Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન // હા દેખવામાં આવી. તે સ્ત્રીએ મંદિરમાં પ્રવેશ કરી નેમનાથ પ્રભુને વંદન કર્યું અને પછી તે વીણા, તંત્રી વિગેરે વાત્રે પોતાના હસ્તથી બજાવતાં તથા મધુર સ્વરે ગાયન કરતાં તે મહાપ્રભુના ગુણોની સ્તવના કરવી શરૂ કરી. ઘણું જ મધુર સ્વરે પ્રભુની સ્તુતિ કરાતી દેખી હું પણ ત્યાં જ ઊભા રહ્યો. ગાયન પૂર્ણ થતાં મને પિતાને ધમી (એક ધર્મ પાળનાર) જાણી તેણીએ કેમળ વચને બોલાવ્યો. પ્રભુસ્તુતિનું કામ પૂર્ણ થતાં અમે સર્વ મંદિરમાંથી બહાર આવ્યાં. મેં તે તરુણીને પૂછયું. “મહાનુભાવો ! તમે દેવી છે કે માનુષી ? તમારું નામ શું ? હમણાં તમે કયાંથી આવ્યાં ?" . મારા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તે દિવ્ય અંગનાએ જણાવ્યું, “હે ભાઈ! આ મારી કથા ઘણી મેટી છે. જે તમને તે સાંભળવાની ઈચ્છા જ હોય તો ચાલો આ સામે નજીકના શાંત સ્થળે આપણે બેસીએ. મારે સવિસ્તરે ઇતિહાસ હું તમને જણાવું, તમે તે એકાગ્ર ચિત્તે શ્રવણ કરે, અને તેમાંથી યોગ્ય જણાય તે ગુણ, દોષનું ગ્રહણ ત્યાગ કરો.” પ્રિયા ! તે સંદરીનાં તેવાં વચન સાંભળી મને પણ તેની કથા સાંભળવાનું કૌતુક થયું કે તેણીનું જીવનચરિત્ર કેવું હશે ? તેણી શું કહેશે ? તેણી કોણ હશે? તેણીના જીવનચરિત્રમાંથી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus