________________
૧૫૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ (૨) વ્યક્તિને જોવા માત્રથી અભુત્થાન (ઉભા થવું) - સન્મુખ આવવું પશ્ચાદ્ગમન, અંજલિ કરે ઈત્યાદિ આદરવાળો થાય તે.
અનાદેય નામકર્મ : (૧) યુક્તિયુક્ત અને હિતકારી વચન બોલવા છતાં ગ્રહણ કરવા યોગ્ય વચનવાળો ન થાય, તેની વાત કોઈ સ્વીકારે નહીં.
(૨) ઉપકાર કરવા છતાં લોકો અભુત્થાન, સન્મુખગમનાદિ ન કરે તે.
(૩) હાથ જોડીને કહેવા છતાં તેનું કોઈ સાંભળવા તૈયાર ન થાય તે અનાદેયનામકર્મ.
યશ નામકર્મઃ તપ, શૌર્ય, ત્યાગ વિગેરે વડે પ્રાપ્ત કરેલ ખ્યાતિ વડે પ્રશંસા થાય છે. પરાક્રમ વડે અથવા દાન પુણ્યાદિ વડે ખ્યાતિ પામે, પ્રસિદ્ધિ પામે તે.
અપયશ નામકર્મ : તપ-ત્યાગ હોવા છતાં પ્રશંસા ન પામે, ખ્યાતિ ન પામે છે.
અહીં યશ : કીર્તિમાં તફાવત આ પ્રમાણે - યશ : (૧) સર્વ દિશામાં વાહ-વાહ થાય.
(૨) પરાક્રમથી સર્વ દેશ-વિદેશમાં ખ્યાતિ થાય તે યશ કીર્તિ – (૧) દાન-પુણ્યાદિથી ખ્યાતિ થાય તે અથવા
(૨) પોતાના દેશમાં-સ્થાનમાં ખ્યાતિ-પ્રશંસા થાય તે. સ્થાવર દશક આનાથી વિપરીત અર્થવાળું છે. તે દશ પ્રકૃતિની પણ વ્યાખ્યાઓ ત્રસાદિની સાથે લખી છે.
गोअं दुहुच्च-नीअं, कुलाल इव सुघड-भुंभलाऽइअं । विग्धं दाणे लाभे, भोगुवभोगेसु विरिए अ ॥ ५२ ॥