________________
સંઘયણનામકર્મ
૧૨૭ (૧૪) કાર્મણકાશ્મણબંધનનામકર્મ
પૂર્વે ગ્રહણ કરેલ કાર્મણ વર્ગણાના પુદ્ગલો સાથે નવા ગ્રહણ કરાતા કાર્મણ વર્ગણાના પુદ્ગલોનો સંબંધ થાય તે.
(૧૫) તૈજસ કાર્પણ બંધન :
પૂર્વે ગ્રહણ કરેલ અને નવા ગ્રહણ કરાતા તૈજસ અને કાર્પણ વર્ગણાના પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે.
પ્રશ્ન : ઔદારિકાદિની સાથે જેમ તૈજસ અને કાર્મણનું બંધન કહ્યું તેમ ઔદારિકની સાથે વૈક્રિય અને આહારકનું તથા વૈક્રિયની સાથે આહારકનું બંધન કેમ ન કહ્યું ?
જવાબ : દારિક વૈક્રિય અને આહારક શરીરની વર્ગણાના પુદ્ગલોનું પરસ્પર જોડાણ થતું નથી. કારણ કે તે શરીરો ભિન્ન-ભિન્ન હોય છે તેથી અન્યોન્ય જોડાણ ન હોવાથી તેનાં બંધન નથી.
પ્રશ્ન : જેમ બંધન પંદર છે. તો ગ્રહણ કરેલા પુલોનું જોડાણ થાય-સંબંધ થાય તો સંઘાતન પણ પંદર કહેવાં જોઈએ.
જવાબ : જો કે પ્રશ્ન બરાબર છે, પરંતુ વિજાતીયનો યોગ તો શુભ નથી. સજાતીયનો યોગ જ શુભ છે.
જેમ મોહનથાળ બનાવવા બજારમાં લોટ-ખાંડ-ઘી-મસાલાં ભેગાં કરીને ન લવાય અને લાવે તો તે મૂર્ખ કહેવાય. તે સારું ન કહેવાય. લાવ્યા પછી બનાવતી વખતે ભેગાં કરાય. એમ અહીં શરીરને યોગ્ય પુગલો એકઠા ભિન્ન કરાય પછી રચના અનુસાર સંબંધ કરાય છે તેથી સંઘાતન પાંચ છે અને બંધન પંદર છે.
૬ સંઘયણનું વર્ણન संघयणमट्ठिनिचओ, तं छद्धा वजरिसहनारायं । तह रिसहनारायं, नारायं अद्धनारायं ॥ ३८ ॥