________________
८१
કષાયમહનીય અને સંજવલન તે દરેકના ક્રોધ-માન-માયા-લોભ રૂપ ચાર ચાર ભેદ છે.
તેથી કષાય મોહનીયના ૧૬ ભેદ છે. તે આ પ્રમાણે -
(૧) અનંતાનુબંધી ઃ (૧) જેના ઉદયથી જીવ અનંત સંસારનો અનુબંધ કરે તે. (૨) અનંત ભવોનું પરિભ્રમણ થાય છે. તેનું બીજું નામ સંયોજના કષાય છે. આત્માને અનંત સંસારની સાથે જોડે. અનંતમ્ સંસાર અનુવાતિ હિનામ્ - અનંત સંસારમાં આત્માને જોડે.
(૨) અપ્રત્યાખ્યાનાવરણ (અથવા અપ્રત્યાખ્યાન) ઃ જે કર્મના ઉદયથી થોડું પણ પચ્ચકખાણ જીવને ન આવવા દે.
(૧) અહીં -અલ્પ, પ્રત્યાખ્યાન-પચ્ચકખાણ સાવર-આવરે એટલે અલ્પ પણ પચ્ચખાણને આવરે-થોડું પણ પચ્ચકખાણ કરી શકે નહીં. (૨) અથવા નહી પ્રત્યાખ્યાન-પચ્ચકખાણ-જેના ઉદયમાં પચ્ચકખાણ હોય નહીં. પચ્ચખાણ કરી શકે નહીં તે. અપ્રત્યાખ્યાન કષાય.
(૩) પ્રત્યાખ્યાનાવરણ : સર્વવિરતિ પચ્ચકખાણને મોવરઆવરે, અર્થાત્ સર્વવિરતિ પામવા ન દે તે.
(૪) સંજ્વલન :
(૧) જે કર્મના ઉદયથી વિરતિ હોવા છતાં ચારિત્રને કાંઈક બાળ-કંઈક દોષિત કરે તે સંજ્વલન. સમુ-કંઈક, શ્વતિ-બાળે તે संज्वलन.
(૨) ચારિત્રમાં દોષ લગાડે તે સંજવલન.
(૩) ચારિત્રને મલિન કરે, પરિસહ-ઉપસર્ગ આવે છતે કંઈક અતિચાર લગાડે છે,