Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 238
________________ અધિક સાધનાવાળા જનમ મળવાના, ને અંતે મૃત્યુ કાયમનું ટળી અજર અમર મેક્ષ અવસ્થા પામવાને.” આમ ચારિત્રીમુનિ વર્તમાન કામચલા કે મૃત્યુથી નિર્ભીક, અને સહેજે સહેજે મૃત્યુના મતની દશાએ પહોંચનારે. એથી મૃત્યુ અંગે નિશ્ચિત્ત હેઈ મુનિને ચારિત્ર પાસેથી મૃત્યુ સામે રક્ષણ જોઇતું જ નથી. ચારિત્રધર્મનું શરણું લેવાથી એ સુરક્ષિત જ છે. ત્યારે બાહ્ય સંગેના ભરોસે બેઠેલા સંસારી જીવડાને મૃત્યુનો ભય છે, “હાય ! હું મરીશ?” મૃત્યુ ભયાનક લાગે છે, તેથી એ બાહ્ય સંગે પાસેથી મૃત્યુની સામે રક્ષણ મળતું હેય તે એને જોઈએ છે. એટલે તે (END TIME અંત–વખતે પણ હજારો લાખો રૂપિયા મેતને અટકાવવા માટે ખર્ચવા તૈયાર હોય છે. ડાકટરને કહે છે “ભાઈસાબ ! કાંક કરો ને? ગમે તે ખર્ચ થાય, મને બચાવે ને?” સમૃદ્ધિથી બચાવ ઇચ્છે છે. પરંતુ અફસોસ તે સમૃદ્ધિ બચાવ આપી શકતી નથી. આમાંથી આ તાવણી નીકળે છે કે,મૃત્યુ બંનેને; પણ બાહ્ય સંગવાળાને મૃત્યુની ગભરામણ, ત્યારે સંગ ત્યાગીને એ નહિ. અર્થાત સંગમાં મૃત્યુને ભય; ત્યાગમાં એ ભય નહિ. તેથી શાસ્ત્રકાર કહે છે, હે આત્મન ! બાહ્યસંગનું શરણ છેડ, અને ચારિત્રધર્મનું શરણું સ્વીકાર એ સાચું શરણ છે; કેમકે એમાં મૃત્યુનો ભય નથી. બાહ્ય સંગ એ સાચું શરણ નહિ, કેમકે એને ભારભાર રાગ હોવાથી મૃત્યુને ડર છે, મૃત્યુથી એ બધું ડૂલ થતું લાગવાથી મૃત્યુના નામ પર એને

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256