________________
૧૮૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
અશુભ નામકર્મ :
(૧) માયાવી-સરળતારહિત-કપટી સ્વભાવવાળો, એટલે ખોટી સાક્ષી પૂરનાર, ભેળસેળ કરનાર, વચનમાં મીઠાશ અને હૃદયમાં કડવાશ.
(૨) રસગારવવાળો - પાંચ ઈન્દ્રિયના વિષય ભોગવવામાં અતિ ઉત્સાહવાળો, વિષયમય પરિણામવાળો.
(૩) ઋદ્ધિગારવ - ધન મેળવવામાં મેળવીને સાચવવામાં, વ્યાજ આદિથી વૃદ્ધિ કરવામાં – તે જ વિચારોમાં સતત મન રહે તે.
(૪) શાતાગારવ – ઈન્દ્રિયને અનુકૂળ વિષય મળેથી અતિ પ્રશંસા કરવાપૂર્વક વાપરનાર, ભોગવે એના કરતાં પ્રશંસા-વર્ણન કરવામાં વધારે રસવાળો-ઉત્સાહ દાખવનાર. નામકર્મની સ્થાવરાદિ તેમજ પિંડની અશુભ પ્રકૃતિઓ-ઉપઘાત આદિ પાપ પ્રકૃતિ બાંધે છે. गुणपेही मयरहिओ, अज्झयण-ज्झावणारुई निच्चं । पकुणइ जिणाइभत्तो, उच्चं नीअं इयरहा उ ॥ ६० ॥
શબ્દાર્થ પુનહી = ગુણ જોનાર, મયદ્દિમો = મદ રહિત, કન્ફયાન્સવાસ–ભણવા-ભણાવવામાં રસવાળો, પવુળ = બાંધે છે.
ગાથાર્થ ઃ બીજાના ગુણોને જોનાર, નિરહંકારપણું, ભણવાભણાવવામાં રસવાળો, જિનેશ્વર ભગવંતનો ભક્ત એવો ઉચ્ચ ગોત્રકર્મને બાંધે છે. તેનાથી વિપરીત વર્તનારો નીચગોત્ર બાંધે છે. || ૬૦ ||
વિવેચન : ગોત્રકર્મના બંધહેતુઓ આ પ્રમાણે છે. ઉચ્ચગોત્રના આશ્રવ : (૧) ગુણપ્રેક્ષી-બીજાના નાના પણ ગુણને મોટા કરી જોનાર.