________________
૨૨૨
લેભ-રાગાદિ કષા સેવતા હોઈએ તે પણ એ બેકાર લાગે, જરાય રક્ષણદાતા ન લાગે, ત્યારે જ ધર્મ ખરેખર શરણભૂત લાગે, દિલ સાચી રીતે એનું શરણું સ્વીકારનારું બની શકે.
જ્યાં મૃત્યુ કોળિયો કરવા આવ્યું ત્યાં એ રાજાઓને એ સંગે કશું જ રક્ષણ આપી શકતા નથી. બાહ્ય સંગે ત્યાગ કરવા રૂપે ચારિત્ર લેવું.
પ્રવે- એમ તે ચારિત્ર પણ મૃત્યુની સામે કયાં રક્ષણ આપે છે? મૃત્યુને ક્યાં અટકાવી શકે છે?
ઉ૦ ભૂલ્યા ઉપર ઉપરથી જોયું. પણ બંનેમાં મોટો ફરક છે. બાહ્ય સંગવાળાને તે મૃત્યુ ન આવે એવી ભારે ઈચ્છા છે, તેથી મૃત્યુને ભય છે, અને બાહ્ય સંગે મૃત્યુને અટકાવતા નથી માટે મૃત્યુ વખતે કલ્પાંત છે. ત્યારે બાહો સંગ ત્યજી ચારિત્ર લેનારને મૃત્યુ આવે કે ન આવે એની પરવા નથી. મૃત્યુને ભય નથી, મૃત્યુથી કશું બગડી ગયું લાગતું નથી. તેથી મૃત્યુ આવતાં કશે કલ્પાત કે દુઃખ નથી. પછી એને અટકાવવાની ચિંતા જ શાની? મૃત્યુના ભયવાળાને મૃત્યુ વખતે એ પિક હોય કે, “હે ? આ બધા મારા સમૃદ્ધિ-પરિવાર મને બચાવતા નથી ? ” પણ મૃત્યુના ભય વિનાના મુનિને એ પિક જ શાની કે, “હે આ ચારિત્ર અને મૃત્યુથી બચાવતું નથી ?”
સંગત્યાગી ચારિત્રીને આ ખૂબી કે મૃત્યુની ચિંતા નહિ, તેથી મૃત્યુથી બચાવનાર જોઈએ નહિ, “મે આવ્યું તે મારે શી ફિકર? હું મારી ચારિત્ર સાધનાના હિસાબે ઉપશમભાવમાં છું, સમતાભવમાં છું. તો મારે દુર્ગતિઓમાં ભટકવાનું નથી આ સાધનાથી ઉત્તરોત્તર તેથી મારે પુણ્યાનુબંધી પુણ્યથી સદ્ગતિ અને