________________
૧૬૩
કર્મબંધના બાહ્યાશ્રય
તે પ્રમાણે લાભાન્તરાયાદિના ઉદયમાં જાણવું.
મેળવવા માટે ઘણા પ્રયત્ન કરે, ચોક્કસ લાભ થાય તેવો વ્યાપાર -પ્રયત્ન કરે છતાં બીજાને લાભ થાય પરંતુ પોતાને થાય નહીં, મેળવી ન શકે. જેમ ઋષભદેવ પરમાત્મા એક વર્ષ સુધી આહાર મેળવી શક્યા નહીં.
અહીં યાચના કરવા છતાં બીજા યાચકોને મળે અને પોતાનો વારો આવે અને આપનાર કોઈ કારણથી આપવાનું બંધ કરે અથવા ધંધામાં-વ્યાપારમાં પ્રયત્ન કરવા છતાં બીજાને લાભ થાય, પોતાને ન થાય તે લાભાન્તરાય.
આહાર કરવાની ઈચ્છા હોય, મીઠાઈ આદિ ખાવાનું મન થાય પરંતુ ડાયબીટીસાદિ રોગાદિથી વાપરી ન શકે. ખાઈ ન શકે તે ભોગાન્તરાય.
વસ્ત્રાદિ ફાટી જશે, જુના થઈ જશે એમ માની પહેરી કે વાપરી ન શકે અને પછી સડી જવાથી નકામા થઈ જાય તે ઉપભોગાન્તરાય.
સારા કાર્યમાં મન-વચન-કાયાની શક્તિ ન ફોરવી શકે, અને પરાધીનતા અથવા અન્યના આદેશ-હુકમથી કામ કરવું પડે તે વીર્યન્તરાય.
કર્મબંધના હેતુઓ पडिणीयत्तण-निन्हव-उवघाय-पओस-अंतराएणं । अच्चासायणयाए, आवरणदुगं जीओ जयइ ॥ ५४ ॥
શબ્દાર્થ : હળીમળ = પ્રત્યનીકપણું, નિન્દવ = છુપાવવુંઓળવવું, પોતે = અત્યંત દ્વેષ, વવાય = ઘાત કરવો, વાલીયા = અત્યંત-ઘણી આશાતના કરવાથી, તુમ = બે પ્રકારના, નિમો = જીવો નય = બાંધે છે - ઉપાર્જે છે.