Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 243
________________ ૨૨૮ પ્ર.-આપદાઓ સંપદારૂપ શી રીતે લાગે? ઉ–જેવી રીતે આપણા નાથ મહાવીર ભગવાને લગાડી તે રીતે આપણને આપદાઓ સંપદારૂપ લાગે. નાથ પ્રભુ પર હલકા તુચ્છ ગોવાળિયા જેવા દ્વારા કાનમાં ખીલા ઠોકાવા જેવા ઉપદ્રવ આવ્યા. અનાર્ય દેશના અનાડી àરછ કે તરફથી અપમાન-તિરસ્કાર આવ્યા, સંગમ-શૂલપાણી જેવા દુષ્ટ દેવતા દ્વારા ઘર ત્રાસ ૬-૬ મહિના, જેવાકે,-આહાર-અટકાયત, જન ઉશ્કેરાટ,...વગેરે ઉપદ્રવ આવ્યા, પરંતુ એ બધું (૧) પિતાના આત્મામાં ઘુસી ગયેલ કર્મની ફેજને સંહાર કરનારું દેખ્યું. (૨) આત્મામાં પૅધી ગયેલ રાગ-દ્વેષ-મદ-માયાને કચરવામાં સહાયક તરીકે જોયું, અને (૩) એના પરિણામે અંતરાત્મામાં અસાધારણ ઉપશમભાવ, ક્ષમા, દયા અને પરમ શાંતસુધારસ, તથા સર્વો–ઓજસ પ્રગટતા–વિકસતા દેખ્યાં ! એ સંપદારૂપ મહાસંપદારૂપ નહિ તે બીજું શું? ત્યારે શું બહારના ધન-માલ, સત્તા-સન્માન, સેના–પરિવાર એ ખરેખર સંપદા છે? સંપત્તિ છે? એ જે સંપદારૂપ હોય તે માણસ એ મળવા છતાં કેમ રેણું રુએ છે? ચિંતાસંતાપ કેમ કરે છે? રેગ અકસ્માતને ભેગ કેમ બને છે? અને આખરે કેમ એક રાંક બકરાની જેમ જમસાઈથી ઉપાડી જવાય છે? સંપદા એને કશે બચાવ ન આપે? છતી કહેવાતી સંપદા પાસે છતાં, સંતાપમાં શેકાયા કરવાનું ? કહે, એ ધન–માલ વગેરે સંપદારૂપ છે જ નહિ. સંપદારૂપ તે જાલિમ કર્મોથી મુક્તિ મળે એ છે; રાગાદિ જાલિમ રેગોને નાશ એ સંપદારૂપ છે; ક્ષમા–સમતા –ઉપશમ એ

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256