________________
४८
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
અવધિજ્ઞાનના જોય દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ અનંતભેદ જાણવા. ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ અસંખ્યાતા ભેદ જાણવા. ' અર્થાત્ અવધિજ્ઞાનથી અનંતા પુદ્ગલના સ્કંધોને જોઈ શકે છે. તેથી જ તે દ્રવ્યોના પર્યાયો પણ અનંતા છે. તેમાંના કેટલાક અનંતા પર્યાયોને જાણે માટે અનંત ભેદવાળું કહ્યું છે.
મન:પર્યવજ્ઞાન : મન:પર્યવ, મન:પર્યાય
(૧) મનના ભાવોને ચારે બાજુથી જાણવા એટલે “મન-મનના ભાવોને “પરિ–ચારે બાજુથી “મવ’ જાણવું તે.
(૨) મન પર્યયજ્ઞાન એટલે “મનઃ-મનના ભાવોને “પરિચારેબાજુથી “તિ’ જાણવું તે મનઃ પર્યયજ્ઞાન.
(૩) માંસિ પતિ પરિ + રૂ ની વૃદ્ધિ માય થાય તેથી મનના પર્યાયો-ધર્મોને જાણવા તે, આ રીતે શબ્દ પ્રમાણે ત્રણ વ્યાખ્યા છે.
સારાંશ - અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણામ પામેલાં મનના ભાવોને આત્મસાક્ષાત્ વિશેષ ધર્મ સહીત જાણવા.
તે મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે. (૧) ઋજુમતિ મન:પર્યવજ્ઞાન (૨) વિપુલમતિ મન:પર્યવજ્ઞાન, તેનો અર્થ આ પ્રમાણે –
(૧) ઋજુમતિમ પર્યવજ્ઞાન : અઢી દ્વીપમાં રહેલાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણામ પામેલા મનના ભાવોને કેટલાક (થોડા) ધર્મસહિત જાણવા.
(૨) વિપુલમતિ મન:પર્યવજ્ઞાન : અઢી દ્વીપમાં રહેલાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણામ પામેલ મનના ભાવોને વિશેષ (ઘણા) ધર્મસહિત જાણવા તે.
પ્રશ્ન : ઋજુમતિ અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાનમાં તફાવત શું?