Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 247
________________ ૨૩ર કાંક્ષાને દાબી દે, માન લેવાની પ્રવૃત્તિ ન કરે, તે હજી થોડુંઘણું માન બચે. એમ, સત્તા અજમાવવી રહેવા દે તે હજી યા ડેઘણો મોભ જળવાઈ રહે–પણ અશુભના ઉદય ચાલુ થઈ ગયાને પરખ્યા વિના એની એજ હેશિયારી કરવા જાય, તો માર ખાય. સંસાર કે વિચિત્ર છે? સામાન્ય રીતે, માણસ પરણે એટલે પિતાની પત્ની તરફથી જે માન મળતું હોય, પત્ની પર જે સત્તા ચાલતી હોય, તે એને એક બે છોકરા થયા પછી એવું માન નથી મળતું, એની એવી સત્તા નથી ચાલતી! એમ છોકરા નાના છતે એના તરફથી જે માન મળતું હોય, ને એના પર પિતાની જે સત્તા ચાલતી હોય, તે છોકરા સારું રળતા થયા પછી એના તરફથી એટલું માન નથી મળતું, એના પર એવી સત્તા નથી ચાલતી. સંસારની આ કેવી વિચિત્રતા ! વર્તમાન કાળે શુભના ઉદય કેવા તકલાદી? શુભ કર્મોના આ તકલાદીપણાને ઓળખી લઈ, માણસ જે પત્ની કે પુત્રો પાસેથી ય માન-સન્માન લેવાને હઠવાદ ન કરે, એમના પર પણ એવી સત્તા અજમાવવાનો આગ્રહ ન રાખે, તે તે (૧) એને માન મે જળવાઈ રહે, અને (૨) ચિત્તની શાંતિ-શીતળતાને વાંધો ન આવે. પરંતુ આજનાં મૂર્ખ માનસ આ નથી સમજવા દેતાં અને માન-સત્તાને આગ્રડ કરાવી થપાટ ખવરાવે છે. પછી એવા ખોટા આગ્રહમાં ચિત્તની અશાંતિ જ વહેરવાનું બને કે બીજું કાંઈ? શું આપણા ચિત્તની શાંતિ બીજે કઈ બગાડે છે?

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256