________________
૧૫૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
આ કર્મ સુથાર જેવું છે. જેમ સુથાર પુતળી બનાવે તો તેના હાથ-પગ આદિ વ્યવસ્થિત ગોઠવે છે તેમ નિર્માણ નામકર્મથી જે અંગોપાંગાદિ જ્યાં જોઈએ ત્યાં ગોઠવાય છે.
વળી સુથાર મકાન બનાવે તેમાં બારી-બારણાં વેન્ટિલેશન વિગેરે યથાસ્થાને મૂકે છે તેમ આ કર્મથી શરીરના અવયવો યથાયોગ્ય સ્થાને ગોઠવાય છે.
ઉપઘાત નામકર્મ :
પોતાના શરીરના અવયવો વડે જે હણાય, દુઃખી થાય-પીડા પામે, તે ઉપઘાત નામકર્મ છે. જેમકે પ્રતિજીવા (પડજીભી)(જીભ ઉપર બીજી જીભ) ગળે રસોળી, ચોરદંત-દાંત પાસે નીકળેલો ધારદાર બીજો દાંત (ડહાપણની દાઢ), ઝાડ પર ઊંધે માથે લટકવું, પર્વત પરથી ઝંપાપાત કરવો, અગ્નિમાં બળવું, એપેન્ડીક્ષ-પથરી થવી વિગેરેથી જીવ પીડા પામે તે ઉપઘાત નામકર્મ છે.
ત્રસ-બાદર-પર્યાપ્ત વિ-તિ-વ-પતિમ તા, વાયરો વાયરા નીયા શૂના | निय-निय-पजत्तिजुआ, पजत्ता लद्धिकरणेहिं ॥ ४९ ॥
શબ્દાર્થ : વિ=બેઈન્દ્રિય,ધૂતા=મોટા સ્કૂલ, નિયનિય= પોતપોતાની, નુકસહિત, તદ્ધિલબ્ધિએ, હિં=કરણ વડે. - ગાથાર્થ : ત્રસનામકર્મથી બેઈન્દ્રિયપણું, તેઈન્દ્રિયપણું, ચઉરિન્દ્રિયપણું, પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય. ઈચ્છા મુજબ હાલી ચાલી શકાય તેવું શરીર મળે. બાદર નામકર્મવાળા જીવો બાદર એટલે કે મોટા-સ્થૂળ શરીરવાળા હોય. પોતપોતાની પર્યાપ્તિ યુક્ત થાય તે લબ્ધિ અને કરણ વડે પર્યાપ્તા છે. તે ૪૯ |