ પ્રાપ્ત થાય છે. તે જીવ મરીને અવશ્ય નરકમાં જાય છે. એટલે થિણદ્ધિ નિદ્રામાં નરકનું આયુષ્ય બંધાય છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
૬૭
વેદનીયકર્મ
વેદનીય કર્મ :
સુખ, દુઃખ, ખેદ, આફ્લાદ-આનંદ આદિ રૂપે જે વેદાય તે વેદનીયકર્મ કહેવાય છે.
પ્રશ્ન : જોકે વેદાય તે વેદનીય એમ વ્યુત્પત્તિ કરીએ તો બધાં કર્મો જીવને વેદાય છે તો સુખ-દુઃખ આદિ રૂપે વેદાય તે વેદનીય એમ કેમ ?
જવાબ : જોકે દરેક કર્મ વેદાય-ભોગવાય છે. અહીં કર્મના ઉદયમાં સુખ-દુઃખ મુખ્ય હોવાથી રુઢ અર્થ તરીકે વેદનીય નામ આપેલ છે. જેમ પંકજ-કાદવમાં ઉત્પન્ન થાય છે. તેનો અર્થ હોવા છતાં કાદવમાં કીડા-ઘાસ વિગેરે ઘણું ઉત્પન્ન થાય છતાં અમુક પ્રકારના ફુલને જ પંકજ-કમળ કહેવાય. તેમ અહીં સમજવું.
વેદનીય કર્મ બે પ્રકારે છે : (૧) શાતા વેદનીય (૨) અશાતા વેદનીય.
(૧) શાતાવેદનીય કર્મ ઃ જેના ઉદયથી આરોગ્ય, વિષય, ઉપભોગ આદિથી ઉત્પન્ન થતાં આફ્લાદ (આનંદ) લક્ષણ સુખને વેદાય-ભોગવાય તેને શાતાવેદનીય કર્મ કહેવાય છે.
(૨) અશાતા વેદનીય કર્મ ઃ જેના ઉદયથી આરોગ્ય, વિષયઉપભોગ આદિની પ્રતિકૂળ સામગ્રી મળવાથી ઉત્પન્ન થતાં દુઃખનો અનુભવ કરાય તેને અશાતાવેદનીય કર્મ કહે છે.
વેદનીય કર્મનો સ્વભાવ મધથી લેપાયેલી તલવારની ધારને ચાટવા જેવું છે. જેમ મધથી લેપાયેલી તલવારની ધારને ચાટતાં સ્વાદ આવવાથી પ્રથમ સુખનો અનુભવ થાય છે અને પછી આસક્તિથી ઉપયોગ ન રહે તો જીભ કપાય છે ત્યારે દુઃખનો અનુભવ થાય છે. ઉપયોગ રહે તો જીભ ન કપાય તેમ વિષયો આદિ પદાર્થની અનુકૂળ
Page #91
--------------------------------------------------------------------------
________________
૬૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ સામગ્રી પ્રાપ્ત થતાં સુખનો અનુભવ થાય છે અને પદાર્થો આદિનો વિયોગ કે પ્રતિકૂળ સામગ્રીઓ મળવાથી દુઃખનો અનુભવ થાય છે.
અર્થાત્ સુખમાં આસક્તિ થવાથી અશાતા વેદનીય બંધાય જેથી પછી અશાતા બંધાયેલ ઉદયમાં આવે તેથી અશાતા આવે.
પરંતુ શ્રીપાળ મહારાજાની જેમ આસક્તિ ન થાય તો સતત સુખ પણ રહે, શાતા રહે અને સુખમાં આસક્તિ-તન્મયતા થાય તે અશાતા બંધાવાથી સતત અશાતા ઉદયમાં આવે. મોહનીયકર્મનું વર્ણન:
ओसन्नं सुरमणुए, सायमसायं तु तिरियनरएसु । मजं व मोहणीयं, दुविहं दंसणचरणमोहा ॥ १३ ॥ | શબ્દાર્થ ઃ મોસન્ન = ઘણું કરીને, મíવ = મદિરા જેવું, દુવિર્દ = બે પ્રકારે, વંસન = દર્શન મોહનીય
ગાથાર્થ દેવ અને મનુષ્યગતિને વિશે પ્રાયઃ કરીને શાતાનો અને તિર્યંચ તથા નરકગતિને વિશે ઘણું કરીને અશાતાનો ઉદય હોય છે. મદિરા જેવું મોહનીય કર્મ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એમ બે પ્રકારે છે. તે ૧૩ |
વિવેચન : દેવ અને મનુષ્યગતિમાં તત્કાયોગ્ય (ઘણું કરીને) શાતાવેદનીયનો ઉદય હોય છે. તેના કારણે સુખનો અનુભવ કરે છે. તિર્યંચ અને નરકગતિમાં (પ્રાયઃ) ત~ાયોગ્ય અશાતાવેદનીયનો ઉદય હોય છે. તેના કારણે દુઃખનો અનુભવ કરે છે.
અહીં પ્રાયઃ કહેવાનું કારણ દેવોમાં પણ કેટલાક દેવોને ચ્યવનાદિકાળે, દેવીના અપહરણકાળે, પરસ્પર લડાઈ તેમજ પરસ્પર અપહરણાદિ કાળે ઈર્ષા, લોભ આદિ દોષોના કારણે અશાતાનો ઉદય પણ હોય છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
મોહનીયકર્મ
૬૯
વળી મનુષ્યને પણ ચોથા વિગેરે આરામાં ગર્ભાવસ્થામાં, ઠંડી, ગરમી વગેરે પ્રતિકૂળ સંયોગોમાં, રોગાદિકષ્ટ તથા મરણ, ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ વખતે અશાતાનો ઉદય હોય છે.
તિર્યંચોમાં અશાતા હોવા છતાં કેટલાક પટ્ટહસ્તિ, અશ્વ, વિદેશી કુતરાં, પોપટાદિનું પાલન પોષણ સારી રીતે થતું હોવાથી ત~ાયોગ્ય શાતાનો ઉદય પણ હોય છે.
નારકોને જિનેશ્વર ભગવંતોના જન્માદિ કલ્યાણકાદિ પ્રસંગે શાતાનો ઉદય હોય છે.
દેવોને વધારે શાતા હોય, મનુષ્યને તે અપેક્ષાએ ઓછી શાતા હોય. નારકોને તીવ્ર અશાતા, તિર્યંચોને તે અપેક્ષાએ ઓછી અશાતા હોય છે.
મોહનીયકર્મ : હવે ચોથું મોહનીયકર્મ કહે છે. (૧) મુંઝવે – મોહતિ વત્ - આત્માને મુંઝવે. (૨) સદ્ (સારું), અસત્ (ખરાબ) ના વિવેકથી રહિત કરે.
(૩) શ્રદ્ધા અને આચરણમાં મુંઝવે એટલે સાચી શ્રદ્ધા અને સારું આચરણ ન કરવા દે તે.
બધા કર્મમાં મોહનીય કર્મ મુખ્ય છે. એ જાય તો બીજા કર્મ પણ ક્રમશઃ તરત જાય છે. તેથી તે કર્મને બરાબર જાણવું જોઈએ. અને તે જાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. માટે સ્વરૂપ બરાબર સમજવા જેવું છે.
મોહનીયના મુખ્ય ભેદ બે (૧) દર્શન મોહનીય (૨) ચારિત્ર મોહનીય.
Page #93
--------------------------------------------------------------------------
________________
9O
જીવકર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ દર્શનમોહનીય : (૧) દર્શન-યથાર્થપણે જોવું-જાણવું તેમાં મુંઝવે એટલે (૨) જીવાદિ નવતત્વની શ્રદ્ધામાં મુંઝવે. શ્રદ્ધા ન થાય.
(૩) જિનેશ્વર પરમાત્માના વચનોમાં શ્રદ્ધા ન થવા દે. અથવા આઠ તત્વની શ્રદ્ધા થાય પરંતુ મોક્ષતત્વની શ્રદ્ધા ન થાય.
(૪) જે પદાર્થ જે સ્વરૂપે હોય તે પદાર્થને તે સ્વરૂપે ન માનવા દે - શ્રદ્ધા ન થાય. દર્શનમોહનીયકર્મના ઉત્તરભેદ : दंसणमोहं तिविहं, सम्मं मीसं तहेव मिच्छत्तं । सुद्धं अद्धविसुद्धं, अविसुद्धं तं हवइ कमसो ॥ १३ ॥
શબ્દાર્થ ઃ તહેવ = તથા, વિશુદ્ધ = અશુદ્ધ, તંત્ર તે કર્મ, રુવ = હોય છે, મરી = અનુક્રમે.
ગાથાર્થ દર્શનમોહનીયકર્મ ત્રણ પ્રકારે છે. (૧) સમ્યકત્વમોહનીય, (૨) મિશ્રમોહનીય, (૩) મિથ્યાત્વમોહનીયકર્મ અનુક્રમે શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ પુંજરૂપે હોય છે. ૧૪
વિવેચન : દર્શનમોહનીયકર્મ ત્રણ પ્રકારે છે. શુદ્ધપુંજરૂપ સમ્યકત્વમોહનીય છે, અર્ધશુદ્ધપુંજરૂપ મિશ્રમોહનીય અને અશુદ્ધપુંજરૂપ તે મિથ્યાત્વમોહનીય છે.
(૧) સમ્યક્વમોહનીય ઃ સમ્યકત્વમાં મુંઝવે, સમ્યકત્વને-શ્રદ્ધા પ્રગટ થવા દે પણ તેમાં શંકા વિગેરે અતિચારો ઉત્પન્ન થાય, તેથી પછી વિતિગિચ્છા આદિ દોષો પણ થાય એટલે આ સમ્યક્વમોહનીયના ઉદયથી સર્વજ્ઞના વચનોની શ્રદ્ધામાં શંકા આદિ અતિચાર થાય. આ દલિકો મિથ્યાત્વ સંબંધી હોવાથી સમ્યક્વમોહનીય એવું નામ છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
જીવનો વિકાસક્રમ
૭૧ (૨) મિશ્ર મોહનીય : મિશ્રભાવ વડે જે મુંઝવે. જિનેશ્વર ભગવંતના વચન ઉપર શ્રદ્ધા (રાગ) પણ ન થાય અને અશ્રદ્ધા દ્વષ) પણ ન થવા દે એવો સાચા-ખોટાનો અનિર્ણયાત્મક પરિણામ સ્વરૂપભાવ તે, આ મિશ્રમોહનીયનો ઉદય અંતર્મુહૂર્ત રહે. પછી મિથ્યાત્વ કે ક્ષાયો. સમ્યકત્વ પામે. આવો જે મિશ્રભાવ તેને મિશ્ર મોહનીય કર્મ કહે છે.
(૩) મિથ્યાત્વ મોહનીય ઃ જિનકથિક તત્ત્વોની શ્રદ્ધા ન થવા દે તે મિથ્યાત્વ મોહનીય.
(૧) પદ્રવ્યના જ્ઞાનના વિપરીતાણાવડે મુંઝવે. (૨) જે પદાર્થ જે સ્વરૂપે હોય તે રૂપે શ્રદ્ધા ન થવા દે.
(૩) જગત્ નવતત્ત્વરૂપ છે. તે નવતત્ત્વને ન માને - શ્રદ્ધા ન થાય. જગત જે સ્વરૂપે છે તે રૂપે જિનેશ્વર ભગવંતોએ બતાવેલ છે છતાં તે સર્વજ્ઞના વચનોનો વિશ્વાસ ન થાય.'
(૪) સર્વજ્ઞ ભગવંતો અત્યારે નથી તેથી તેમણે બતાવેલ જગતને જીવાદિતત્ત્વોને આગમ પ્રમાણે કહેનારા ગુરુભગવંતોના વચન ઉપર શ્રદ્ધા ન થાય - શ્રદ્ધા કરવામાં મુઝાય - શ્રદ્ધા ન કરે તે મિથ્યાત્વ મોહનીય કહેવાય.
જીવનો વિકાસક્રમ :
ભવ્ય જીવ-અનાદિ મિથ્યાત્વી જીવ સૂક્ષ્મનિગોદમાંથી બહાર નીકળી વ્યવહાર રાશિમાં આવે છે. ત્યાંથી આ જીવ ચરમાવર્તમાં પ્રવેશ કરે છે અને અનેકવાર યથાપ્રવૃત્તકરણ કરે છે. એમ પ્રયત્ન કરતાં કરતાં ચરમ યથાપ્રવૃત્તકરણ સુધી આ જીવ પહોંચી જાય છે.
(૧) યથાપ્રવૃત્તકરણ : અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં પૂર્વોક્ત પ્રકારના જીવને તથાભવ્યત્વના પરિપાકથી અનાયાસે સારા પરિણામ પ્રાપ્ત થાય તે યથાપ્રવૃત્તકરણ કહેવાય.
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
નદી પાષાણના ગોળઘોલ ન્યાયે સંસારમાં અનેક યાતનાઓને ભોગવતાં સહજ રીતે પરિણામની વિશુદ્ધિ થાય છે. તેને યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. ત્યાર પછી અપૂર્વકરણ કરે છે.
(૨) અપૂર્વકરણ : પૂર્વે ક્યારેય ન આવ્યો હોય તેવો અપૂર્વ વિશુદ્ધ અધ્યવસાય તે અપૂર્વકરણ કહેવાય છે.
આ અપૂર્વકરણમાં આસનભવી જીવ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, અપૂર્વ સ્થિતિબંધ કરે છે, ગ્રંથિભેદ કરે છે.
ગ્રંથિભેદ અપૂર્વકરણની વિશુદ્ધિથી ગ્રંથિભેદ થાય છે. ગ્રંથિ એટલે તીવ્ર એવો રાગ-દ્વેષ રૂપ પરિણામ. આ ગ્રંથિ ચિરકાળથી ઉત્પન્ન થયેલી, કઠણ વાંસના મૂળની જેમ દુર્ભેદ્ય હોય છે.
(૩) અનિવૃત્તિકરણઃ આ કરણમાં પ્રતિ (દરેક) સમયે ત્રિકાળવત જીવોના અધ્યવસાય પરસ્પર સરખા હોય, અ = નહિ, નિવૃત્તિકરણ = વિશુદ્ધિ-પરસ્પર અધ્યવસાયમાં ફેરફાર, (ન) હોય તે અનિવૃત્તિકરણ.
અનિવૃત્તિકરણની વિશુદ્ધિથી જીવ અંતરકરણ કરે છે.
અંતર એટલે વચમાં, કરણ-ખાલી કરવું. અંતર્મુહૂર્તની જગ્યાના દલિકોને ખાલી કરવા તે અંતરકરણ કહેવાય છે. આ ખાલી જગ્યામાં પ્રવેશ કરતાં જીવ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે.
સમ્યકત્વમોહનીય – સમ્યકત્વજીવાદિ તત્ત્વોની અથવા સર્વજ્ઞના વચનની યથાર્થ શ્રદ્ધા તે સમ્યકત્વ. તેમાં શ્રદ્ધામાં મુંઝવે, શ્રદ્ધામાં દોષ લગાડે, શંકા વિગેરે અતિચાર લગાડે તે. સમ્યકત્વનું વર્ણન: નીય-મનીય-પુu-પાવાડડસર્વ-સંવર-વંથ-મુક્ષ-નિઝર IT I ને સલ્ફર તયે, સામે વફા-વહુ-મે | 2 |
Page #96
--------------------------------------------------------------------------
________________
જીવનો વિકાસક્રમ
૭૩ | શબ્દાર્થ : નેvi = જેના વડે, સદ્દદરૃ = શ્રદ્ધા કરાય, તય = તે, રાઠું = ક્ષાયિકાદિ, વઘુમેગું = ઘણાં ભેદવાળું છે.
ગાથાર્થ ? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, મોક્ષ અને નિર્જરા આ નવ તત્ત્વોની જેના વડે શ્રદ્ધા કરાય તે સમ્યકત્વ ક્ષાયિકાદિ ઘણા ભેદવાળું છે. ૧૫
વિવેચન : જીવાદિ નવતત્વની ટૂંકી સમજ આ પ્રમાણેજીવ ઃ (૧) જે ચૈતન્ય લક્ષણયુક્ત હોય તે જીવ,
(૨) દ્રવ્ય અને ભાવ પ્રાણોને ધારણ કરે તે જીવ,
(૩) જે જીવે તે જીવ, નીતિ તિ ની અજીવ : (૧) જે ચૈતન્ય રહીત તે અજીવ,
(૨) જે પ્રાણોને ધારણ ન કરે તે અજીવ,
(૩) જીવથી વિપરીત હોય તે અજીવ. પુણ્ય : (૧) જીવને જે કર્મના ઉદયથી અનુકૂળ સાધન મળે તે પુણ્ય,
(૨) જિનપૂજા આદિ પુણ્યની ક્રિયા તે પુણ્ય, (૩) શુભકર્મનો બંધ તે પુણ્ય,
(૪) શુભ અધ્યવસાય – પરિણામ તે પુણ્ય. પાપ : (૧) જીવને જે કર્મના ઉદયથી પ્રતિકૂળ સામગ્રી મળે તે પાપ,
(૨) હિંસા-ચોરી આદિ પાપની ક્રિયા તે, (૩) અશુભ કર્મનો બંધ તે પાપ.
(૪) અશુભ પરિણામ-અધ્યવસાય તે પાપ. આશ્રવ ઃ (૧) શુભાશુભ કર્મનું આવવું તે,
(૨) શુભાશુભ કર્મ આવવામાં કારણભૂત ઈન્દ્રિય-કષાય
અવતયોગ-ક્રિયાઓ તે આશ્રવ. (૩) શુભાશુભ કર્મને આવવામાં કારણભૂત હિંસાદિરૂપ જીવનો
આશ્રવનો પરિણામ તે.
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ સંવર : (૧) આવતા શુભાશુભ કર્મોને રોકવા તે સંવર કહેવાય છે.
(૨) શુભાશુભ કર્મને રોકવામાં કારણભૂત સમિતિ-ગુપ્તિ
પરિષદસહન આદિ ક્રિયા-પ્રવૃત્તિ તે.
(૩) હિંસાદિ ન થાય તેવો ઉપયોગરૂપ સંવરનો પરિણામ છે. બંધ : (૧) કાર્મણ વર્ગણાનો આત્મપ્રદેશો સાથે ક્ષીરનીરવતુ-દૂધ
પાણીની જેમ એકાકાર સંબંધ (૨) કાર્મણ વર્ગણાનો આત્માની સાથે એકાકાર થવામાં
કારણભૂત રાગાદિ પરિણામ. નિર્જરા : (૧) કર્મોનું આત્મામાંથી છૂટાં પડવું તે.
(૨) કર્મોનું આત્માથી છૂટા થવાના કારણભૂત અનશનાદિ
તથા પ્રાયશ્ચિતાદિ તપશ્ચર્યા તે.
(૩) નિર્જરાના કારણભૂત ત્યાગ અને પશ્ચાતાપાદિ રૂપ પરિણામ. મોક્ષ : (૧) સર્વ કર્મોનો ક્ષય,
(૨) સર્વ સંવરભાવ તે મોક્ષ. સમ્યકત્વ :
આ નવ તત્ત્વો પરની જે શ્રદ્ધા એટલે જે તત્ત્વો જે સ્વરૂપમાં છે તે સ્વરૂપમાં માનવાં તેને સમ્યકત્વ કહેવાય છે. જિનેશ્વર ભગવંતોએ જગતનું જ સ્વરૂપ કહ્યું છે તે જ સ્વરૂપે સ્વીકારવું કારણ કે તેઓ સર્વજ્ઞ હતા. રાગદ્વેષ રહિત હતા. તેથી તેમના કહેલા વચન ઉપર શ્રદ્ધા કરવાની હોય. એમાં અંશમાત્ર પણ શંકા ન કરવી તે સમ્યકત્વ કહેવાય છે. સમ્યક્ત્વના ક્ષાયિકસમ્યકત્વ, ક્ષયોપશમસમ્યકત્વ, ઉપશમસમ્યકત્વ, સાસ્વાદન, મિશ્ર, વેદક આદિ ભેદો છે.
(૧) ક્ષાયિક સમ્યત્વ : અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શનમોહનીયત્રિક (દર્શનસપ્તક)નો
Page #98
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વમોહનીયકર્મ
૭૫ સર્વથા ક્ષય થવાથી જે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તે ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વમાં દર્શનસપ્તકનો ક્ષય થવાથી તેનો બંધઉદય-સત્તા હોતી જ નથી અને આ ક્ષાયિક સમ્યકત્વ ૪ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે.
સાયિક સમ્યક્ત પામેલ આત્મા અબદ્ધાયુ હોય તો એક ભવે (તે જ ભવે) અને બદ્ધાયુ હોય તો ૩-૪-૫ ભવમાં મોક્ષે જાય.
ક્ષાયિક સમ્યકત્વનો કાળ સાદિ અનંત છે. (૨) ક્ષયોપશમસમ્યકત્વ :
જ્યાં અનંતાનુબંધી ૪ કષાય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય આ ૬ પ્રકૃતિઓનો પ્રદેશોદય હોય અથવા ક્ષય હોય અને સમ્યકત્વ મોહનીયનો રસોદય હોય તેને ક્ષયોપશમ કે ક્ષાયોપથમિક સમ્યકત્વ કહેવાય છે.
આ સમ્યકત્વ એક ભવમાં હજારોવાર અને સંસારચક્રમાં અસંખ્યવાર પામી શકાય છે. ૪ થી ૭ ગુણઠાણા સુધી હોય છે.
કાળ-જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ હોય છે.
(૩) ઉપશમ સમ્યકત્વ :
દર્શન સપ્તકનો ઉપશમ (સર્વોપશમ) કરવાથી જે ગુણ ઉત્પન્ન થાય તે ઉપશમ સમ્યક્ત કહેવાય. આ સમ્યકત્વમાં શ્રદ્ધાને આવનાર એક પણ કર્મ ઉદયમાં ન હોવાથી અપૌદ્ગલિક સમ્યક્ત કહેવાય.
આ સમ્યત્વે બે પ્રકારનું છે (૧) મિથ્યાત્વ ગુણ. થી પમાય તે (૨) ઉપશમ શ્રેણી ચડતી વખતે ૪ થી ૭ ગુણ. માં પમાય તે.
કાળ = જઘન્ય – અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ-અંતર્મુહૂર્ત
Page #99
--------------------------------------------------------------------------
________________
७
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ (૪) મિશ્રણમ્યત્વ :
મિશ્ર મોહનીય કર્મના ઉદયથી જીવને સર્વજ્ઞ કથિત વચન ઉપર શ્રદ્ધા પણ ન હોય અને અશ્રદ્ધા પણ ન હોય એવો આત્માનો પરિણામ મિશ્ર સમ્યકત્વ કહેવાય છે.
આ સમ્યકત્વ ત્રીજા ગુણ. માં જ હોય. કાળ - જઘન્ય-અંતર્મુહૂર્ત ઉ. અંતર્મુહૂર્ત (૫) વેદકસમ્યકત્વ :
અનંતાનુબંધી ચતુષ્ક અને મિશ્ર-મિથ્યાત્વ મોહનીયનો સંપૂર્ણ ક્ષય કર્યો હોય અને સમ્યકત્વ મોહનીયના ક્ષય વખતે છેલ્લી એક અવલિકામાં ફક્ત ઉદય-વેદન હોય છે તેને વેદક સમ્યક્ત કહેવાય છે. અહીં ક્ષય કે ઉપશમ કરવાનું હોય નહીં. પરંતુ માત્ર સમ્યકત્વ મોહ. નો ભોગવવા (દવા) વડે ક્ષય કરે છે. માટે તે વેદક કહેવાય.
આ સમ્યકત્વ ક્ષાયિક પામતા પૂર્વે ૪ થી ૭ ગુણ. માં અને ચારે ગતિમાં હોય.
(૬) સાસ્વાદન સમ્યકત્વ :
ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી મિથ્યાત્વે જનાર કોઈ મહાભીરૂ જીવને મિથ્યાત્વના ઉદયની પહેલાં ઉપ. સમ્ય. નો કાલ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા બાકી હોય ત્યારે અનંતાનુબંધીનો ઉદય થાય તે વખતે વર્તતું જે સભ્યત્વ તેને સાસ્વાદનસમ્યકત્વ કહે છે.
અહીં સમ્યકત્વ વમતી વખતે સમ્યકત્વનો આસ્વાદ હોય તેથી જેમ ક્ષીરનું ભોજન કરેલાને તરત વમન થાય ત્યારે જેમ ખીરનો આસ્વાદ આવે તેમ સમ્યકત્વ વમતી વખતે સમ્યકત્વના કંઈક આસ્વાદ વખતનું સમ્યકત્વ તે, સ-સહિત ગાય ઉપ. સમ્યકત્વનો લાભ સવનનાશ, એટલે ઉપશમ સમ્યત્વના લાભના નાશ વખતનું સમ્યકત્વ તે.
અહીં ઉપશમ સમ્યકત્વ ચાલ્યું જતું હોવાથી તેના લાભનો નાશ કહ્યો છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
મિશ્રમોહનીયકર્મ
૭૭
આ સાસ્વાદન સમ્યકત્વવાળો નિયમા મિથ્યાત્વે જ જાય.
જોકે સમ્યકત્વ મુખ્ય ત્રણ કહેવાય અને વેદક તે ક્ષયોપશમનો પર્યત ભાગ છે તેથી તેમાં સમાવેશ થાય.
સાસ્વાદન અને મિશ્ર સમ્યકત્વમાં સ્પષ્ટ સમ્યકત્વ નથી, પરંતુ આ બન્ને ગુણ એકવાર ઉપશમ સમ્યકત્વ પામ્યા પછી આવે માટે તેને સમ્યકત્વમાં ગણેલ છે. અથવા તો સ્પષ્ટ અશ્રદ્ધા પણ નથી તેથી તે મિથ્યાત્વ ન કહેવાય માટે સમ્યકત્વમાં ગણેલ છે. मीसा न रागदोसो, जिणधम्मे अंतमुहू जहा अन्ने । नालिअरदीवमणुणो, मिच्छं जिणधम्मविवरीअं ॥ १६ ॥
શબ્દાર્થ ઃ નહીં = જેમ, મને = અન્ન ઉપર, મિષ્ઠ = મિથ્યાત્વ, વિવરી = વિપરીત
ગાથાર્થ જેમ નાલિકેર દ્વીપના મનુષ્યને અન ઉપર રાગ કે દ્વેષ હોતો નથી તેમ મિશ્રમોહનીય કર્મના ઉદયવાળા જીવને અંતર્મુહૂર્ત સુધી જૈન ધર્મ ઉપર રાગ કે દ્વેષ હોય નહીં. મિથ્યાત્વમોહનીયકર્મ જૈન ધર્મથી વિપરીત દૃષ્ટિવાળું છે. ૧૬ /
વિવેચન : મિશ્રમોહનીય-નાલિકેર દ્વીપમાં રહેનાર મનુષ્યને અન્ન ઉપર રાગ કે દ્વેષ હોય નહીં કારણ કે એને અનાજ જોવામાં જ નથી આવ્યું. જાણવામાં નથી આવ્યું. તેથી અન્ન ઉપર રાગ-દ્વેષ ન હોય. એટલે એને ખાવા યોગ્ય અન્ન ઉપર રાગ કે ન ખાવા યોગ્ય ઉપર ષ પણ હોય નહીં. તેમ મિશ્રમોહનીય કર્મના ઉદયવાળાને અંતર્મુહૂર્ત સુધી જિનધર્મ ઉપર રાગ પણ હોય નહીં અને વૈષ પણ હોય નહીં. પરંતુ મધ્યસ્થપણું હોય. અંતર્મુહૂર્ત પછી નિમિત્તાદિને પામી મિથ્યાત્વ અથવા સમ્યકત્વપણું પામે.
| મિથ્યાત્વમોહનીય-આના ઉદયવાળા જીવની દૃષ્ટિ જિનધર્મથી વિપરીત હોય છે. જિનેશ્વર ભગવંતે જે તત્ત્વો જે રૂપે દર્શાવ્યા છે તે રૂપે તે તત્ત્વો ન માને, તેનાથી વિપરીત માને/અથવા આઠ તત્ત્વને માને
Page #101
--------------------------------------------------------------------------
________________
૭૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ પણ મોક્ષતત્ત્વને ન માને. સુદેવ-સુગર-સુધર્મને કુદેવ-કુગુરુ-કુધર્મ તરીકે માને અને કુદેવ-કુગુરુ-કુધર્મને સુદેવ-સુગુરુ-સુધર્મ તરીકે માને છે. જ્યાં સુધી મિથ્યાત્વ મોહનીયકર્મનો ઉદય જતો નથી ત્યાં સુધી જીવ આત્માના વિકાસ માર્ગમાં આગળ વધી શકતો નથી.
અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને મિથ્યાત્વનો ઉદય જાય અને સમ્યકત્વ ગુણ પામે ત્યારે જ આત્માનો વિકાસ શરૂ થાય છે. ત્યારે જ સંસાર પરિમિત થાય છે. ભવની ગણતરી ગણાય છે.
એકવાર સમ્યકત્વ પામેલ જીવ તે ભવમાં વહેલામાં વહેલો મોક્ષ પામે અને ઉત્કૃષ્ટથી દેશોન (કંઈક ન્યુન) અર્ધપુદ્ગલ પરકાળે અવશ્ય મોક્ષ પામે છે.
તીર્થંકર પરમાત્માઓના ભવની ગણના પણ સમ્યકત્વ પામે ત્યારથી ગણાય છે.
તીર્થંકર પરમાત્મા સમ્યકત્વ પામી ઓછામાં ઓછા ત્રણ ભવ કરે. કારણ કે તીર્થંકર નામકર્મ ત્રણ ભવ પૂર્વે બંધાય છે. ત્રણ કરણ ક્યારે, કેટલીવાર કરે ?
અહીં ત્રણ કરણ કરવા વડે પ્રથમ ઉપશમ સમ્યકત્વ પામે છે. તો આ ત્રણ કરણ જીવ ક્યારે ક્યારે અને કેટલીવાર કરે તે આ પ્રમાણે
(૧) પ્રથમ ગુણસ્થાનકથી સમ્યકત્વ પામતી વખતે (જાતિભેદથી એકવાર પરંતુ અનેકવાર) (૨) અનંતાનુબંધીની ઉપશમના ૪ થી ૭ ગુણસ્થાનકમાં કરે ત્યારે (ચાર વાર) (૩) અનંતાનુબંધીની વિસંયોજના (ક્ષય) કરે ત્યારે (૪ થી ૭ ગુણ.માં) (૪) દર્શનત્રિકની ઉપશમના કરે (૬ થી ૭ ગુણ.માં) (ચાર વાર) (૫) દર્શનત્રિકની ક્ષપણા (૪ થી ૭) (એકવાર) (૬) ચારિત્રમોહનીયની ઉપશમના કરે ત્યારે ચારવાર) (૭ થી ૯ ગુણ.માં) (૭) ચારિત્રમોહનીયની ક્ષપણા કરે ત્યારે (એકવાર) (૭ થી ૯ ગુણ.માં)
Page #102
--------------------------------------------------------------------------
________________
આત્માનો વિકાસક્રમ
૭૯
આત્માનો વિકાસક્રમ
સૂક્ષ્મનિગોદ (અનાદિથી)
વ્યવહાર રાશિ
અવ્યવહાર રાશિ
ભવ્ય
અભવ્ય
ભવ્ય જાતિભવ્ય
અભવ્ય
ચરમાવર્ત અચરમાવર્ત (આસન્નભવ્ય) (ભવ્ય-અભવ્ય)
યથાપ્રવૃત્તકરણ ચરમ યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ-ગ્રંથિભેદ અનિવૃત્તિકરણ અંતરકરણ
ઉપશમ સમ્યકત્વ
પ્રથમસ્થિતિ પ્રથમસ્થિતિના ચરમસમયેત્રણ પુંજ કરે
અંતઃકરણ
દ્વિતીયસ્થિતિ અંત:કરણ સમ્યકત્વમોહનીય
મિશ્રમોહનીય
મિથ્યાત્વમોહનીય ત્રણેની અંતઃકોટાકોટીની સત્તા હોય
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ કષાયમોહનીયકર્મ : सोलस कसाय नव नोकसाय, दुविहं चरित्तमोहणीयं । अण-अप्पच्चक्खाणा, पच्चक्खाणा य संजलणा ॥ १७ ॥
શબ્દાર્થ : વરિત્તમોદણીયં ચારિત્રમોહનીય, મનુ=અનંતાનુબંધી.
ગાથાર્થ સોળકષાય અને નવનો કષાય એમ ચારિત્ર મોહનીયકર્મ બે પ્રકારે છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એમ ચાર પ્રકારે કષાય મોહનીય છે. / ૧૭ | - વિવેચન : દર્શનમોહનીય કર્મ પછી ચારિત્રમોહનીય કર્મનું વર્ણન આ પ્રમાણે - ચારિત્ર મોહનીયકર્મ મુખ્ય બે પ્રકારે અને ઉત્તરભેટે ૨૫ પ્રકારે છે.
બે પ્રકારે ચારિત્રમોહનીય કર્મ : (૧) કષાય ચારિત્ર મોહનીય કર્મ (૨) નોકષાય ચારિત્ર મોહનીય કર્મ. (૧) ચારિત્ર મોહનીય કર્મ :
(૧) જે કર્મના ઉદયથી જીવ સમ્યક્ એટલે સારું આચરણ કરવાની ઈચ્છા હોવા છતાં પણ ન કરી શકે તેને ચારિત્ર મોહનીય કર્મ કહેવાય છે.
(૨) ચય-આઠકર્મનો સમૂહ, ચિત્ત-ખાલી કરે, બાળે, તે ચારિત્ર તેવા પરિણામને રોકે તે ચારિત્રમોહનીય.
કષાય ચારિત્રમોહનીય : ષ = સંસાર, મા = વૃદ્ધિ જેનાથી સંસારની વૃદ્ધિ થાય, પરિભ્રમણ વધે, ભવની પરંપરા વધે તે કષાય મોહનીય. (૨) પં મર્યાન્તિ ( ત્તિ) મિ: નન્તવઃ – પ્રાણીઓ જેનાથી સંસારને પામે-મેળવે છે. કષાય ચારિત્ર મોહનીય કર્મના કુલ ૧૬ ભેદ છે. જેના અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ
Page #104
--------------------------------------------------------------------------
________________
८१
કષાયમહનીય અને સંજવલન તે દરેકના ક્રોધ-માન-માયા-લોભ રૂપ ચાર ચાર ભેદ છે.
તેથી કષાય મોહનીયના ૧૬ ભેદ છે. તે આ પ્રમાણે -
(૧) અનંતાનુબંધી ઃ (૧) જેના ઉદયથી જીવ અનંત સંસારનો અનુબંધ કરે તે. (૨) અનંત ભવોનું પરિભ્રમણ થાય છે. તેનું બીજું નામ સંયોજના કષાય છે. આત્માને અનંત સંસારની સાથે જોડે. અનંતમ્ સંસાર અનુવાતિ હિનામ્ - અનંત સંસારમાં આત્માને જોડે.
(૨) અપ્રત્યાખ્યાનાવરણ (અથવા અપ્રત્યાખ્યાન) ઃ જે કર્મના ઉદયથી થોડું પણ પચ્ચકખાણ જીવને ન આવવા દે.
(૧) અહીં -અલ્પ, પ્રત્યાખ્યાન-પચ્ચકખાણ સાવર-આવરે એટલે અલ્પ પણ પચ્ચખાણને આવરે-થોડું પણ પચ્ચકખાણ કરી શકે નહીં. (૨) અથવા નહી પ્રત્યાખ્યાન-પચ્ચકખાણ-જેના ઉદયમાં પચ્ચકખાણ હોય નહીં. પચ્ચખાણ કરી શકે નહીં તે. અપ્રત્યાખ્યાન કષાય.
(૩) પ્રત્યાખ્યાનાવરણ : સર્વવિરતિ પચ્ચકખાણને મોવરઆવરે, અર્થાત્ સર્વવિરતિ પામવા ન દે તે.
(૪) સંજ્વલન :
(૧) જે કર્મના ઉદયથી વિરતિ હોવા છતાં ચારિત્રને કાંઈક બાળ-કંઈક દોષિત કરે તે સંજ્વલન. સમુ-કંઈક, શ્વતિ-બાળે તે संज्वलन.
(૨) ચારિત્રમાં દોષ લગાડે તે સંજવલન.
(૩) ચારિત્રને મલિન કરે, પરિસહ-ઉપસર્ગ આવે છતે કંઈક અતિચાર લગાડે છે,
Page #105
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ મોહનીયકર્મ ૨ પ્રકારે
ચારિત્રમોહનીય
દર્શનમોહનીય
કષાય ચા.મો. નોકષાય ચા.મો. સ.મો. મિશ્ર મો. મિથ્યાત્વ મો. (કષાયચતુષ્ક) અનંતાનુબંધી હાસ્યષટ્રક ૩ વેદ અપ્રત્યાખ્યાની હાસ્ય પુરૂષવેદ પ્રત્યાખ્યાની રતિ સ્ત્રીવેદ સંજ્વલન અરતિ નપુંસકવેદ (પ્રત્યેકના) ક્રોધ ભય માન
શોક
દુર્ગછા
માયા
લોભ
जाजीव-वरिस-चउमास, पक्खगा नरय-तिरिय-नर-अमरा । सम्माणुसव्वविरई-अहखाय-चरित्तधायकरा ॥ १८ ॥
શબ્દાર્થ : પ = પંદર દિવસ સુધી, મરી = દેવગતિ, સચમ્ = સમ્યકત્વ, ગળું = દેશવિરતિ.
ગાથાર્થ અનંતાનુબંધી આદિ ચાર કષાયો ઉત્કૃષ્ટથી અનુક્રમે જીવનપર્યત, એક વર્ષ, ચાર માસ, પંદર દિવસ સુધી રહેનારા છે. અનુક્રમે નરક-તિર્યંચ-મનુષ્ય-દેવગતિ અપાવનારા તેમજ સમ્યકત્વદેશવિરતિ-સર્વવિરતિ-યથાખ્યાત ચારિત્રનો ઘાત કરનારા છે. ll૧૮
Page #106
--------------------------------------------------------------------------
________________
મોહનીયકર્મ
૮૩
વિવેચન : અનંતાનુબંધી આદિ કષાયો જીવનમાં કેટલા કાળ સુધી ટકે છે અને એ કષાયો નાશ ન પામે તો કઈ ગતિ પ્રાપ્ત કરાવે છે અને એ કષાયો કયા ગુણને રોકે છે. કેટલા તીવ્ર-મંદ છે એ આ ગાથામાં જણાવે છે.
અનંતાનુબંધી કષાય ઉત્કૃષ્ટથી જીવનપર્યત રહે છે. કોઈવાર આ કષાયની તીવ્રતા એવી હોય છે કે ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ તીવ્રતા ઓછી થતી નથી અને આ તીવ્ર કષાયવાળો જીવ નરકાયુ અને ત~ાયોગ્ય નરકગતિ બાંધે છે અને જ્યાં સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોય ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. અનંતાનુબંધી કષાયનો ઉપશમ કે ક્ષયોપશમ થાય તો જ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. માટે આ કષાય સમ્યકત્વ ગુણને રોકનાર છે.
જોકે પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ કોઈવાર જOછી અંતર્મુહૂર્ત સુધી તીવ્ર પરિણામ રહે અને પછી ચાલ્યો પણ જાય.
અપ્રત્યાખ્યાનીય કષાય ઉત્કૃષ્ટથી એક વર્ષ સુધી રહે છે. ઘણાં પ્રયત્નો પછી આ કષાય જાય છે. આ તીવ્ર કષાયવાળો જીવ આયુષ્ય બાંધે તો પ્રાયતિર્યંચાય બાંધી ત~ાયોગ્ય તિર્યંચગતિ પ્રાપ્ત કરે છે. આ કષાય હોય ત્યાં સુધી દેશવિરતિ ગુણ પ્રાપ્ત થતો નથી. અપ્રત્યાખાનીય કષાયનો ઉદય હોય ત્યાં સુધી જીવને કોઈપણ વ્રત પચ્ચકખાણ આદિ કરવાની ઈચ્છા થતી નથી.
પ્રત્યાખ્યાનીય કષાય ચાર માસ સુધી રહે છે. થોડાં પ્રયત્નોથી આ કષાય દૂર થાય છે. પણ આ કષાય દૂર ન થયો હોય એટલે અનં. કષાય ન હોય. મંદ અપ્રત્યાખ્યાનવાળા અને પ્રત્યાખ્યાન ઉદયવાળા દેવ-નારકો મનુષ્યાયુ: અને મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે. આ કષાયનો ઉદય છતે સર્વવિરતિ ગુણ પ્રાપ્ત થતો નથી. તેમજ અનં. ન હોય અને અપ્રત્યા. પ્રત્યા. ના ઉદયવાળા મનુષ્ય તિર્યંચો દેવ પ્રાયોગ્ય જ બંધ કરે.
Page #107
--------------------------------------------------------------------------
________________
८४
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ સંજવલન કષાય ઉત્કૃષ્ટથી ૧૫ દિવસ સુધી રહે છે. અલ્પ પ્રયત્નથી આ કષાય દૂર થાય છે. ફક્ત આ જ કષાયવાળો જીવ આયુષ્ય બાંધે તો દેવાયુ અને ત~ાયોગ્ય દેવગતિ બાંધે છે. કારણ કે ત્રણ કષાયોની જેમ તીવ્રતા આ કષાયમાં હોતી નથી. આ કષાય મંદરસવાળો છે. આ કષાય યથાખ્યાત ચારિત્રને રોકે છે.
આ રીતે ચારે કષાયોની સ્થિતિ કઈ ગતિ પ્રાપ્ત કરાવે અને કયા ગુણને રોકે છે એ વિસ્તારથી આગળ પણ સમજાવેલ છે.
૪ કષાયના ૬૪ ભેદ : અનં. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ અપ્રત્યા. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ પ્રત્યા. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ સંજ્વલન અનંતાનુબંધી ક્રોધ
લોભ અનં. અપ્રત્યાખ્યાન ક્રોધ માન માયા લોભ અપ્રત્યા. અપ્રત્યાખ્યાન ક્રોધ માન માયા પ્રત્યા. અપ્રત્યાખ્યાન માન માયા લોભ
માન.
માયા
ન અપ્રત્યાખ્યાન
માન
માયા
માન
અનં. પ્રત્યાખ્યાન અપ્રત્યા. પ્રત્યાખ્યાન પ્રત્યા. પ્રત્યાખ્યાન સંજવલન પ્રત્યાખ્યાન અનં. સંજ્વલન અપ્રત્યા. સંજ્વલન પ્રત્યા. સંજ્વલન સંજ્વલન સંજ્વલન
માયા ક્રોધ માન માયા લોભ ક્રોધ માન માયા લોભ ક્રોધ માન માયા ક્રોધ માન માયા ક્રોધ માન માયા લોભ ક્રોધ માન માયા લોભ ક્રોધ માન માયા લોભ
Page #108
--------------------------------------------------------------------------
________________
મોહનીયકર્મ
કષાય અતિતીવ્ર હોય અને વર્ષથી વધારે રહે અનં. અનં. કષાય અતિતીવ્ર હોય અને વર્ષમાં ચાલ્યો જાય અપ્ર. અનં. કષાય અતિતીવ્ર હોય અને ચાર માસની અંદર ચાલ્યો જાય પ્રત્યા. અનં. કષાય અતિતીવ્ર હોય અને પંદર દિવસની અંદર ચાલ્યો જાય સંજ્યું. અનં.
૮૫
જેમ પ્રસન્નચંદ્ર રાજર્ષિને રાજા ઉપર તીવ્ર દ્વેષ આવ્યો અને અંતર્મુહૂતમાં ચાલ્યા જવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે સંજ્યું. અનં. કહેવાય.
તેથી એક અંત. સુધી અનં.નો ઉદય આવ્યો અને સાતમીનું નરકગતિ નામકર્મ બંધાયુ. પરંતુ આયુષ્ય ન બંધાવાથી અંત.માં નાશ પામી ગયું. અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
તીવ્ર કષાય હોય અને વર્ષથી પણ વધારે રહે તો અનં. અપ્રત્યાખ્યાનવરણ તીવ્ર કષાય હોય અને ચાર માસથી વધારે રહે તો અપ્રત્યા. અપ્રત્યા. તીવ્ર કષાય હોય અને પંદર દિવસથી વધારે રહે તો પ્રત્યા. અપ્રત્યા. તીવ્ર કષાય હોય અને પંદર દિવસની અંદર ચાલ્યો જાય તો સંજ્વલન અપ્રત્યા. કંઈકઅશુભપરિણામહોયઅનેવરસકરતાં વધારે રહેતેઅનં પ્રત્યાખ્યાનાવરણ અશુભ પરિણામ હોય અને ચાર માસથી વધારે રહે તે અપ્રત્યા. પ્રત્યા. અશુભ પરિણામ હોય અને પંદર દિવસથી વધારે રહે પ્રત્યા. પ્રત્યા. કંઈક અશુભ પરિણામ હોય અને પંદર દિવસની અંદર ચાલ્યો જાય તે સંજ્વલનપ્રત્યા.
કંઈક
કંઈક
મંદ મંદ અશુભ પિરણામ હોય અને બાહુબલિની જેમ વરસથી વધારે રહે તે અનં. સંજ્વલન.
મંદ મંદ અશુભ પરિણામ હોય અને ચાર માસથી વધારે રહે અપ્રત્યા. સંજ્વલન
મંદ મંદ અશુભ પરિણામ હોય અને પંદર દિવસથી વધારે રહે પ્રત્યા. સંજ્વલન
Page #109
--------------------------------------------------------------------------
________________
૮૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
મંદ મંદ અશુભ પરિણામ હોય અને પંદર દિવસની અંદર ચાલ્યો જાય સંજ્વલન સંજ્વલન
આ રીતે કષાયનું નિશ્ચયનયથી સ્વરૂપ તેની તીવ્રતા-મંદતા ઉપર છે. કાળથી અપેક્ષાએ વર્ણન તે વ્યવહારનયની અપેક્ષાએ છે.
એટલે કષાય જેમ વધારે કાળ (સમય) રહે તેમ કોઈવાર તે તીવ્ર સ્વરૂપ ધારણ કરે માટે આ કષાયનો સમય (કાળ) જ્ઞાની. ભગવંતોએ બતાવ્યો છે. અર્થાત્ વધારે સમય રહેલો કષાય પણ રૌદ્ર બનતાં અહિત (આત્માનું નુકસાન) કરનાર બને.
વળી તીવ્ર હોય અને અંતર્મુહૂર્ત પણ રહે અને મંદ હોય અને બાહુબલિની જેમ વરસ સુધી પણ રહે, કારણ કે સંયમના પરિણામમાં હતા.
આ રીતે કષાયનું સ્વરૂપ વિચારવું. ન--પુઢવી-પવ્યય-રા-રિસો-વત્રિો વોહો . રિસિયા--ટ્ટિય-સેનāમોવમો માને છે ૨૨ .
શબ્દાર્થ ઃ રેy = રેતીમાં, રા = રેખા, રિસી = સરખો, તિનિયા = નેતરની સોટી, સેન્નત્યંમ = પત્થરના થાંભલાની, ૩૧મો = ઉપમાવાળો.
ગાથાર્થ : સંજવલનાદિ ૪ પ્રકારના ક્રોધ અનુક્રમે પાણીની રેખા, રેતીની રેખા, પૃથ્વીની રેખા અને પર્વતની રેખા સમાન છે. એ રીતે સંજ્વલનાદિ ચાર પ્રકારના માન અનુક્રમે નેતરની સોટી, લાકડા, હાડકા અને પથ્થરના થાંભલા જેવા છે. / ૧૯
વિવેચન : સંજ્વલાનાદિ ૪ પ્રકારના ક્રોધ કષાયો કેવા તીવ્ર મંદ છે તે દષ્ટાંત સાથે સમજાવે છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
મોહનીયકર્મ
ક્રોધના પર્યાયવાચી શબ્દો :
ક્રોધ : દ્વેષ, ગુસ્સો, આવેશ, આક્રોશ, ખેદ વિગેરે. સંજ્વલન ક્રોધ પાણીમાં કરેલી રેખા સમાન છે. જેમ પાણીમાં કરેલી રેખા કરતાં સાથે જલ્દીથી ભૂંસાઈ જાય છે તેમ સંજ્વલન ક્રોધ જલ્દીથી શાંત થઈ જાય છે.
પ્રત્યાખ્યાની ક્રોધ રેતીમાં પડેલી રેખા જેવો છે. જેમ રેતીમાં કરેલી લીટી પવન આદિ આવે ત્યારે ભુંસાઈ જાય તેમ પ્રત્યાખ્યાની ક્રોધ કેટલાક સમયમાં થોડા પ્રયત્નથી શાંત થઈ જાય છે.
८७
અપ્રત્યાખ્યાની ક્રોધ-પૃથ્વીમાં પડેલી તીરાડ જેવો છે. જેમ પૃથ્વીમાં પડેલી તીરાડ કેટલાક સમયે વરસાદ આવે ત્યારે પૂરાય છે તેમ અપ્રત્યાખ્યાની ક્રોધ ઘણા પ્રયત્નોથી અને ઘણા સમયે શાંત થાય છે.
અનંતાનુબંધી ક્રોધ પર્વતમાં પડેલી તીરાડ સરખો છે. જેમ પર્વતમાં પડેલી તીરાડ કોઈપણ રીતે પૂરાતી નથી તેમ અનંતાનુબંધી ક્રોધ કોઈપણ પ્રયત્નોથી શાંત થતો નથી. યાને કોઈકવાર મરણ પામે તો પણ જાય નહીં. ક્રોધના કારણે મંડળ-સંઘમાં એક વર્ગ વહેંચાઈ જાય. ભાગલા થાય છે. ક્રોધ તે પ્રીતીનો નાશ કરે છે.
સંસ્કૃતમાં કહ્યું છે કે
-
यूयं वयं वयं यूयमित्यासीद् मतिरावयोः ।
किं जातं अधुना येन यूयं यूयं वयं वयं ।। १ ।।
અર્થ : તમે તે અમે અને અમે તે તમે એમ આપણાં બન્નેની
બુદ્ધિ હતી. હમણાં શું થયું (એટલે ક્રોધના કારણે) તમે તે તમે અને અમે તે અમે એમ થયું. ॥ ૧ ॥
(૨) ૪ પ્રકારના માન ઃ
માન : અહંકાર, અભિમાન, ઈર્ષા, ગર્વ, અક્કડતા, પક્કડ.
Page #111
--------------------------------------------------------------------------
________________
L
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ સંજવલન માન-નેતરની સોટી જેવો છે. જેમ નેતરની વાળેલી સોટી સહેલાઈથી સીધી કરી શકાય છે તેમ સંજ્વલન માન થોડા પ્રયત્નોથી જલ્દીથી દૂર થઈ જાય છે.
પ્રત્યાખ્યાની માન લાકડા જેવો છે. જેમ લાકડાને યુક્તિથી ધીમે ધીમે વાળવાથી વાળી શકાય છે તેમ આ કષાય સમજાવવાથી અથવા નિમિત્તથી અથવા થોડો વધારે પ્રયત્ન કરવાથી દૂર થાય છે.
અપ્રત્યાખ્યાની માન હાડકા જેવો છે. જેમ હાડકું ઘણાં પ્રયત્નોથી મહામુશ્કેલીથી વાળી શકાય છે તેમ અપ્રત્યાખ્યાની માન ઘણા પ્રયત્નોથી મહામુશ્કેલીઓ દૂર થાય છે.
અનંતાનુબંધી માન પત્થરના થાંભલા જેવો છે. જેમ પત્થરનો થાંભલો કોઈપણ પ્રયત્નો કરવાથી વાળી શકાતો નથી. તેમ અનંતાનુબંધી માન કોઈપણ પ્રયત્નથી દૂર થઈ શકતો નથી. યાને આખી જિંદગી સુધી રહે છે.
માન વિનયનો નાશ કરનારો હોય છે.
માયાવદિ-નોમુત્તિ-મઢ-સિં-થર્વસિયૂનમ ! નોદ તિદ્વંગ-વ૬મ-વિલમ-રા-સીમાળો ૨૦ ||
શબ્દાર્થ ઃ મત્તેહિ = લાકડાની છાલ, ઢિસિં = ઘેટાના શિંગડાં, સિમૂન = મજબૂત વાંસના મૂલ, વંન = અંજન, દમ = કાદવ, કિમિ = કિરમજીના રંગ જેવો
ગાથાર્થ લાકડાની છોલ, ગોમૂત્રની ધાર, ઘેટાના શીંગડા અને વાંસના કઠણ મૂળ જેવી સંજ્વલનાદિ માયા છે. સંજવલનાદિ લોભ અનુક્રમે હળદર, કાજળ, કાદવ અને કરમજીના રંગ જેવો છે. ૨ll
વિવેચન : (૩) માયા-પ્રપંચ-દંભ-કપટ-વક્રતા-છેતરવું. સંજ્વલન માયા-લાકડાની છોલ જેવી છે. જેમ લાકડાની છોલ
Page #112
--------------------------------------------------------------------------
________________
કષાયમોહનીયકર્મ
વાંકી-ગોળ હોય તે સરળતાથી સીધી થઈ જાય છે તેમ સંજ્વલન માયા સરળતાથી દૂર થઈ જાય છે. જીવ જલ્દીથી પોતાની વક્રતા છોડી દે છે.
૮૯
પ્રત્યાખ્યાની માયા ગોમૂત્રની ધારા જેવી છે. જેમ ગોમૂત્રની ધા૨ વાંકીચૂંકી પડે અને કેટલાક ટાઈમે જોરદાર પવન આવે તે ધારની રેતીમાંથી મૂત્રધારા ચાલી થાય તેમ પ્રત્યાખ્યાની માયા થોડા પ્રયત્નથી દૂર થાય છે.
અપ્રત્યાખ્યાની માયા ઘેટાના શીંગડા જેવી છે. જેમ ઘેટાના શીંગડા સીધા કરવા માટે ઘણો પ્રયત્ન કરવો પડે છે તેમ અપ્રત્યાખ્યાની માયા ઘણા પ્રયત્નોથી દૂર થાય છે.
માયા સરળતાનો નાશ કરે છે.
આ માયાવાળાને હોઠ ઉપર મધ હોય હૃદયમાં હળાહળ ઝેર હોય. અનંતાનુબંધી માયા- વાંસના કઠણ મૂળ જેવી છે. જેમ વાંસનું કઠણ મૂળીયું કોઈ પ્રયત્ને સીધું થતું નથી તેમ અનંતાનુબંધી માયા કોઈપણ પ્રયત્નોથી દૂર થતી નથી.
માયાવાળો માણસ આંટીઘૂંટીવાળો મનનો મેલો બહારથી સારો, માટે વક્રતાની ઉપમા આપી છે. માયા રાગથી થાય છે.
(૪) લોભ : તૃષ્ણા, અભિલાષા, આકાંક્ષા, મૂર્છા, આસક્તિ, મમત્વ, અસંતોષ.
સંજ્વલન લોભ-હળદરના રંગ જેવો છે. જેમ હળદરનો રંગ સૂર્યના તડકાથી તરત જ દૂર થાય છે તેમ સંજ્વલન લોભ વસ્તુની ઈચ્છા થાય અને ન મળે તો પણ ભાગ્યને માની સંતોષ માની લે.
પ્રત્યાખ્યાની લોભ-કાજળ જેવો છે. જેમ કપડાં ઉપરનો કાજળનો ડાઘ થોડા પ્રયત્નોથી દૂર થાય છે તેમ પ્રત્યાખ્યાની લોભ થોડા પ્રયત્નથી દૂર થાય છે. જે મળે તેનાથી સંતોષ માની લે.
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
અપ્રત્યાખ્યાની લોભ-ગાડાની મળી જેવો છે. ગાડાની મળીનો ડાઘ ઘણા પ્રયત્નો કરવાથી દૂર થાય છે તેમ અપ્રત્યાખ્યાની લોભ વસ્તુને મેળવવા ઘણા પ્રયત્ન કરે છતાં ન મળે પછી મનવાળી સંતોષ માને.
અનંતાનુબંધી લોભ – કિરમજીના રંગ જેવો છે. પાકા રંગ જેવો કપડું ફાટે પણ કલર જાય નહીં તેમ અનંતાનુબંધી લોભ કોઈપણ પ્રયત્નથી દૂર થતો નથી અથવા અતિપ્રયત્ન દૂર થાય. કારણ કે જીવ ભવિતવ્યના યોગે સમ્યકત્વ પામે ત્યારે જાય.
લોભને રંગની ઉપમા આપી છે. કારણ કે રંગથી રાગ થાય, રાગથી તૃષ્ણા થાય, તૃષ્ણાથી લોભ થાય. તેથી લોભને રંગની ઉપમા કહી છે.
કષાય ચારિત્ર મોહનીય કર્મ : (૧) અનંતાનુબંધી કષાય :
(૧) સમ્યકત્વ ગુણને હણે એટલે અનંતાનુબંધીનો ઉદય હોય ત્યાં સુધી સમ્યત્વ ન પામી શકે.
(૨) કાળ-વરસ કરતાં વધારે રહે અને જીવનપર્યત પણ રહે. (૩) અતિતીવ્ર અશુદ્ધ પરિણામ હોય.
(૪) ઘણું કરીને આ કષાયના તીવ્ર પરિણામમાં વર્તતાને નરકનું આયુષ્ય બંધાય. નરક પ્રાયોગ્ય બંધ કરે.
(૫) અનં. ક્રોધ - પથ્થરમાં કરેલ લીટી (રેખા) જેવો. જેમ પથ્થર ઘસાય પણ પથ્થરનો લીસોટો જાય નહીં. તેમ જીવ નાશ પામે પણ કષાય-દ્વેષ અથવા રાગનો પરિણામ જાય નહિ.
એ રીતે દરેક દૃષ્ટાંતમાં સમજવું.
Page #114
--------------------------------------------------------------------------
________________
કષાયચારિત્રમોહનીયકર્મ
૯૧
અનં. માન - પથ્થરના થાંભલા જેવો. પથ્થરનો થાંભલો જેમ વળે જ નહિ તેમ અનં. ના ઉદયવાળો જીવ મરણ પણ પામે પણ અભિમાન છોડે નહિ.
અનં. માયા - કઠણ વાંસના મૂળીયા જેવી, બાળેલ વાંસના મૂળીયાની રાખ પણ વક્ર પડે. તેમ જીવ માયાનું અશુભ ફળ સમજાવવા છતાં છોડી શકે નહીં.
અનં. લોભ - કરમજી રંગ (મજીઠનો રંગ) જેવો છે. “કપડું ફાટે પણ કલર ન જાય”. સુભમ ચક્રવર્તીની જેમ, મમ્મણ શેઠની જેમ નાશ પામી જાય પણ તૃષ્ણા ઓછી ન થાય.
આ ઉપમાઓ તે કષાયની તીવ્રતા સમજાવવા માટે છે.
આ અનં. ક્રોધ-માન-માયા અને લોભ કષાય જીવનમાં ન રહે તે માટે સંવત્સરી પ્રતિક્રમણનું આયોજન છે.
(૨) અપ્રત્યાખ્યાનાવરણ - (અપ્રત્યાખ્યાન) કષાય(૧) દેશવિરતિને રોકે - દેશવિરતિનો ઘાત કરે. (૨) કાળ-ચાર માસથી વધારે અને વર્ષ કરતાં ન્યૂન. (૩) તીવ્ર અશુભ પરિણામ હોય. (૪) પ્રાયઃ આ કષાયના તીવ્ર પરિણામથી તિર્યંચ ગતિ પ્રાયોગ્ય બંધ કરે.
(૫) આ અપ્રત્યાખ્યાન કષાયવાળો મંદ હોય તો દેવ-નારકને મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધ હોય.
(૬) અપ્ર. ક્રોધ - સુકી માટીમાં (પૃથ્વીમાં) કરેલ લીસોટા (રેખા) જેવો.
અર્થાત્ સુકી માટીમાં કરેલ રેખા વરસમાં એકાદવાર તો વરસાદ આવે અને ચાલી જાય તેમ કોઈના પ્રત્યે થયેલ ક્રોધ વરસ સુધીમાં ભુલાઈ જાય. પશ્ચાતાપ થાય.
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૬) અપ્ર. માન-હાડકાં જેવો છે.
અર્થાત્ હાડવૈદ્ય હાડકાંને વાળવા બે-ત્રણ પાટા બાંધે ત્યારે વળે તેમ મહામહેનતે અપ્રત્યા. માનવાળાને સમજાવવાથી નુકસાન આદિનું ફળ કહેવાથી માન જાય.
(૭) અપ્ર. માયા – ઘેટાના શિંગડા જેવી છે.
અર્થાત્ ઘેટાનાં શિંગડા વક્ર હોય તેને સીધાં કરી શકાય નહીં, પરંતુ ઉગતું (નીકળતું) શીંગડું બાંધી રાખવાથી વરસે દહાડે જેમ કદાચ સીધુ થાય તેમ મહામુશ્કેલીએ માયાનો પરિણામ જાય.
(૮) અપ્ર. લોભ - ગાડાના પૈડાનાં ઓઈલના ડાઘ જેવો.
અર્થાત્ કપડામાં લાગેલા ઓઈલના ડાઘ જેમ મહામહેનતે જાય તેમ કોઈપણ પદાર્થ અથવા ધનની મેળવવાની ઈચ્છા થાય, ઘણા પ્રયત્નો કરવા છતાં ન મળે, ત્યારે મારા ભાગ્યમાં નથી એમ માની સંતોષ માને.
અપ્રત્યાખ્યાનવરણ કષાય આત્મામાં ન રહે તે માટે ચૌમાસી પ્રતિક્રમણનું આયોજન છે.
(૩) પ્રત્યાખ્યાનાવરણકષાય
(૧) સર્વવિરતિ ગુણને આવરે, તેનો ઉદય હોતે છતે સર્વવિરતિ ગ્રહણ કરવાનું મન ન થાય.
(૨) કાળ-પંદર દિવસથી વધારે અને ચાર માસથી ન્યૂન. (૩) અશુભ પરિણામ હોય. (૪) પ્રત્યા. ક્રોધ - રેતીમાં કરેલ રેખા જેવો.
અર્થાત્ રેતીમાં કરેલ લીટી પાંચ-પચીસ-પચાસ દિવસે જોરદાર પવન આવે અને ચાલી જાય તેમ જે ક્રોધ થોડાં સ્વાર્થથી થયો હોય
Page #116
--------------------------------------------------------------------------
________________
કષાયચારિત્રમોહનીયકર્મ અને સ્વાર્થ સધાય કે ન સધાય, પરંતુ કેટલાક દિવસે-મહિને ભૂલાઈ જાય તે.
(૫) પ્રત્યા. માન-સુકાં લાકડાં જેવો.
અર્થાત્ સુકાં લાકડાંને યુક્તિપૂર્વક વાળવામાં આવે તો ધીમે ધીમે જેમ વળે તેમ આ માનના ઉદયવાળો યુક્તિપૂર્વક સમજાવતા માનદશાને મૂકી દે.
(૬) પ્રત્યા. માયા - બળદના મૂત્રની ધાર જેવી
અર્થાત્ ચાલતા બળદની મૂત્રધાર વાંકીચૂંકી પડે તે આતપતડકાથી અથવા પવનથી કેટલાક કાળે નાશ પામે તેમ પોતાનું પ્રયોજન સાધવા યુક્તિપૂર્વક માયા મનમાં રાખી સમજાવે છતાં સાંભળનાર વ્યક્તિ ન માને તો ફરી યુક્તિ (કપટ) સહિત બોલવાનું મન ન થાય.
(૭) પ્રત્યા. લોભ – કપડાં ઉપરના કાજળ (મેશ)ના ડાઘ સમાન.
અર્થાત્ આ મેશનો ડાઘ થોડી મહેનતે જાય તેમ - પદાર્થ મેળવવા ઈચ્છા થાય, થોડો પ્રયત્ન પણ કરે, ન મળે તો સંતોષ માને પરંતુ ચિત્તમાં તેના વિચારો ન આવે. ભાગ્યમાં નથી એમ માને.
આ પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી સર્વવિરતિ પરિણામ ન આવે માટે આ કષાયના ઉદયને રોકવા પાક્ષિક (પક્ષ્મી) પ્રતિક્રમણનું આયોજન છે.
સંજ્વલન કષાય : (૧) શુદ્ધ - કષાયરહિત એવું યથાખ્યાત ચારિત્ર, તેને રોકે છે. (૨) કાળ - જઘન્યથી અંતમૂહૂર્ત ઉત્કૃષ્ટ પંદર દિવસ. (૩) કંઈક અશુભ પરિણામ. (૪) મંદ કષાયના કારણે દેવ પ્રાયોગ્ય બંધ કરે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ સંજવલન ક્રોધ : પાણીમાં કરેલ રેખા જેવો.
અર્થાત્ - પાણીની રેખા કરતાની સાથે ચાલી જાય તેમ જે ક્રોધ સામાન્યથી એટલે બીજાના હિત ખાતર ક્રોધ થાય. ન સમજે તો તેના તરફ ક્રોધને ભૂલી જાય તેમ.
સંજવલન માન : નેતરની સોટી જેવો.
અર્થાત્ - નેતરની સોટીને જેમ વાળીએ તેમ વળે. તેમ આ કષાયના ઉદયવાળાને થોડું સમજાવવાથી માનને ભૂલી જાય તેમ આ સંજ્વલનના બીજા કષાયો પણ અલ્પકાળે જતા રહે.
સંજવલન માયા - વાંસની છાલ જેવી.
અર્થાત્ વાસની ઉતારેલ છાલનું ગુંચળું થયેલ વક્ર હોય છે અને તે તરત સીધી કરવાથી લાંબી (વક્રતા વિનાની) થઈ જાય તેમ સંજ્વલન માયાવાળાને સમજાવવા માત્રથી વક્રતા છોડી દે.
સંજ્વલન લોભ - હળદરના રંગ જેવો.
અર્થાત્ કપડાં ઉપર પડેલ હળદરનો પીળો ડાઘ તડકા-ધૂપ માત્રના યોગથી જલ્દી ચાલ્યો જાય એટલે કોઈપણની તૃષ્ણા થાય. મેળવવા પ્રયત્ન કરે, ન મળે તો સંતોષ માને છે.
આ કષાય પણ જીવનમાં ન રહે માટે દિવસમાં વારંવાર થયેલ અપરાધની ક્ષમાયાચનાનું ઈરિયાવહિયાદિનું આયોજન છે. હાસ્યાદિ ષકजस्सुदया होइ जीए, हासरई अरइ सोग भय कुच्छा । सनिमित्तमन्नहा वा, तं इह हासाइ मोहणीयं ॥ २१ ।।
શબ્દાર્થ : સનિમિત્તમ્ = નિમિત્તપૂર્વકનું, તે – તે, નહીં = બીજી રીતે, નિમિત્ત વિના, રૂઠું = અહીં
Page #118
--------------------------------------------------------------------------
________________
નોકષાયમોહનીયકર્મ
૯૫ ગાથાર્થ જે કર્મના ઉદયથી જીવને નિમિત્તથી કે નિમિત્ત વિના હાસ્ય રતિ-અરતિ, શોક-ભય અને દુર્ગછા થાય છે તે અહીં હાસ્યાદિ મોહનીય કર્મ છે. જે ર૧ |
વિવેચન : કષાયમહનીયકર્મનું વર્ણન કર્યું. હવે નોકષાયમોહનીયકર્મનું વર્ણન કરે છે. નોકષાય-કષાય નહિ પણ તેના સહચારી, તેને પ્રેરણા કરનાર, કષાયને ઉદીપન કરનાર, કષાયને વધારનારા, તે નોકષાય મોહનીય છે.
જે કષાયની સાથે રહીને પોતાનું ફળ બતાવે તે નોકષાય મોહનીય કહેવાય છે.
નિમિત્ત મળે ત્યાં નિમિત્તથી અને નિમિત્ત ન મળે ત્યારે નિમિત્ત વિના પણ જે ઉત્પન્ન થાય તે નોકષાય ચારિત્ર મોહનીય કર્મના ૯ ભેદ છે. જે પ્રથમના ૧૨ કષાયની સાથે ઉદયમાં રહીને ફળનો અનુભવ કરાવે છે અને સંજવલન કષાયનો ઉપશમ કે ક્ષય થતા પહેલાં નોકષાય ઉપશાંત કે ક્ષય થઈ જાય છે. માટે તે નોકષાય પ્રથમના બાર કષાયના સહચારી છે. જે મુખ્ય બે ભેદમાં વહેંચાયેલું છે.
(૧) હાસ્યાદિષક (૨) વેદત્રિક
(૧) હાસ્ય મોહનીય કર્મ : નિમિત્તથી કે નિમિત્ત વિના હસવું આવે તે હાસ્ય નોકષાય મો. કર્મ કહેવાય છે.
બાહ્ય કોઈપણ નિમિત્ત મળે જેમકે પ્રશંસા સાંભળવા મળે. સારી વસ્તુ જોવા મળે અગર એવા કોઈ નિમિત્ત ન હોવા છતાં પૂર્વના સારા ખરાબ પ્રસંગોની સ્મૃતિ થવાથી હાસ્ય ઉત્પન્ન થાય તે હાસ્ય મોહનીય કર્મ કહેવાય છે. અહીં નિમિત્ત વિના એટલે વર્તમાનમાં બાહ્યનિમિત્ત ન હોય પરંતુ પૂર્વનિમિત્ત યાદ આવવાથી હાસ્યાદિ થાય માટે નિમિત્ત વિના એમ કહ્યું.
Page #119
--------------------------------------------------------------------------
________________
૯૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
જ્યાં ગંભીરતાનો અભાવ હોય ત્યાં હાસ્ય ઉત્પન્ન થાય છે. જે હસે તે ખસે, અને ન હસે તે વસે. (લોકોક્તિ)
જે હસે તે આત્માના ઘરમાંથી મોહમાં ખસે અને જે ન હસે તે આત્માના ઘરમાં વસે. માટે મુનિ ભગવંતો કારણ વગર ક્યારેય પણ ન હસે.
હાસ્યાદિ થવામાં બાહ્ય નિમિત્ત હોય, કોઈવાર ન હોય પણ અત્યંતર નિમિત્ત તો હોય જ. લોકની દષ્ટિએ જે દેખાય તે બાહ્ય નિમિત્ત અને ન દેખાય તે અત્યંતર નિમિત્ત હાસ્યની ઉત્સુકતા લાવે છે..
રતિ-અરતિ-મોહનીય કર્મ :
અનુકૂળ પદાર્થો પ્રાપ્ત થતાં પ્રીતિ-પ્રમોદ થાય તે રતિ અને પદાર્થો પ્રાપ્ત ન થતાં અથવા પ્રતિકૂળ પદાર્થો પ્રાપ્ત થતાં ખેદ-અપ્રીતિ થાય તે અરતિ કહેવાય છે. તે બન્ને કર્મ સમભાવને રોકે છે.
શોક મોહનીય કર્મ :
પ્રિય વ્યક્તિ કે વસ્તુનો વિયોગ થવાથી અથવા અપ્રિય વ્યક્તિ કે વસ્તુનો સંયોગ થવાથી રડે-નિસાસા નાખે તે શોક મો. કર્મ કહેવાય છે. ભૂતકાળના દુઃખદ પ્રસંગ યાદ આવી જવાથી જે દુખોત્પાદક લાગણી ઉત્પન્ન થાય છે તે શોક મોહ. કર્મ કહેવાય છે. જે આત્માની શોકાતુરરહિતપણાની અવસ્થાને રોકે છે.
ભય મોહનીય કર્મ :
નિમિત્તથી કે નિમિત્ત વિના જીવ ઈહલોકભય વિગેરે સાત પ્રકારના ભયને પામે છે તે ભય મોહનીય કર્મ છે.
જુગુપ્સા મોહનીય કર્મ :
જેના ઉદયથી વસ્તુ કે વ્યક્તિ ઉપર દુર્ગછા-ધૃણા, તિરસ્કાર ઉત્પન્ન થાય તેને જુગુપ્સા મોહ. કર્મ કહે છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
વેદમોહનીયકર્મ
૯૭
મોહનીયકર્મ એટલે રાગ અને દ્વેષ. તેનું પૃથક્કરણ આ પ્રમાણે
રાગ
માયા
રાગ સ્વરૂપ
માન- ષિ સ્વરૂપ
ક્રોધ
લોભ શોક-અરતિ- દ્વેષ સ્વરૂપ હાસ્ય-રતિ રાગ સ્વરૂપ ભય-જુગુપ્સા હૈષ સ્વરૂપ ૩ વેદ રાગ સ્વરૂપ મિથ્યાત્વ મો. દ્વેષ સ્વરૂપ સમ્યકત્વ મો. રાગ સ્વરૂપ
મિશ્ર મો. રાગ સ્વરૂપ પ્રથમના ૧૨ કષાયની સાથે નોકષાયનો અવશ્ય ઉદય હોય. નોકષાયનો ઉદય થાય તો તેનાથી કષાય મોહ. નો ઉદય થાય. એકબીજા પરસ્પર પૂરક છે. જેમ વધારે પડતુ હસવાથી અન્ય વ્યક્તિને પોતાની અવજ્ઞા-મશ્કરી લાગે, તેનાથી ક્રોધાદિ કષાય ઉદયમાં આવે માટે. હાસ્યાદિ તે કષાયમોહનીયના ઉદીપકભાઈબંધ કહ્યા છે. पुरिसित्थि-तदुभयं पइ, अहिलासो जव्वसा हवइ सो उ । થ-નર-નપુડો , પહેમ-ત-નરિલાસનો | ૨૨ |
શબ્દાર્થ : સ્થિ = સ્ત્રી, મહિલા = અભિલાષા, નવ્યા = જે કર્મના વશથી, તો = તે કર્મ, મ = બકરીની લીંડી, વેડો = વેદનો ઉદય કહે છે, તળ = ઘાસનો અગ્નિ, તાદ = અગ્નિ, સમો = સરખો, નાર = નગર
ગાથાર્થ : પુરૂષ પ્રત્યે, સ્ત્રી પ્રત્યે અને બંને પ્રત્યે અભિલાષા જે કર્મના ઉદયથી થાય છે તે અનુક્રમે સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુંસકવેદ છે. તે અનુક્રમે બકરીની લીંડી, ઘાસ અને નગરના અગ્નિ જેવો છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
«
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
વિવેચન : વિજાતીય તરફ વિષયાભિલાષાની ઈચ્છા ઉત્પન્ન થાય તે વેદમોહનીય કર્મ કહેવાય છે. વેદ-લાગણીનું વેદન (અનુભવન) હાસ્યાદિ પક કરતાં વેદમાં લાગણીનું વદન સ્પષ્ટ અને લાંબો વખત સુધી થાય છે. એમાં તીવ્રતા અને આવેગ વધુ હોય છે. જેના ૩ ભેદ છે.
(૧) સ્ત્રીવેદ :
પુરૂષ પ્રત્યેની ઈચ્છા યાને પુરૂષ સાથે વિષયભોગની ઈચ્છા જે કર્મના ઉદયથી થાય તેને સ્ત્રીવેદ મોહનીય કર્મ કહે છે. સ્ત્રીવેદનો ઉદય બકરીની લીંડીના અગ્નિ જેવો છે. જેમ બકરીની લીંડીનો અગ્નિ ધીમે ધીમે સળગે તેમ પુરૂષના કરાદિના સ્પર્શથી સ્ત્રીનો કામાગ્નિ વધતો જાય છે. ઘણા કાળે શાંત થાય છે અને પુરૂષના સ્પર્શાદિ વિના સ્ત્રીનો કામાગ્નિ મંદ હોય છે. જેમ પિત્તના આવેગથી મધુર દ્રવ્ય વાપરવાની અભિલાષા થાય તેમ.
(૨) પુરુષવેદ :
સ્ત્રી પ્રત્યેની ઈચ્છા થાને સ્ત્રીની સાથે વિષયભોગની ઈચ્છા જે કર્મના વશથી થાય તે પુરુષવેદ મોહ. કર્મ કહેવાય છે. પુરુષવેદનો ઉદય તૃણના અગ્નિ જેવો છે. જેમ તૃણનો અગ્નિ એકદમ ભભૂકી ઉઠે અને થોડા કાળે શાંત થઈ જાય તેમ પુરુષ વેદના ઉદયથી સ્ત્રી પ્રત્યેની એકદમ ઈચ્છા થાય છે અને સ્ત્રીના સેવન પછી તરત શાંત થઈ જાય છે. એટલે વેદના ઉદયની પ્રબળતા ન રહે તો પણ વેદનો મંદ ઉદય તો કહેવાય. (હોય) જેમ શ્લેષ્મના આવેગવાળાને ખારા પદાર્થની અભિલાષા થાય તેમ.
(૩) નપુંસક વેદ :
પુરૂષ અને સ્ત્રી બંને સાથે વિષય ભોગવવાની ઈચ્છા જે કર્મના ઉદયથી થાય તેને નપુંસકવેદ કહેવાય છે. નપુંસક વેદનો ઉદય નગરના દાહ સરખો છે. જેમ નગરનો દાહ ઘણા લાંબા વખત સુધી શાંત થતો
Page #122
--------------------------------------------------------------------------
________________
આયુષ્યકર્મ
૯૯
નથી તેમ નપુંસક વેદનો ઉદય પણ જલ્દી શાંત થતો નથી, પરંતુ ઘણા સમયે શાંત થાય છે.
જેમ શ્લેષ્મ અને પિત્તના આવેગવાળાને મસ્જિકાની અભિલાષા થાય તેમ.
આ પ્રમાણે મોહનીયના ૨૮ ભેદનું વર્ણન કર્યું. આયુષ્યકર્મસુર-નર-તિનિયા, હરિવં નામવિત્તિસમું | बायाल-तिनवइविहं, तिउत्तरसयं च सत्तट्ठी ॥ २३ ॥
શબ્દાર્થ સરિસં = બેડી સરખું, વિત્તમ = ચિતારા જેવું, નિવવિદ્દ = ત્રાણું ભેદવાળું, તિરૂત્તરય = એકસો ત્રણ.
ગાથાર્થ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એમ ચાર પ્રકારનું આયુષ્યકર્મ બેડી જેવું છે. ચિતારા (ચિત્રકાર) જેવું નામકર્મ બેંતાલીસ, ત્રાણું, એકસો ત્રણ અને સડસઠ ભેદે છે. ૨૩ ! " વિવેચન : આયુષ્યકર્મ ૪ પ્રકારે છે. દેવાયુ, મનુષ્યાયુ, તિર્યંચાયુ, નરકાયુ.
આયુષ્યકર્મ બેડી સરખું છે. જેમ બેડીથી જકડાયેલો માણસ ગમે ત્યાં જઈ શકતો નથી. એક જ ઠેકાણે એક જ જગ્યાએ (ભવમાં) રહેવું પડે છે તેમ જે ભવનું આયુષ્ય ઉદયમાં હોય તેટલો સમય તે ભવમાં નિયત સમય સુધી રહેવું પડે છે. એટલે બેડી-કેદખાનાની મુદત સુધી રહેવું પડે. તેમ ભવમાં નિયતકાળ રહેવું. વધારે રહેવું હોય તો ય ન રહેવાય. આયુષ્ય હોય ત્યાં સુધી ભવમાં રહેવું જ પડે.
આ કર્મ બાકીના ૭ કર્મ કરતા ભિન્ન છે, વિચિત્ર છે. આ કર્મનો ઉદય જ્યાં સુધી ચાલતો હોય ત્યાં સુધી બીજા (જન્મમાં) જવાની ઈચ્છા હોય તો પણ ન જઈ શકે અને બીજે જવાની ઈચ્છા ન હોય પણ તે ભવનું
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
આયુષ્ય પૂર્ણ થાય અને આવતા ભવનું ઉદયમાં આવે તો ભવાન્તરમાં જબરજસ્તીથી જવું પડે છે. પોતાના ભવનું જ આયુ ભોગવાય. આગામી ભવનું આયુષ્યબંધ ચાલુ ભવમાં પોતાના આયુષ્યના ત્રીજે, નવમે, સત્તાવીશમે, એક્યાશીમે, બસો બેંતાલીસમે ભાગે અથવા તો છેલ્લા અંતમૂહૂર્તમાં બંધાય. પ્રાયઃ પર્વતિથિએ બંધાય અને સજાતિય આયુષ્ય હોય તો પણ મરણ પામીને અન્ય ભવમાં જવા વડે ભોગવાય. એક ભવમાં બે આયુષ્ય ન ભોગવાય.
આ આયુષ્યકર્મ બે પ્રકારે બંધાય છે.
(૧) અપવર્તનીય આયુષ્ય : જે આયુષ્ય બાંધ્યા પછી કોઈ ઉપઘાતાદિ લાગે અથવા ઘણા કાળમાં ભોગવવા યોગ્ય દલિયા થોડાં કાળમાં ભોગવાય તે અપવર્તનીય આયુષ્ય કહેવાય છે.
(૨) અનપવર્તનીય આયુષ્ય : જે આયુષ્ય બાંધ્યા પછી કોઈપણ પ્રકારનો ઉપઘાત લાગે તો પણ ઘટે નહિ. પૂર્ણ ભોગવાય તેને અનપવર્તનીય આયુષ્ય કહેવાય છે. અર્થાત્ જેટલા સમયનું આયુષ્ય કર્મ બાંધ્યું હોય તેટલા સમય સુધી ભોગવવું પડે તે.
દેવ-નારકી-યુગલિક તિર્યંચ-મનુષ્યો તદ્ભવ મોક્ષગામી જીવો તથા ત્રેસઠ શલાકા પુરૂષોનું અનાવર્તનીય આયુષ્ય હોય છે. બાકીના મનુષ્યોતિર્યંચોના આયુષ્ય બંને પ્રકારે હોય છે.
અનપવર્તનીય આયુષ્યમાં પણ સોપક્રમ અને નિરૂપક્રમ આયુષ્ય એમ બે ભેદ છે. સોપક્રમી આયુષ્ય પુરુ થતાં નિમિત્ત-ઉપક્રમ લાગે. અને નિરુપક્રમીમાં ઉપક્રમ ન થાય.
આ આયુષ્ય કર્મના ૪ ભેદ છે.
(૧) દેવાયું ઃ દેવભવમાં નિયતકાળ સુધી જકડી રાખે તે દેવાયુષ્ય. આ આયુષ્ય નિયત કાળ સુધી ભોગવવું પડે. અપવર્તના ન થાય. અનપવર્તનીય જ હોય.
Page #124
--------------------------------------------------------------------------
________________
આયુષ્યકર્મ
૧૦૧
(૨) મનુષ્યાયુષ્ય : મનુષ્યભવમાં નિયતકાળ સુધી રોકી રાખે તે મનુષ્પાયુષ્ય.
(૩) તિર્યંચાયુષ્ય : તિર્યંચભવમાં નિયતકાળ સુધી જકડી રાખે તેને તિર્યંચાયુષ્ય. મનુષ્યાય અને તિર્યંચાયુઃ અપવર્તનીય પણ હોય.
(૪) નરકાયુષ્ય : નરકભવમાં નિયતકાળ સુધી જકડી રાખે તેને નરકાયુષ્ય. દેવાયુષ્યની જેમ આ પણ અનપવર્તનીય છે.
આ ચાર આયુષ્યમાંથી દેવ-મનુષ્ય-તિર્યંચ એ ૩ આયુષ્ય પુણ્ય પ્રકૃતિરૂપ છે. અને એક નરક આયુઃ પાપપ્રકૃતિરૂપ છે. જો કે તિર્યંચગતિ પાપપ્રકૃતિ છે. પરંતુ તેને પણ મરવું ગમતું નથી. માટે તિ, આયુષ્ય પુણ્ય પ્રકૃતિ કહી છે.
પરંતુ નારકને પોતાના ભાવમાં રહેવાનું મન થતું નથી. તેથી પાપપ્રકૃતિ અને બાકીના ૩ આયુવાળાને મરવાનું મન થતું નથી. મરવું ગમતું નથી તેથી તે પુણ્યરૂપ કહ્યા છે.
નામકર્મ :
જેના ઉદયથી જીવ જુદા જુદા નામપણે બોલાવાય છે. એટલે નામકર્મથી જીવ મનુષ્ય-તિર્યંચ-એકે. બેઈ. સારા રૂપવાળો-કદરૂપો એવાં વિવિધ પ્રકારનાં નામરૂપે બોલાવાય તે નામકર્મ છે.
તે ચિત્રકાર જેવું છે. જેમ ચિત્રકાર સારાં-નરસાં (ખરાબ) ચિત્ર બનાવે તેમ આ કર્મના ઉદયથી જીવ સારો બેડોળ વિગેરે શરીરાદિવાળો થાય છે. આ રીતે તેના અલગ અલગ નામ થાય છે તે નામકર્મના જુદી જુદી રીતે ૪૨, ૬૭, ૯૩, ૧૦૩ ભેદ કહ્યા છે.
તે આ પ્રમાણે -
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૨
૭૫
O
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
નામકર્મના ભેદ પિંડ પ્રકૃતિ ૧૪ ૩૮ ૬૫ ૭૫ ત્રસાદિ ૧૦ ૧૦ ૧૦ ૧૦. સ્થાવરાદિ ૧૦ ૧૦ ૧૦ ૧૦. પ્રત્યેક ૮ ૮ ૮ _૮
૪૨ ૬૭ ૯૩ ૧૦૩ --તy-૩વંગ, વંથ-સંપાયન સંધયા | સંતા-વા-ધ-ર-રાસ-પુપુષ્યિ-વિહાલારૂં ૨૪ |
શબ્દાર્થ : તપુર્વ = શરીર અને અંગોપાંગ, સંધાયાળિ = સંઘાતન, વિહાર્ડ = વિહાયોગતિ.
ગાથાર્થ ઃ ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ-બંધન-સંઘાતન-સંઘપણસંસ્થાન-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આનુપૂર્વી-વિહાયોગતિ નામકર્મના (પિંડપ્રકૃતિના) મુખ્ય ભેદ છે. | ૨૪ //
વિવેચન : હવે નામકર્મ જણાવે છે તેના બેંતાલીસ ભેદ આ પ્રમાણે –
(૧) પિંડ પ્રકૃતિ : પેટા વિભાગવાળી પ્રકૃતિઓને પિંડપ્રકૃતિ કહેવાય છે. પિંડ એટલે સમૂહવાળી પ્રકૃતિ તે.
(૨) પ્રત્યેક પ્રકૃતિ જે પ્રકૃતિના કોઈ પેટાભેદ નથી તે પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે. તે બે પ્રકારે છે. (૧) સપ્રતિપક્ષ (૨) અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ.
(૩) સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ ઃ જે પ્રકૃતિને પોતાની વિરોધી પ્રકૃતિ છે તેને સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે. જેમ કે ત્રણપ્રતિપક્ષી-સ્થાવર વિગેરે એટલે ત્રણ દશક અને સ્થાવર દશક કુલ ૨૦ પ્રકૃતિ સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
નામકર્મ-પિંડપ્રકૃતિ
૧૦૩ (૪) અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ ઃ જે પ્રકૃતિને પોતાની કોઈ નથી અને કોઈ વિરોધી નથી તેને અપ્રતિપક્ષપ્રત્યેક પ્રકૃતિ કહે છે. જે ૮ છે. દા.ત. જિનનામ... અગુરુલઘુનામ...
પિંડપ્રકૃતિ :
(૧) ગતિ નામકર્મ : દેવપણું, નારકપણું વગેરે પર્યાયો જે કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય તે ગતિ નામકર્મ. તે- તે તિ તિઃ અથવા કર્મથી પ્રધાન જીવ વડે જે પર્યાયો પ્રાપ્ત કરાય તે - જે અવસ્થા મેળવાય તે ગતિ નામકર્મ કહેવાય છે.
(૨) જાતિ નામકર્મ એકેન્દ્રિયાદિ જાતિપણું જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય તે જાતિ નામકર્મ કહેવાય.
પ્રશ્ન : અહીં એક ઈન્દ્રિય-બે ઈન્દ્રિયો આ ઈન્દ્રિયો અંગોપાંગ નામકર્મથી અને ઈન્દ્રિય પર્યાપ્તિથી પ્રાપ્ત થાય છે.
ઈન્દ્રિય વડે વિષય ગ્રહણ કરવાપણાની શક્તિ તે જ્ઞાનાવરણીય દર્શનાવરણીયના ક્ષયોપશમથી થાય. તો જાતિનામકર્મનું ફળ શું ?
જવાબ : બરાબર છે. દ્રવ્યન્દ્રિયો કર્મના ઉદયથી અને ભાવઈન્દ્રિય કર્મના ક્ષયોપશમથી મળે છે. તો પણ લગભગ સમાન ચૈતન્યવાળા જીવોને એક શબ્દના વ્યવહાર (બોલવા) ના કારણરૂપ કર્મ તે જાતિનામ. જેમ સ્પર્શમાત્રને ગ્રહણ કરવાની ચૈતન્ય શક્તિ હોય તેવા જીવો એક ઈન્દ્રિયનો વિષય ગ્રહણ કરનાર હોવાથી તે એકેન્દ્રિય કહેવાય.
સ્પર્શ અને રસરૂપ વિષય ગ્રહણ કરવાના ચૈતન્ય શક્તિવાળા જીવોને બેઈન્દ્રિય કહેવાય. ઈત્યાદિ વિચારવું.
ન્યાયની પરિભાષામાં કહ્યું છે. વિવિધ કલરવાળા, નાના-મોટા, વિવિધ આકૃતિવાળા ઘડાઓમાં પટd (ઘટપણ) જાતિ કહેવાય. તેમ જુદા જુદા આકૃતિવાળા પરંતુ કંઈક સમાન ચૈતન્યપણાવાળાને એક જાતિવાળા કહેવાય. તેઓને એક શબ્દથી બોલવાના કારણરૂપ કર્મ તે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૩) શરીર નામકર્મ ઔદારિકાદિ વર્ગણાના બનેલા શરીરની પ્રાપ્તિ જે કર્મના ઉદયથી થાય તે શરીર નામકર્મ કહેવાય છે. શરીર એટલે “ીતે યત્ તત્ શરીરમ” નાશ પામવાના સ્વભાવવાળું હોય તે. શરીર હોય તે અવશ્ય નાશ પામે જ.
જીવ ઉત્પત્તિસ્થાનમાં આવી શરીર નામકર્મથી શરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે અને જે શરીર બનાવે તેમાં આત્મા તે શરીરમાં સર્વત્ર વ્યાપ્ત હોય.
(૪) અંગોપાંગ નામકર્મ ઃ ઔદારિકાદિ ત્રણ શરીરમાં અંગ, ઉપાંગ, અંગોપાંગોની પ્રાપ્તિ જે કર્મના ઉદયથી જીવને થાય તે અંગોપાંગ નામકર્મ કહેવાય છે. જોકે મુખ્ય હાથ-પગ-ઉર-ઉદર-પીઠ-છાતી-તે આઠ અંગ, તેના પેટા અવયવ આંગળી-નાક તે ઉપાંગ અને તેના પેટા અવયવ રેખા વિગેરે તે અંગોપાંગ, આમ અંગ-ઉપાંગ-અંગોપાંગની પ્રાપ્તિ કરાવનાર કર્મને અંગોપાંગ અંગોપાંગ નામકર્મ કહેવું જોઈએ. પરંતુ એકશેષ સમાસથી એક પદનો લોપ થવાથી અંગોપાંગ નામકર્મ કહેવાય. અહીં ગર્
ત્પત્તેરારખ્ય વ્યક્તીમતિ ગર્ભમાં ઉત્પન્ન થયા પછી અવયવો વ્યક્ત થાય છે. એટલે ૩૫+ ધાતુમાંથી અંગ-ઉપાંગ શબ્દ બન્યો.
(૫) બંધન : બંધ-જોડવું-સંબંધ કરવો-પૂર્વે ગ્રહણ કરેલ ઔદારિકાદિ પુદ્ગલોનો નવા ગ્રહણ કરાતા ઔદારિકાદિ પુદ્ગલો સાથે જે કર્મના ઉદયથી જોડાણ થાય તેને બંધન નામકર્મ કહે છે. તે રાળલાખ-કેમીકલ્સ જેવું કામ કરે છે. તેથી તેને રાળ જેવું કહ્યું છે.
(૬) સંઘાતન નામકર્મ : 8 + હમ્ – એકઠું કરવું.
ઔદારિકાદિ પુલોને એકઠા કરી આપે તેને સંઘાતન નામકર્મ કહે છે. “
બિત પાત” સૂત્રથી હસ્ નો ઘાત થયો સંઘાતન. પ્રશ્ન : શરીર નામકર્મથી શરીરને યોગ્ય પુગલો ગ્રહણ થાય છે. એટલે એકઠા પણ થાય તો શરીર નામકર્મથી સાધ્ય હોવા છતાં
Page #128
--------------------------------------------------------------------------
________________
નામકર્મ-પિંડપ્રકૃતિ
સંઘાતન નામકર્મની શું જરૂર ?
જવાબ ઃ શરીર નામકર્મથી ઔદારિક આદિ પુદ્ગલોને ગ્રહણ કરવા અને એકઠા કરવામાં શરીર નામકર્મથી સિદ્ધ હોવા છતાં શરીરની રચનાને અનુરૂપ પુદ્ગલો ગ્રહણ કરવામાં સંઘાતન નામકર્મ કહ્યું છે.
૧૦૫
(૭) સંઘયણ નામકર્મ : શરીરમાં હાડકાંની રચના જે કર્મના ઉદયથી થાય તે. આ હાડકાંની રચના ઔદારિક શરીરમાં જ હોય છે. કારણ કે ઔદારિક શરીર સાત ધાતુનું બનેલ હોય છે. સ+હન્ – દ્રઢ કરવું, શરીરના પુદ્ગલો જે કર્મ વડે દ્રઢ કરાય તે સંઘાતન.
(૮) સંસ્થાન : શરીરની આકૃતિ-આકાર સારો-બેડોળ વિગેરે મળે તે સંસ્થાન નામકર્મ.
(૯) થી (૧૨) વર્ણ-ગંધ-રસ-સ્પર્શ : જે કર્મના ઉદયથી જીવને શરીર અને શરીરના અવયવોમાં શુભ કે અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિ પ્રાપ્ત થાય તેને વર્ણ-ગંધ-રસ-સ્પર્શોદિ નામકર્મ કહેવાય છે. વર્યંતે રૂતિવર્ણ: જેનાથી શરીર અલંકૃત કરાય તે વર્ણ નામકર્મ, તે પ્રમાણે આધ્રાયતે કૃતિ જાન્ય:, રસ્યતે કૃતિ રસઃ, સ્પૃશ્યતે રૂતિ સ્પર્શ:
(૧૩) આનુપૂર્વી : ભવાંતરમાં સીધા જતા જીવને આકાશ પ્રદેશની શ્રેણી પ્રમાણે ઉત્પત્તિસ્થાન તરફ વાળે, કાટખૂણની જેમ વક્રતા કરાવે તેના કારણભૂત કર્મ તે આનુપૂર્વી નામકર્મ.
જેમ સીધા જતા બળદને ગલીમાં-ખાંચામાં વાળવો હોય તો નાકની દોરી તે તરફ કરવાથી વળે છે તેમ.
(૧૪) વિહાયોગતિ : વિહાયસા ગતિઃ - આકાશમાં શુભ કે અશુભ ચાલ-ગતિ જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય તેને વિહાયોગતિનામકર્મ કહે છે. જો કે ચૌદ રાજલોકમાં જીવ જ્યાં ગતિ કરે ત્યાં બધે આકાશ છે. તો પણ વિહાયસ્ શબ્દ મુકવાનું કારણ નામકર્મની પ્રથમ પ્રકૃતિથી
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથઆ કર્મ છૂટું પાડવા માટે છે. અર્થાત્ ગતિનામ એટલું કહેવાથી પુનરુક્તિ દોષ આવે માટે, આ પ્રમાણે આ ચૌદ પિંડપ્રકૃતિઓ છે. पिंडपयडित्ति चउदस, परधा-उसास आयवुजोअं । अगुरुलहु तित्थ निमिणो-वधायमिअ अट्ठ पत्तेआ ॥ २५ ॥
શબ્દાર્થ : પરકા = પરાઘાત, કાયવ = આતપ.
ગાથાર્થ : પિંડ પ્રકૃત્તિઓ ૧૪ છે. પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર નામ, નિર્માણ, ઉપઘાત-એમ આઠ પ્રત્યેક પ્રકૃતિઓ છે. તે ૨૫ /
વિવેચન : પિંડ પ્રકૃતિ ૧૪ છે. પિંડ એટલે સમૂહ. જેમાં પેટા પ્રકૃતિનો સમૂહ છે. અવાન્તર ભેદોવાળી છે તે પિંડ પ્રકૃત્તિઓ ૧૪ અને તેના ઉત્તરભેદો આગળ કહેવામાં આવશે. હવે પ્રત્યેક પ્રકૃત્તિ કહે છે. આ ગાથામાં અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિઓ કહેલ છે. આ પ્રવૃતિઓનું વર્ણન આગળ બતાવવામાં આવશે.
तस-बायर-पज्जत्तं, पत्तेय-थिरं सुभं च सुभगं च । सुसराइज्जजसं, तसदसगं थावरदसं तु इमं ॥ २६ ॥
શબ્દાર્થ : સુમi = સૌભાગ્ય, માફિઝ = આદેય, તુ = વળી, રૂH = આ પ્રમાણે છે.
ગાથાર્થ : ત્રસદશક કહે છે. ત્રણ-બાદર-પર્યાપ્તા-પ્રત્યેક-સ્થિરશુભ-સુભગ (સૌભાગ્ય) - સુસ્વર - આદેય - યશનામ આ ત્રસદશક છે. વળી (તેનાથી વિપરીત) સ્થાવર દશક આ પ્રમાણે છે. પરદા
વિવેચન : ત્રસદશક - ત્રસ નામકર્મ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, આદેય, યશનામકર્મ.
અહીં દરેક નામની પાછળ નામકર્મ જોડવું અને બોલવું, સમજવું.
Page #130
--------------------------------------------------------------------------
________________
નામકર્મ-પ્રત્યેકપ્રકૃતિ
થાવર-મુહુમ-અપભ્રં, સાહારળ-અથિર-અસુમ-સુભાળિ। તુસ્સર-ળાફના નસ-મિત્ર, નામે મેયર વીસ ।। ૨૭ ।।
દૌર્ભાગ્ય, દુસ્તર
શબ્દાર્થ : જુમાળિ અનાદેય, અનસં = અપયશ.
=
=
દુઃસ્વર, ગાર્ડ્મા =
ગાથાર્થ : સ્થાવર દશક - સ્થાવર-સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણઅસ્થિર-અશુભ-દૌર્ભાગ્ય-દુઃસ્વર-અનાદેય-અપયશ એમ પ્રતિપક્ષી સહિત ૨૦ પ્રકૃતિઓ છે. ॥ ૨૭ ॥
૧૦૭
વિવેચન : શુભ ત્રસદશક અને અશુભ સ્થાવર દશક એમ બંને પ્રતિપક્ષી મળીને ૨૦ પ્રકૃતિ થાય છે.
તમવડ-થિરછી, અથિરછી-સુહુમતિ”-થાવરવડી । સુમતિયાજ્ઞવિમાસા, તયાસંપ્રાäિ પયડીહિં ।।૨૮।।
શબ્દાર્થ : તલવડ = ત્રસચતુષ્ક, થિરછ‚ = સ્થિરષટ્ક, સુહુમતિ। = સૂક્ષ્મત્રિક, આર્ = આદિ, વિમાસા = સંજ્ઞાઓ, તયારૂ રાખીને.
તે આદિમાં
નામકર્મ.
=
ગાથાર્થ : ત્રસ ચતુષ્ક, સ્થિરષટ્ક, અસ્થિર ષટ્ક, સૂક્ષ્મત્રિક, સ્થાવરચતુષ્ક, સૌભાગ્યત્રિકાદિ સંજ્ઞાઓ તે તે પ્રકૃતિ આદિમાં રાખીને તેટલી સંખ્યાવડે જાણવી. || ૨૮ ||
વિવેચન : અહીં બંધ-ઉદય અને સત્તા સમજાવવામાં પ્રકૃતિઓના નામ વારંવાર કહેવાં ન પડે તેથી કેટલીક ઉપયોગી સંજ્ઞાઓ આ પ્રમાણે બતાવેલ છે.
ત્રસ ચતુષ્ક : ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક નામકર્મ.
સ્થિર ષટ્ક ઃ સ્થિર-શુભ-સૌભાગ્ય-સુસ્વર-આદેય-યશ નામકર્મ. અસ્થિર ષટ્ક : અસ્થિર-અશુભ દૌર્ભાગ્ય-દુઃસ્વર-અનાદેય-અપયશ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સૂક્ષ્મત્રિક : સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ. સ્થાવરચતુષ્ક : સ્થાવર-સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ... સુભગત્રિક (સૌભાગ્યત્રિક) : સૌભાગ્ય-સુસ્વર-આદેય.
વનવત-સમુદુિષક, તમાડ઼-ટુ-તિ-ચ-છમિન્નાડું । રૂમ અનાવિવિમાસા, તયારૂસંઘાહિઁ પયડીહિં || ૨૦ ||
શબ્દાર્થ : ફારૂં બીજી પણ (અન્ય પણ).
=
ઇત્યાદિક, જ્ઞ
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ગાથાર્થ : વર્ણચતુષ્ક-અગુરુલઘુ ચતુષ્ક-ત્રસાદિદ્ધિક-ત્રિક-ચતુષ્કષટ્ક ઈત્યાદિક તથા અન્ય પણ સંજ્ઞાઓ તે તે પ્રકૃતિ આદિમાં રાખીને તેટલી સંખ્યાવાળી પ્રકૃતિઓ વડે જાણવી. ॥ ૨૯ ॥
વિવેચન : વર્ણ ચતુષ્ક :- વર્ણ-ગંધ-રસ-સ્પર્શ નામકર્મ.
:
उत्तरभेअ
-
=
એ પ્રમાણે, અન્નાવિ
અગુરુલઘુચતુષ્ક : અગુરુલઘુ-ઉપઘાત-પરાઘાત-ઉચ્છ્વાસ નામકર્મ. ત્રસદ્ધિક : ત્રસ-બાદર નામકર્મ.
ત્રસત્રિક : ત્રસ-બાદર-પર્યાપ્તા નામકર્મ.
ત્રસચતુષ્ક : ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક નામકર્મ. ત્રસષટ્ક : ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ નામકર્મ.
આ પ્રમાણે આ અને બીજી પણ સંજ્ઞાઓ તે તે પ્રકૃતિઓ આદિમાં રાખીને તેટલી સંખ્યાથી જાણવી. તેમજ બીજી પણ સંજ્ઞાઓ આગળ કહેવામાં આવશે.
=
માયાળ ૩ મસો, ૨૩-પળ-પળ-તિપળ-પંચ-છ-છન્ન । પા-તુા-પા-ટુ-ચડ-ટુા-ગ ઉત્તમેઞ પળસટ્ટી ।। ૩૦ ॥
શબ્દાર્થ : ગાળ ઉત્તરભેદ, પળસટ્ટી
=
ગતિ આદિના, મો
પાંસઠ..., ઞ
=
=
=
અનુક્રમે,
એ પ્રમાણે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૯
નામકર્મ-સંજ્ઞાઓ
ગાથાર્થ : ગતિ આદિના અનુક્રમે ચાર-પાંચ-પાંચ-ત્રણ-પાંચપાંચ-છ-છ-પાંચ-બે-પાંચ-આઠ-ચાર-બે એ પ્રમાણે ચૌદ પિંડ પ્રકૃતિના ઉત્તરભેદ પાંસઠ છે. || ૩૦ ||
વિવેચન : નામકર્મમાં ચૌદપિંડ પ્રકૃતિઓના ૬૫ ભેદ બતાવ્યા છે તેના ઉત્તરભેદ આ પ્રમાણે છે.
(૧) ગતિ નામકર્મ ૪ ભેદવાળું છે. (૨) જાતિ નામકર્મ ૫ ભેદવાળું છે. (૩) શરીર નામકર્મ ૫ ભેદવાળું છે. (૪) ઉપાંગ નામકર્મ ૩ ભેદવાળું છે. (૫) બંધન નામકર્મ ૫ ભેદવાળું (૬) સંઘાતન નામકર્મ ૫ ભેદવાળું છે. (૭) સંઘયણ નામકર્મ ૬ ભેદવાળું છે. (૮) સંસ્થાન નામકર્મ ૬ ભેદવાળું છે. (૯) વર્ણ નામકર્મ ૫ ભેદવાળું છે. (૧૦) ગંધ નામકર્મ ૨ ભેદવાળું છે. (૧૧) રસ નામકર્મ ૫ ભેદવાળું છે. (૧૨) સ્પર્શ નામકર્મ ૮ ભેદવાળું છે. (૧૩) આનુપૂર્વી નામકર્મ ૪ ભેદવાળું છે. (૧૪) વિહાયોગતિ નામકર્મ ૨ ભેદવાળું છે.
કુલ ૬૫ ભેદ થાય છે. આ રીતે ૧૪ પિંડ પ્રકૃત્તિના કુલ ૬૫ ઉત્તરભેદ છે. अडवीसजुआ तिनवई, संते वा पनरवंधणे तिसयं । વંથ-સંથાયદો, તપૂણુ સામનવનાર છે રૂ8 |
શબ્દાર્થ : તિનવર્ડ = ત્રાણું, તે = સત્તામાં, પનરવંધ = પંદર બંધન, તિર્થ = એકસો ત્રણ, ચાહો = સમાવેશ, સામન = સામાન્યથી.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ગાથાર્થ તે પાંસઠમાં અઠ્યાવિસ પ્રકૃત્તિ ઉમેરવાથી નામકર્મની ત્રાણુ પ્રકૃતિ થાય અથવા સત્તામાં પંદર બંધન ગણીએ તો એકસો ત્રણ પ્રકૃતિ સત્તામાં હોય, તેમજ બંધન અને સંઘાતન શરીરમાં ગ્રહણ કરીએ અને વર્ણચતુષ્ક સામાન્યપણે ગણીએ. (નામની ૬૭ થાય.) ૩૧
વિવેચનઃ આગળની ગાથાની ૬૫ પ્રકૃતિમાં ત્રણ દશક-સ્થાવર દશક-પ્રત્યેક આઠ આ અઠ્ઠાવિસ પ્રકૃત્તિઓ ઉમેરવાથી કુલ ૯૩ પ્રકૃત્તિ થાય છે તે આગળ પણ સમજાવેલ છે.
પાંચ બંધનને બદલે ૧૫ બંધન ગણવાથી ૧૦૩ પ્રકૃતિ થાય છે. ૯૩ અને ૧૦૩ પ્રકૃતિઓ સત્તામાં હોય છે.
બંધન અને સંઘાતનને શરીરમાં અંતર્ગત કરવાથી ૨૦ પ્રકૃતિ ઓછી થાય. વર્ણાદિ ૨૦માંથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શને સામાન્યપણે, ગણવાથી ૧૬ ઓછી થાય. આ રીતે ૧૦૩ પ્રકૃતિમાંથી ૩૬ પ્રકૃતિઓ ન્યુન કરવાથી નામકર્મની ૬૭ પ્રકૃતિઓ બંધ-ઉદયમાં જાણવી.
અહીં બંધન નામકર્મ અએ સંઘાતન નામકર્મ શરીરમાં અંતર્ગત ગણેલ છે. અને વર્ણાદિના ઉત્તરભેદની વિવક્ષા કરી નથી. इअ सत्तट्ठी बंधोदए अ, न य सम्ममीसया बंधे । बंधुदए सत्ताए, वीस-दुवीसट्ठवण्णसयं ॥ ३२ ॥
શબ્દાર્થ : સુવીર = બાવીશ, માર્ચ = એકસો અઢાવન.
ગાથાર્થ : એ પ્રમાણે નામકર્મની સડસઠ પ્રકૃતિઓ બંધ-ઉદયઉદીરણામાં હોય છે. સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય બંધમાં ન હોય. એટલે બંધમાં આઠ કર્મની એકસો વીશ - ઉદયમાં એકસો બાવીસ અને સત્તામાં એકસો અઠ્ઠાવન પ્રકૃત્તિ હોય છે. તે ૩૨ /
વિવેચન : નામકર્મની આ સડસઠ પ્રકૃતિઓ બંધ-ઉદય-ઉદીરણામાં
Page #134
--------------------------------------------------------------------------
________________
નામકર્મ-બંધાદિમાં સંખ્યા
૧૧૧ હોય છે. અને નામકર્મની ૧૦૩ પ્રકૃતિમાં સત્તામાં હોય, તેથી સત્તામાં આઠ કર્મની ૧૫૮ પ્રકૃતિઓ જાણવી.
સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય બંધમાં ન હોય. બંધમાં તો મિથ્યાત્વમોહનીય બંધાય. તે મિથ્યાત્વમોહનીયના વિશુદ્ધ અને અર્ધશુદ્ધ બનાવેલ દળિયા તે સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય કહેવાય છે.
તેથી મોહનીયની ૨૬, નામકર્મની ૬૭, શેષ ૬ કર્મની ૨૭ કુલ ૧૨૦ પ્રકૃતિઓ બંધમાં હોય.
મોહનીયની ૨૮, નામકર્મની ૬૭, શેષ ૬ કર્મની ૨૭ કુલ ૧૨૨ પ્રકૃતિઓ ઉદય અને ઉદીરણામાં હોય.
મોહનીયની ૨૮, નામકર્મની ૯૩/૧૦૩, શેષ ૬ કર્મની ૨૭ કુલ ૧૪૮/૧૫૮ પ્રકૃત્તિઓ સત્તામાં હોય.
૮ કર્મનો બંધ-ઉદય-ઉદીરણા-સત્તાનો કોઠો
બંધ ઉદય ઉદીરણા સત્તા જ્ઞાના. ૫ ૫ ૫ ૫ ૫ દર્શ. ૯ ૯ ૯ ૯ ૯ વેદ. ૨ ૨ ૨ ૨ ૨ મોહ. ૨૬ ૨૮ ૨૮ ૨૮ ૨૮ આયુ. ૪ ૪ ૪ ૪ ૪ નામ ૬૭ ૬૭ ૬૭ ૯૩ ૧૦૩ ગોત્ર ૨ ૨ ૨ ૨ ૨ અંત ૫ ૫ ૫ ૫ ૫ કુલ ૧૨૦ ૧૨૨ ૧૨૨ ૧૪૮ ૧૫૮
અહીં બંધ-ઉદય અને ઉદીરણામાં નામકર્મના ૬૭ ભેદ કહ્યા છે તે આ પ્રમાણે -
જ ૨ ૧
Page #135
--------------------------------------------------------------------------
________________
y me I mu w o o o od
૧૧૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ (૧) પિંડ ૩૯ પિંડના ૩૯ ભેદ આ પ્રમાણે (૨) ત્રસાદિ ૧૦ (૧) ગતિનામના ૪ (૩) સ્થાવરાદિ ૧૦ (૨) જાતિનામ ૫ (૪) પ્રત્યેક ૮ (૩) શરીરનામ
૬૭. (૪) આંગોપાંગ બંધન સંઘાતન બંધમાં ગણેલ (૫) સંઘયણ નથી. શરીરમાં અંતર્ગત (૬) સંસ્થાન વિવક્ષેલ છે. વર્ણાદિ (૭) વર્ણનામ સામાન્યપણે ગણેલ છે. (૮) ગંધનામ
(૯) રસનામ (૧૦) સ્પર્શનામ (૧૧) આનુપૂર્વી ૪ (૧૨) વિહાયોગતિ ૨
કુલ ૩૯ નિર-તિરિનર-સુર, ૩-વિ-તિ-૨૩-પૉટ્રિ-ગાડું ओराल-विउव्वाहारग, तेअ-कम्मण पण-सरीरा ॥ ३३ ॥
શબ્દાર્થ : નાગો = જાતિઓ, પળ-શરીફા = પાંચ શરીરો.
ગાથાર્થ : નરકગતિ-તિર્યંચગતિ-મનુષ્યગતિ-દેવગતિ (એ ચાર પ્રકારે ગતિનામકર્મ) એકેન્દ્રિય જાતિ-બેઈન્દ્રિય જાતિ-ઈન્દ્રિય જાતિચઉરિન્દ્રિય જાતિ-પંચેન્દ્રિય જાતિ (પાંચ પ્રકારે જાતિ નામકર્મ છે.) ઔદારિક શરીર-વૈક્રિય શરીર, આહારક શરીર, તૈજસ શરીર અને કાર્પણ શરીર નામકર્મ એ પાંચ પ્રકારે શરીર નામકર્મ છે. આ ૩૩ .
વિવેચન : ૧૪ ડિપ્રકૃત્તિના ૬૫ ઉત્તરભેદ ક્રમવાર વિસ્તારથી બતાવે છે.
(૧) ગતિનામકર્મ ઃ (૧) ગમન કરાય-પ્રાપ્ત કરાય તે ગતિ.
Page #136
--------------------------------------------------------------------------
________________
ગતિનામકર્મની વ્યાખ્યા
૧૧૩ (૨) એક ભવમાંથી બીજા ભવમાં લઈ જાય, સ્થળાંતર કરાવે તે ગતિ.
(૩) તથાપ્રકારના કર્મપ્રધાન જીવ વડે જે પ્રાપ્ત કરાય તે ગતિનામકર્મ.
(૪) ભવને અનુરૂપ પર્યાયની પ્રાપ્તિ કરાય છે.
જો કે સર્વ પર્યાયો કર્મપ્રધાન જીવ વડે જ પ્રાપ્ત કરાય છે. તો પણ ભવને યોગ્ય પ્રતિનિયત પર્યાયની પ્રાપ્તિમાં ગતિનામકર્મ કારણ છે.
(૧) નરકગતિ નામકર્મ ઃ (૧) પાપાન નરીન પત્તોપમાર્થ #ાતિ તિ નર: (૨) અતિશય દુઃખ ભોગવવાનું જે સ્થાન તે નરક, જે કર્મના ઉદયથી જીવ વડે નરકપણું પ્રાપ્ત કરાય તે નરકગતિ નામકર્મ.
(૩) જે ગતિ મળે તે ગતિને અનુરૂપ સંયોગો અને પરિસ્થિતિ પ્રાપ્ત કરાય છે. એટલે જીવ નરકગતિ પામે તો નરકગતિને યોગ્ય શરીર અંગોપાંગ, સંસ્થાન, વર્ણાદિ પર્યાય મેળવે, તે માટે નરક ભવને યોગ્ય પર્યાય મેળવાય તે નરકગતિનામ કર્મ.
(૨) તિર્યંચગતિ નામકર્મ ઃ (૧) તિર: મતિ (૨) તીર્જી વક્ર ચાલવાના સ્વભાવપણાનો ભવ પ્રાપ્ત કરાય, તે સ્થાન - એવું તિર્યચપણું પ્રાપ્ત થાય તે તિર્યંચગતિ નામકર્મ (૩) વક્ર સ્વભાવપણું, વિવેકરહિતપણું પ્રાપ્ત કરાય તે તિર્યંચગતિનામકર્મ.
(૩) મનુષ્યગતિ નામકર્મ ઃ (૧) મનુષ્યને યોગ્ય પર્યાય પ્રાપ્ત કરાય તે (૨) પરોપકારપણું, માનવતાપણું, બુદ્ધિપણું આદિ ગુણવાળા ભવના પર્યાયો મેળવાય તે. (૩) વિવેકાણાવાળા સરલપણાના ગુણવાળા ભવની પ્રાપ્તિ કરાય છે.
(૪) દેવગતિ નામકર્મ ઃ (૧) સુખ ભોગવવાનું જે સ્થાન એવું દેવપણું-જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય તે દેવગતિ નામકર્મ. (૨)
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
રીતિ-જાતિ-રમવાના સ્વભાવવાળા-ક્રીડા કરવાના સ્વભાવવાળાઆનંદ કરવાના સ્વભાવવાળા-ભવને યોગ્ય પર્યાય-અવસ્થા મેળવાય તે. (૩) સુડ્ડ રનને રૂતિ સુર:-દિવ્ય આભરણના સમૂહથી, પોતાના શરીરની કાન્તિથી જે શોભે તે સુર-દેવ-તેવો ભવ મેળવાય તે દેવગતિનામકર્મ.
(૨) જાતિનામકર્મ : એકેન્દ્રિયાદિ શબ્દ વડે બોલાવવાના કારણરૂપ કર્મ તે. એટલે સમાન બાહ્ય પરિણતિવાળા જીવોને એક શબ્દના વ્યવહારના કારણરૂપ કર્મ તે.
(૧) એકેન્દ્રિયજાતિનામકર્મ સ્પર્શરૂપ એક જ ઈન્દ્રિયની પ્રાપ્તિ રૂપ અલ્પ ચૈતન્યવાળા જીવોને એકેન્દ્રિય શબ્દના બોલાવવાના કારણરૂપ કર્મ તે એકેન્દ્રિયજાતિનામકર્મ કહે છે.
(૨) બેઈન્દ્રિયજાતિનામકર્મ ઃ (૧) સ્પર્શ અને રસન એમ બે ઈન્દ્રિયની પ્રાપ્તિરૂપ (એકેન્દ્રિય કરતાં વધારે) ચૈતન્યવાળા જીવને બેઈન્દ્રિયપણા શબ્દના કારણરૂપ કર્મ તે બેઈન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય છે. દા.ત. શંખ-કોડા....
(૨) સ્પર્શન અને રસન એમ બે ઈન્દ્રિય દ્વારા બોધરૂપ સમાન ચૈતન્યવાળા ભિન્ન-ભિન્ન આકૃતિવાળા જીવોને બેઈન્દ્રિય શબ્દથી બોલાવવાના કારણરૂપ કર્મ.
(૩) તેઈન્દ્રિયજાતિનામકર્મ ત્રણ ઈન્દ્રિયની પ્રાપ્તિરૂપ સમાન ચૈતન્યવાળી અવસ્થાવાળા ભિન્ન ભિન્ન આકૃતિવાળા જીવોને તેઈન્દ્રિય શબ્દથી વ્યવહાર કરવાના કારણરૂપ કર્મ તેઈન્દ્રિયજાતિનામકર્મ. દા.ત. કીડી, મંકોડા...
(૪) ચઉરિન્દ્રિયજાતિનામકર્મ : પંચેન્દ્રિયથી હીન અને તેઈન્દ્રિયથી અધિક ચૈતન્યવાળી ચાર ઈન્દ્રિયની પ્રાપ્તિથી પરસ્પર સમાન ચેતનાના વ્યાપારવાળા ભિન્ન ભિન્ન આકૃતિવાળાને ચઉરિન્દ્રિય શબ્દના બોલાવવાના કારણરૂપ કર્મ.
Page #138
--------------------------------------------------------------------------
________________
જાતિનામકર્મના અર્થ
(૫) પંચેન્દ્રિયજાતિનામકર્મ : અન્ય જીવો કરતાં સૌથી વધુ ચૈતન્યની પ્રાપ્તિ-યાને પાંચે પાંચ ઈન્દ્રિયની પ્રાપ્તિ જે કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય તેને પંચેન્દ્રિય જાતિ નામકર્મ કહે છે. દા.ત. મનુષ્ય, તિર્યંચ, દેવ, નારક...
૧૧૫
સર્વથી અધિક ચૈતન્યવાળા, પાંચ ઈન્દ્રિયની પ્રાપ્તિથી સામાન્યથી પરસ્પર સમાન ચૈતન્યના વ્યાપારવાળા ભિન્ન ભિન્ન આકૃતિવાળાને પંચેન્દ્રિય શબ્દના કારણરૂપ કર્મ.
(૩) શરીર નામકર્મ :
( १ ) शीर्यते यत् तच्छरीरम्
(૨) નાશ પામવાના સ્વભાવવાળું જે હોય તેને શરીર કહેવાય. જેમ જેમ શરીર વૃદ્ધિ પામે તેમ તેમ આત્મપ્રદેશો જ્યાં વિસ્તાર પામે તેને શરીર કહેવાય છે.
પ્રતિક્ષણે પુદ્ગલો ઉપચયે-અપચયે કરીને જે ક્ષય થાય-જીર્ણ થાય તે શરીર, વધે-ઘટે તે શરીર. તે શરીર જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય તે શરીર નામકર્મ. તે પાંચ પ્રકારે છે.
(૧) ઔદારિકશરીરનામકર્મ : ઔદારિક વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરી ઔદારિકપણે પરિણમાવીને જીવપ્રદેશો સાથે પરસ્પર એકાકાર રૂપે જોડે તે ઔદારિક શરીર નામકર્મ.
ઔદારિક શરીર એટલે સ્થૂલ ઉદાર (પ્રધાનપણાના ગુણવાળું શરીર), “ઉત્તમ’', ‘‘શ્રેષ્ઠ”, “ઊંચું’
(૧) ‘‘સ્થૂલ’’-સ્થૂલપણાના ગુણવાળું શરી૨ સ્થૂલ વર્ગણાનું બનેલું એટલે પુદ્ગલો બીજા શરીરની વર્ગણા કરતાં ઓછા અને રચના સ્થૂલ તે. (૨) ઉત્તમ-તીર્થંકર-ગણધર ભગવંતો આદિ ૬૩ શલાકા પુરૂષોઉત્તમ પુરૂષોને આ શરીર હોવાથી તે ‘ઉત્તમ' કહેવાય.
Page #139
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૩) અનુત્તરવાસી દેવો કરતાં તીર્થંકર કે ગણધર ભગવંતોનું શરીર અત્યંત તેજસ્વી હોવાથી શ્રેષ્ઠ.
૧૧૬
(૪) ઊંચું - જે શરીર બધાથી ઊંચાઈમાં મોટું હોય તે ઉંચું કહેવાય છે.
આ શરીરની અવગાહના વનસ્પતિકાયની અપેક્ષાએ હજાર યોજનથી કાંઈક અધિક છે. વૈક્રિયની વધારેમાં વધારે ૫૦૦ ધનુષ, આહારક શરીરની મુંડા હાથ જેટલી છે, જ્યારે જલચરનું ઔદારિક શરીર એક હજાર યોજન અને પ્રત્યેક વનસ્પતિકાયની એક હજાર યોજનથી અધિક અવગાહના છે માટે.
(૫) ઉદાર (પ્રધાન) :
જે શરી૨ પ્રધાન હોય તે ઔદારિક કહેવાય છે. ઉદાર=પ્રધાન (મુખ્ય). ચારિત્ર અને મોક્ષપ્રાપ્તિ આ શરીરથી હોવાથી પ્રધાન-ઉદારઉદારતા ગુણવાળું છે.
ઔદારિક પુદ્ગલોનું બનેલું ઔદારીક શરીર મનુષ્ય અને તિર્યંચને સ્વાભાવિક રીતે હોય છે... આ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજનથી કાંઈક અધિક છે અને જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ નિગોદ આદિની અપેક્ષાએ છે.
(૨) વૈક્રિય શરીર નામકર્મ :
(૧) વૈક્રિય વર્ગણાનું બનેલ શરીર મેળવાય તે.
(૨) વૈક્રિય શરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી વૈક્રિયપણે પરિણમાવી જીવપ્રદેશો સાથે પરસ્પર એકાકાર રૂપે જે જોડે તેને વૈક્રિય શરીર નામકર્મ.
(૩) એક થાય-અનેક થાય-નાનું થાય-મોટું થાય-ખેચર થાયભૂચર થાય-દૃશ્ય થાય-અદૃશ્ય થાય. આમ વિવિધ પ્રકારની ક્રિયા કરી
Page #140
--------------------------------------------------------------------------
________________
શરીરનામકર્મના અર્થ
શકાય તેવું શરીર મેળવાય તે. તે બે પ્રકારે છે. (૧) ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર અને (૨) લબ્ધિ (ગુણ) પ્રત્યયિક વૈક્રિય શરીર.
(૧) ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર :
૧૧૭
દેવ અને નારકીને ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર હોય છે. આ શરીરને પ્રાપ્ત કરવામાં ભવ મુખ્ય કારણ હોવાથી ભવ પ્રત્યયિકવૈક્રિયશરીર કહેવાય છે. પંખીને જેમ ભવથી જ ઉડવાની શક્તિ મળે છે, માછલીને જેમ ભવથી જ તરવાની શક્તિ મળે છે તેમ દેવ-નારકોને ભવથી જ વૈક્રિય શરીર શક્તિ મળે છે. સાથે સાથે ઉત્તર વૈક્રિય શરીર બનાવવાની પણ શક્તિ હોય છે.
ઉત્તર વૈક્રિય શરીર : મૂળ શરીરથી ભિન્ન કૃત્રિમ વૈક્રિય શરીર બનાવવું તે ઉત્તર વૈક્રિય શરીર કહેવાય છે.
દેવ અને નારકો તેમજ વૈક્રિય લબ્ધિધારી મનુષ્યો. તિર્યંચ-પંચેન્દ્રિય અને વાયુકાયના જીવો પણ મૂળ શરીરથી ભિન્ન કૃત્રિમ વૈક્રિય શરીર બનાવે તે ઉત્તર વૈક્રિય શરીર.
(૨) લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર :
ધ્યાન, તપ, યોગ, ચારિત્ર, જ્ઞાન આદિ ગુણોથી વૈક્રિય શરીરની લબ્ધિ પ્રાપ્ત થાય અને વૈક્રિય શરીર બનાવે તે.
ઉત્તર વૈક્રિય શરીરનું પ્રમાણ
દેવોને એક લાખ યોજન
ઉ.કાળ જ.કાળ
૧૫ દિવસ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
નારક મૂળ શરીરથી ડબલ
મનુષ્યો એક લાખ યોજનથી કાંઈક અધિક ચા૨ મુહૂર્ત અંતર્મુહૂર્ત
તિર્યંચ નવસો યોજનનું
ચાર મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
વાયુકાય અંગુલનો અસંખ્યાતમો ભાગ
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૩) આહારકશરીરનામકર્મ :
આહારકશરીરને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને આહારકપણે પરિણાવીને જીવપ્રદેશો સાથે પરસ્પર એકાકારરૂપે જોડે તેને આહારકશરીરનામકર્મ કહે છે.
આમર્ષોષધિ લબ્ધિવાળા ચૌદપૂર્વધર મુનિ મહાત્મા (૧) તીર્થકર ભગવંતની ઋદ્ધિ જોવા, (૨) સૂક્ષ્મ અર્થના સંદેહને નિવારવા, (૩) જીવદયાના પ્રયોજન,
આહારક શરીર બનાવે છે. તે મુંડા હાથ પ્રમાણ હોય છે. તે મહાવિદેહમાં જતાં આવતાં તેને કોઈ વ્યાઘાત કરતું નથી. તે પણ કોઈને વ્યાઘાત કરતું નથી.
કાળ – જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ
એક ભવમાં ઉત્કૃષ્ટથી બે વાર બનાવાય છે અને સંસારચક્રમાં ચાર વાર બનાવાય છે.
(૪) તૈજસશરીરનામકર્મ :
તૈજસશરીરને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને તૈજસ રૂપે પરિણાવીને આત્મપ્રદેશો સાથે પરસ્પર એકાકાર રૂપે જોડે તેને તૈજસ શરીરનામકર્મ.
આ શરીર ભુક્ત આહારાદિને પચાવે છે. આ શરીર સર્વ સંસારી જીવોને હોય છે. તેજસ શરીર ઔદારિકાદિ શરીરમાં ઉષ્ણતા રાખે છે.
સર્વ જીવોને શરીરમાં ગરમીનું નિયંત્રણ કરવામાં આ શરીર ઉપયોગી છે. અને તેથી જ જીવ મૃત્યુ પામી ભવાન્તરમાં જાય ત્યારે તૈજસ-કાશ્મણ શરીર સાથે જાય છે એટલે મૂળ શરીર ઠંડુ (શીત) થાય છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
શરીરનામકર્મ
આ તૈજસશરીરથી વિશિષ્ટ તપશ્ચર્યાદિથી તૈજસલબ્ધિ પ્રાપ્ત કરનાર જીવ બીજાને બાળવા તેજોલેશ્યા મૂકે અથવા બળતાને ઠંડો કરવા શીત લેશ્યા પ્રયોગ કરે છે.
૧૧૯
તેજસશરીરની અવગાહના ઉત્પત્તિના પ્રથમ સમયે અંગુલનો અસંખ્યાતમો ભાગ અને પછી સ્વદેહ (ઔદારિક વૈ. આહા.)માં વ્યાપ્ત હોય છે.
(૫) કાર્પણ શરીર નામકર્મ :
કાર્પણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી કર્મરૂપે એટલે કાર્પણ શરીરરૂપે પરિણમાવે તેના કારણરૂપ કર્મ તે કાર્યણ શરીર નામકર્મ સર્વ શરીરનું કારણ, અનાદિકાળથી સાથે રહેલું, આઠ પ્રકારના કર્મના પરિણામવિકાર રૂપે તે કાર્પણ શરીર છે અને તેના હેતુરૂપ કર્મ - તે કાર્મણ શરીર નામકર્મ છે.
અહીં પાંચ શરીરને સમજવા વર્ગણાનું સ્વરૂપ જાણવું જરૂરી છે. તે વર્ગણા-પુદ્ગલના આઠ અથવા સોળ અથવા છવ્વીસ ભેદ છે. તે સર્વ વર્ગણા ચૌદ૨ાજલોકમાં સર્વ જગ્યાએ હોય છે. તેનું વર્ણન આ પ્રમાણે – (૧) ઔદારિક અગ્રહણ વર્ગણા :
એક પરમાણુરૂપ-બે પરમાણુરૂપ વિગેરે યાવત સંખ્યાત અસંખ્યાત અને અનંત પરમાણુરૂપ સ્કંધો અનંતા છે અને લોકમાં સર્વ ઠેકાણે હોય છે.
તેમાં આવત્ અભવ્યથી અનંતગુણા પરમાણુના બનેલા સ્કંધોને જીવગ્રહણ કરતો નથી તેથી તે અગ્રહણ વર્ગણા કહેવાય.
આવી અગ્રહણ વર્ગણાઓ ગ્રહણ યોગ્ય વર્ગણાઓના આંતરામાં વારંવાર આવે છે તેથી તે વર્ગણાઓનું પૃથક્કરણ કરવા પ્રથમની એક પરમાણુથી શરૂ કરીને યાવત અભવ્યથી અનંતગુણ ન હોય તેવા પરમાણુની બનેલી વર્ગણાનું ઔદારિક અગ્રહણ નામ આપ્યું છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
તેમાં એક વિગેરે પરમાણુ અધિકવાળી યાવત્ પોતાની જઘન્ય વર્ગણાનો અનંતમો ભાગ વધે તે ઉત્કૃષ્ટ ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણા.
૧૨૦
તે વર્ગણાઓને પૃથક્ સમજવા વૈક્રિય અગ્રહણ વર્ગણા. આ રીતે આઠ અગ્રહણ અને આઠ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ જાણવી તેના નામ (૧) ઔ. અગ્રહણ વર્ગણા (૩) વૈક્રિય અગ્રહણ વર્ગણા (૫) આહારક અગ્રહણ વર્ગણા (૭) તૈજસ અગ્રહણ વર્ગણા (૯) ભાષા અગ્રહણ વર્ગણા (૧૧) શ્વાસોશ્વાસ અગ્રહણ વર્ગણા (૧૩) મન અગ્રહણ વર્ગણા (૧૫) કાર્પણ અગ્રહણ વર્ગણા
(૨) ઔ. ગ્રહણ વર્ગણા (૪) વૈક્રિય ગ્રહણ યોગ્ય વર્ગણા (૬) આહારક ગ્રહણ યોગ્ય વર્ગણા (૮) તૈજસ ગ્રહણ વર્ગણા (૧૦) ભાષા ગ્રહણયોગ્ય વર્ગણા (૧૨) શ્વાસોશ્વાસ ગ્રહણયોગ્ય વર્ગણા (૧૪) મન ગ્રહણયોગ્ય વર્ગણા (૧૬) કાર્મણ ગ્રહણયોગ્ય વર્ગણા
આ વર્ગણાનું વિસ્તૃત વર્ણન શતક નામાપંચમ કર્મગ્રંથ (અમારા પ્રકાશિત) પૃ. ૧૩૨-૧૪૨ માં જોવું.
પ્રતિસમયે કાર્યણ ગ્રહણયોગ્ય વર્ગણાઓને ગ્રહણ કરી કર્મરૂપ પરિણમાવવી તે કાર્યણ શરીર.
કાર્યણવર્ગણાનું બનેલ આઠ કર્મ સ્વરૂપ શરીરને કાર્પણ શરીર, અને તેના કારણરૂપ કર્મ તે કાર્મર્ણશરીરનામકર્મ.
સર્વ અગ્રહણ વર્ગણાનું અંતર-અભવ્યથી અનંતગુણ, સર્વ ગ્રહણયોગ્ય વર્ગણાનું અંતર-પોતાની જઘન્ય વર્ગણાનો અનંતમો ભાગ. તેની સમજ આ પ્રમાણે
-
ઔ. અગ્રહણવર્ગણા-એક પરમાણુથી અભવ્યથી અનંતગુણ ન થાય ત્યાં સુધી.
Page #144
--------------------------------------------------------------------------
________________
અંગોપાંગનામકર્મ
૧૨૧
ઔ. ગ્રહણવર્ગણા-અભવ્યથી અનંતગુણ પરમાણુવાળીથી એકાદિ અધિક યાવત્ પોતાની જઘન્ય વર્ગણાનો અનંતમો ભાગ અધિક થાય ત્યાં સુધી.
આ રીતે ગ્રહણયોગ્ય અને અગ્રહણયોગ્ય વર્ગણાઓ જાણવી.
વાઢુ-પિટ્ટિ-સિર-૩૬, ૨૫-૦૧-સંયુતી-પમુદ્દા । મેલા અંગોવંગા, પઢમતળુતિક્ષુર્વાણિ ।। રૂ૪ ॥
ऊर
=
શબ્દાર્થ : બાહુ છાતી, તિાસ્સ
=
=
બે હાથ,
= બે સાથળ, દુિ = પીઠ,
ત્રણ, પમતનુ = પ્રથમના શરીરને.
:
ગાથાર્થ : બે હાથ, બે સાથળ, પીઠ, માથું, છાતી અને પેટ એ આઠ અંગો છે. આંગળી વગેરે ઉપાંગો છે અને બાકીના અંગોપાંગો છે. પ્રથમના ૩ શરીરને વિષે ઉપાંગ હોય છે. ॥ ૩૪ ॥
વિવેચન : અંગોપાંગ અને તેના કારણરૂપ અંગોપાંગ નામકર્મના ત્રણ ભેદ છે.
(૧) ઔદારિક આંગોપાંગ નામકર્મ-ઔદારિક શરીરમાં અંગઉપાંગ અને આંગોપાંગની પ્રાપ્તિ થવાના કારણરૂપ કર્મ.
(૨) વૈક્રિય આંગોપાંગ નામકર્મ.
(૩) આહારક આંગોપાંગ નામકર્મ.
અંગ ઃ શરીરના મુખ્ય અવયવો તે ‘અંગ’ કહેવાય છે. તે અંગ આઠ છે. બે હાથ, બે પગ, પીઠ, માથું, છાતી અને પેટ.
ઉપાંગ : અંગના જે અવયવો - પેટા વિભાગ તે ઉપાંગ કહેવાય છે. દા.ત. હાથ અને પગ એ અંગ તેની આંગળીઓ તે ઉપાંગ છે. પીઠ એ અંગ - મણકા એ ઉપાંગ, મુખ એ અંગ તેના નાક, કાન, આંખ, હોઠ, દાંત, વાળ વિગેરે ઉપાંગ છે, પગ એ અંગ-પગના ઢીંચણ ઉપાંગ છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
અંગોપાંગ ઉપાંગના જે અવયવો - પેટા વિભાગો તે અંગોપાંગ કહેવાય છે. દા.ત, આંગળીના વેઢા, રેખા, નખ, પાંપણ, વાળ, રૂંવાટા, આંગળીના પર્વ.
અહીં અંગ + ઉપાંગ + આંગોપાંગની પ્રાપ્તિ તે અંગોપાંગ અંગોપાંગ એમ નામ થાય, પરંતુ એકશેષ સમાસ થવાથી એક અંગોપાંગ શબ્દનો લોપ થવાથી અંગોપાંગ નામકર્મ કહેવાય. તેમજ તેજસ અને કાર્પણ શરીર સૂક્ષ્મ પરિણામી હોવાથી તેમાં અંગોપાંગ હોય નહીં. તેથી અંગોપાંગ નામકર્મના ત્રણ ભેદ છે. उरलाइ-पुग्गलाणं, निबद्ध-बझंतयाण संबंधं । जं कुणइ जउ-समं तं, बंधणमुरलाइ तणुनामा ।। ३५ ।।
શબ્દાર્થ : નિબદ્ધ વલ્લંતયાણ = પૂર્વે બાંધેલા અને નવા બંધાતા, સંબંધ = સંબંધ, નડસમ = લાખ-રાળ જેવું.
ગાથાર્થ ઃ પૂર્વે બાંધેલા અને નવા બંધાતા ઔદારિકાદિક પુદ્ગલોનો પરસ્પર લાખની જેમ સંબંધ કરે તે બંધન નામકર્મ ઔદારિકાદિ શરીરના નામે પાંચ પ્રકારે છે. તે ૩૫ //
વિવેચનઃ જે બંધાવું-જોડાવું તે બંધન. પૂર્વે ગ્રહણ કરેલા અને નવા ગ્રહણ કરાતા ઔદારિકાદિ પુદ્ગલોનો પરસ્પર લાખની જેમ સંબંધ થાય તે બંધન. અને તે જે કર્મના ઉદયથી થાય તે બંધન નામકર્મ. તે પાંચ પ્રકારે આ પ્રમાણે -
(૧) ઔદારિક બંધન નામકર્મ (૪) તૈજસ બંધન નામકર્મ (૨) વૈક્રિય બંધન નામકર્મ (૫) કાર્મણ બંધન નામકર્મ (૩) આહારક બંધન નામકર્મ (૧) ઔદારિક બંધન નામકર્મ : પૂર્વે ગ્રહણ કરેલા ઔદારિક પુદ્ગલોને નવા ગ્રહણ કરાતા
Page #146
--------------------------------------------------------------------------
________________
બંધન-સંઘાતનનામકર્મ
૧૨૩ ઔદારિક પુદ્ગલોની સાથે પ્રતિ સમયે લાખની જેમ સંબંધ કરી આપે તે દારિક બંધન નામકર્મ.
એ પ્રમાણે બીજા બંધન નામકર્મની વ્યખ્યા જાણવી. (૨) વૈક્રિય બંધન નામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલાં વૈક્રિય શરીરના પુદ્ગલોને નવા ગ્રહણ કરાતા વૈક્રિય પુદ્ગલોની સાથે પરસ્પર સંબંધ કરી આપે તેને વૈક્રિય બંધન નામકર્મ.
(૩) આહારક બંધન નામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલાં આહારકશરીર પુદ્ગલોને નવા ગ્રહણ કરાતા આહારક પુદ્ગલોની સાથે પરસ્પર સંબંધ કરી આપે તેને આહારક બંધન નામકર્મ.
(૪) તૈજસ બંધન નામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલાં તૈજસ પુદ્ગલોને નવા ગ્રહણ કરાતા તૈજસ્ પુદ્ગલોનું પરસ્પર જોડાણ કરે તેને તૈજસબંધનનામકર્મ.
(૫) કાર્મણ બંધન નામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલાં કાર્મણ વર્ગણાના પુદ્ગલોનું પ્રતિ સમયે નવાં ગ્રહણ કરાતા કાર્મણ પુદ્ગલોની સાથે પરસ્પર જોડાણ કરી આપે તેને કાર્પણ બંધન નામકર્મ.
जं संधायइ उरलाइ-पुग्गले, तिणगणं व दंताली । तं संधाय बंधणमिव, तणुनामेण पंचविहं ॥ ३६ ॥
શબ્દાર્થ ઃ સંધાય = એકઠા કરે, તિi = ઘાસના સમૂહની, 4 = જેમ, દંતાલી = દંતાળી
ગાથાર્થ : જેમ દંતાલી ઘાસના સમૂહને એકઠો કરે તેમ
Page #147
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ઔદારિકાદિ પુદ્ગલોને એકઠાં કરી આપે તે સંઘાતન નામકર્મ બંધનની જેમ શરીરના નામે પાંચ પ્રકારે છે. II ૩૬ ॥
૧૨૪
-
વિવેચન : સંઘાતન નામકર્મ - (૧) સદ્દગતયંતિ-પિણ્ડીરોતિ ઔવાિવીન્ (૨) જેના વડે ઔદારિકાદિ શરીરની રચનાનુસાર પુદ્ગલો પિંડરૂપે કરાય તે સંઘાતન નામકર્મ. જીવને જેટલાં પુદ્ગલો જરૂરી હોય તેટલા અને શરીરની રચનાને અનુરૂપ પુદ્ગલોને એકત્રિત કરવાનો સ્વભાવ દરેક સંઘાતનમાં છે. અર્થાત્ પુદ્ગલોનો કેવો અને કેટલો જથ્થો જોઈએ તે નક્કી કરવાનું કામ સંઘાતન નામકર્મનું છે.
સંઘાતન નામકર્મ પાંચ પ્રકારે છે.
(૪) તૈજસ સંઘાતન નામકર્મ (૫) કાર્પણ સંઘાતન નામકર્મ
(૧) ઔદારિક સંઘાતન નામકર્મ (૨) વૈક્રિય સંઘાતન નામકર્મ (૩) આહારક સંઘાતન નામકર્મ
(૧) ઔદારિક સંઘાતન નામકર્મ :
ઔદારિક શરીરને યોગ્ય પુદ્ગલોના જથ્થાને એકત્રિત કરી આપે તેને ઔદારિક સંઘાતન નામકર્મ. જેમ દંતાલી જુદી-જુદી જગ્યાએ પડેલાં ઘાસને એકઠું કરી આપે છે તેમ આત્મા જ્યાં રહ્યો હોય તે જગ્યાએ પડેલાં તે શરીરને અનુરૂપ પુદ્ગલોને એકઠાં કરે તે સંઘાતન નામકર્મ.
(૨) વૈક્રિય સંઘાતન નામકર્મ :
વૈક્રિય શરીરને યોગ્ય પુદ્ગલોના જથ્થાને એકઠાં કરી આપે તેને વૈક્રિય સંઘાતન નામકર્મ કહે છે.
(૩) આહારક સંઘાતન નામકર્મ :
આહા૨ક શરીરને યોગ્ય પુદ્ગલોના જથ્થાને એકઠાં કરી આપે તેને આહા૨ક સંઘાતન નામકર્મ.
Page #148
--------------------------------------------------------------------------
________________
પંદર બંધન
૧ ૨૫
(૪) તૈજસ સંઘાતન નામકર્મ :
તૈજસ શરીરને અનુરૂપ પુલોના સમૂહને એકઠાં કરી આપે તે તૈજસ સંઘાતન નામકર્મ.
(૫) કાર્મણ સંઘાતન નામકર્મ :
કાર્પણ શરીરને યોગ્ય પુદ્ગલોના સમૂહને એકઠાં કરી આપે તે કાર્પણ સંઘાતન નામકર્મ.
૧૫ બંધનનું વર્ણન ओराल-विउव्वा-हारयाण, सग तेअ कम्मजुत्ताणं । नव बंधणाणि इयरदु-सहियाणं तिन्नि तेसिं य ॥ ३७ ॥
શબ્દાર્થ : સા = પોતપોતાની સાથે, રૂબરહું = બીજા બે, સહિયાળ = સહિત, તિન = ત્રણ.
ગાથાર્થ : ઔદારિક, વૈક્રિય અને આહારકને પોતાની સાથે તૈજસની સાથે અને કાશ્મણની સાથે જોડતાં નવ બંધનો અને તે બેની સાથે જોડતાં બીજા ત્રણ બંધન તથા તૈજસ-કાશ્મણના ત્રણ બંધનો છે. (એમ કુલ પંદર બંધન છે.) || ૩૭ ||
વિવેચન : શ્રી કમ્મપયડી ગ્રંથના કર્તા શ્રી શિવશર્મસૂરિ મહારાજા આદિ કેટલાક આચાર્યો પંદર બંધન માને છે. કારણ કે, સજાતીય અને વિજાતીય બંને પ્રકારના પુગલોનું જોડાણ થાય છે. એટલે કે ઔદારિક વૈક્રિય આહારકની સાથે તૈજસ અને કાર્મણના પુદ્ગલનું જોડાણ થાય છે. તે આ રીતે (૧) ઔદારિક તૈજસ કાર્મણ અથવા (૨) વૈક્રિય તૈજસ કાર્મણ અથવા (૩) આહારક તૈજસ કાર્મણ. આ ત્રણ ત્રણ શરીર સાથે પણ હોય. જેથી જોડાણ એટલે તે વર્ગણાના પુગલોનો સંબંધ થાય. માટે આ મતે ૧૫ બંધન થાય છે. પરંતુ પંચસંગ્રહકાર આદિના મતે એવું માનવું છે કે સજાતીય પુદ્ગલનું જોડાણ થાય છે. વિજાતીય
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ પુદ્ગલનું જોડાણ થતું નથી માટે એમના મતે ૫ બંધન કહ્યાં. હવે તે પંદર બંધન આ પ્રમાણે
(૧) ઔદારિકઔદારિક બંધનનામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલાં ઔદારિક પુદ્ગલોનો નવા ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલો સાથે સંબંધ કરી આપે તે ઔદારિક ઔદારિક બંધન
નામકર્મ.
(૨) ઔદારિકતૈજસ બંધનનામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલા અને નવા ગ્રહણ કરાતા ઔદારિક પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરેલા અને નવા ગ્રહણ કરાતા તૈજસ પુગલોની સાથે સંબંધ કરી આપે તે ઔદારિક તૈજસ બંધન નામકર્મ
(૩) ઔદારિકકાર્પણ બંધનનામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલાં અને નવા ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલોને પૂર્વે ગ્રહણ કરેલાં અને નવા ગ્રહણ કરાતા કાર્મણ પુદ્ગલોની સાથે સંબંધ કરી આપે તે ઔદારિક કાર્પણ બંધન નામકર્મ.
(૪) ઔદારિકતૈજસ કાર્મણબંધનનામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલાં અને નવા ગ્રહણ કરાતા દારિક પુગલોની સાથે પૂર્વે ગ્રહણ કરેલા અને નવા ગ્રહણ કરાતા તૈજસ અને કાર્પણ પુદ્ગલોની સાથે સંબંધ થાય તેને ઔદારિક તૈજસ-કાર્પણ બંધન નામકર્મ.
આ જ રીતે વૈક્રિય શરીરના અને આહારક શરીરના ૪-૪ બંધન ગણતાં ૧૨ બંધન થાય અને તેજસકાર્પણના પોતાના ૩ બંધન આ પ્રમાણે
(૧૩) તૈજસતૈજસબંધનનામકર્મ :
પૂર્વે ગ્રહણ કરેલા તૈજસ વર્ગણાના પુગલો સાથે નવા ગ્રહણ કરાતા તૈજસ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે.
Page #150
--------------------------------------------------------------------------
________________
સંઘયણનામકર્મ
૧૨૭ (૧૪) કાર્મણકાશ્મણબંધનનામકર્મ
પૂર્વે ગ્રહણ કરેલ કાર્મણ વર્ગણાના પુદ્ગલો સાથે નવા ગ્રહણ કરાતા કાર્મણ વર્ગણાના પુદ્ગલોનો સંબંધ થાય તે.
(૧૫) તૈજસ કાર્પણ બંધન :
પૂર્વે ગ્રહણ કરેલ અને નવા ગ્રહણ કરાતા તૈજસ અને કાર્પણ વર્ગણાના પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે.
પ્રશ્ન : ઔદારિકાદિની સાથે જેમ તૈજસ અને કાર્મણનું બંધન કહ્યું તેમ ઔદારિકની સાથે વૈક્રિય અને આહારકનું તથા વૈક્રિયની સાથે આહારકનું બંધન કેમ ન કહ્યું ?
જવાબ : દારિક વૈક્રિય અને આહારક શરીરની વર્ગણાના પુદ્ગલોનું પરસ્પર જોડાણ થતું નથી. કારણ કે તે શરીરો ભિન્ન-ભિન્ન હોય છે તેથી અન્યોન્ય જોડાણ ન હોવાથી તેનાં બંધન નથી.
પ્રશ્ન : જેમ બંધન પંદર છે. તો ગ્રહણ કરેલા પુલોનું જોડાણ થાય-સંબંધ થાય તો સંઘાતન પણ પંદર કહેવાં જોઈએ.
જવાબ : જો કે પ્રશ્ન બરાબર છે, પરંતુ વિજાતીયનો યોગ તો શુભ નથી. સજાતીયનો યોગ જ શુભ છે.
જેમ મોહનથાળ બનાવવા બજારમાં લોટ-ખાંડ-ઘી-મસાલાં ભેગાં કરીને ન લવાય અને લાવે તો તે મૂર્ખ કહેવાય. તે સારું ન કહેવાય. લાવ્યા પછી બનાવતી વખતે ભેગાં કરાય. એમ અહીં શરીરને યોગ્ય પુગલો એકઠા ભિન્ન કરાય પછી રચના અનુસાર સંબંધ કરાય છે તેથી સંઘાતન પાંચ છે અને બંધન પંદર છે.
૬ સંઘયણનું વર્ણન संघयणमट्ठिनिचओ, तं छद्धा वजरिसहनारायं । तह रिसहनारायं, नारायं अद्धनारायं ॥ ३८ ॥
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
कीलिअ-छेवटुं इह-रिसहो पट्टो अ कीलिआ वजं । उभओ मक्कडबंधो, नारायं इममुरालंगे ॥ ३९ ॥
શબ્દાર્થઃ િિનયમો હાડકાંનો સમૂહ, છઠ્ઠાં છ પ્રકારે, કીનિવા =કીલિકા, રિસદો ઋષભ, કીર્તાિમાં=ખીલી, મડવંધો=મર્કટબંધ.
ગાથાર્થ : સંઘયણ એટલે હાડકાંનો સમૂહ-રચના તે છ પ્રકારે છે. વજ>ષભનારાચ, 2ષભનારા, નારાય, અર્ધનારાચ, કાલિકા, છેવટું સંઘયણ છે. અહીં ઋષભ એટલે પાટો, વજ એટલે ખીલી અને નારાચ એટલે બંને બાજુ મર્કટબંધ. આ સંઘયણો ઔદારીક શરીરમાં હોય છે. તે ૩૮, ૩૯ /
વિવેચન : છ સંઘયણનું સ્વરૂપ આ પ્રમાણે છે. સંઘયણ એટલે શરીરમાં હાડકાંનો સમૂહ-હાડકાંની વિશિષ્ટ રચના-હાડકાંની મજબૂતાઈ.
સંઘયણ નામકર્મ : (१) संहन्यन्ते-द्रढीक्रियन्ते शरीरपुद्गलाः येन तत् (૨) જેના વડે શરીરના પુદ્ગલો દ્રઢ કરાય તે.
(૩) જે કર્મના ઉદયથી હાડકાંનો સમૂહ-બાંધો-રચના પ્રાપ્ત થાય તે સંઘયણ નામકર્મ છે. તે ૬ પ્રકારે છે.
(૧) વજષભનારાસંઘયણ નામકર્મ :
વજ-હાડકાંની ખીલી, ઋષભ-હાડકાંને વીંટાળનારો પાટો, નારાચમર્કટબંધ.
જેમ મર્કટ-માંકડું (વાંદરું) જેમ માતાને વળગેલું હોય તેમ એક હાડકું બીજા હાડકાંને વીંટળાઈને રહેલું હોય, તેની ઉપર હાડકાંનો પાટો વીંટળાયેલો હોય અને આ ત્રણે હાડકાંને મજબૂત કરે એવી હાડકાંની ખીલી વિંધતી હોય તેવી હાડકાંની મજબુતાઈ પ્રાપ્ત થાય તે વજઋષભનારાચ સંઘયણ નામકર્મ.
Page #152
--------------------------------------------------------------------------
________________
સંઘયણનામકર્મ
૧૨૯ જોકે પાટારૂપ હાડકું અને ખીલીરૂપ હાડકું હોય નહીં પરંતુ તે લગાડવાથી જેવી મજબુતાઈ થાય તેવું સંઘયણ તે વજ8ષભનારાચ સંઘયણ.
આ વજઋષભનારાચસંઘયણની મજબુતાઈ લોખંડ કરતાં પણ વધારે હોય છે.
જેમ એક વખત પવનંજય અને અંજના તેના પુત્ર હનુમાનને વિમાનમાં લઈ જતા હતા. ત્યારે ખોળામાં રહેલ હનુમાને કુદકો માર્યો અને વિમાનમાંથી પડી ગયો. નીચે પર્વત હતો. પર્વત ઉપર પડેલા હનુમાનને કંઈ ન થયું. પરંતુ પથ્થરના ટુકડા થઈ ગયા. આ રીતે લોખંડ અને પથ્થરથી મજબુત તે વજઋષભનારાચસંઘયણ કહેવાય.
(૨) ઋષભનારાચસંઘયણ નામકર્મ :
બે બાજુ મર્કટબંધ હોય, ઉપર પાટો વીંટાળેલો હોય એવી હાડકાંની મજબુતાઈ પ્રાપ્ત થાય તે ઋષભનારાચ સંઘયણ નામકર્મ.
(૩) નારાચસંઘયણનામકર્મ :
બે હાડકાં મર્કટબંધથી બંધાયેલા હોય ઉપર પાટો કે ખીલી ન હોય એવી જે હાડકાંની રચના-મજબુતાઈ વિશેષ મળે તે નારાચ સંઘયણ નામકર્મ.
(૪) અર્ધનારીચ સંઘયણ નામકર્મ :
એક બાજુ મર્કટબંધ હોય અને બીજી બાજુ બે હાડકાંને ભેદીને લગાવેલી ખીલી હોય એવી હાડકાંની મજબુતાઈ પ્રાપ્ત થાય તે અર્ધનારાચસંઘયણનામકર્મ.
(૫) કીલિકા સંઘયણ નામકર્મ :
હાડકાંઓ માત્ર કીલિકા-ખીલીથી જોડાયેલ હોય એવી હાડકાંની રચના કીલિકા સંઘયણ નામકર્મ.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ (૬) છેવટ્ટ (સેવાર્ત-છેદસૃષ્ટ) સંઘયણ નામકર્મ : (૧) હાડકાંના છેડાઓ પરસ્પર અડીને-અડીને રહેલાં હોય તે.
(૨) જે હંમેશા તૈલાદિના મર્થનરૂપ સેવાની અપેક્ષા રાખતાં હોય એવી હાડકાંની મજબુતાઈ તે છેવટ્ઠ સંઘયણ નામકર્મ. અહીં છેદસ્કૃષ્ટ સંસ્કૃત શબ્દનું અર્ધમાગધિમાં છેવટ્ટુ છે. છેદ-છેડા, પૃષ્ટ-અડીને-જ્યાં હાડકાના બે છેડા અડીઅડીને રહેલાં હોય તે છેદસ્કૃષ્ટ,
(૩) સેવા + ઋત - સેવાથી જે યુક્ત હોય તે સેવાર્ત....
ઔદારિક શરીર સાત ધાતુનું બનેલ હોવાથી આ સંઘયણો ઔદારિકશરીરમાં જ હોય છે. ગર્ભજ મનુષ્ય તિર્યંચોને છ સંઘયણ અને વિકલેન્દ્રિયને છેવટ્ઠ સંઘયણ હોય છે.
એકેન્દ્રિય-દેવ-નાક-ઉત્તર વૈક્રિય અને આહારક શરીરમાં સંઘયણ (હાડકાંની રચના) હોય નહીં.
૬ સંસ્થાન, ૫ વર્ણનું વર્ણન समचउरंसं निग्गोह-साइ-खुजाइ वामणं हुंडं । સંવાળા વના-શિષ્ટ-ની-ત્નોદિય-નિફ્ટ-સિયા | ૪૦ |
શબ્દાર્થ : નિજોદ = ન્યગ્રોધ, રઘુગાડું = કુન્જ, સુંઠું = હુંડક, શિષ્ય = કાળો, નિદ્ = પીળો, સિયા = ધોળો.
ગાથાર્થ સમચતુરસ્ત્ર, ન્યગ્રોધપરિમંડળ, સાદિ, કુન્જ, વામન અને હુડક આ છ સંસ્થાનો છે.
કાળો, લીલો, લાલ, પીળો અને સફેદ એ પાંચ વર્ણ છે. Ivol | વિવેચન : સંસ્થાન એટલે શરીરની આકૃતિ. જે કર્મના ઉદયથી શરીરની આકૃતિ સારી અથવા ખરાબ મળે તે સંસ્થાન નામકર્મ છે. આ સંસ્થાનનામ કર્મ ૬ પ્રકારે છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
સંસ્થાનનામકર્મ
૧૩૧
(૧) સમચતુરસ્ર સંસ્થાન નામકર્મ :
સમ-સરખા, ચતુર-ચાર, અસ-ખુણા...
(૧) ૪ ખુણાનું અંતર જેમાં સરખું હોય તે સમચતુસ્ર એટલે પર્યંકાસને બેઠેલાનું (૧) બે ઢીંચણ વચ્ચેનું અંતર (૨) જમણો ખભો અને ડાબા ઢીંચણનું અંતર (૩) ડાબો ખભો અને જમણા ઢીંચણનું અંતર (૪) લલાટના મધ્યભાગથી પર્યંકાસનના મધ્યભાગનું અંતર. આ ચાર અંતર એકસરખાં હોય.
(૨) સામુદ્રિક શાસ્ત્રમાં દરેક પ્રાણીના શરીરના અવયવોનું પ્રમાણ બતાવ્યા પ્રમાણે સર્વ અવયવો પ્રમાણોપેત હોય તે,
(૩) દરેક ઉત્તમ લક્ષણોયુક્ત હોય. ઉત્તમ પુરુષનાં ૧૦૦૮ અને ૧૦૮ ઉત્તમ લક્ષણો (ચિહ્નો) કહ્યાં છે. તે સર્વ અથવા કેટલાક લક્ષણો સહિત હોય તે.
(૪) સામુદ્રિક શાસ્ત્રમાં મનુષ્ય-પં. તિર્યંચના શરીરના અવયવોનું પ્રમાણ બતાવેલ છે. એટલે ઉત્તમ પુરુષ પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ ઉંચાઈવાળો હોય તેવું સંસ્થાન તે સમચતુરસ કહેવાય.
(૨) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન નામકર્મ :
ન્યગ્રોધ-વડનું ઝાડ, પરિમંડલ-આકાર.
જેમ વડ વૃક્ષમાં ઉપરનો ભાગ ઘટાટોપ-સુદર હોય અને નીચેનો થડ-ડાળીઓ આદિનો ભાગ બેડોળ-ઊંચો નીચો હોય છે તેમ નાભિથી ઉપરના અવયવો લક્ષણ અને પ્રમાણયુક્ત હોય અને નાભિથી નીચેના અવયવો લક્ષણ અને પ્રમાણરહિત હોય. આવા પ્રકારના અવયવો પ્રાપ્ત થાય તે ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન નામકર્મ છે.
(૩) સાદિ સંસ્થાન નામકર્મ : (સાચી)
નાભિથી ઉ૫૨ના અવયવો લક્ષણ અને પ્રમાણથી હીન હોય અને
Page #155
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
નાભિથી નીચેના એટલે આદિના-શરૂઆતના અવયવો લક્ષણ યુક્ત અને પ્રમાણોપેત હોય. વળી (૨) સાચી એટલે શાલ્મલી વૃક્ષની જેમ ઉપરથી બેડોળ અને નીચે થડ આદિ ગોળાકારે અને સુંદર દેખાવવાળું હોય છે. તેથી આ સંસ્થાનને શાલ્મલી જેવું હોવાથી સાચી સંસ્થાન પણ કહેવાય છે. આવા અવયવો જે કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય તે સાદિ સંસ્થાન નામકર્મ છે.
૧૩૨
(૪) કુબ્જ સંસ્થાન નામકર્મ :
હાથ, પગ, મસ્તક, ગ્રીવા એ ચાર મુખ્ય અવયવો લક્ષણયુક્ત હોય અને શેષ અવયવો છાતિ-ઉદર-પીઠ આદિ અવયવો લક્ષણહીન હોય, આવા પ્રકારની શરીરની આકૃતિ પ્રાપ્ત થાય તે કુબ્જ સંસ્થાન નામકર્મ કહેવાય છે. કુબ્જ–કુબડુ એટલે કુબડાની જેમ પીઠ-છાતી બેડોળ હોય તે.
(૫) વામન સંસ્થાન નામકર્મ :
છાતી, ઉદર, પીઠ આદિ અવયવો લક્ષણયુક્ત અને પ્રમાણોપેત હોય અને હાથ-પગ-મસ્તક-ગ્રીવા અવયવો લક્ષણહીન અને પ્રમાણરહિત હોય. આ પ્રમાણેની શરીરની આકૃતિ પ્રાપ્ત થાય તે વામન સંસ્થાન નામકર્મ છે.
(૬) હુંડક સંસ્થાન નામકર્મ :
શરીરના સઘળા જે અવયવો લક્ષણહીન અને પ્રમાણહીન હોય. આવી શરીરની આકૃતિ જે કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય તેને હુંડક સંસ્થાન નામકર્મ કહેવાય.
દેવોને સમચતુરસ્ર સંસ્થાન, ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યોને છમાંથી કોઈપણ સંસ્થાન હોય છે. બાકીના એકે. વિકલેન્દ્રિય-નારક સર્વ જીવોને હુંડક સંસ્થાન હોય છે.
પાંચ વર્ણનું સ્વરૂપ :
વર્ણ નામકર્મ : (૧) વર્યંત, અહં યિતે અનેન રૂતિ વળ: (૨)
Page #156
--------------------------------------------------------------------------
________________
વર્ણાદિનામકર્મ
૧૩૩
જીવનું શરીર શોભાયુક્ત થાય તે વર્ણ નામકર્મ કહેવાય છે. તે વર્ણ પાંચ પ્રકારે છે. (૧) કૃષ્ણ (૨) નીલ (૩) રક્ત (૪) પીત (૫) શ્વેત (સફેદ)
(૧) કૃષ્ણવર્ણ નામકર્મ :
જીવના શરીરમાં અથવા અવયવોમાં કાજળ જેવો કાળો વર્ણ થાય તે કૃષ્ણવર્ણ નામકર્મ કહેવાય છે. જેમ કાગડા વિગેરેના શરીરનો વર્ણ જેવો કાળો વર્ણ પ્રાપ્ત થાય તે.
(૨) નીલવર્ણ નામકર્મ :
જીવના શરીરમાં અથવા અવયવોમાં પોપટની ચાંચ જેવો લીલો વર્ણ થાય તે નીલવર્ણ નામકર્મ કહેવાય.
(૩) રક્તવર્ણ નામકર્મ :
જીવના શરીરમાં અથવા અવયવોમાં મજીઠ જેવો લાલવર્ણ પ્રાપ્ત થાય તેને રક્તવર્ણ નામકર્મ છે. પ્રાણીઓના શરીરમાં રહેલ લોહી, જીભ વિગેરે લાલ વર્ણની હોય છે તે.
(૪) પીતવર્ણ નામકર્મ :
જીવોના શરીરમાં અને અવયવોમાં હળદરના રંગ જેવો પીળો વર્ણ પ્રાપ્ત થાય તે પીતવર્ણ નામકર્મ છે. કમળો-પીળીયો થાય ત્યારે શરીરનો વર્ણ પીળો થાય તે, વળી શરીરમાંની કેટલીક નસ પણ પીળી હોય છે.
(૫) શ્વેતવર્ણ નામકર્મ :
જીવોના શરીરમાં અને અવયવોમાં બગલા વિગેરે જેવો શ્વેતવર્ણ થાય તેને શ્વેતવર્ણ નામકર્મ છે. જેમ-શંખ-બગલાની પાંખ વિગેરે સફેદ (શ્વેત) હોય છે. તેવો વર્ણ મળે તે શ્વેતવર્ણનામકર્મ.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ જોકે દરેક જીવને પાંચ વર્ણ નામકર્મનો ઉદય હોય છે, પરંતુ કોઈ જીવને શ્વેતવર્ણ નામકર્મ ઉત્કટ હોય અને બીજા મંદ હોય તેથી શરીર શ્વેત જણાય, વળી કોઈ જીવને અશુભનો ઉદય હોય તો શરીરનો વર્ણ કાળો પ્રાપ્ત થાય. પરંતુ શેષ અવયવોમાંના વાળ કુષ્ણવર્ણવાળા, જીભ રક્ત વર્ણવાળી, નસો લીલા વર્ણવાળી હોય છે. આ રીતે બીજા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શમાં પણ જાણવું.
ગંધ-રસ-સ્પર્શ નામકર્મનું વર્ણન સુરહિતુરી રક્ષા પછા, તિર--સાય-સંવિના-મદુરા | સા-ગુરુ-દુ-મિડ-ઘર-સી-પદ-સિદ્ધિ -વસ્થા ૪૨ .
શબ્દાર્ત : ૩ = કોમળ, વર = કર્કશ, સિદ્ધિ = સ્નિગ્ધ, હd = રુક્ષ, તિર = કડવો, ટુ = તીખો.
ગાથાર્થ સુરભિ ગંધ અને દુરભિ ગંધ એમ ગંધ બે પ્રકારે છે. કડવો, તીખો, તૂરો, ખાટો, મીઠો રસ પાંચ પ્રકારે ભારે, હલકો, કોમળ, કર્કશ, ઠંડો, ઉન, ચીકણો, લૂખો એમ સ્પર્શ આઠ પ્રકારે છે. ૪૧
વિવેચન : ગંધ નામકર્મ : પ્રાયતે તિ બંધ: - જે સુંઘી શકાય તે ગંધ. જેના ઉદયથી જીવોના શરીરમાં અને અવયવોમાં સારી કે ખરાબ ગંધ ઉત્પન્ન થાય તેને ગંધ નામકર્મ કહેવાય છે. ગંધ બે પ્રકારે છે. (૧) સુરભિ ગંધ (૨) દુરભિ ગંધ.
(૧) સુરભિ ગંધ નામકર્મ :
જેના ઉદયથી કસ્તૂરી અથવા માલતી આદિ પુષ્પની જેમ જીવના શરીરની અથવા શ્વાસોશ્વાસ-લોહી માંસ આદિ અવયવોની સુંદર ગંધ થાય તેને સુરભિ ગંધ નામકર્મ કહે છે. જેમ તીર્થંકર પરમાત્માનો શ્વાસોશ્વાસ વિગેરે કમળ જેવો સુગંધી હોય છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
વર્ણાદિનામકર્મ
૧૩૫
(૨) દુરભિગંધ નામકર્મ :
જેના ઉદયથી શરીરમાં અથવા અવયવોમાં લસણ-ડુંગળી જેવી ખરાબ ગંધ થાય તે દુરભિગંધ નામકર્મ છે.
રસનામકર્મ : (૧) આસ્વાદ્યતે રૂતિ રસ: (૨) જે આસ્વાદ કરાય
તે રસ.
જેના ઉદયથી શરીરમાં અને શરીરના અવયવોમાં તિક્ત (કડવો) વિગેરે રસ પ્રાપ્ત થાય તે રસ નામકર્મ તે પાંચ પ્રકારે છે.
(૧) તિક્તરસ નામકર્મ :
શરીરમાં અથવા લોહી આદિ ધાતુઓમાં લીમડા જેવો કડવો રસ થાય તે તિક્તરસ નામકર્મ છે.
(૨) કટુરસ નામકર્મ :
શરીરમાં અથવા સાત ધાતુઓમાં મરચાં જેવો તીખો રસ થાય તે કટુરસ નામકર્મ છે.
(૩) કષાયરસ નામકર્મ :
શરીરમાં અને સાત ધાતુઓમાં ત્રિફળા જેવો તૂરો રસ થાય તે કષાયરસ નામકર્મ છે.
(૪) આમ્બરસ નામકર્મ :
શરીરમાં અને સાત ધાતુઓમાં આમલી જેવો ખાટો રસ થાય તે આમ્લ૨સ નામકર્મ છે.
(૫) મધુર૨સ નામકર્મ :
શરીરમાં અને સાત ધાતુઓમાં સાકર જેવો મીઠો મધુર રસ થાય તે મધુર રસ નામકર્મ છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ ઘણા જીવોના શરીરમાં અને લોહીમાં મીઠાશ હોય તેથી શુદ્ર જંતુઓ પીવા આવે. એટલે કરડે છે. અને ઘણા જીવોના શરીરમાં કડવો રસ હોય તે ડંખ દેનાર જંતુ પણ મરી જાય છે. અને ફરી કરડતું નથી.
સ્પર્શ નામકર્મ ઃ (૧) મૃતે નેન તિ પર્ણ: (૨) ત્વચા (ચામડી) દ્વારા જે અનુભવાય તે સ્પર્શ. સ્પર્શ ૮ છે તે નીચે મુજબ છે. (૧) ગુરુ સ્પર્શ નામકર્મ :
(૧) જીવોના શરીરમાં અથવા અવયવોમાં લોખંડ જેવા ભારે સ્પર્શની પ્રાપ્તિ થાય તે.
(૨) અધોગમનના સ્વભાવવાળો સ્પર્શ, તે જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય તે ગુરુ સ્પર્શ નામકર્મ.
(૨) લઘુ સ્પર્શ નામકર્મ :
(૧) જીવોના શરીરમાં અને અવયવોમાં આકડાના રૂ જેવા હલકા સ્પર્શની પ્રાપ્તિ થાય તે અથવા
(૨) તીર્જી-ઉર્ધ્વગમનના સ્વભાવવાળો સ્પર્શ તે. (૩) મૃદુસ્પર્શ નામકર્મ :
જીવોના શરીરમાં અને અવયવોમાં માખણ જેવાં કોમળ સ્પર્શની પ્રાપ્તિ થાય તેને મૃદુસ્પર્શ નામકર્મ કહે છે.
(૪) કર્કશ સ્પર્શ નામકર્મ :
જીવોના શરીરમાં અને અવયવોમાં પત્થર જેવાં કર્કશ સ્પર્શની પ્રાપ્તિ થાય તે કર્કશ સ્પર્શ નામકર્મ છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૭
વર્ણાદિનામકર્મ
(૫) શીતસ્પર્શ નામકર્મ :
જીવોના શરીરમાં અને અવયવોમાં બરફ જેવા શીત સ્પર્શની પ્રાપ્તિ થાય તે શીતસ્પર્શ નામકર્મ છે. જે શરીરની સ્તબ્ધતાના કારણરૂપ છે.
(૬) ઉષ્મસ્પર્શ નામકર્મ :
શરીરમાં અને અવયવોમાં અગ્નિ જેવા ગરમ-ઉષ્ણ સ્પર્શની પ્રાપ્તિ થાય તે ઉષ્ણસ્પર્શ નામકર્મ છે. જે સ્પર્શ ખાધેલ આહારના પાચનના કારણરૂપ થાય છે.
(૭) સ્નિગ્ધ સ્પર્શ નામકર્મ :
શરીરમાં અને અવયવોમાં ઘી જેવા ચીકણા સ્પર્શની પ્રાપ્તિ તે સ્નિગ્ધ સ્પર્શ નામકર્મ છે. શરીરાદિના પુદ્ગલ દ્રવ્યોના સ્કંધમાં પરસ્પર જોડાવાના કારણરૂપ કર્મ છે. તત્ત્વાર્થમાં કહ્યું છે કે નિરક્ષવાદ્ વન્યઃ
(૮) રૂક્ષ સ્પર્શ નામકર્મ :
શરીરમાં અને અવયવોમાં ભસ્મની જેવા લુખા સ્પર્શની પ્રાપ્તિ થાય તે રૂક્ષ સ્પર્શ નામકર્મ કહે છે.
રુક્ષગુણ પણ સ્કંધ બનવામાં કારણ છે. તે ઉપર મુજબ જણાવેલ છે.
વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ એ પુદ્ગલનો ગુણ છે. તેથી જીવે શરીર-અવયવ-શ્વાસોશ્વાસ-ભાષા અને મનરૂપે ગ્રહણ કરેલ પગલોમાં પોતાના કર્મના અનુસારે ઉત્કટ-મંદ વર્ણાદિ પ્રાપ્ત થાય છે.
- તેમાં શરીર અને તેના સાત ધાતુરૂપ અવયવોમાં દરેક પ્રાણીને વર્ણાદિ હોય છે. તેમાં જે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ નામકર્મનો ઉત્કટ (વધારે રસવાળા) કર્મ પુદ્ગલોનો ઉદય હોય તે વધારે સ્પષ્ટ અનુભવાય છે. અને બાકીના વર્ણાદિનો મંદ પણ ઉદય હોય છે જે સ્પષ્ટ ક્યારેક જણાય છે. ક્યારેક ન પણ જણાય, પરંતુ ઓછા-વધતા અંશે બધાનો ઉદય હોય છે એમ જાણવું.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
તેથી બંધ-ઉદય અને ઉદીરણામાં વર્ણાદિના ઉત્તર ભેદની વિવક્ષા કરી નથી. પરંતુ વર્ણાદિના ચાર મુખ્ય ભેદ ગણ્યા છે.
શુભાશુભ વર્ણાદિ
नील-कसिणं- दुग्गंधं, तित्तं कडुअं गुरु खरं रुक्खं । सीअं च असुहनवगं, इक्कारसगं सुभं सेसं ।। ४२ ।।
શબ્દાર્થ : અસુદનવાં = અશુભ વર્ણાદિ નવ, સેફું = બાકીના ગાથાર્થ : લીલો, કાળો, દુર્ગંધ, કડવો, તીખો, ભારે, કર્કશ, રૂક્ષ અને શીત એ નવ અશુભ છે. અને બાકીના અગિયાર શુભ વર્ણાદિક છે. ॥ ૪૨ ॥
વિવેચન : જે કર્મપ્રકૃતિ સુખનો અનુભવ કરાવે તે શુભ અને દુઃખનો અનુભવ કરાવે તે અશુભ છે. તેમાં વર્ણાદિના વીશ ભેદમાંથી નવ અશુભ કહ્યા છે અને અગિયાર શુભ કહ્યા છે તે આ પ્રમાણે -
વર્ણ
ગંધ
નીલો-કાળો
દુભિગંધ
તિક્ત-કટુ ગુરુ-કર્કશ-રુક્ષ-શીત
જો કે લોક વ્યવહારમાં લીલાવર્ણને શુભ કહેવાય છે, પરંતુ ઉત્કટ નીલવર્ણ તે શ્યામ જેવો લાગે છે તેથી શાસ્ત્રોમાં તે અશુભ કહેલ છે. આનુપૂર્વી અને વિહાયોગતિ નામકર્મનું વર્ણન
રસ
સ્પર્શ
અશુભ
શુભ રક્ત-પીત-શ્વેત
સુરભિગંધ
=
કષાય-આમ્લ-મધુર લઘુ-મૃદુ-સ્નિગ્ધ-ઉષ્ણ
વદ્-વ્વણુપુથ્વી, જ્ઞ-પુથ્વીતુળ, તિાં નિયાઝુર્ગં। પુથ્વી નો વઘ્ન, મુહ-અમુહ-વસુધ-વિધરૂં ॥ ૪રૂ। શબ્દાર્થ : ગ∞ = ગતિની પેઠે, અનુપુથ્વી = આનુપુથ્વી, પોતાના આયુષ્ય સહિત, વસુદ વૃષભ અને ઊંટ.
नियाउजुअं
=
Page #162
--------------------------------------------------------------------------
________________
વિગ્રહગતિનું વર્ણન
૧૩૯
ગાથાર્થ : ગતિ નામકર્મની જેમ આનુપૂર્વી નામકર્મ ચાર પ્રકારે છે. ગતિ અને આનુપૂર્વી - આ બે મળીને દ્વિક થાય છે. તે આયુષ્ય સહિત ત્રિક થાય છે, આનુપૂર્વીનો ઉદય વક્રગતિમાં યાને વિગ્રહગતિમાં હોય છે. બળદ અને ઉંટની ચાલ જેવું શુભ અને અશુભ વિહાયોગતિ નામકર્મ બે પ્રકારે છે. ॥ ૪૩ ॥
વિવેચન : આનુપૂર્વી નામકર્મ ગતિની જેમ ૪ પ્રકારે છે. આ આનુપૂર્વી નામકર્મ તે તે ગતિની સાથે જ ઉદયમાં આવે છે. આનુપૂર્વી નામકર્મ : ભવાંતરમાં જતા જીવની બે પ્રકારે ગતિ
હોય છે.
(૧) ઋજુગતિ (૨) વક્રગતિ
વિગ્રહગતિમાં એક ભવમાંથી બીજા ભવમાં જતાં જીવની આકાશપ્રદેશની શ્રેણીને અનુસરીને જે ગતિ થાય તે આનુપૂર્વીનો અનુભવ કરાવનારી જે પ્રકૃતિ તે આનુપૂર્વી નામકર્મ કહેવાય છે. આ કર્મ બળદની નાથ જેવું છે. મોક્ષમાં જીવ જાય ત્યારે ઋજુગતીથી જાય અને ચારે ગતિમાં જીવ ૠજુગતિ અને વિગ્રહગતિ (વક્રગતિ) બંને રીતે જાય. જુગતિ એક સમયની છે. વિગ્રહગતિ ૨-૩-૪ કવચિત. ૫ સમયની પણ હોય છે.
(૧) ૠજુગતિ' : ઉત્પત્તિસ્થાન નજીક કે દૂર સમશ્રેણીમાં કોઈપણ દિશામાં હોય તો જીવ એક સમયમાં પહોંચી જાય છે. તેને આનુપૂર્વીનો ઉદય ન આવે. કારણ કે વક્રા કરવી પડતી નથી. અને
(૧) ઋજુગતિમાં પ્રથમ સમયે જ ભવાન્તરના આયુષ્યોદય અને આહાર હોય છે.
વક્રગતિમાં પ્રથમ સમયે પૂર્વભવનો આહાર અને આયુષ્યોદય હોય. પછીના બીજી આદિ સમયોમાં નવા ભવના આયુષ્યનો ઉદય અને ઉત્પત્તિસ્થાનમાં આવે ત્યારે છેલ્લા સમયે આહાર હોય એટલે ઋજુગતિમાં પ્રથમ અને વક્રગતિમાં ચરમસમય વિના આહાર ન હોય. એટલે વક્રગતિમાં જીવ ૨-૩ અને ૫ સમય સુધી અણાહારી હોય...
Page #163
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ૠજુગતિવાળાને પ્રથમ સમયે જ ભવાન્તરના આયુષ્ય અને આહાર હોય છે. આ ગતિમાં અણાહારીપણું હોય નહીં.
વિગ્રહગતિ : ભવાંતરમાં જતા જીવને
(૨) એક વક્રા - બે સમય સનાડીમાં (૧) વિદિશામાંથી દિશામાં-પ્રથમ સમય (૨) પ્રથમ વક્રા કરી ઉર્ધ્વથી અધો અથવા અધોથી ઉર્ધ્વગમન કરી ઉત્પત્તિ સ્થાનમાં જાય.
૧૪૦
-
આ બે સમયવાળી એક વક્રાવાળી ગતિમાં પ્રથમ સમયે પૂર્વભવના આયુષ્ય અને આહાર હોય. પછીના સમયે નવા ભવનો આહાર અને આયુષ્ય હોય. આમાં અણાહારીપણું ન હોય.
(૩) બે વક્રા ત્રણ સમય - ત્રસનાડીમાં (૧) પ્રથમ સમયે વિદિશામાંથી દિશામાં (૨) પ્રથમ વક્રા કરી ઉર્ધ્વથી અધો અથવા અધોથી ઉર્ધ્વગમન કરે (૩) બીજી વક્રા કરી દિશામાંથી વિદિશામાં ઉત્પત્તિસ્થાનમાં જાય.
-
આમાં મધ્યના એક સમયમાં અણાહારીપણું હોય.
ચાર સમય
(૪) ત્રણ વક્રા ત્રસનાડી બહાર હોય (૧) વિદિશામાંથી દિશામાં જાય (૨) બીજા સમયે ત્રસનાડીમાં આવે (૨) ત્રીજા સમયે ઉર્ધ્વ કે અધોદિશામાં જાય. (૪) ચોથા સમયે દિશામાંથી વિદિશામાં જાય.
-
આમાં વચ્ચેના બે સમય અણાહારીપણું હોય.
(૫) ચાર વક્રા - પાંચ સમય - (૧) ત્રસનાડી બહારમાં રહેલ જીવ વિદિશામાંથી દિશામાં આવે. (૨) ત્રસનાડીમાં આવે (૩) ઉર્ધ્વથી અધો અથવા અધોથી ઉર્ધ્વ જાય. (૪) ત્રસનાડી બહાર જાય (૫) દિશામાંથી વિદિશામાં જાય.
(જુઓ પ્રવચન સારોદ્વાર દ્વા૨-૨૩૩ ગાથા-૧૯)
Page #164
--------------------------------------------------------------------------
________________
વિગ્રહગતિનું વર્ણન
૧૪૧
(૧) દેવાનુપૂર્વી -નામકર્મ-મનુષ્ય અને તિર્યંચના ભવમાંથી ઉત્પત્તિ સ્થાન તરફ સીધા જતા જીવને દેવભવના ઉત્પત્તિસ્થાન તરફ લઈ જાય. અહીં ઉત્કૃષ્ટથી બે વક્રા અને ત્રણ સમય થાય.
(૨) મનુષ્યાનુપૂર્વી નામકર્મ : ચારે ગતિના મરણસ્થાનથી ઉત્પત્તિસ્થાન તરફ સીધા જતા જીવને ઉત્પત્તિસ્થાન સમશ્રેણીમાં આવે ત્યારે તે તરફ લઈ જાય. વળાંક કરાવે-વાળે તે.
(૩) તિર્યંચાનુપૂર્વી નામકર્મ : ચારે ગતિમાંથી તિર્યંચના ભવમાં સમશ્રેણીમાં ન હોય તેવા ઉત્પત્તિસ્થાન તરફ સીધા જતા જીવને ઉત્પત્તિસ્થાન સમશ્રેણીમાં આવે તે તરફ વળાંક કરાવે તે.
ભવાન્તરમાં જતાં જઘન્યથી ૠજુગતિ એક સમયની અને વક્રગતિ ઉત્કૃષ્ટથી ચાર વક્રા અને પાંચ સમયવાળી વિંચત્ થાય.
(૪) નરકાનુપૂર્વી નામકર્મ : મનુષ્ય અને પં.તિર્યંચના ભવમાંથી નરકમાં ઉત્પત્તિસ્થાન તરફ સીધા જતા જીવને ઉત્પત્તિસ્થાન સમશ્રેણીમાં આવે ત્યારે ઉત્પત્તિસ્થાન તરફ વાળે તે.
અહીં ઋજુગતિથી જતાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બે વક્રા અને ત્રણ સમયવાળી વક્રગતિ થાય.
આ પ્રમાણે આનુપૂર્વી નામકર્મ ચાર પ્રકારે છે.
ગતિ અને આનુપૂર્વી મળીને દ્વિક થાય છે તે આ પ્રમાણેદેવદ્વિક : દેવગતિ અને દેવાનુપૂર્વી. મનુષ્યદ્ધિક : મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી તિર્યંચદ્ધિક : તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વી નદ્ધિક : નરકગતિ અને નરકાનુપૂર્વી દ્વિકમાં આયુષ્ય સહિત કરવાથી ત્રિક થાય છે. દેવત્રિક : દેવગતિ, દેવાનુપૂર્વી અને દેવાયુષ્ય.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
મનુષ્યત્રિક : મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી અને મનુષ્યાયુષ્ય. તિર્યચત્રિક : તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી અને તિર્યંચાયુષ્ય. નરકત્રિક : નરકગતિ, નરકાનુપૂર્વી નરકાયુષ્ય.
વિહાયોગતિ નામકર્મ : (૧) વિદાય પતિઃ આકાશ વડે ગતિ થાય છે. તે બે પ્રકારે છે.
(૧) શુભ વિહાયોગતિ નામ. (૨) અશુભ વિહાયોગતિ નામ. (૧) શુભ વિહાયોગતિ નામકર્મ
હાથી, બળદ અને રાજહંસના જેવી શુભ-મલપતિ ગતિ ચાલ પ્રાપ્ત થાય તે શુભવિહાયોગતિ નામકર્મ છે.
(૨) અશુભ વિહાયોગતિ નામકર્મ :
(૧) ખચ્ચર-તીડ-ઉંટ-પાડા-ગધેડા જેવી અશુભ ગતિ પ્રાપ્ત થાય છે. (૨) કુદકા ભરતી ચાલ, રાજાના જેવી ચાલ પ્રાપ્ત થાય તે.
પ્રશ્ન : ચૌદરાજલોકમાં જ જીવો હોય છે. અને ચૌદ રાજલોક અને લોકબહાર પણ વિદાય-આકાશ છે. એટલે આકાશ વિના ગતિ થાય નહીં. તો આ કર્મમાં વિદાય એટલે વિહાયોગતિ એવું નામ કેમ આપ્યું?
ઉત્તર : તમારો પ્રશ્ન બરાબર છે. જો કે જીવની આકાશ વિના ગતિ નથી. તેથી વિદાયમ્ શબ્દની જરૂર નથી. છતાં મૂકવાનું કારણ એ કે નામકર્મની પ્રથમ પ્રકૃતિ ગતિ નામકર્મ છે. બન્ને એક થઈ જાય. તેથી તે ગતિ નામકર્મથી જુદુ પાડવા વિહાયોગતિ એવું નામ આપ્યું છે.
આઠ પ્રત્યેક પ્રવૃતિઓ પરાઘાત નામકર્મ
શ્વાસોશ્વાસ નામકર્મ परघाउदया पाणी, परेसिं बलिणंपि होइ दुद्धरिसो । उससणलद्धिजुत्तो, हवेइ ऊसासनामवसा ॥ ४४ ।।
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકપ્રકૃતિનું વર્ણન
૧૪૩ શબ્દાર્થ : પરકા = પરાઘાત નામકર્મ, પાણી = પ્રાણી, જીવ, પસિં = બીજાઓને, વંતિપિ = બળવાનોને પણ, કુરિસો = દુઃખે કરીને જીતી શકાય તેવો, દ્ધિ = લબ્ધિ
ગાથાર્થ : પરાઘાત નામકર્મના ઉદયથી જીવ બીજા બળવાનને પણ દુસહ્ય-દુખે કરીને જીતવા યોગ્ય થાય છે. શ્વાસોશ્વાસ નામકર્મથી શ્વાસોશ્વાસલબ્ધિવાળો થાય. ૪૪ //
વિવેચન : હવે પ્રત્યેક પ્રકૃતિઓને વિશેષ રીતે સમજાવે છે. પરાઘાત નામકર્મ ઃ (૧) પરીનું કાન્તિ – પરીપાતમ્ (૧) {ન પરિમવતિ (૨) : તે – 7 મિભૂયતે (૪) બીજાથી જે આઘાત ન પામે - પરાભવ ન પામે. (૫) બીજાને જે આઘાત પમાડે તે પરાઘાત અર્થાત્ (૧) ઓજસ્વી-પ્રતાપી તેજસ્વી એવા પોતાને જોવા માત્રથી,
(૨) તેમજ પોતાની વાણીની પટુતા વડે રાજા-મહારાજાઓની સભામાં ગયો છતો પણ તે સભાના સભ્યોને ક્ષોભ ઉત્પન્ન કરે,
(૩) પોતાનો પ્રભાવ પેદા કરે અને સામા પક્ષની પ્રતિભાને દબાવે તે પરાઘાત નામકર્મ છે.
(૪) બળવાન પ્રતિપક્ષને પણ પરાભવ પમાડી દે. ઉચ્છવાસ નામકર્મ :
(૧) જેના ઉદયથી ઉચ્છવાસ-નિશ્વાસ લેવા મૂકવાની ક્રિયાવાળો થાય. (૨) સુખપૂર્વક શ્વાસ લઈ-મૂકી શકે તે ઉચ્છવાસ નામકર્મ છે.
પ્રશ્ન : કોઈપણ લબ્ધિ લાયોપશમ ભાવની હોય છે તો શ્વાસોશ્વાસ લબ્ધિ ઔદાયિક ભાવની કેમ કહેલ છે ?
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ જવાબ : જો કે લબ્ધિની પ્રાપ્તિ ક્ષાયોપશમ ભાવથી થાય છે, પરંતુ કેટલીક લબ્ધિનો ઉપયોગ કરે ત્યારે ઔદયિક ભાવની પણ અપેક્ષા હોય છે.
જેમ વૈક્રિય લબ્ધિના ઉપયોગમાં વૈક્રિયશરીરનામકર્મનો ઉદય. આહારક લબ્ધિના ઉપયોગમાં આહારકશરીરનામકર્મનો ઉદય. તૈજસ લબ્ધિના ઉપયોગમાં તૈજસશરીરનામકર્મનો ઉદય.
તેમ અહીં પણ શ્વાસોશ્વાસ લબ્ધિવાળાને પર્યાપ્ત નામકર્મ અને શ્વાસોશ્વાસ નામકર્મનો ઉદય થાય એટલે તે લબ્ધિનો ઉપયોગ કરે અર્થાત્ શ્વાસોશ્વાસ લેવા-મૂકવાની ક્રિયા સુખપૂર્વક કરે.
જો અપર્યાપ્ત નામનો ઉદય હોય તો કંઈક ક્ષયોપશમ લબ્ધિ હોવા છતાં શ્વાસોશ્વાસ પર્યાપ્તિ ન કરવાથી શ્વાસોશ્વાસની ક્રિયા હોય
નહીં.
જેમ લંગડા માણસને કે પશુને ચાલવાની શક્તિરૂપ લબ્ધિ હોવા છતાં દ્રવ્ય સાધનરૂપ પગ ન હોય તો ચાલી શકે નહિ.
શ્વાસોશ્વાસ નામકર્મનો ઉદય લબ્ધિપર્યાપ્તાને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી આવે છે.
શ્વાસોશ્વાસનામકર્મ લબ્ધિ પર્યાપ્તા એક. થી સંજ્ઞી પંચે. સુધીના દરેક જીવોને હોય છે.
આતપ નામકર્મ रवि-बिंबे उ जीअंगं, ताव-जुअं आयवाउ, न उ जलणे । जमुसिण-फासस्स तहिं, लोहिअवण्णस्स उदउत्ति ॥ ४५ ॥
શબ્દાર્થ ઃ માયવાડ = આતપ નામકર્મના ઉદયથી, તાવનુi = તાપયુક્ત, સિગાસં = ઉષ્ણ સ્પર્શનો, નમ્ = કેમકે-જે કારણથી.
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકપ્રકૃતિનું વર્ણન
૧૪૫ ગાથાર્થ સૂર્યના બિંબમાંના જીવનું શરીર તાપયુક્ત અનુભવાય તે આતપ નામકર્મનો ઉદય છે. પરંતુ અગ્નિકાયમાં આતપનો ઉદય ન હોય કારણ કે અગ્નિકાયમાં તો ઉષ્ણસ્પર્શ અને રક્તવર્ણ નામકર્મનો ઉદય છે.
વિવેચન : આતપ નામકર્મ :
શરીર શીત સ્પર્શવાળું હોવા છતાં બીજા જીવોને ઉષ્ણ (સ્પર્શ) પ્રકાશરૂપે અનુભવાય તે આતપ નામકર્મ છે.
તેનો ઉદય સૂર્યના વિમાનમાં રહેલાં રત્નોરૂપ બાદર પૃથ્વીકાયના જીવોને જ હોય છે.
અગ્નિકાયના જીવોને આતપ નામકર્મનો ઉદય હોય નહીં. કારણ કે તેમને તો ઉષ્ણસ્પર્શ નામકર્મ અને રક્તવર્ણ નામકર્મનો ઉદય હોય છે. તેથી તે ઉષ્ણપ્રકાશ રૂપે અનુભવાય છે.
પ્રશ્ન : અગ્નિકાયથી જીવોને તાપનો અનુભવ થાય છે તો તે આપ નામકર્મ કેમ ન કહેવાય ?
જવાબ : આપ નામકર્મ એટલે શરીર શીત સ્પર્શવાળું હોય અને બીજાને ઉષ્ણ સ્પર્શવાળો પ્રકાશ આપે.
અહીં અગ્નિ તે ઉષ્ણ સ્પર્શવાળો છે તેમજ જે પ્રકાશ આપે છે તે ઉત્કટ રક્તવર્ણના ઉદયના કારણે આપે છે તેથી આપ નામકર્મ ન કહેવાય.
ઉદ્યોત નામકર્મ अणुसिणपयासरुवं, जीअंगमुजोअए इहुजोआ । जइदेवुत्तरविक्किअ-जोइसखजोअमाइव्व ॥ ४६ ॥
શબ્દાર્થ : મUસિપિયર્વ = શીત (અનુષ્ણ) પ્રકાશરૂપ, ઉજ્ઞોગમારૂત્ર = ખજુઆ આદિની જેમ. ૧૦
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ ગાથાર્થ : ઉદ્યોત નામકર્મના ઉદયથી જીવનું શરીર શીત પ્રકાશરૂપ હોય છે. મુનિ અને દેવ વડે કરાયેલા ઉત્તરક્રિયશરીર, જ્યોતિષના વિમાનો અને આગિયા વગેરેને શરીર શીત પ્રકાશ સ્વરૂપે હોય છે. તે ઉદ્યોતનામ કર્મ છે. તે ૪૬ / વિવેચન : ઉદ્યોત નામકર્મ
જીવોનું શરીર શીત હોય અને શીત પ્રકાશરૂપે ઉદ્યોત કરે પ્રકાશ આપે તે ઉદ્યોત નામકર્મ છે. તે ઉદ્યોત નામકર્મ ચિંદ્ર-નક્ષત્ર-ગ્રહ-તારાના
જ્યોતિષ વિમાનોમાં રહેલા પૃથ્વીકાય જીવોને તથા સંયમી મુનિ અને દેવોએ બનાવેલ ઉત્તર વૈક્રિય શરીરમાં અને આગિયા વિગેરે વિલેન્દ્રિયના જીવોને પણ ઉદ્યોત નામકર્મનો ઉદય હોય છે.
કર્મગ્રંથકારો એમ કહે છે કે- ઉદ્યોત નામકર્મનો ઉદય તેઉકાયવાયુકાય અને સૂક્ષ્મ એકે. સિવાય શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા સર્વ 'તિર્યંચોને મૂળ શરીરમાં તેમજ દેવ-તિર્યંચ અને સંયમી મનુષ્યને ઉત્તર વૈક્રિય શરીરમાં અને ચૌદ પૂર્વધર મુનિ મહાત્માએ બનાવેલ આહારક શરીરમાં હોઈ શકે છે.
અગુરુલઘુ અને તીર્થકર નામકર્મ अंगं न गुरु न लहुअं, जायइ जीवस्स अगुरुलहु उदया । तित्थेण तिहुअणस्स वि, पुजो से उदओ केवलिणो । ४७ ।।
શબ્દાર્થ : નાયડુ = થાય છે, તે = તેનો, તિળો = કેવળજ્ઞાનીને, પુષ્પો = પૂજ્ય.
ગાથાર્થઃ અગુરુલઘુ નામકર્મના ઉદયથી જીવોને પોતાનું શરીર પોતાને ભારે પણ ન હોય અને હલકું પણ ન હોય (ન જણાય). (૧) બા.૫. પૃથ્વીકાય-અપકાય-વનસ્પતિકાય છે. વિકલેન્દ્રિય, પ.પં. તિર્યંચ - તે
અહીં તિર્યંચ જાણવા.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૭.
પ્રત્યેકપ્રકૃતિનું વર્ણન
તીર્થકર નામકર્મના ઉદયથી ત્રણ ભુવનને વિશે પૂજનીય થાય છે. તેનો ઉદય શ્રી કેવળજ્ઞાની ભગવંતોને હોય છે. મેં ૪૭ |
વિવેચન : અગુરુલઘુનામકર્મ :
જેના ઉદયથી જીવોને પોતાનું શરીર ન ભારે (અગુરુ) -ન હલકું (ન લઘુ) ન ગુરુલઘુ (ન ભારે હલકું) પરંતુ અગુરુલઘુરૂપે પરિણમન થાય. એટલે જીવને પોતાનું શરીર ભારે પણ ન લાગે અને હળવું પણ ન લાગે. અર્થાત્ શરીરમાં વજન વધે કે ઘટે છતાં તેનો અનુભવ પોતાને ન જણાય તે અગુરુલઘુ નામકર્મ છે.
જોકે દરેક પ્રાણીને પોતાના શરીરના વજનમાં વધારો-ઘટાડો થાય તો પણ તેનો અનુભવ જીવને ચાલવામાં બેસવામાં-ઉઠવામાં થતો નથી. બીજું વજન ઊંચકવામાં કષ્ટ અનુભવાય છે, પરંતુ શરીરના વજનમાં ફેરફાર થાય તો પણ તેનો અનુભવમાં ખ્યાલ આવતો નથી.
વળી કેટલાક સ્થલ (ભારે) શરીરવાળા જીવોને પોતાનું શરીર બેસવા ઉઠવામાં તકલીફવાળું અનુભવાય તે ઉપઘાત નામના ઉદયથી થાય છે.
તેમજ એક જીવને અગુરુલઘુ તેમજ ગુરુસ્પર્શ અને લઘુસ્પર્શ નામકર્મનો પણ ઉદય સાથે જ હોય છે. છતાં દરેકનું ફળ જુદું છે. કારણ કે હાથ-પગ-મસ્તક આદિ અવયવોમાં ગુરુસ્પર્શ નામકર્મ અને પાંપણવાળ-જીભ-હોઠ આદિ અવયવોમાં લઘુસ્પર્શ નામકર્મ અને આખા શરીરની અપેક્ષાએ અગુરુલઘુ નામકર્મ જાણવું.
તીર્થકર નામકર્મ : સર્વશ્રેષ્ઠતમકક્ષાની પુણ્ય પ્રકૃત્તિ :
જે કર્મના ઉદયથી આઠ પ્રાતિહાર્યાદિ ૩૪ અતિશયો ઉત્પન્ન થાય, ત્રણ ભુવનમાં પૂજનીયપણું-માર્ગદર્શકપણું મળવું તે તીર્થંકર નામકર્મ કહેવાય છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ तीर्थं करोति इति तीर्थंकरः----- જે તીર્થને કરે - તીર્થની સ્થાપના કરે તે. ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરે તે તીર્થંકર. તીર્થની સ્થાપના કરવાના કારણરૂપ કર્મ તે તીર્થંકર નામકર્મ.
તીર્થંકર નામકર્મનો (રસોદય) ઉદય તીર્થંકર પરમાત્માને કેવલજ્ઞાન થાય ત્યારથી થાય છે. એટલે સયોગી કેવલી અને અયોગી કેવલી ગુણ. માં હોય છે.
તીર્થંકર નામકર્મનો બંધ ત્રણ ભવ પૂર્વે મનુષ્યના ભવમાં બાંધવાની શરૂઆત થાય છે, ત્યારબાદ ત્રણે ભવમાં તેનો બંધ ચાલુ રહે છે. યાવત્ ચરમભવમાં ક્ષપકશ્રેણીમાં આઠમા ગુણ. ના છઠ્ઠા ભાગ સુધી બંધ રહે છે પછી બંધ વિચ્છેદ થાય.
જોકે પહેલાં નરકનું આયુષ્ય બાંધ્યું હોય, પછી લાયો. સમ્યકત્વ પામી જિનનામ બાંધે તેને નરકમાં જતી વખતે છેલ્લા અંતર્મુહૂર્તમાં અને નરકમાં પહેલા અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વ હોવાથી જિનનામ ન બંધાય.
તે તીર્થંકર નામકર્મ અરિહંતપદ આદિ વીશપદની (વશ સ્થાનક) ની આરાધનાથી તેમજ
તત્ત્વાર્થસૂત્રમાં કહ્યા પ્રમાણે (૧) સમ્યકત્વની નિર્મળતા (૨) વિનયપણું આદિથી પણ બંધાય છે.
સ્નાત્ર પૂજામાં પણ કહ્યું છે કે –
જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસન રસી” આવી ઉત્કૃષ્ટ ભાવનાથી જિનનામ કર્મ બંધાય છે.
તે તીર્થંકરનામકર્મનો ત્રીજા (છેલ્લા) ભવમાં ઘાતકર્મ ક્ષય થતાં કેવલજ્ઞાનની સાથે ઉદય થાય છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેક પ્રકૃતિનું વર્ણન
૧૪૯ તે તીર્થકર નામના રસોદયથી ચોત્રીશ અતિશય, આઠ પ્રતિહાર્ય, વાણીના પાંત્રીસ ગુણવાળા તીર્થંકર પરમાત્મા હોય છે.
ત્રણ ભવ પૂર્વે તીર્થંકર નામકર્મ ઉત્કૃષ્ટ શુભભાવથી બંધાય ત્યારે સાથે સૌભાગ્ય-સુસ્વર-આદેય-યશ વિગેરે પુણ્યપ્રકૃતિ પણ તીવ્ર રસવાળી બંધાય, તેથી જ્યારથી તીર્થંકર નામ બંધાય ત્યારથી આ શુભ બંધાયેલ પ્રકૃતિના રસોદયથી તે ઉત્કૃષ્ટ પુણ્યવાળા હોય છે. અને તેથી બીજા જીવો કરતાં વિશિષ્ટ કોટિના હોવાથી - નરકના ભવમાં અથવા દેવના ભવમાં બધાને આદરણીય આદિ ગુણોવાળા હોય છે અને ચરમભવમાં જન્માભિષેક – ચાર અતિશય આદિને પામે છે.
જોકે-કેટલીક જગ્યાએ તીર્થંકર નામકર્મના પ્રદેશોદયનું ફળ કહ્યું છે. પરંતુ પ્રદેશોદયનું આવું ફળ નથી. કારણ કે પ્રદેશોદય - તે રસોદય વિનાનો હોય છે. તેથી તેનું પ્રત્યક્ષ ફળ અનુભવાય નહીં. તત્ત્વ તિમ્ अंगोवंगनियमणं, निम्माणं कुणइ सुत्तहारसमं । उवघाया उवहम्मइ, सतणुवयवलंबिगाईहिं ॥ ४८ ॥
શબ્દાર્થ : સુત્તહરસમ = સુથાર જેવું, ૩વર્મા = હણાય છે, સત = પોતાના શરીરના સંવિI = પડmભી આદિ વડે.
ગાથાર્થ નિર્માણ નામકર્મ સુથારની જેમ અંગોપાંગનું (નિયમન પણું) સુયોગ્ય ગોઠવણ કરે છે. ઉપઘાત નામકર્મના ઉદયથી પોતાના શરીરના જ અવયવો રસોળી-પડજીભી વગેરેથી જીવ પોતે પીડા પામે છે. મેં ૪૮ /
વિવેચન : નિર્માણ નામકર્મ :
શરીરમાં પોતપોતાની જાતિને અનુસાર અંગ-પ્રત્યંગ નિયત સ્થાને થાય એટલે કે જે સ્થાને જે અંગ-ઉપાંગ કે અંગોપાંગ જોઈએ ત્યાં ગોઠવણ થાય તે નિર્માણ નામકર્મ છે. '
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
આ કર્મ સુથાર જેવું છે. જેમ સુથાર પુતળી બનાવે તો તેના હાથ-પગ આદિ વ્યવસ્થિત ગોઠવે છે તેમ નિર્માણ નામકર્મથી જે અંગોપાંગાદિ જ્યાં જોઈએ ત્યાં ગોઠવાય છે.
વળી સુથાર મકાન બનાવે તેમાં બારી-બારણાં વેન્ટિલેશન વિગેરે યથાસ્થાને મૂકે છે તેમ આ કર્મથી શરીરના અવયવો યથાયોગ્ય સ્થાને ગોઠવાય છે.
ઉપઘાત નામકર્મ :
પોતાના શરીરના અવયવો વડે જે હણાય, દુઃખી થાય-પીડા પામે, તે ઉપઘાત નામકર્મ છે. જેમકે પ્રતિજીવા (પડજીભી)(જીભ ઉપર બીજી જીભ) ગળે રસોળી, ચોરદંત-દાંત પાસે નીકળેલો ધારદાર બીજો દાંત (ડહાપણની દાઢ), ઝાડ પર ઊંધે માથે લટકવું, પર્વત પરથી ઝંપાપાત કરવો, અગ્નિમાં બળવું, એપેન્ડીક્ષ-પથરી થવી વિગેરેથી જીવ પીડા પામે તે ઉપઘાત નામકર્મ છે.
ત્રસ-બાદર-પર્યાપ્ત વિ-તિ-વ-પતિમ તા, વાયરો વાયરા નીયા શૂના | निय-निय-पजत्तिजुआ, पजत्ता लद्धिकरणेहिं ॥ ४९ ॥
શબ્દાર્થ : વિ=બેઈન્દ્રિય,ધૂતા=મોટા સ્કૂલ, નિયનિય= પોતપોતાની, નુકસહિત, તદ્ધિલબ્ધિએ, હિં=કરણ વડે. - ગાથાર્થ : ત્રસનામકર્મથી બેઈન્દ્રિયપણું, તેઈન્દ્રિયપણું, ચઉરિન્દ્રિયપણું, પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય. ઈચ્છા મુજબ હાલી ચાલી શકાય તેવું શરીર મળે. બાદર નામકર્મવાળા જીવો બાદર એટલે કે મોટા-સ્થૂળ શરીરવાળા હોય. પોતપોતાની પર્યાપ્તિ યુક્ત થાય તે લબ્ધિ અને કરણ વડે પર્યાપ્તા છે. તે ૪૯ |
Page #174
--------------------------------------------------------------------------
________________
સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ
૧૫૧
વિવેચન : પિંડ પ્રકૃતિઓનું વર્ણન અને આઠ પ્રત્યેક પ્રકૃતિનું વર્ણન કર્યું છે.
હવે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિઓ ૨૦ (વીસ) છે જે ત્રસદશક અને સ્થાવર દશક કહેવાય છે. અહીં બન્નેની વ્યાખ્યા સાથે આપવામાં આવી છે કારણ કે ગાથા-૫૧ માં સ્થાવર દશકનો અર્થ વિપરિત જાણવો એમ કહેલ છે.
ત્રસનામકર્મ :
(૧) સુખ-દુઃખના પ્રસંગોમાં પોતાની ઈચ્છા મુજબ ગમનાગમન (હલનચલન) કરી શકે તે ત્રસ નામકર્મ છે.
(૨) તાપ આદિથી પીડિત થતાં એક સ્થાનેથી બીજે સ્થાને ઈચ્છા મુજબ જઈ શકે તે ત્રસ નામકર્મ કહેવાય છે.
(૩) ત્રસન્તિ-વિમ્મતિ કૃતિ ત્રસા
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવો ત્રસ કહેવાય છે.
જોકે તેઉકાય-વાયુકાય બીજાની પ્રેરણાથી ગતિ (ગમનાગમન) કરે છે તેથી તેઓને ગતિત્રસ કહ્યા છે. એટલે પોતાની શક્તિથી ગતિ કરતા નથી માટે તે લબ્ધિત્રસ કહેવાય નહિ. તે ગતિત્રસ હોવાથી તત્ત્વાર્થસૂત્રમાં તેનો-વાયુ-ટ્વીન્દ્રિયાયશ્ચ ત્રસા: એમ ત્રસ કહ્યા છે.
સ્થાવર નામકર્મ : સુખ-દુ:ખની પ્રાપ્તિ થવા છતાં જે ઈચ્છા મુજબ ગતિ કરી શકે નહિ. જેમ ઠંડી અથવા ગરમીથી પીડાવા છતાં વૃક્ષ આદિ વનસ્પતિ બીજે જઈ શકતી નથી. ચુલા ઉપર રહેલું પાણી બળી જવા છતાં બીજે જઈ શકતું નથી. આ નામકર્મ એકેન્દ્રિય જીવોને જ હોય છે.
બાદર નામકર્મ :
જીવોના એક શરીર અથવા અનેક (અસંખ્ય) શરીરો એકઠાં થવાથી ઈન્દ્રિય ગોચર થાય તે બાદર નામકર્મ છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ જો કે બાદર નામકર્મ તે જીવવિપાકી પ્રકૃતિ છે, પરંતુ પુદ્ગલ વિપાકી પ્રકૃતિ નથી તેથી બાદર નામકર્મથી શરીર ચક્ષુગ્રાહ્ય બને જ એવું નથી.
કારણ કે બાદર નામકર્મ વિગ્રહ ગતિમાં પણ જીવને ઉદયમાં હોય છે. તે વખતે ઈન્દ્રિય ગ્રાહ્ય શરીરવાળો નથી.
માટે આ કર્મ એક લબ્ધિ-સ્વરૂપ કર્મ છે. તેથી જીવ જ્યારે શરીર બનાવે ત્યારે એક અથવા અનેક શરીર એકાકાર (ભેગાં થાય) થાય ત્યારે ઈન્દ્રિય (ચક્ષુ તથા સ્પર્શેન્દ્રિય) ગ્રાહ્ય બની શકે તેવું શરીર બને તે બાદરનામ કર્મ છે.
સૂક્ષ્મ નામકર્મ : એક અથવા અનેક શરીર ભેગાં (એકાકાર) થવા છતાં ઈન્દ્રિય ગ્રાહ્ય-ચક્ષુગ્રાહ્ય ન બને તે.
આ કર્મ પૃથ્વીકાયાદિ કેટલાક એકેન્દ્રિય જીવોને જ હોય, પરંતુ બેઈન્દ્રિયાદિથી તિર્યંચ-મનુષ્ય-દેવ અને નારકી સુધીના જીવોને ન હોય.
પર્યાપ્ત નામકર્મ :
સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવામાં સમર્થ થાય-સક્ષમ થાય તે પર્યાપ્ત નામકર્મ છે.
અપર્યાપ્ત નામકર્મ સ્વયોગ્ય પર્યાપ્તિ બનાવવા સમર્થ ન થાય. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા તે બને બે બે પ્રકારે કહ્યા છે.
(૧) લબ્ધિ પર્યાપ્તા : સ્વયોગ્ય પર્યાપ્તિ અવશ્ય કરી શકે- કરે તે. આ જીવ ઉત્પત્તિના પ્રથમ સમયથી લબ્ધિ પર્યાપ્તા કહેવાય. કાળસંપૂર્ણ આયુષ્ય.
(૨) કરણ પર્યાપ્તા ઃ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરેલ હોય તે. આ જીવ પોતાની પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી કહેવાય. કાળ-અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્ણઆયુષ્ય.
Page #176
--------------------------------------------------------------------------
________________
સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ
૧૫૩
(૧) લબ્ધિ અપર્યાપ્ત ઃ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન જ કરે. ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી આયુષ્ય પૂર્ણ થઈ જાય. તેથી બાકીની પર્યાપ્તિઓ કરે નહિ.
કાળ-અંતર્મુહૂર્ત
:
કરણ અપર્યાપ્તા ઃ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ નથી કરી તે. સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરનાર (લબ્ધિ પર્યાપ્તા) હોય અથવા સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરનાર (લબ્ધિ અપર્યાપ્ત) હોય. તે બન્ને કરણ અપર્યાપ્તા કહેવાય.
અહીં કેટલાકના મતે
કરણ અપર્યાપ્તા - ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્ત.
કરણ પર્યાપ્તા - ઈન્દ્રિય પર્યાપ્તિપૂર્ણ કરેલ હોય તે કરણ પર્યાપ્તા કહેવાય.
આ મત પ્રમાણે લબ્ધિ અપર્યાપ્તા પણ કરણ પર્યાપ્તા થાય, તેથી તે લબ્ધિ અપર્યાપ્તા જીવ બે પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્ત અને બે પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારપછી કરણ પર્યાપ્તા એમ જાણવું.
પર્યાપ્તિ (શક્તિ) એક અંતર્મુહૂર્તમાં થાય છે અને તે શક્તિ દ્વારા જીવ શરીરાદિ બનાવે છે.
દેવો-નારકીના જીવો લબ્ધિ પર્યાપ્તા જ હોય અને તે કરણ અપર્યાપ્તા અને કરણ પર્યાપ્તા એમ બે પ્રકારે કહેવાય.
મનુષ્ય-તિર્યંચમાં ચાર ભેદ હોય.
તે ચાર ભેદમાં પરસ્પર ભેદો આ પ્રમાણે
-
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૧) લબ્ધિ પર્યાપ્તા - તે (૧) કરણ અપર્યાપ્તા (૨) કરણ પર્યાપ્તા.
(૨) લબ્ધિ અપર્યાપ્તા તે (૧) કરણઅપર્યાપ્તા (૨) મતાન્તરે કરણપર્યાપ્તા (પણ)
(૩) કરણ અપર્યાપ્તા - તે (૧) લબ્ધિઅપર્યાપ્તા (૨) લબ્ધિ પર્યાપ્તા.
(૪) કરણ પર્યાપ્તા - તે (૧) લબ્ધિ પર્યાપ્તા (૨) મતાન્તરે લબ્ધિ અપર્યાપ્તા (પણ). पत्तेअतणू पत्ते उदएणं दंत-अट्ठिमाइ थिरं । नाभुवरि सिराइ सुहं, सुभगाओ सव्वजणइट्ठो ॥ ५० ॥
શબ્દાર્થ : પત્તે તળું = પ્રત્યેક જુદાં શરીરવાળો, મારૂ = હાડકાં વિગેરે, નામુરિ = નાભિની ઉપર, સુમો = સૌભાગ્ય નામકર્મના ઉદયથી, સવ્વાણ = સર્વજનને, રૂ = વહાલો-પ્રિય.
ગાથાર્થ પ્રત્યેક નામકર્મના ઉદયથી જીવ પ્રત્યેક શરીરવાળા થાય છે. સ્થિર નામકર્મના ઉદયથી દાંત-હાડકાં આદિ સ્થિર થાય છે. શુભ નામકર્મના ઉદયથી નાભિથી ઉપરના મસ્તક આદિ અવયવો શુભ પ્રાપ્ત થાય છે. સૌભાગ્ય નામકર્મના ઉદયથી દરેકને પ્રિય (વ્હાલો) થાય. પછી
વિવેચન : પ્રત્યેક નામકર્મ : જીવને ભિન્ન-ભિન્ન શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેક નામકર્મ છે.
આ નામકર્મ સાધારણવનસ્પતિ સિવાય પૃથ્વીકાય આદિ સર્વ જીવોને હોય છે. જોકે એક મીઠાની કણીમાં, એક અગ્નિના તણખામાં અનેક જીવ અને અનેક શરીર હોય છે. તો પણ પરસ્પર ગાઢ રાગાદિના કારણે એક શરીરરૂપે જણાતા હોય છે. પરંતુ તેઓને પ્રત્યેક નામકર્મ જાણવું
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૫
સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ
સાધારણ નામકર્મ : અનંતા જીવોને એક શરીર પ્રાપ્ત થાય તે.
આ કર્મ વનસ્પતિકાયમાં જ હોય અને તે કર્મના ઉદયવાળા જીવો (૧) સાધારણ વનસ્પતિકાય (૨) નિગોદ (૩) કંદમૂળ (૪) અનંતકાય કહેવાય છે.
આ કર્મના ઉદયવાળા અનંત જીવો એક સાથે ઉત્પત્તિ સ્થાનમાં આવે. અનંતા જીવો સાથે મળી આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ વિગેરે સાથે બનાવે. એક શરીર બનાવે અને આયુષ્ય પૂર્ણ થયે તે અનંતા જીવ સાથે અથવા આયુષ્ય પ્રમાણે અવે. ' અર્થાત્ કોઈ જીવ વહેલો મૃત્યુ પામે, કોઈ જીવ મોટા અંતર્મુહૂર્તના આયુષ્યવાળો હોય તો પછી મૃત્યુ પામે.
અર્થાત્ અનંતા જીવો ઉત્પત્તિ સ્થાનમાં સાથે આવે. આહાર ગ્રહણ કરવો, શ્વાસોશ્વાસ લેવો વિગેરે એક શરીરથી સાથે જ કરે. પરંતુ મરણ સાથે પામે એવું નહિ.
સ્થિર નામકર્મ : દાંત, હાડકાદિ શરીરના અવયવોમાં નક્કરપણુંમજબુતપણું-નિશ્ચલપણું પ્રાપ્ત થાય તે સ્થિર નામકર્મ.
અસ્થિર નામકર્મ ઃ પાંપણ-જીલ્લા-કર્ણ વિગેરે અવયવો ચપલ થાય તે.
આ બંને પ્રતિપક્ષી કર્મ એક જીવને જુદા-જુદા અવયવોમાં સાથે જ ઉદયમાં હોય છે, કારણ કે તે ધ્રુવોદયી છે.
શુભ નામકર્મ : નાભિથી ઉપરના અવયવો શુભ પ્રાપ્ત થાય તે શુભ નામકર્મ છે.
મસ્તક અથવા હાથ બીજાને અડાડવાથી તે ખુશ થાય છે માટે તે અવયવો શુભ કહેવાય અને તે શુભ નામકર્મના ઉદયથી બને છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
અશુભ નામકર્મ : નાભિથી નીચેના અવયવો-અશુભ પ્રાપ્ત થાય તે અર્થાત્ પગ, પૃષ્ટભાગ વિગેરે બીજાને અડાડવાથી તે રોષિત થાય છે તે અશુભ નામકર્મ
પ્રશ્ન : સ્ત્રી-પુત્રાદિના પગ મસ્તકાદિને સ્પર્શવા છતાં પ્રાણી (મનુષ્ય) ખુશ થાય તો તે કયા કર્મનો ઉદય કહેવાય ?
જવાબ : સ્ત્રી-પુત્રાદિને નાભિથી નીચેના અવયવો અપવિત્ર છે. તેથી તે અશુભ નામકર્મ જ કહેવાય, પરંતુ મનુષ્યાદિ પ્રાણીને મોહાદિથી સારા લાગે છે.
આ બંને કર્મ પણ એક જીવને જુદાં જુદાં અવયવોમાં સાથે ઉદયમાં હોય છે. એટલે આ ચાર પ્રકૃતિ ધ્રુવોદયી હોવાથી દરેક જીવને અવશ્ય હોય.
નામકર્મની ધ્રુવોદયી ૧૨માં આ ચાર પ્રકૃતિઓ છે.
સૌભાગ્ય નામકર્મ ઃ ઉપકાર નહિ કરવા છતાં પણ સઘળાના મનને પ્રિય થાય છે. (૨) સર્વને વહાલો (પ્રિય) લાગે તે સૌભાગ્ય નામકર્મ કહેવાય છે.
જો કે સૌભાગ્ય નામકર્મના ઉદયવાળો હોવા છતાં ઈર્ષાળુઅવગુણગ્રાહી એવા જીવને તે પ્રિય ન લાગે તો તે સામેના જીવોનો દોષ સમજવો.
જેમ વર્ષાઋતુમાં સર્વ વનસ્પતિ નવપલ્લવિત થાય છતાં કેરડાનું ઝાડ સૂકાય છે તો તે વૃક્ષનો દોષ છે. વર્ષાઋતુનો નહિ.
વળી સૂર્ય હોતે છતે ચક્ષુવાળા સર્વ જીવો જોઈ શકે છતાં ઘુવડ જોઈ ન શકે તો તે ઘુવડનો દોષ જાણવો. સૂર્યનો નહી.
તેમ અહીં પણ સમજવું.
Page #180
--------------------------------------------------------------------------
________________
સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ
૧૫૭
દુર્ભગ નામકર્મ - ઉપકાર કરવા છતાં, બીજાનું કાર્ય કરવા છતાં બહુલતયા સર્વને અપ્રિય થાય છે. ઘણા મનુષ્યો ગધ્ધાવૈતરું (ગધેડાની જેમ કામો કરવા છતાં આ કર્મના ઉદયથી ઘણાને પ્રિય થતા નથી. सुसरा महुरसुहझुणी, आइज्जा सव्वलोअगिज्झवओ । जसओ जसकित्तीओ, थावरदसगं विवजत्थं ॥ ५२ ॥
શબ્દાર્થ : સુસા = સુસ્વરના ઉદયથી, મદુર = મધુર-મીઠા, સુઝુળી = સુખકારી અવાજવાળો, ફિજ્ઞા = આદેયના ઉદયથી, nિ = ગ્રહણ કરવા યોગ્ય, વગો = વચનવાળો.
ગાથાર્થ : સુસ્વર નામકર્મના ઉદયથી મધુર અને સુખાકારી અવાજવાળો થાય છે.
આદેયનામકર્મના ઉદયથી દરેક માણસને માન્ય વચનવાળો થાય. યશ નામકર્મના ઉદયથી યશ અને કીર્તિ થાય છે. આ ત્રસદશકથી સ્થાવર દશક વિપરીત અર્થવાળું છે. આપના
વિવેચન : સુસ્વર નામકર્મ પોતાનો સ્વર અન્યને કર્ણપ્રિય અને મધુર લાગે છે. અર્થાત્ બીજાને સાંભળવામાં સુખાકારી લાગે તે. ગાવામાં કોયલ જેવો મીઠો-મધુરો સ્વર લાગે વાત-ચિત કરવામાં બોલવામાં પણ અવાજ (સ્વર)ને કારણે પ્રિય થાય.
દુઃસ્વર નામકર્મ : કઠોર, ભેદાયેલ, ઘોઘરો, બીજાને અપ્રીતિના કારણરૂપ તેવો સ્વર (અવાજ) પ્રાપ્ત થાય છે. કર્ણ અપ્રિય અવાજ હોવાથી બીજા હાથ જોડીને કહે - તમે બોલતા નહીં. તમારો અવાજ કાન ફાડી નાખે છે.
આદેય નામકર્મ ઃ (૧) અયુક્ત વચન બોલવા છતાં લોકો પ્રમાણ કરે, માન્ય રાખે તે.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ (૨) વ્યક્તિને જોવા માત્રથી અભુત્થાન (ઉભા થવું) - સન્મુખ આવવું પશ્ચાદ્ગમન, અંજલિ કરે ઈત્યાદિ આદરવાળો થાય તે.
અનાદેય નામકર્મ : (૧) યુક્તિયુક્ત અને હિતકારી વચન બોલવા છતાં ગ્રહણ કરવા યોગ્ય વચનવાળો ન થાય, તેની વાત કોઈ સ્વીકારે નહીં.
(૨) ઉપકાર કરવા છતાં લોકો અભુત્થાન, સન્મુખગમનાદિ ન કરે તે.
(૩) હાથ જોડીને કહેવા છતાં તેનું કોઈ સાંભળવા તૈયાર ન થાય તે અનાદેયનામકર્મ.
યશ નામકર્મઃ તપ, શૌર્ય, ત્યાગ વિગેરે વડે પ્રાપ્ત કરેલ ખ્યાતિ વડે પ્રશંસા થાય છે. પરાક્રમ વડે અથવા દાન પુણ્યાદિ વડે ખ્યાતિ પામે, પ્રસિદ્ધિ પામે તે.
અપયશ નામકર્મ : તપ-ત્યાગ હોવા છતાં પ્રશંસા ન પામે, ખ્યાતિ ન પામે છે.
અહીં યશ : કીર્તિમાં તફાવત આ પ્રમાણે - યશ : (૧) સર્વ દિશામાં વાહ-વાહ થાય.
(૨) પરાક્રમથી સર્વ દેશ-વિદેશમાં ખ્યાતિ થાય તે યશ કીર્તિ – (૧) દાન-પુણ્યાદિથી ખ્યાતિ થાય તે અથવા
(૨) પોતાના દેશમાં-સ્થાનમાં ખ્યાતિ-પ્રશંસા થાય તે. સ્થાવર દશક આનાથી વિપરીત અર્થવાળું છે. તે દશ પ્રકૃતિની પણ વ્યાખ્યાઓ ત્રસાદિની સાથે લખી છે.
गोअं दुहुच्च-नीअं, कुलाल इव सुघड-भुंभलाऽइअं । विग्धं दाणे लाभे, भोगुवभोगेसु विरिए अ ॥ ५२ ॥
Page #182
--------------------------------------------------------------------------
________________
ગોત્રકર્મનું વર્ણન
૧પ૯ શબ્દાર્થ : જો = ગોત્રકર્મ, સુદ = બે પ્રકારે, નાનવ = કુંભારની પેઠે, સુપ jમતારૂણં = સારો ઘડો, મદિરાદિનો ઘડો, વિધ = અંતરાય કર્મ.
ગાથાર્થ : કુંભારના સારા ઘડા અને ભુંભલા-મદિરાદિના ઘડા જેવું ગોત્રકર્મ ઉચ્ચગોત્ર અને નીચગોત્ર એમ બે પ્રકારે છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યમાં વિદન કરનારું કર્મ અંતરાય કર્મ પાંચ પ્રકારે છે. | પર
વિવેચન : ગોત્રકર્મ ઃ (૧) આત્માનો અગુરુલઘુગુણ હણાય તે. (૨) જીવ ઉચ્ચ અથવા નીચપણે બોલાવાય તે- પૂતે તિ શોત્રમ્ ઉચ્ચ ગોત્રકર્મ :
(૧) ઉત્તમ જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શ્રુત, લાભ, ઐશ્વર્ય આદિની પ્રાપ્તિ થાય તે ઉચ્ચગોત્ર કર્મ છે. અથવા
(૨) નિર્ધન, કદરૂપો, બુદ્ધિ આદિથી રહિત હોવા છતાં લોકોથી પૂજા-સત્કાર આદિને પામે-આદરણીય બને.
નીચ ગોત્રકર્મ : (૧) જ્ઞાનાદિ ગુણથી સંપન્ન હોવા છતાં પણ તિરસ્કારને પામે, (૨) હીન જાતિ - કુલાદિની પ્રાપ્તિ થાય તે નીચગોત્ર કર્મ છે.
આ ગોત્રકર્મને કુંભારના ઘડાની ઉપમા આપવામાં આવી છે. જેમ કુંભાર એક જ જાતની માટીમાંથી બધા ઘડા બનાવતો હોવા છતાં કેટલાક ઘડા એવા સારા બને છે કે જે ઉત્તમ કાર્યોમાં તે ઘડાઓ પુષ્પ, ચંદન, અક્ષતાદિથી પૂજાય છે. મંગલકલશ તરીકેની સ્થાપનામાં વપરાય છે.
જ્યારે તે જ માટીમાંથી બનાવેલા કેટલાક ઘડા મદિરાદિ ભરવામાં ઉપયોગી થવાથી લોકમાં નિંદા-તિરસ્કારને પાત્ર બને છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ તેમ કેટલાક જીવો નિર્ધન, કુરૂપ કે બુદ્ધિહીન હોવા છતાં સંસ્કારવાળા-સારા કુળમાં જન્મ થવા માત્રથી પૂજાય છે. આદરણીયસન્માનનીય બને તે ઉચ્ચગોત્ર કહેવાય અને ધનવાન, સુરૂપ કે બુદ્ધિમાન હોવા છતાં હીનસંસ્કાર, કુળ, દેશ, જાતિ આદિ પ્રાપ્ત થવાથી લોકમાં નિંદા-તિરસ્કારને પાત્ર બને છે તે નીચગોત્ર છે.
અહીં કુલ અને જાતિના અર્થ આ પ્રમાણે –
કુલ-પિતાનો પક્ષ-સુસંસ્કારી તે, જાતિ-માતાનો (મોસાળ) પક્ષ સંસ્કારી તે જાતિ કહેવાય.
અંતરાય કર્મ : અંતરાય-વિજ્ઞ-અટકાવનાર..
આત્મામાં અનંત શક્તિઓ-લબ્ધિઓ રહેલી છે. અર્થાત્ આત્મા અનંત શક્તિનો-લબ્ધિનો સ્વામી છે. પણ એ બધામાં મુખ્ય પાંચ લબ્ધિ દર્શાવી છે. તેથી અંતરાયકર્મ પણ પાંચ ભેદે બતાવ્યું છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યલબ્ધિ. આ પાંચ લબ્ધિ.
(૧) જેના ઉદયથી લબ્ધિઓ હણાય - विशेषेण हन्यते-विनाश्यते अनेन इति विघ्नम्
(૨) દાનાદિ લબ્ધિઓ આત્મામાં અનંતી છે. તે લબ્ધિઓ અંતરાય કર્મથી હણાય છે. અવરાય છે.
(૧) દાનાંતરાય કર્મ : તાન = આપવું તે.
દાન આપવા યોગ્ય વસ્તુ હોવા છતાં અને ગુણવાન પાત્ર સામે હોય, આપવાથી મહાન ફળ છે. એમ જાણવા છતા આપવા માટે ભાવ-ઉત્સાહ ન જાગે તે દાનાંતરાય કર્મ છે. આપવાથી ઓછું થઈ જશે એમ માની આપવાની ઈચ્છા ન થાય.' (૧) જોકે સુપાત્રાદિમાં દાન આપવાથી દાનાન્તરાયનો ક્ષયોપશમ થાય. ભવિષ્યમાં પ્રાપ્ત થાય, ઓછું ન થાય.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૧
અંતરાયકર્મનું વર્ણન
येन कर्मणा न दीयते इति दानान्तरायम् । (૨) લાભાંતરાય કર્મ ઃ = મેળવવું
દાતા વિદ્યમાન હોવા છતાં, લેનાર ગુણવાન હોય છતાં, યાચનામાં કુશળ હોવા છતાં મેળવી ન શકે તેને લાભાંતરાય કર્મ છે.
न लभ्यते इति लाभान्तरायम् । (૩) ભોગાંતરાય કર્મ : = ભોગવવું.
વિશિષ્ટ આહારાદિ પ્રાપ્ત હોવા છતાં, વ્રત પચ્ચકખાણાદિનો પરિણામ ન હોવા છતાં ભોગવટો ન કરી શકે-વાપરી ન શકે-ખાઈ ન શકે તેને ભોગાંતરાય કર્મ કહે છે.
ખાવાની-વાપરવાની ઈચ્છા હોય છતાં પોતે વાપરતાં પૂર્વે કોઈ આવી જાય અને તે વાપરે, તેથી પોતે ન વાપરી શકે. જેમ પૂજામાં કહ્યું –જમી જમાઈ પાછો વળીયો
જ્ઞાન દશા તપ જાગી-ભૂલ્યો બાજી (૪) ઉપભોગવંતરાય કર્મ :
વારંવાર ભોગવટો કરવા યોગ્ય વસ્ત્ર-આભરણાદિ પદાર્થો મળવા છતાં પણ વ્રત-પચ્ચકખાણાદિ ન હોવા છતાં ભોગવી-વાપરી ન શકે તેને ઉપભોગાંતરાય કર્મ કહે છે.
ભોગ-એકવાર ભોગવાય તે ભોગ કહેવાય. જેમ આહાર, પાણી આદિ.
ઉપભોગ - વારંવાર ભોગવાય તે ઉપભોગ કહેવાય. જેમ વસ્ત્ર, પાત્ર, સ્ત્રી આદિ.
(૫) વીર્યાન્તરાય કર્મ :
નિરોગી શરીર, યૌવનપણું હોવા છતાં અલ્પ સામર્થ્યવાળો, શક્તિવાળો થાય તે વીર્યાન્તરાય કર્મ છે. અર્થાત્ શક્તિ ફોરવી ન શકે,
૧૧
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
સ્વકાર્યમાં શક્તિ ફોરવવાને ઉત્સાહિત ન થાય તે પણ વીર્યાન્તરાયકર્મ
કહેવાય.
અહીં ત્યાગનો પરિણામ હોય અને ખાય નહીં, વાપરે નહીં તો તે અંતરાય કર્મ કહેવાય નહીં.
એટલે કે સ્વેચ્છાએ ત્યાગ કરવાથી અંતરાય કર્મનો ઉદય નથી પરંતુ ક્ષયોપશમ છે.
વધારે વિસ્તાર આગળ પણ આપેલ છે.
सिरिहरियसमं एयं, जह पडिकूलेण तेण रायाई । न कुणइ दाणाइयं, एवं विग्घेण जीवो वि ।। ५३ ।। શબ્દાર્થ : સિરિહર = ભંડારી, નહ = જેમ, હિતેન પ્રતિકૂળ, વિષેળ = વિઘ્નકર્મથી.
=
ગાથાર્થ : અંતરાય કર્મ ભંડારી જેવું છે. જેમ ભંડારી પ્રતિકૂળ હોતે છતે રાજા દાનાદિ કરી શકતો નથી તેમ જીવ પણ અંતરાયકર્મ વડે દાનાદિ કરી શકતો નથી. ॥ ૫૩ ॥
વિવેચન : અહીં અંતરાય કર્મને ભંડારી (કેશીયર) ની ઉપમા આપી છે. કારણ કે રાજા-શેઠ-સ્વામી પોતાની માલીકીના ધનમાંથી ગરીબ-સીદાતા મનુષ્યોને દાન આપતો હોય અને પોતાની ઈચ્છા પ્રમાણે આપવા માટે ભંડારી (મુનીમ) ને આદેશ કરે છતાં પણ ભંડારી તે રાજા આદિને દાન ન કરવા કહે. કારણ આપણી પાસે બેલેન્સ ઓછું છે અથવા નથી. આમ દાન કરશો તો તીજોરી ખાલી થઈ જશે.
આમ ભંડારીના નિષેધ કરવાથી રાજા-શેઠ આદિ દાનાદિ કરી શકતો નથી તેમ
સંપત્તિ હોય, લેનાર સુપાત્ર હોય, આપવાથી મહાન લાભ થાય એમ જાણવા છતાં જીવ દાન કરી શકતો નથી. જેમ-કપિલા દાસી.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૩
કર્મબંધના બાહ્યાશ્રય
તે પ્રમાણે લાભાન્તરાયાદિના ઉદયમાં જાણવું.
મેળવવા માટે ઘણા પ્રયત્ન કરે, ચોક્કસ લાભ થાય તેવો વ્યાપાર -પ્રયત્ન કરે છતાં બીજાને લાભ થાય પરંતુ પોતાને થાય નહીં, મેળવી ન શકે. જેમ ઋષભદેવ પરમાત્મા એક વર્ષ સુધી આહાર મેળવી શક્યા નહીં.
અહીં યાચના કરવા છતાં બીજા યાચકોને મળે અને પોતાનો વારો આવે અને આપનાર કોઈ કારણથી આપવાનું બંધ કરે અથવા ધંધામાં-વ્યાપારમાં પ્રયત્ન કરવા છતાં બીજાને લાભ થાય, પોતાને ન થાય તે લાભાન્તરાય.
આહાર કરવાની ઈચ્છા હોય, મીઠાઈ આદિ ખાવાનું મન થાય પરંતુ ડાયબીટીસાદિ રોગાદિથી વાપરી ન શકે. ખાઈ ન શકે તે ભોગાન્તરાય.
વસ્ત્રાદિ ફાટી જશે, જુના થઈ જશે એમ માની પહેરી કે વાપરી ન શકે અને પછી સડી જવાથી નકામા થઈ જાય તે ઉપભોગાન્તરાય.
સારા કાર્યમાં મન-વચન-કાયાની શક્તિ ન ફોરવી શકે, અને પરાધીનતા અથવા અન્યના આદેશ-હુકમથી કામ કરવું પડે તે વીર્યન્તરાય.
કર્મબંધના હેતુઓ पडिणीयत्तण-निन्हव-उवघाय-पओस-अंतराएणं । अच्चासायणयाए, आवरणदुगं जीओ जयइ ॥ ५४ ॥
શબ્દાર્થ : હળીમળ = પ્રત્યનીકપણું, નિન્દવ = છુપાવવુંઓળવવું, પોતે = અત્યંત દ્વેષ, વવાય = ઘાત કરવો, વાલીયા = અત્યંત-ઘણી આશાતના કરવાથી, તુમ = બે પ્રકારના, નિમો = જીવો નય = બાંધે છે - ઉપાર્જે છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ ગાથાર્થ : જ્ઞાન અને દર્શન પ્રત્યે પ્રત્યનીકપણું અનિષ્ટ આચરણ કરવાથી, છુપાવવાથી, ઘાત કરવાથી, અત્યંત દ્વેષ કરવાથી, વિઘ્ન નાંખવાથી, અત્યંત આશાતના કરવાથી જીવ બંને પ્રકારના આવરણ કર્મ (જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય) બાંધે છે. તે પ૪ ||
વિવેચન : હવે આઠેય કર્મબંધના હેતુઓ જણાવે છે. જીવ અનાદિકાળથી પ્રતિ સમયે ૭ કર્મ અને આયુષ્ય બાંધે ત્યારે આઠ કર્મ સતત બાંધે છે. આ કર્મબંધમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ, રૂપ, ભાવ (અત્યંતર) હેતુઓ કારણભૂત છે. પરંતુ બાહ્ય (વિશેષ હેતુઓ) તે અત્યંતર હેતુઓના વિશેષ કારણરૂપ બનવાથી આઠેય કર્મના સ્થિતિબંધ અને રસબંધને બાંધવામાં મુખ્ય કારણ બને છે. અને એના જ કારણે કર્મોના ફળની તરતમતા જગતમાં દેખાય છે. એટલે આ વિશેષ હેતુઓ કર્મની દીર્ઘસ્થિતિઓ અને તીવ્ર રસ બાંધવામાં કારણ હોવાથી વિશેષ હેતુઓનું જ્ઞાન મેળવવું જરૂરી છે તેથી ગ્રંથની શરૂઆતમાં સામાન્ય હેતુઓ જણાવ્યા અને ગ્રંથના અંતમાં વિશેષ હેતુઓ કહે છે.
અહીં જે-જે કર્મના આશ્રવના બાહ્ય હેતુઓ આપ્યા છે તેમાં આ પ્રમાણે વિચારવું.
જો કે પ્રતિક્ષણે ૭ કર્મ બંધાય છે. તો પણ જ્ઞાનના પ્રત્યેનીક (જ્ઞાન પ્રત્યે અનિષ્ઠ આચરણ) વિગેરે આશ્રવના પરિણામવાળો જીવ હોય ત્યારે જ્ઞાનાવરણીયની પ્રકૃતિઓનો રસ (અનુભાગ) વિશેષ બંધાય. બીજા કર્મનો તેની અપેક્ષાએ થોડો ઓછો બંધાય.
એ રીતે દર્શનમોહનીયનો આશ્રવ હોય ત્યારે મિથ્યાત્વ મોહનીયનો રસ વધારે બંધાય અને તેની અપેક્ષાએ બીજા કર્મોનો રસ ઓછો બંધાય.
આ રીતે આઠ કે સાત કર્મ સાથે બંધાવા છતાં જે આશ્રવો કહ્યા તે તે કર્મને વિશેષ રસબંધના કારણરૂપ જાણવા.
Page #188
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાવરણીય-દર્શનાવરણીયના આશ્રવ
જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મના વિશેષ હેતુઓ :
પદાર્થમાં રહેલાં વિશેષ ધર્મનો બોધ તે જ્ઞાન અને સામાન્ય ધર્મનો બોધ તે દર્શન છે.
૧૬૫
છદ્મસ્થને સામાન્ય બોધ તે વિશેષ બોધનું કારણ થતું હોવાથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના હેતુઓ એકસરખાં છે તે આ પ્રમાણે છે.
જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનો પ્રત્યે તથા દર્શન, દર્શની અને દર્શનના સાધનો પ્રત્યે વિશેષ અનાદરપણું વિગેરે અનેક કારણોથી તે કર્મો બાંધે છે. છતાં તે વિશેષ હેતુઓને છ વિભાગમાં સમજાવેલ છે તે આ પ્રમાણે
(૧) જ્ઞાન : મતિ, શ્રુત આદિ પાંચ જ્ઞાન.
જ્ઞાની : મતિ, શ્રુત, અવધિ આદિ જ્ઞાનવાળા, વડીલો, વિદ્યાગુરુ, ધર્મગુરુ, કેવલી આદિ.
જ્ઞાનનાં સાધનો ઃ પાટી, પોથી, પુસ્તક, ઠવણી, પેન, સાપડો, કાગળ આદિ.
(૨) દર્શન : ચક્ષુ આદિથી બોધ તે.
દર્શની : સ્પર્શેન્દ્રિય આદિ ઈન્દ્રિયોવાળા જીવો તેમજ સાધુસાધ્વી, જિન પ્રતિમા આદિ.
દર્શનના સાધન : પુસ્તક આદિ, જિનમંદિર, જિન પ્રતિમા, જિન પ્રતિમાના અલંકારાદિ, સન્મતિતર્ક, અનેકાન્તજયપતાકાદિ.
(૧) પ્રત્યેનીકપણું : અનિષ્ટ, દુષ્ટ આચરણ, પ્રતિકૂળ વર્તન.
(૧) જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો તથા દર્શનાદિ પ્રત્યે અનિષ્ટ આચરણ કરવાથી અવિનય થાય, તેઓને દુઃખ થાય, અપમાન થાય તેવું
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
વર્તન કરવાથી (૨) તેઓ પ્રત્યે દુશ્મનાવટ કરવાથી, (૩) તેઓ પ્રત્યે દુષ્ટભાવ મનમાં ધારણ કરવાથી, (૪) અનાદર કરવાથી, (૫) જ્ઞાનીની મશ્કરી-નિંદાદિ કરવાથી, (૬) જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા ન કરવાથી, (૭) અકાળે ભણવું-અભ્યાસમાં પ્રમાદ કરવો, (૮) પુસ્તકાદિ જ્ઞાનના સાધનોની આશાતના કરવાથી, તેને બાળવા, પગાદિ અપવિત્ર અંગ લગાડવો તેમજ જ્ઞાનના આઠ આચારનું પાલન ન કરવાથી તે આ રીતે (૧) અયોગ્ય કાળે ભણવું (૨) વિનયરહીતપણું વિગેરે જ્ઞાનાચારના આઠ આચાર ન સાચવવાથી અર્થાત્ પ્રતિકુળપણે વર્તન કરવા વડે અતિચાર લગાડવાથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય બંધાય છે.
(૨) નિદ્ભવ : ઓળવવું, છુપાવવું.
(૧) શરૂઆતમાં પ્રાથમિક અભ્યાસ જેઓની પાસે ભણ્યાં અને પછી વિશિષ્ટ અભ્યાસ કરવાથી મહાન વિદ્વાન-વકીલ-ડૉક્ટર વિગેરે થયા. ત્યારબાદ (નાના-સામાન્ય) આ શિક્ષક પાસે અમે ભણ્યાં નથી એમ કહી જ્ઞાનીને ઓળવવાથી (૨) પોતાને આવડવા છતાં સમજવા આવનારને પ્રમાદથી કહે કે મને આવડતું નથી એમ જ્ઞાન ઓળવવાથી (૩) જ્ઞાનના સાધન પુસ્તક આદિ પાસે હોવા છતાં અભ્યાસીને ન આપવા. (૪) હું આ વિશિષ્ટ અભ્યાસીને બધું સમજાવીશ તો તે હોંશીયાર થવાથી મારી કિંમત નહીં રહે એમ વિચારીને કેટલુંક જ્ઞાન છુપાવે, ન ભણાવે.
(૩) ઉપઘાત : ઘાત કરવો, નાશ કરવો, હણવું...
(૧) જ્ઞાનીને માર મારવો, હત્યા કરવી, નાશ કરવો, નાશ કરાવવો, (૨) શસ્ત્રાદિ વડે પ્રહાર કરવો, (૩) જ્ઞાનના સાધનો, જ્ઞાનશાળા, પુસ્તકાદિનો નાશ કરવો, બાળવા વગેરે. (૪) આ રીતે ત્રણેનો સંપૂર્ણ વિનાશ કરવો. (૫) ભણેલું જ્ઞાન પુનરાવર્તનના અભાવે, અધ્યાપનના અભાવે, ભૂલી જવું તે પણ ઉપઘાત કહેવાય.
Page #190
--------------------------------------------------------------------------
________________
શાતાવેદનીયના આશ્રવ
૧૬૭
(૪) પ્રષઃ પ્રકૃષ્ટ દ્વેષ-આંતરિક દ્વેષ.
ત્રણે પ્રત્યે અંતરથી અપ્રીતિ થાય, અંતરમાં પ્રકૃષ્ટ દેષ થાય, અસદ્ભાવ થાય. પંડિતો, જ્ઞાનશાળા, પાઠશાળા વગેરે સંસ્થાઓ સારી નથી, પક્ષપાતી છે. આ રીતે આંતરીક દ્વેષ રાખવાથી, મહેનત કરીને ભણેલ અભ્યાસ ભણાવવામાં કંટાળો-દ્વેષ આવે તે.
(૫) અંતરાય ઃ વિધ્ધ કરવું.
ભણનારને ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર, સ્થાન પુસ્તકાદિ મેળવવામાં વિદ્ધ નાંખે, ભણનારને ભણવામાં વિક્ષેપ નાંખે, ભણતી વખતે મોટેથી અવાજ કરીને ચિત્તને ચલિત કરે, કુશાગ્ર બુદ્ધિવાળાને અભ્યાસમાં આગળ વધતો અટકાવે. આ રીતે અંતરાય કરવો તે.
(૬) અત્યંત આશાતના :
જ્ઞાનીનો અવર્ણવાદ બોલવાથી, અતિશય નિંદા-ટીકા કરવાથી, અવહેલના કરવાથી, પ્રાણાંત કષ્ટ આપવું, હલકાં પાડવાં. આ રીતે અતિશય આશાતના કરવાથી.
વિશેષમાં આચાર્ય-ઉપાધ્યાય-સાધુ આદિના અવર્ણવાદ બોલવાથી, અવિનય કરવાથી, અકાલે સ્વાધ્યાય કરવાથી, કાલે સ્વાધ્યાય ન કરવાથી તથા પ્રાણાતિપાત, જુઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, રાત્રિભોજનાદિ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય.
અને દર્શન-દર્શની અને દર્શનનાં સાધનો પ્રત્યે ઉપર બતાવેલ પ્રવૃત્તિથી દર્શનાવરણીય કર્મ બંધાય.
તેમજ અજ્ઞાનતા, રાગાદિ પરિણામ, હિંસા આદિ પાપપ્રવૃત્તિથી તે જ્ઞાનાવરણીય બંધાય અને દર્શનાવરણીય પણ બંધાય.
યોગશાસ્ત્ર ટીકા ૩૦૬/ર માં કહ્યું છે કે
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ज्ञानदर्शनयोस्तद्वत् तद्धेतूनां च ये किल विघ्ननिह्मवपैशून्याशातनाघातमत्सराः ते ज्ञानदर्शनावारककर्महेतव आश्रवाः
અર્થ જ્ઞાન, દર્શન, જ્ઞાન અને દર્શનવાળા અને તેનાં સાધનો (હેતુઓ) માં અંતરાય કરવાથી, નિતંવપણાથી, ચાડી-ચૂગલી, આશાતના, નાશ અને ઈર્ષ્યા કરવાથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણકર્મ બંધાય છે. અર્થાત્ તે બન્ને કર્મના આશ્રવ છે.
શાતા-અશાતા વેદનીય કર્મબંધના હેતુઓ ગુ-ત્તિ-વંતિ-વરુપ, વય-નો- વ-વિન-વા-gો ! दढधम्माई-अजइ, सायमसायं विवजयओ ॥ ५५ ॥
શબ્દાર્થ : ગુરુમત્તિ = ગુરુની ભક્તિ, વંતિ = ક્ષમા, તાળનુગો = દાનની રૂચિવાળો, ધમ્મરું = ધર્મમાં દઢ મનવાળો, બગડું = બાંધે છે, સાયમનાય = શાતા-અશાતા વેદનીય, વિવેઝયમો = વિપરીતપણે.
ગાથાર્થ ગુરુની ભક્તિ, ક્ષમા, કરુણા, વ્રતયુક્ત, યોગયુક્ત, કષાયનો વિજય, દાનયુક્ત, ધર્મમાં દઢ મનવાળો, શાતા વેદનીય કર્મ બાંધે છે અને તેનાથી વિપરીત લક્ષણવાળો અશાતાવેદનીય કર્મ બાંધે છે. ૫૫ |
વિવેચન : શાતા વેદનીય કર્મબંધના હેતુઓ કહે છે.
(૧) ગુરુભક્તિ માતા-પિતા, વિદ્યાગુરુ, ધર્માચાર્ય વિગેરે ગુરુ ભગવંત-વડીલો આદિ ઉપકારી પૂજનીય એવા પૂજ્યોની ભક્તિ કરવી. અને તે પૂજ્યો પ્રત્યે પૂજ્યભાવ, બહુમાનભાવ, સદ્ભાવ, અહોભાવ ધારણ કરવો. વચનથી તેઓના ગુણગાન ગાવા. કાયાથી તે પૂજ્યોની સેવા શુશ્રુષાદિ કરવી, આસનાદિ આહારાદિ, ઔષધાદિ આપવા રૂપ ભક્તિ કરવી તેમજ ઉભા થવું, સામે જવું તે રૂપ, આદરભાવ રાખવો.
Page #192
--------------------------------------------------------------------------
________________
વેદનીયકર્મના આશ્રવ
૧૬૯ આ રીતે ગુર્નાદિકની બાહ્ય અને અભ્યન્તર ભક્તિ કરવાથી શાતા વેદનીય કર્મ બંધાય.
બીજાને સુખ-શાતા અનુકૂળતા આપવાથી અને તેમ કરવાની ભાવનાથી પણ શાતાવેદનીય બંધાય. આમ, દરેક હેતુમાં જાણવું.
(૨) ક્ષમા :
ક્રોધના નિમિત્તો મળવા છતાં ખંધકમુનિ આદિની જેમ ક્રોધ ન કરવો, પરંતુ આ મને કર્મનિર્જરામાં ઉપકારી બને છે. ઈત્યાદિ ચિંતવવું. ક્રોધથી શારીરિક અને આત્મિક નુકશાન થાય એમ સમજી ક્રોધના કારણો હોવા છતાં પણ ક્ષમા રાખવી.
(૩) કરૂણા :
દ્રવ્યથા – દીન-દુ:ખીઓ પર દયા કરવી, તેના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરવો. તેઓની દુઃખી અવસ્થા જોઈ હૃદય કંપે.
ભાવદયા - અજ્ઞાની, પાપી જીવોને જોઈ તે બિચારા ક્યારે કર્મથી છૂટશે ઈત્યાદિ ભાવદયા કરવી અને તેઓને ધર્મ પમાડવા પ્રયત્ન કરવો. વારંવાર કષાયાદિ વડે કર્મ બાંધતા હોય તેઓને સમજાવવા પ્રયત્ન કરવો.
(૪) વ્રત :
ગ્રહણ કરેલ મહાવ્રત-અણુવ્રત-નિયમાદિનું દઢપણે પાલન કરવું. શક્તિ અનુસાર વ્રત-નિયમમાં રહેવાથી કર્મનો આશ્રવ થાય નહિ એમ જાણી વ્રતનિયમાદિ ગ્રહણ કરવા. શક્તિને ફોરવીને પણ ત્યાગ-તપ રૂપ પ્રત્યાખ્યાન કરવું.
(૫) યોગ :
ઈચ્છા-મિચ્છાદિક દશ પ્રકારની ચક્રવાલ સાધુ-સમાચારીનું દઢપણે પાલન કરવું તે સંયમયોગ. મન-વચન-કાયાના યોગને અશુભમાંથી રોકી
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
શુભ પ્રવૃત્તિમાં જોડવા. મોક્ષની સાથે જોડનાર ભાવ, સ્વાધ્યાયાદિનું નિરંતર સેવન કરવું. આ રીતે મન-વચન અને કાયયોગને અશુભમાંથી શુભ પ્રવૃત્તિ-શુદ્ધ પ્રવૃત્તિમાં જોડવાં.
(૬) કષાય વિજય :
ક્રોધાદિ ચારે કષાયોના નિમિત્ત મળવા છતાં કષાયને ન કરે. કષાયના પ્રસંગમાં કષાય ન કરનારા પૂર્વ પુરૂષોને યાદ કરે. જેથી કષાય ઉપર વિજય મેળવી શકાય. જેમ ગજસુકુમાર મુનિ, સુકોશલ મુનિ આદિની જેમ કષાય ઉપર કાબુ મેળવવો.
(૭) દાન ગુણયુક્ત
પોતાની શક્તિને ગોપવ્યા વિના અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાનાદિ દાન કરવાની રૂચિવાળો હોય અને તે પ્રમાણે દાન કરતો હોય.
(૮) દૃઢધર્મી :
આપત્તિ આવવા છતાં ધર્મમાં દૃઢ મનવાળો, નિશ્ચલ મનવાળો હોય. દેવ-મનુષ્યાદિના ઉપસર્ગ આવવા છતાં ધર્મથી ચલિત થાય નહીં. શ્રદ્ધાથી, નિયમથી, વ્રતથી ચલિત થાય નહિ.
(૯) આદિ શબ્દથી :
બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી આદિની વૈયાવચ્ચ કરનાર હોય શીલધર્મનું પાલન કરનાર હોય, શ્રી જિનેશ્વર દેવ-ગુરુ ભગવંતાદિની ભક્તિ આદિથી શાતાવેદનીયકર્મ બંધાય છે. કહ્યું છે કે
-
देवपूजागुरुपास्तिपात्रदानदयाक्षमाः सरागसंयमो देशसंयमोऽकामनिर्जरा
શૌખં વાળતપશ્ચતિ દેદ્રસ્ય સુરાશ્રવાઃ (૩૦૬/૨)
Page #194
--------------------------------------------------------------------------
________________
દર્શનમોહનીયના આશ્રવ
૧૭૧
શાતા વેદનીયના જે આશ્રવો બતાવ્યા છે તેનાથી વિપરીત (પ્રવૃત્તિવાળો) આચરણ કરનાર જીવ અશાતા વેદનીય કર્મને બાંધે છે. અર્થાત્ અશાતા વેદનીયના આશ્રવો છે. એટલે
(૧) ગુરુજનોની અવજ્ઞા-અપમાન-અવહેલના-અનાદર-તિરસ્કાર કરનારો હોય. (૨) ક્રોધ કરનાર (૩) નિર્દય-ક્રૂર પરિણામી (૪) વ્રતાદિ રહિત (૫) સંયમયોગ રહિત (૬) તીવ્ર કષાયી (૭) કૃપણકંજૂસ (૮) ધર્મના કાર્યમાં પ્રમાદવાળો (૯) હાથી, ઘોડા, બળદ વગેરેનું નિર્દયપણે દમન કરી વાહન કરનાર, તેના અવયવોનું છેદનભેદન કરનાર, પોતાને-બીજાને-ઉભયને દુઃખ-શોક-વધ-સંતાપ-આઝંદપરિતાપ ઉપજાવવાથી અશાતાવેદનીયકર્મ બંધાય. અર્થાત્ આ અશાતા વેદનીયના આશ્રવો છે. ૩મી-લેસUT-મ-નાસT-તેવચ્ચદરËિ | હંસામોટું શિપ-મુળ-ફ-સંથાવડિઓ ૬
શબ્દાર્થ : ૩ષ્મસUT=ઉન્માર્ગનો ઉપદેશક, મુનાસ–માર્ગનો નાશ કરનાર, સંધાચતુર્વિધ સંઘ, ડીગો=અવજ્ઞા કરનાર.
ગાથાર્થ ઃ ઉન્માર્ગનો ઉપદેશક, મોક્ષ માર્ગનો નાશ કરનાર, દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરનાર-વાપરનાર, તેનું નુકસાન કરનાર તેમજ તીર્થંકર પરમાત્મા-મુનિ ભગવંતો-જિનપ્રતિમા-ચતુર્વિધ સંઘ પ્રત્યે અશુભ આચરણ કરનાર, દર્શન મોહનીય કર્મ બાંધે છે. તે પ૬ /
વિવેચનઃ મોહનીય કર્મના હેતુમાં પ્રથમ દર્શનમોહનીય કર્મબંધના હેતુ જણાવે છે.
(૧) ઉન્માર્ગ ઉપદેશક :
ભવને વધારવાના હેતુરૂપ જે ઉપદેશ આપવો તે. એટલે પાપ માર્ગનો ઉપદેશ આપવો. ઉપાદેય તત્ત્વોને હેયરૂપ કહેવા, હેયતત્ત્વોને
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ઉપાદેય રૂપ કહેવા, સંસારના ભોગ-સુખો, વિષય કષાયોને મોક્ષના સાધનરૂપ કહેવા, દેવ-કુગુરુ-કુધર્મને સુદેવ-સુગુરુ-સુધર્મ તરીકે સમજાવવા તે ઉન્માર્ગ ઉપદેશ કહેવાય.
(૨) સન્માર્ગનો નાશ :
શુદ્ધ મોક્ષમાર્ગનો નાશ કરે, સમ્યગ્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક્ ચારિત્ર એ રત્નત્રયીની સાધના એ સાચો મુક્તિનો માર્ગ છે એમ ન સમજાવે. મોક્ષ નથી માટે મોક્ષનો માર્ગ પણ નથી, પરંતુ સંસારના લાભના રસ્તા બતાવે અર્થલાભ, ઈન્દ્રિયોના વિષયોના પ્રાપ્તિના રસ્તા બતાવે તે સન્માર્ગનો નાશ કહેવાય.
(૩) દેવદ્રવ્યનું હરણ (ભક્ષણ) :
દેવાધિદેવને અર્પણ કરેલું દ્રવ્ય તે દેવદ્રવ્ય. દેવદ્રવ્યનું ભક્ષણ કરવું, ઉપેક્ષા કરવી, બીજો કોઈ દેવદ્રવ્યનું ભક્ષણ કરનારને જાણતા હોવા છતાં રોકવાને શક્તિમાન હોવા છતાં ઉપેક્ષા કરવી. દેવદ્રવ્યને નુકસાન પહોંચે તેવી પ્રવૃત્તિ કરવાથી.
(૪) તીર્થંકરદેવોની નિંદા :
તીર્થંકર દેવોની આશાતના, તેઓ પ્રત્યે અનિષ્ટ વર્તન કરવું. તેઓના અવર્ણવાદ બોલવા, પ્રાતિહાર્યાદિ અતિશયરૂપ ઋદ્ધિ સમૃદ્ધિથી તીર્થંકરો રાગી છે. વીતરાગી નથી ઈત્યાદિ કહેવારૂપ નિંદા કરવાથી. (૫) મુનિની નિંદા :
પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોનું અપમાન કરવું, અવહેલના, તિરસ્કાર, નિંદા કરવાથી, તેઓની સાથે દુશ્મનાવટ ક૨વાથી, તેઓને ન રૂચે તેવું વર્તન કરવાથી. આવા અનિષ્ટ આચરણ કરવાથી.
(૬) જિન પ્રતિમા ઃ
જિન પ્રતિમાની નિંદા, અપલાપ કરવાથી, આશાતના કરવાથી, જિન પ્રતિમા–જિન મંદિરનો નાશ કરવાથી.
Page #196
--------------------------------------------------------------------------
________________
દર્શનમોહનીયના આશ્રવ
૧૭૩
કેટલાક જિન પ્રતિમાને પૂજનીય માનતા નથી. પરંતુ (૧) દ્રૌપદીએ જિન પ્રતિમાની પૂજા કરી (૨) એકલવ્ય દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી અજોડ બાણાવળી બન્યો. (૩) પોતાના માતા-પિતા આદિના ફોટાને તેઓને સાક્ષાત્ ભાવથી માને છે. (૪) નાટકીયા મદારી ડબામાં કોઈપણ વસ્તુ રાખી મંત્ર-તંત્ર કરી તે વસ્તુને સાક્ષાત્ બનાવે છે.
આ સર્વે દાખલાઓ જિનેશ્વર ભગવાનની ગેરહાજરીમાં તેમની પૂજા-સેવા-આમંત્રણ પણ ફળે છે. એમ જાણવા છતાં ચૈત્ય અને પ્રતિમાને ન માને, ન પૂજે પરંતુ અનાદર કરે તે.
(૭) શ્રી સંઘની નિંદા ઃ
સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની અવહેલના, નિંદા, અપલાપ કરવાથી, શ્રી સંઘની આજ્ઞા વિરુદ્ધ વર્તન કરવાથી.
(૮) આદિ શબ્દથી :
સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, શ્રુતજ્ઞાન, તીર્થસ્થાનોની આશાતના કરવાથી, અઘટીત વર્તન કરવું, અવર્ણવાદ બોલવા વિગેરે.
આવા પ્રકારના હેતુઓથી દર્શન મોહનીય-મિથ્યાત્વ મોહનીય બંધાય છે.
જો કે દર્શનમોહનીયના ત્રણ ભેદ છે, પરંતુ બંધમાં એક છે. મિથ્યાત્વ જ બંધાય છે. ત્યારપછી ઉપશમ સમ્યકત્વ પામવાથી તે ત્રણ રૂપે થાય છે. એટલે મિથ્યાત્વના દલિકોના ત્રણ પંજ કરે છે. તેથી તે ત્રણ પ્રકારે થાય છે.
(જુઓ યોગશાસ્ત્ર ટીકાપત્ર ૩૦૭/૧) वीतरागे श्रुते सङ्घ धर्मे सर्वसुरेषु च । अवर्णवादिता तीव्रमिथ्यात्वपरिणामिता ।।
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
सर्वज्ञसिद्धदेवापह्नवो धार्मिकदूषणम् । उन्मार्गदेशनानग्रहोऽसंयतपूजनम् ।। असमीक्षितकारित्वं गुर्वादिष्ववमानना ।
इत्यादयो द्रष्टिमोहस्याश्रवाः परिकीर्तिताः ।। दुविहंपि चरणमोहं, कसाय-हासाइ-विसयविवसमणो । बंधइ नरयाउं महा-रम्भपरिग्गहरओ रुद्दो ॥ ५७ ।।
શબ્દાર્થ કે દાસા = હાસ્યાદિકમાં, વિવસમો = પરાધીન ચિત્તવાળો, મહારમ = મહાઆરંભ, પરિપદ = પરિગ્રહમાં, રમો = આસક્ત, રક્ત, રુદ્દો = રૌદ્રધ્યાની.
ગાથાર્થ કષાય અને હાસ્યાદિ, મોહનીયના વિષયમાં આસક્ત મનવાળો જીવ બંને પ્રકારનું ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે. મહાઆરંભી, પરિગ્રહમાં રક્ત બનેલો અને રૌદ્ર પરિણામી જીવ નરકનું આયુષ્ય બાંધે છે. તે પ૭ |
વિવેચન : ક્રોધાદિ કષાયના પરિણામવાળો આત્મા કષાય મોહનીય કર્મ વિશેષ બાંધે છે. હાસ્યાદિ નોકષાય મોહનીયને પરવશ મનવાળો આત્મા હાસ્યાદિ નોકષાય મોહનીય કર્મ બાંધે છે અને પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયેલો જીવ વેદ નોકષાયમોહનીય કર્મને વિશેષ રસવાળું બાંધે છે.
અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન-ક્રોધ, માન, માયા, લોભ આદિ ૧૬ કષાયોમાં જે જીવ આસક્ત હોય તે જીવ કષાય ચારિત્રમોહનીય કર્મ બાંધે છે. કષાયોના તીવ્ર પરિણામવાળો કષાયોમાં આસક્ત બનેલો, કષાયોમાં વિશેષ પ્રકારે પરવશપણ કરનારો (વિસÚલ) કષાયોમાં પરાધીન મનવાળો જીવ કષાય ચારિત્રમોહનીય કર્મ બાંધે છે. એમાં પણ બને વેગ સો વંધરૂ જે કષાયનો ઉદય હોય તે કષાયથી તે કષાયમોહનીય બંધાય છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
નોકષાયમહનીયના આશ્રવો
૧૭૫
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભના ઉદયવાળો જીવ ૧૬ કષાય અને નોકષાય મોહનીય બાંધે છે. અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિના ઉદયવાળો જીવ ૧૨ કષાયાદિ બાંધે છે, પરંતુ અનંતાનુબંધીનો ઉદય ન હોવાથી તે ન બાંધે તે પ્રમાણે પ્રત્યાખ્યાનીય ક્રોધાદિના ઉદયવાળો જીવ ૮ કષાયાદિ બાંધે છે. સંજ્વલન ક્રોધાદિના ઉદયવાળો જીવ ૪ કષાય બાંધે છે. નોકષાયમોહનીયના બંધહેતુ :
હાસ્યાદિ ષટ્કમાં આસક્ત મનવાળો,
હાસ્યાદિને પરાધીન થયેલો આત્મા હાસ્યાદિ નોકષાયચારિત્ર મોહનીયકર્મ બાંધે છે.
વળી હાસ્યાદિ નવ નોકષાયમાં જેના જે વિશેષ હેતુ હોય તે કર્મ વધારે તીવ્ર રસવાળું હાસ્યાદિ બાંધે તે આ પ્રમાણે -
(૧) હાસ્ય મોહનીય કર્મ :
(૧) બીજાની ઠઠ્ઠા મશ્કરી કરવી, કામવાસનાને ઉત્તેજક હસવાના સ્વભાવવાળો (૨) બહુ વાકપટુતા કરનારો, હીન કાકલૂદીવાળા વચનો બોલનાર. એ પ્રમાણે તે તે નોકષાયાદિના ઉદય વડે તે નોકષાય મોહનીય વિશેષ બંધાય.
(૨) રતિ મોહનીય કર્મ :
(૧) વિવિધ દેશો જોવા અને ફરવાની ઉત્સુકતાવાળો, એક્ટરોના ચિત્રો-પિક્સરો જોવામાં શોખીન, નાટકો કરવા વડે બીજાને રતિ-આનંદ ઉત્પન્ન કરવામાં રસવાળો. (૨) વિચિત્ર કામક્રીડા કરનારો, બીજાના ચિત્તને આકર્ષિત કરનારો રતિમોહનીયકર્મ બાંધે.
(૩) અરતિ મોહનીય કર્મ :
(૧) ઈર્ષ્યા કરનારો, પાપ કરવાના સ્વભાવવાળો, (૨) બીજાના આનંદનો વિચ્છેદ કરવામાં રસવાળો, (૩) ખરાબ કાર્યોમાં બીજાને પ્રેરણા કરનારો અરતિમોહનીયકર્મ બાંધે છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૪) ભય મોહનીય કર્મ :
(૧) પોતે ભય પામતો, બીજાને ભય પમાડતો, (૨) બીજાને ત્રાસ આપવામાં આનંદ અનુભવનાર-મજા મેળવનાર ભય મોહનીય કર્મ બાંધે છે.
(૫) શોક મોહનીય કર્મ :
(૧) ઈષ્ટના વિયોગમાં, અનિષ્ટના સંયોગમાં હૃદયફાટ રૂદન કરનાર, બીજાને રડાવનાર, (૨) અન્યને શોકના કારણરૂપ બને તેવા સમાચાર આપવામાં પોતાની પટુતા માનનાર શોક મોહનીયકર્મ બાંધે છે.
(૬) દુર્ગછા (જુગુપ્સા) મોહનીય કર્મ
ચતુર્વિધ સંઘની નિંદા કરનાર, પૂ. સાધુ-સાધ્વીજી પ્રત્યે ધૃણા કરનાર, જુગુપ્સા મોહનીય કર્મ બાંધે છે. વેદમોહનીય ?
તેમજ પાંચે ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત મનવાળો, વિષયમાં આધિન ચિત્તવાળો વેદ નોકષાય ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે. તેમાં પણ ત્રણ વેદમોહનીયના વિશેષ આશ્રવો આ પ્રમાણે -
(૭) સ્ત્રી વેદ મોહનીય કર્મ :
ઈષ, વિષાદ કરનાર તેમજ અતિશય વક્રતાવાળો તેમજ પરસ્ત્રીમાં આસક્ત જીવ સ્ત્રીવેદમોહનીયકર્મ બાંધે છે.
(૮) પુરુષવેદ મોહનીય કર્મ
સ્વસ્ત્રીમાં સંતોષ માનનાર, મંદ કષાયવાળો, સરલ સ્વભાવવાળો, શીલવ્રતનું પાલન કરનારો, વિષયની મંદ અભિલાષાવાળો જીવ પુરુષવેદકર્મ બાંધે છે.
(૯) નપુંસક વેદ મોહનીય કર્મ :
સ્ત્રી-પુરુષ સંબંધી કામ સેવનમાં રસવાળો, તીવ્ર કષાયી, તીવ્ર કામી, સતી-સ્ત્રીના શીલનો ભંગ કરનાર જીવ નપુંસક વેદ બાંધે છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
આયુષ્યકર્મના આશ્રવ
૧૭૭ આ રીતે અશુભ આચરણ વડે ચારિત્રમોહનીયકર્મ બંધાય છે. નરકાયુષ્યના આશ્રવ :
(૧) મહાનું આરંભ-સમારંભમાં અને ઉદ્યોગોમાં મન આસક્ત રહેતું હોય.
(૨) પરિગ્રહમાં મૂછઆસક્ત ચિત્તવાળો એટલે પરિગ્રહ મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં સતત મનવાળો.
(૩) રૌદ્ર-ભયંકર હિંસાદિના પરિણામવાળો. (૪) તીવ્રમિથ્યાત્વ અને તીવ્રઅનંતાનુબંધી કષાયના પરિણામ વાળો. (૫) હિંસાદિ પાંચે પાપસ્થાનકમાં રક્ત, આવા પરિણામવાળો હોય અને જો આયુષ્ય બંધાય તો નરકાયુષ્ય બંધાય.
જેમ જેમ ઉપરના પરિણામોની તીવ્રતા તેમ તેમ નીચે નીચેની નરકનું આયુષ્ય બંધાય. જેમ સુભમ ચક્રવર્તી, બ્રહ્મદત ચક્રવર્તી આદિ. तिरिआउ गूढ-हिअओ, सढो ससल्लो तहा मणुस्साऊ । पयईइ तणुकसाओ, दाण-रुई मज्झिमगुणो अ ॥ ५८ ॥
શબ્દાર્થ ઃ ગુદિ = ગૂઢ હૃદયવાળો, સદ્ઘો = શિલ્યસહિત, તપુ સામો = ઓછા કષાયવાળો, સો = લુચ્ચો, તારું = દાન દેવાની રુચિવાળો.
ગાથાર્થ ઃ ગૂઢ હૃદયવાળો, કપટી, શલ્યવાળો તિર્યંચનું આયુષ્ય બાંધે છે. સ્વભાવથી જ અલ્પ કષાયી, દાનાદિની રૂચિવાળો, મધ્યમ ગુણવાળો હોય તે મનુષ્યનું આયુષ્ય બાંધે છે. ૫૮ ||
વિવેચન : હવે તિર્યંચાયુષ્યના આશ્રવો,
(૧) કપટી હૃદયવાળો-બોલવા ઉપરથી જેનો હૃદયનો ભાવ ન સમજાય તે માયાવી-કપટી.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ (૨) શઠ-કોઈપણ વિષયમાં એટલે બોલવામાં-ચાલવામાં, લેવાદેવામાં મનમાં જુદું અને આચરણમાં જુદું તે.
(૩) માયા-મિથ્યાત્વ અને નિયાણ શલ્યવાળો. (૪) માયા-લક્ષ્મણા સાધ્વીજીની જેમતપાદિ કરવામાં પણ માયા કરે. (૫) મિથ્યાત્વ-સાચો ધર્મ કરવા છતાં શ્રદ્ધા ન હોય. (૬) નિયાણ કરેલા ધર્મના બદલામાં આલોકના-પરલોકના ફળની
ઈચ્છા કરે. આ આશ્રવ તિર્યંચાયુષ્યનું કારણ બને છે. મનુષ્યાયુષ્યના આશ્રવ :
(૧) પ્રકૃતિથી અલ્પ-મંદ કષાયવાળો, એટલે કષાયના ડંખ વિનાનો અર્થાત્ કોઈની સાથે નિમિત્તથી ક્રોધાદિ થાય પરંતુ તરત ભૂલી જાય તેનો મનમાં ડંખ ન રાખે.
(૨) પોતાની પાસે જે કંઈ ધન-વસ્ત્ર-પુસ્તક-સાધન હોય અને તે બીજાને વિશેષ જરૂરી છે તો તે ઉદારતાથી આપનાર.
(૩) મનુષ્યપણાને શોભે એવા માનવતાવાદી ગુણવાળો એટલે દાન-દયા-પરોપકાર-પોતે કષ્ટ વેઠીને પણ બીજાનું કાર્ય કરે, નમ્રતાવિનયાદિ ગુણવાળો.
(૪) ક્ષમા-નિરભિમાન-આર્જવ આદિ ગુણવાળો, ધર્માનુરાગીપણું, બીજાનો આદરભાવ કરનાર, પ્રિય બોલનાર વિગેરે મધ્યમ ગુણવાળો.
(૫) સમ્યકત્વ સહિત દેવપણું અને નરકપણું એટલે સમ્યગૃષ્ટિ દેવ અને સમ્યગૃષ્ટિ નારક આયુષ્ય બાંધે તો મનુષ્યનું જ આયુષ્ય બાંધે. अविरयमाइ सुराउं, बाल-तवोऽकामनिजरो जयइ । सरलो अगारविल्लो, सुहनामं अन्नहा असुहं ।। ५९ ॥
Page #202
--------------------------------------------------------------------------
________________
ગોત્રકર્મના આશ્રવ
૧૭૯ શબ્દાર્થ : અમનિન = અકામ નિર્જરાવાળો, નય = બાંધે છે, IRવો = આસક્તિ વિનાનો, મજુદું = અશુભ નામને.
ગાથાર્થ : અવિરતસમ્યક્રદૃષ્ટિ આદિ બાલતપસ્વી, અકામ નિર્જરાવાળો દેવાયુષ્ય બાંધે છે.
સરલ અને ગારવરહિત હોય તે શુભ નામકર્મને બાંધે છે. તેનાથી વિપરીત હોય તે અશુભ નામકર્મને બાંધે છે. તે પ૯ છે.
વિવેચન : દેવાયુષ્યના આશ્રવ :
(૧) અવિરતસમ્યગદષ્ટિ આદિ શબ્દથી દેશવિરતિ મનુષ્ય-તિર્યંચ, પ્રમત્તસંયત્ત, અપ્રમત્તસંયમ મનુષ્ય.
(૨) અકામ નિર્જરા-દેખાદેખીથી-ગતાનુગતિક-ઈચ્છા વિના સારા ભાવથી તપ કરનાર-ઠંડી-ગરમી, ભૂખ વિગેરે કષ્ટ સહન કરનાર.
(૩) શુભ લેગ્યા-તેજો-પ-શુક્લ લેશ્યાના પરિણામવાળો દેવાયુષ્ય
બાંધે
શુભ નામકર્મના આશ્રવ : (૧) સરળતા ગુણવાળો-કપટ રહિત, મન-હૃદય-વાણીવાળો. (૨) ગારવરહિત - ત્રણ ગારવ રહિત. (૧) રસ ગારવ-ઈન્દ્રિયોના વિષયમાં આસક્તિ રહિત
(૨) ઋદ્ધિગારવ-ધન-સંપત્તિમાં આસક્ત ન રહે, એટલે વારંવાર તેને મેળવવાના ઉપાયો ન વિચારે, સંપત્તિ ગણવામાં આસક્ત ન રહે.
(૩) શાતાગારવ-સુખના સાધનોમાં અનાસક્તપણે રહે છે.
નામકર્મની ગતિ જાતિ આદિમાંની તથા ત્રસાદિ અને પ્રત્યેકની શુભ પ્રકૃતિનો બંધ કરે.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
અશુભ નામકર્મ :
(૧) માયાવી-સરળતારહિત-કપટી સ્વભાવવાળો, એટલે ખોટી સાક્ષી પૂરનાર, ભેળસેળ કરનાર, વચનમાં મીઠાશ અને હૃદયમાં કડવાશ.
(૨) રસગારવવાળો - પાંચ ઈન્દ્રિયના વિષય ભોગવવામાં અતિ ઉત્સાહવાળો, વિષયમય પરિણામવાળો.
(૩) ઋદ્ધિગારવ - ધન મેળવવામાં મેળવીને સાચવવામાં, વ્યાજ આદિથી વૃદ્ધિ કરવામાં – તે જ વિચારોમાં સતત મન રહે તે.
(૪) શાતાગારવ – ઈન્દ્રિયને અનુકૂળ વિષય મળેથી અતિ પ્રશંસા કરવાપૂર્વક વાપરનાર, ભોગવે એના કરતાં પ્રશંસા-વર્ણન કરવામાં વધારે રસવાળો-ઉત્સાહ દાખવનાર. નામકર્મની સ્થાવરાદિ તેમજ પિંડની અશુભ પ્રકૃતિઓ-ઉપઘાત આદિ પાપ પ્રકૃતિ બાંધે છે. गुणपेही मयरहिओ, अज्झयण-ज्झावणारुई निच्चं । पकुणइ जिणाइभत्तो, उच्चं नीअं इयरहा उ ॥ ६० ॥
શબ્દાર્થ પુનહી = ગુણ જોનાર, મયદ્દિમો = મદ રહિત, કન્ફયાન્સવાસ–ભણવા-ભણાવવામાં રસવાળો, પવુળ = બાંધે છે.
ગાથાર્થ ઃ બીજાના ગુણોને જોનાર, નિરહંકારપણું, ભણવાભણાવવામાં રસવાળો, જિનેશ્વર ભગવંતનો ભક્ત એવો ઉચ્ચ ગોત્રકર્મને બાંધે છે. તેનાથી વિપરીત વર્તનારો નીચગોત્ર બાંધે છે. || ૬૦ ||
વિવેચન : ગોત્રકર્મના બંધહેતુઓ આ પ્રમાણે છે. ઉચ્ચગોત્રના આશ્રવ : (૧) ગુણપ્રેક્ષી-બીજાના નાના પણ ગુણને મોટા કરી જોનાર.
Page #204
--------------------------------------------------------------------------
________________
ગોત્રકર્મના આશ્રવ
૧૮૧
(૨) પોતાના નાના પણ દોષોને જોનાર. (૩) આઠ પ્રકારના મદ-અભિમાનરહિત. (૪) ભણવામાં આનંદ-ઉત્સાહપૂર્વક રુચિવાળો. (૫) ભણાવવામાં પણ સતત પ્રયત્ન કરવામાં ઉત્સાહ ધારણ કરનાર.
(૬) જિનેશ્વર પરમાત્મા અને પંચમહાવ્રતધારી સાધુઓ પ્રત્યે ભક્તિ-ભાવપૂર્વક વર્તનાર.
(૭) આદિ શબ્દથી પોતાનાથી ગુણમાં અધિક હોય તેઓની તથા જ્ઞાનાદિની ભક્તિ બહુમાન કરનાર ઉચ્ચગોત્ર બાંધે છે.
નીચગોત્રના આશ્રવ : (૧) બીજાના અવગુણ જ જુએ. (૨) પોતાના ગુણોને વારંવાર કહે, વખાણે, તેથી ખુશ થાય. (૩) જાતિ મદ વિગેરેથી અભિમાન કરનાર. (૪) ભણવામાં-કંટાળો લાવનાર. (૫) ભણાવવામાં-ઉત્સાહ વિનાનો. (૬) અન્ય દેવ-ગુરુને સુદેવ અને સુગુરુરૂપે માનનાર. (૭) જિનેશ્વર પરમાત્મા-પંચમહાવ્રતધારી ગુરુ આદિની નિંદા કરનાર
નીચગોત્રકર્મ બાંધે છે. जिणपूआ-विग्घकरो, हिंसाइपरायणो जयइ विग्धं । રૂમ — વિવાળોષ્ય, ત્નિોિ સેવિંદસૂëિ ઘર |
શબ્દાર્થ : વિધરો = વિદ્ધ કરનાર, નય = ઉપાર્જન કરે છે.
ગાથાર્થ ઃ જિનેશ્વર ભગવાનની પૂજાદિમાં અંતરાય કરનાર, હિંસાદિ પાપસ્થાનકમાં આસક્ત જીવ અંતરાય કર્મને ઉપાર્જન કરે છે. આ પ્રમાણે કર્મવિપાક કર્મગ્રંથ દેવેન્દ્રસૂરિ મહારાજાએ લખ્યો છે. (બનાવ્યો છે.) | ૬૧ |
Page #205
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
વિવેચન : હવે આઠમા અંતરાયકર્મના આશ્રવ આ ગાથામાં કહ્યા છે તે આ પ્રમાણે –
૧૮૨
અંતરાયકર્મના આશ્રવ :
(૧) જિનેશ્વર પરમાત્માની પૂજામાં અંતરાય કરનાર-એટલે ગૃહસ્થો જિનેશ્વર પરમાત્માને સચિત પાણી વડે અભિષેક કરે, સચિત ફુલો ચૂંટી-હિંસા કરી લાવી ચડાવે તેમજ ફળાદિ સચિત ચડાવે તે પણ હિંસાનું કારણ બને. આ રીતે કહી જિનેશ્વર ભગવાનની પૂજાનો નિષેધ કરવાથી અંતરાય કર્મ બાંધે.
પરંતુ ગૃહસ્થ તો ચોવીશ કલાક હિંસાની પ્રવૃત્તિ કરનાર હોઈ જેટલો સમય પરમાત્માની પૂજા, સાધર્મિક ભક્તિ આદિ ક૨શે તેટલો સમય આ પ્રવૃત્તિમાં શુભ અને શુદ્ધ પરિણામ પણ આવે તેથી શુભકર્મબંધનું અને કર્મ નિર્જરાનું કારણ બને.
કારણ કે પૂજા આદિમાં પ્રવૃત્તિ કરનાર ગૃહસ્થ એટલો સમય સાંસારિક પ્રવૃત્તિ નહીં કરે તેથી અશુભ કર્મબંધ ન થાય. જીવની દુર્ગતી ન થાય અને અંતરાયકર્મનો ક્ષયોપશમ થાય.
શાસ્ત્રોમાં દ્રૌપદી આદિએ જિનપૂજા કરી વિગેરે પૂજા કરવાના પાઠ પણ છે, તેથી જિનપૂજાનો નિષેધ કરવો તે અંતરાય કર્મનું કારણ બને. (૨) હિંસા-અસત્ય-ચોરી-અબ્રહ્મ અને પરિગ્રહાદિની પ્રવૃત્તિમાં તત્પર, પરાયણપણું પણ અંતરાય કર્મના બંધનું કારણ છે.
આ બાહ્ય આશ્રવના હેતુઓ અત્યંતર આશ્રવનું કારણ બને એટલે અશુભ પરિણામનું કારણ બને તેથી આ બાહ્ય હેતુઓ પરંપરાએ કર્મબંધનું કારણ બને છે. માટે તે કર્મબંધનું કારણ કહેલ છે.
કર્મવિપાક કર્મગ્રંથનું વર્ણન-વિવેચન લખવામાં મતિની દુર્બલતાના કારણે અથવા અજાણતાં કંઈ પણ જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિથ્યાદુષ્કૃત સાથે વાચકવર્ગને અમારું ધ્યાન દોરવા વિનંતિ છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
. મૂળ ગાથાઓ છે
सिरि-वीर-जिणं वंदिअ, कम्मविवागं समासओ वुच्छं । कीरइ जीएण हेऊहिं, जेणं तो भन्नए "कम्मं" ॥ १ ॥ पयइ-ठिइ-रस-पएसा, तं चउहा मोअगस्स दिटुंता । मूल-पगइट्ठ-उत्तर-पगइ-अडवन्नसयभेयं ॥ २ ॥ इह नाण-दसणावरण-वेय-मोहाउ-नाम गोआणि । विग्धं च पण-नव-दु-अट्ठवीस-चउ-तिसय-दु-पणविहं ॥३॥ मइ-सुअ-ओही-मण-केवलाणि, नाणाणि तत्थ मइनाणं । वंजणवग्गह-पउहा, मण-नयण-विणिंदियवउक्का ॥ ४ ॥ अक्खर-सन्नि-सम्मं, साइअं खलु सपज्जवसिअं च । गमिअं अंगपविटुं, सत्तवि एए सपडिवक्खा ॥ ६ ॥ पजय-अक्खर-पय-संघाया, पडिवत्ती तह य अणुओगो । पाहुए-पाहुए-पाहुए, -वत्थु पूव्वा य स-समासा ॥ ७ ॥ अणुगामि-वड्डमाणाय-पडिवाईयरविहा छहा ओही । रिउमइ-विउलमई, मणनाणं केवलमिगविहाणं ॥ ८ ॥ एसिं जं आवरणं, पडुव्व चक्खुस्स तं तयावरणं । दंसण चउ पण निद्दा, वित्तिसमं दसणावरणं ॥ ९ ॥ चक्खु-दिट्ठि-अचक्खु-सेसिंदिय-ओहि-केवलेहिं य । दसणमिह सामन्नं, तस्सावरणं तयं चउहा ॥ १० ॥ सुहपडिबोहा निहा, निहानिद्दा य दुक्खपडिबोहा । पयला ठिओवविट्ठस्स, पयलपयला उ चंकमओ ॥ ११ ॥
Page #207
--------------------------------------------------------------------------
________________
१८४
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
दिण - चिंतित्थ करणी, थिणद्धि, अद्ध-चक्की - अद्ध-बला । महु - लित्त-खग्ग-धारा, लिहणं व दुहाउ वेअणीअं ।। १२ ।। ओसन्नं सुरमणुए, सायमसायं तु तिरियनरएसु । मज्जं व मोहणीयं, दुविहं दंसणचरणमोहा ।। १३ ।। दंसणमोहं तिविहं, सम्मं मीसं तहेव मिच्छत्तं । सुद्धं अद्धविसुद्धं, अविसुद्धं तं हवइ कमसो ।। १३ ।। जीय- अजीय- पुण्ण - पावाssसव-संवर-बंध-मुक्ख - निज्जरणा । जेणं सद्दहइ तयं, सम्मं खड़गाइ - बहु- भेअं ।। १५ ।। मीसा न रागदोसो, जिणधम्मे अंतमुहू जहा अन्ने । नालिअरदीवमणुणो, मिच्छं जिणधम्मविवरीअं ।। १६ ।। सोलस कसाय नव नोकसाय, दुविहं चरित्तमोहणीयं । अण-अप्पच्चक्खाणा, पच्चक्खाणा य संजलणा ।। १७ ।। जाजीव- वरिस - चउमास, पक्खगा नरय- तिरिय - नर - अमरा । सम्माणुसव्वविरई - अहखाय - चरित्तधायकरा ।। १८ ।। जल - रेणु - पुढवी - पव्वय - राई - सरिसो- वडव्विहो कोहो । तिणिसलया-कट्ठ-ट्ठिय-सेलत्थंभोवमो माणो ।। १९ ।।
मायावलेहि- गोमुत्ति - मिढ-सिंग - धणवंसिमूलसमा । लोहो हलिद्दखंजण - कद्दम-किमि - राग - सामाणो ।। २० ।। जस्सुदया होइ जीए, हासरई अरइ सोग भय कुच्छा । सनिमित्तमन्नहा वा, तं इह हासाइ मोहणीयं ।। २१ ।। पुरिसित्थि - तदुभयं पड़, अहिलासो जव्वसा हवड़ सो उ । थी - नर-नपुवेउदओ, फुंफुम - तण - नगरदाहसमो ॥। २२ ।।
Page #208
--------------------------------------------------------------------------
________________
મૂળ ગાથાઓ
सुर-नर- तिरि - नरयाऊ, हडिसरिसं नामकम्म चित्तिसमं । बायाल - तिनवइविहं, तिउत्तरसयं च सत्तट्ठी ।। २३ ।।
૧૮૫
गइ-जाइ-तणु-उवंगा, बंधण-संघायणाणि संघयणा । संठाण-वण्ण-गंध-रस- फास - अणुपुव्वि-विहगगई ।। २४ ।। पिंडपयडित्ति चउदस, परधा - उसास आयवुज्जोअं । अगुरुलहु तित्थ निमिणो - वधायमिअ अट्ठ पत्ते ।। २५ ।। तस-बायर-पज्जत्तं, पत्तेय - थिरं सुभं च सुभगं च । सुसराइज्जजसं, तसदसगं थावरदसं तु इमं ।। २६ ।। थावर - सुहुम-अपज्जं, साहारण - अथिर-असुभ - दुभगाणि । दुस्सर - णाइज्जा जस-मिअ, नामे सेयरा वीसं ।। २७ ।। तसचउ-थिरछकं, अथिरछक्क - सुहुमतिग- थावरचउक्कं । सुभगतिगाइविभासा, तयाइसंखाहिं पयडीहिं ।। २८ ।।
वन्नचउ-अगुरुलहुचउ, तसाइ - दु-ति- चउर - छक्कमिच्चाई । इअ अन्नावि विभासा, तयाइसंखाहिं पयडीहिं ।। २९ ।। गइयाईण उ कमसो, चउ-पण-पण- तिपण-पंच-छ-छक्कं । पण-दुग-पण-ट्ठ-चउ-दुग-इअ उत्तरभेअ पणसट्ठी ।। ३० ।। अडवीसजुआ तिनवई, संते वा पनरवंधणे तिसयं । बंधण - संघायगहो, तणूसु सामन्नवन्नचउ ।। ३१ ।। इअ सत्तट्ठी बंधोदए अ, न य सम्ममीसया बंधे । बंधु सत्ताए, वीस - दुवीसवण्णसयं ।। ३२ ।।
निरय- तिरि-नर- सुरगई, इग-बिअ-तिअ-चउ - पणिंदि - जाईओ । ओराल- विउव्वाहारग, तेअ-कम्मण पण - सरीरा ।। ३३ ।।
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
बाहुरु-पिट्ठि-सिर-उर, उयरंग-उवंग-अंगुली-पमुहा । सेसा अंगोवंगा, पढमतणुतिगस्सुवंगाणि ॥ ३४ ॥ उरलाइ-पुग्गलाणं, निबद्ध-बझंतयाण संबंधं । जं कुणइ जउ-समं तं, बंधणमुरलाइ तणुनामा ॥ ३५ ॥ जं संधायइ उरलाइ-पुग्गले, तिणगणं व दंताली । तं संधाय बंधणमिव, तणुनामेण पंचविहं ॥ ३६ ॥
ओराल-विउव्वा-हारयाण, सग तेअ कम्मजुत्ताणं । नव बंधणाणि इयरदु-सहियाणं तिन्नि तेसिं य ॥ ३७ ॥ संघयणमट्ठिनिचओ, तं छद्धा वजरिसहनारायं । तह रिसहनारायं, नारायं अद्धनारायं ॥ ३८ ॥ कीलिअ-छेवटुं इह-रिसहो पट्टो अ कीलिआ वजं । उभओ मक्कडबंधो, नारायं इममुरालंगे ॥ ३९ ॥ समचउरंसं निग्गोह-साइ-खुजाइ वामणं हुंडं । संठाणा वन्ना-किण्ह-नील-लोहिय-हलिह-सिया ॥ ४० ॥ सुरहिदुरही रसा पण, तित्त-कडु-कसाय-अंबिला-महुरा । फासा-गुरु-लहु-मिउ-खर-सी-उण्ह-सिणिद्ध-रुक्खट्टा ॥४२॥ नील-कसिणं-दुग्गंधं, तित्तं कडुअं गुरु खरं रुक्खं । सीअं च असुहनवगं, इक्कारसगं सुभं सेसं ॥ ४२ ॥ चउह-गइव्वणुपुव्वी, गइ-पुव्वीदुर्ग, तिगं नियाउजुअं । पुव्वी उदओ वक्के, सुह-असुह-वसुट्ट-विहगगई ॥ ४३ ॥ परघाउदया पाणी, परेसिं बलिणंपि होइ दुद्धरिसो । उससणलद्धिजुत्तो, हवेइ ऊसासनामवसा ॥ ४४ ॥
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૭
મૂળ ગાથાઓ
रवि - बिंबे उ जीअंगं, ताव- जुअं आयवाउ, न उ जलणे । जमुसिण- फासस्स तहिं, लोहिअवण्णस्स उदउत्ति ।। ४५ ।। अणुसिणपयासरुवं, जीअंगमुज्जोअए इहुज्जोआ । जइदेवुत्तरविक्किअ - जोइसखज्जोअमाइव्व ।। ४६ ।।
अंगं न गुरु न लहुअं, जायइ जीवस्स अगुरुलहु उदया । तित्थेण तिहुअणस्स वि, पुज्जो से उदओ केवलिणो ।। ४७ ।। अंगोवंगनियमणं, निम्माणं कुणइ सुत्तहारसमं । उवघाया उवहम्मइ, सतणुवयवलंबिगाईहिं ।। ४८ ।। बि-ति-चउ-पणिंदिअ तसा, बायरओ बायरा जीया थूला । निय - निय-पज्जत्तिजुआ, पज्जत्ता लद्धिकरणेहिं ।। ४९ ।। पत्तेअतणू पत्ते उदएणं दंत - अट्टिमाइ थिरं । नाभुवरि सिराइ सुहं, सुभगाओ सव्वजणइट्ठो ।। ५० ।। सुसरा महुरसुहझुणी, आइज्जा सव्वलोअगिज्झवओ । जसओ जसकित्तीओ, थावरदसगं विवज्जत्थं ।। ५२ ।।
गोअं दुहुच्च-नीअं, कुलाल इव सुघड- भुंभला इअं । विग्धं दाणे लाभे, भोगुवभोगेसु विरिए अ ।। ५२ ।। सिरिहरियसमं एयं, जह पडिकूलेण तेण रायाई । न कुणइ दाणाइयं, एवं विग्घेण जीवो वि ।। ५३ ।। पडिणीयत्तण- निन्हव-उवघाय-पओस - अंतराएणं । अच्चासायणयाए, आवरणदुगं जीओ जयइ ॥ ५४ ॥ गुरु-भत्ति खंति - करुणा, वय-जोग- कसाय - विजय - दाण- जुओ । दढधम्माई - अज्जइ, सायमसायं विवज्जयओ ।। ५५ ।।
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ उम्मग्ग-देसणा-मग्ग-नासणा-देवदव्वहरणेहिं । दंसणमोहं जिण-मुणि-चेइय-संघाईपडिणीओ ॥ ५६ ।। दुविहंपि चरणमोहं, कसाय-हासाइ-विसयविवसमणो । बंधइ नरयाउं महा-रम्भपरिग्गहरओ रुद्दो ॥ ५७ ॥ तिरिआउ गूढ-हिअओ, सढो ससल्लो तहा मणुस्साऊ । पयईइ तणुकसाओ, दाण-रुई मज्झिमगुणो अ ॥ ५८ ॥ अविरयमाइ सुराउं, बाल-तवोऽकामनिज्जरो जयइ । सरलो अगारविल्लो, सुहनामं अन्नहा असुहं ॥ ५९ ॥ गुणपेही मयरहिओ, अज्झयण-ज्झावणारुई निच्चं । पकुणइ जिणाइभत्तो, उच्चं नीअं इयरहा उ ॥ ६० ॥ जिणपूआ-विग्घकरो, हिंसाइपरायणो जयइ विग्धं । इअ कम्मविवागोऽयं, लिहिओ देविंदसूरीहिं ॥६१ ।।
HERE HERE
सभा
Page #212
--------------------------------------------------------------------------
________________ ગુણસ્થાનકે આરોહાવરોહ (1) આયોગી (16) સયોગી (12) ક્ષીણમોહ E ) ઉપશાંત | 1) સૂમર્સપરાય . (9) અનિવૃત્તિ | (9) અપૂર્વકરણ 4. (C) અપ્રમતા સયતા (6) માર્સયત (પ)) દેશવિરતિગુણ | (4) સમ્યકત્વગુણસ્થાનક = (3) મિગુણ સ્થાનક (2) સારવાદના ગુણ સ્થાનક (1) મિથ્યાષ્ટિગુણ સ્થાનક BHARAT GRAPHICS, Ahmedabad-1 Ph.079-22134176, Mo. 99250201061