________________
૫૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
-
-
વિવક્ષા કરવામાં આવેલ નથી. જેમ દિવસે સૂર્યના પ્રકાશમાં અમાસના દિવસે ચંદ્ર-નક્ષત્ર-ગ્રહ-તારાદિનો પ્રકાશ હોવા છતાં ઉપયોગી ન હોવાથી વિવક્ષા થતી નથી તેમ અહીં જાણવું.
આ રીતે પાંચ જ્ઞાનનું વર્ણન કર્યું. એક જીવને (શક્તિની) લબ્ધિની અપેક્ષાએ એકી સાથે એક, બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય.
એક જ્ઞાન : કેવલજ્ઞાન અથવા મતિજ્ઞાન
અહીં સાંભળવા વડે જ્ઞાન થાય તે શ્રુત અથવા શાસ્ત્રોનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન એ અર્થ પ્રમાણે એકેન્દ્રિયાદિમાં શ્રોતેન્દ્રિય ન હોવાથી શ્રુત ન હોય. એક મતિજ્ઞાનની વિવક્ષા કરી છે. એટલે એકલું મતિજ્ઞાન વિવક્ષાથી જાણવું. પરંતુ નર્થી મના તી સુચનાનું, નસ્થ સુચના તલ્થ મરૂના એ શાસ્ત્રપાઠના નિયમથી એકલું મતિજ્ઞાન ન હોય.
બે જ્ઞાન : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એમ બે જ્ઞાન અથવા બે અજ્ઞાન પણ હોય.
ત્રણ જ્ઞાન : મતિ-શ્રુત-અવધિજ્ઞાન અથવા મતિ અજ્ઞાનશ્રુતઅજ્ઞાન-વિર્ભાગજ્ઞાન અથવા મતિ-શ્રુતજ્ઞાન-મન:પર્યવજ્ઞાન એમ ત્રણ રીતે ત્રણ જ્ઞાન હોય.
એટલે અવધિજ્ઞાન ન હોય અને મન:પર્યવજ્ઞાન થાય તેવું પણ બને, તેથી આ ત્રણ પણ હોય.
ચાર જ્ઞાન : મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવજ્ઞાન એમ ચાર હોય. ચાર જ્ઞાન મનુષ્યમાં જ હોય.
તેમજ પાંચ જ્ઞાન સાથે હોય નહીં. તત્વાર્થમાં કહ્યું છે કે - एकादीनि भाज्यानि युगपदेकस्मिन्ना चतुर्थ्यः (१-३१) એક જીવમાં-એક વિગેરે ચાર સુધીનાં જ્ઞાન ભજનાએ હોય.