________________
કાળથી શબ્દાદિ વિષયમાં રક્ત રહેનારું હોય છે. પિતાના આત્મા તરફ લેશમાત્ર પણ દષ્ટિ જ નહિ. જીવનમાં બધા હિસાબ-ખિતાબ માંડે તે વિષેની અનુકૂળતા જ લક્ષમાં રાખીને, પછી ભલેને એ મનુષ્યને અવતાર પામ્યું હોય, છતાં મનનું વલણ વિષયે તરફ. ત્યારે આ તે કાંઈ એને જ આવડે છે એવું નથી, સર્વ જીવોને એ આવડે છે. પશુ પંખી-કીડા-કડી વગેરે સૌને આવું વિષયનું વલણ, આવી બુદ્ધિ હોય છે. એટલે એ તે સર્વસામાન્ય બુદ્ધિ થઈ. માટે તે કહેવાય છે કે,
બેળિયું મન મનુષ્યનું મળ્યું પણ વિષયાંધ અને કપાયાવિષ્ટ દિલ જનાવરનું રહ્યું. ગધેડા પરના આથર બદલાયાં પણ ગધેડા એના એ જ રહ્યા.
એટલે આ કરવાની જરૂર છે કે દિલને આશય-વલણ બદલાય દિલમાંથી વિષયમૂઢતા અને કષાયના આવેશને હટાવાય તે જ પોતાના આત્મા તરફ દષ્ટિ જાય, આત્મચિંતા ઊભી થાય. આ કરવા માટે શ્રુતઆગમ-શાસ્ત્રની વાતનું વારંવાર શ્રવણ અને મનન જોઈએ, તેમજ એ કરવા દ્વારા અત્યાર સુધીની ઘબુદ્ધિસામાન્ય બુદ્ધિને વિશિષ્ટ બનાવવી જરૂરી છે. આ વિશિષ્ટતા એટલે અતિશય. બુદ્ધિ શ્રતથી અતિશયવાળી બનાવવી જોઈએ. બુદ્ધિમાં મૃત–શાસ્ત્રના ચિંતન દ્વારા એક વિશેષતા યાને અતિશય ઊભો કરે એટલે કે સ્વાત્માની દૃષ્ટિ અને ચિંતા જાગતી કરવી.
આત્મચિંતાથી કે વિવેક આવે? – સ્વાત્માની ચિંતા જાગતી થઈ જાય, પછી (૧) આત્મા