________________
નોકષાયમહનીયના આશ્રવો
૧૭૫
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભના ઉદયવાળો જીવ ૧૬ કષાય અને નોકષાય મોહનીય બાંધે છે. અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિના ઉદયવાળો જીવ ૧૨ કષાયાદિ બાંધે છે, પરંતુ અનંતાનુબંધીનો ઉદય ન હોવાથી તે ન બાંધે તે પ્રમાણે પ્રત્યાખ્યાનીય ક્રોધાદિના ઉદયવાળો જીવ ૮ કષાયાદિ બાંધે છે. સંજ્વલન ક્રોધાદિના ઉદયવાળો જીવ ૪ કષાય બાંધે છે. નોકષાયમોહનીયના બંધહેતુ :
હાસ્યાદિ ષટ્કમાં આસક્ત મનવાળો,
હાસ્યાદિને પરાધીન થયેલો આત્મા હાસ્યાદિ નોકષાયચારિત્ર મોહનીયકર્મ બાંધે છે.
વળી હાસ્યાદિ નવ નોકષાયમાં જેના જે વિશેષ હેતુ હોય તે કર્મ વધારે તીવ્ર રસવાળું હાસ્યાદિ બાંધે તે આ પ્રમાણે -
(૧) હાસ્ય મોહનીય કર્મ :
(૧) બીજાની ઠઠ્ઠા મશ્કરી કરવી, કામવાસનાને ઉત્તેજક હસવાના સ્વભાવવાળો (૨) બહુ વાકપટુતા કરનારો, હીન કાકલૂદીવાળા વચનો બોલનાર. એ પ્રમાણે તે તે નોકષાયાદિના ઉદય વડે તે નોકષાય મોહનીય વિશેષ બંધાય.
(૨) રતિ મોહનીય કર્મ :
(૧) વિવિધ દેશો જોવા અને ફરવાની ઉત્સુકતાવાળો, એક્ટરોના ચિત્રો-પિક્સરો જોવામાં શોખીન, નાટકો કરવા વડે બીજાને રતિ-આનંદ ઉત્પન્ન કરવામાં રસવાળો. (૨) વિચિત્ર કામક્રીડા કરનારો, બીજાના ચિત્તને આકર્ષિત કરનારો રતિમોહનીયકર્મ બાંધે.
(૩) અરતિ મોહનીય કર્મ :
(૧) ઈર્ષ્યા કરનારો, પાપ કરવાના સ્વભાવવાળો, (૨) બીજાના આનંદનો વિચ્છેદ કરવામાં રસવાળો, (૩) ખરાબ કાર્યોમાં બીજાને પ્રેરણા કરનારો અરતિમોહનીયકર્મ બાંધે છે.