________________
૧૨૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
कीलिअ-छेवटुं इह-रिसहो पट्टो अ कीलिआ वजं । उभओ मक्कडबंधो, नारायं इममुरालंगे ॥ ३९ ॥
શબ્દાર્થઃ િિનયમો હાડકાંનો સમૂહ, છઠ્ઠાં છ પ્રકારે, કીનિવા =કીલિકા, રિસદો ઋષભ, કીર્તાિમાં=ખીલી, મડવંધો=મર્કટબંધ.
ગાથાર્થ : સંઘયણ એટલે હાડકાંનો સમૂહ-રચના તે છ પ્રકારે છે. વજ>ષભનારાચ, 2ષભનારા, નારાય, અર્ધનારાચ, કાલિકા, છેવટું સંઘયણ છે. અહીં ઋષભ એટલે પાટો, વજ એટલે ખીલી અને નારાચ એટલે બંને બાજુ મર્કટબંધ. આ સંઘયણો ઔદારીક શરીરમાં હોય છે. તે ૩૮, ૩૯ /
વિવેચન : છ સંઘયણનું સ્વરૂપ આ પ્રમાણે છે. સંઘયણ એટલે શરીરમાં હાડકાંનો સમૂહ-હાડકાંની વિશિષ્ટ રચના-હાડકાંની મજબૂતાઈ.
સંઘયણ નામકર્મ : (१) संहन्यन्ते-द्रढीक्रियन्ते शरीरपुद्गलाः येन तत् (૨) જેના વડે શરીરના પુદ્ગલો દ્રઢ કરાય તે.
(૩) જે કર્મના ઉદયથી હાડકાંનો સમૂહ-બાંધો-રચના પ્રાપ્ત થાય તે સંઘયણ નામકર્મ છે. તે ૬ પ્રકારે છે.
(૧) વજષભનારાસંઘયણ નામકર્મ :
વજ-હાડકાંની ખીલી, ઋષભ-હાડકાંને વીંટાળનારો પાટો, નારાચમર્કટબંધ.
જેમ મર્કટ-માંકડું (વાંદરું) જેમ માતાને વળગેલું હોય તેમ એક હાડકું બીજા હાડકાંને વીંટળાઈને રહેલું હોય, તેની ઉપર હાડકાંનો પાટો વીંટળાયેલો હોય અને આ ત્રણે હાડકાંને મજબૂત કરે એવી હાડકાંની ખીલી વિંધતી હોય તેવી હાડકાંની મજબુતાઈ પ્રાપ્ત થાય તે વજઋષભનારાચ સંઘયણ નામકર્મ.