________________
સમ્યકત્વમોહનીયકર્મ
૭૫ સર્વથા ક્ષય થવાથી જે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તે ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વમાં દર્શનસપ્તકનો ક્ષય થવાથી તેનો બંધઉદય-સત્તા હોતી જ નથી અને આ ક્ષાયિક સમ્યકત્વ ૪ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે.
સાયિક સમ્યક્ત પામેલ આત્મા અબદ્ધાયુ હોય તો એક ભવે (તે જ ભવે) અને બદ્ધાયુ હોય તો ૩-૪-૫ ભવમાં મોક્ષે જાય.
ક્ષાયિક સમ્યકત્વનો કાળ સાદિ અનંત છે. (૨) ક્ષયોપશમસમ્યકત્વ :
જ્યાં અનંતાનુબંધી ૪ કષાય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય આ ૬ પ્રકૃતિઓનો પ્રદેશોદય હોય અથવા ક્ષય હોય અને સમ્યકત્વ મોહનીયનો રસોદય હોય તેને ક્ષયોપશમ કે ક્ષાયોપથમિક સમ્યકત્વ કહેવાય છે.
આ સમ્યકત્વ એક ભવમાં હજારોવાર અને સંસારચક્રમાં અસંખ્યવાર પામી શકાય છે. ૪ થી ૭ ગુણઠાણા સુધી હોય છે.
કાળ-જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ હોય છે.
(૩) ઉપશમ સમ્યકત્વ :
દર્શન સપ્તકનો ઉપશમ (સર્વોપશમ) કરવાથી જે ગુણ ઉત્પન્ન થાય તે ઉપશમ સમ્યક્ત કહેવાય. આ સમ્યકત્વમાં શ્રદ્ધાને આવનાર એક પણ કર્મ ઉદયમાં ન હોવાથી અપૌદ્ગલિક સમ્યક્ત કહેવાય.
આ સમ્યત્વે બે પ્રકારનું છે (૧) મિથ્યાત્વ ગુણ. થી પમાય તે (૨) ઉપશમ શ્રેણી ચડતી વખતે ૪ થી ૭ ગુણ. માં પમાય તે.
કાળ = જઘન્ય – અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ-અંતર્મુહૂર્ત