________________
૧૩૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ (૬) છેવટ્ટ (સેવાર્ત-છેદસૃષ્ટ) સંઘયણ નામકર્મ : (૧) હાડકાંના છેડાઓ પરસ્પર અડીને-અડીને રહેલાં હોય તે.
(૨) જે હંમેશા તૈલાદિના મર્થનરૂપ સેવાની અપેક્ષા રાખતાં હોય એવી હાડકાંની મજબુતાઈ તે છેવટ્ઠ સંઘયણ નામકર્મ. અહીં છેદસ્કૃષ્ટ સંસ્કૃત શબ્દનું અર્ધમાગધિમાં છેવટ્ટુ છે. છેદ-છેડા, પૃષ્ટ-અડીને-જ્યાં હાડકાના બે છેડા અડીઅડીને રહેલાં હોય તે છેદસ્કૃષ્ટ,
(૩) સેવા + ઋત - સેવાથી જે યુક્ત હોય તે સેવાર્ત....
ઔદારિક શરીર સાત ધાતુનું બનેલ હોવાથી આ સંઘયણો ઔદારિકશરીરમાં જ હોય છે. ગર્ભજ મનુષ્ય તિર્યંચોને છ સંઘયણ અને વિકલેન્દ્રિયને છેવટ્ઠ સંઘયણ હોય છે.
એકેન્દ્રિય-દેવ-નાક-ઉત્તર વૈક્રિય અને આહારક શરીરમાં સંઘયણ (હાડકાંની રચના) હોય નહીં.
૬ સંસ્થાન, ૫ વર્ણનું વર્ણન समचउरंसं निग्गोह-साइ-खुजाइ वामणं हुंडं । સંવાળા વના-શિષ્ટ-ની-ત્નોદિય-નિફ્ટ-સિયા | ૪૦ |
શબ્દાર્થ : નિજોદ = ન્યગ્રોધ, રઘુગાડું = કુન્જ, સુંઠું = હુંડક, શિષ્ય = કાળો, નિદ્ = પીળો, સિયા = ધોળો.
ગાથાર્થ સમચતુરસ્ત્ર, ન્યગ્રોધપરિમંડળ, સાદિ, કુન્જ, વામન અને હુડક આ છ સંસ્થાનો છે.
કાળો, લીલો, લાલ, પીળો અને સફેદ એ પાંચ વર્ણ છે. Ivol | વિવેચન : સંસ્થાન એટલે શરીરની આકૃતિ. જે કર્મના ઉદયથી શરીરની આકૃતિ સારી અથવા ખરાબ મળે તે સંસ્થાન નામકર્મ છે. આ સંસ્થાનનામ કર્મ ૬ પ્રકારે છે.