________________
૨૨૬
અનાથી મુનિ મગધસમ્રાટ શ્રેણીકને કહે છે –
જૈન ધર્મ વિના નરનાથ! નથી કેઈ મુગતિનો સાથ.' ધમીને ય આપદા, તે ધર્મ શરણ કેમ?
કેમ ધનમાલ, બૈરી-છોકરા, તગડી કાયા, માનપ્રતિષ્ઠા વગેરે શરણ નહિ, અને જૈન ધર્મ જ શરણ? એનું આ રહસ્ય બરાબર યાદ રાખી લેજે કે અલબત્ બંને ય જાતનાં શરણ પકડનારને કમસંગે રેગ-આપત્તિ-અકસ્માત આવે, પરાધીનતા ત્રાસ-જરા-મૃત્યુ વગેરે આપદા તે આવે તે આવે જ; અને એમાંથી બચાવનાર કે એ અટકાવનાર ન મળે તે ન જ મળે; છતાં પણ ધનમાલ વગેરેને શરણભૂતઆધારભૂત માની બેઠેલાને ગાદિ આપદાને ભય લાગે છે, અને આપદા આવતાં એ ધનમાલ આદિ બચાવ નથી આપતા માટે એ શરણભૂત નહિ. ત્યારે ધર્મનું શરણું પકડનાર સમજે છે કે, આ આપદાઓ તે કર્મ તેવાં જે ઉદયમાં આવે તે ઊભી થાય જએથી એને એને બહુ ભય નથી. એને તે આશ્વાસન છે કે “મારી પાસે કેહિનૂર હીરા જે ધર્મ છે, પછી મૃત્યુ ય આવે તે મારે શી ચિંતા છે? શી ખેટ છે?, આ ધમ પર મુસ્તાક હોવાથી આપદામાં ય ધર્મ એને શરણભૂત કહેવાય.
બિચારે ધન-માલ વગેરેને આધારરૂપ માની એના પર મુસ્તાક બની બેઠેલે આપદામાં મારે શી ચિંતા ? શી ખોટ ?” એવું આશ્વાસન ક્યાંથી લઈ શકે ?
એ તો ધર્મનું શરણું લઈ એના પર મુસ્તાક રહેનારો જ આપદામાં “શી ચિંતા ? શી ખોટ ?? એવું આશ્વાસન લઈ શકે.