________________
૨૨૧
એ લાગવાનું કઠિન છે. કાંઈ બેલીને મન મનાવવાની વાત નથી, પરંતુ હૈયે આરપાર લગાડવાનું છે.
મનને એમ સચેટ લાગે કે, “કર્મના તેવા કેઈ વિકટ સંગ ઊભા થઈ ગયા તો ધન-માલ-પરિવાર-પ્રતિષ્ઠા શાંતિ આપી શકે એમ નથી. શાંત ધર્મથી જ મળે. પરલેક સુધારનાર એ બાહ્ય સંગ કે કષાયે નહિ, પણ સંગત્યાગ અને ક્ષમાદરૂપ ધર્મ જ છે. બાહ્ય-ઈષ્ટસંગ અને કષાયો તે આત્મામાં વિહ્વળતા વ્યાકુળ તા વધારનારા હોય છે, તેમજ પરેલેકને ભારે કરનારાં બને છે. ત્યાં આત્માને બચાવશે? જીવનભર એ રાખ્યા પછી અંતકાળે એના પર કશી શાંતિ-આશ્વાસન ખુશખુશા લીનો અનુભવ ન થાય. ત્યારે એના બદલે જે સંગત્યાગ કર્યા હાય, સંગના નિમિત્તનાં પાપ બંધ કર્યા હોય અને ક્ષમાદિસેવ્યા હોય, તે મનને શાંતિ રહે કે મૃત્યુ થતાં આ બહારનું જાય છે એથી મને કશે વાધ નથી. મારે તે ક્ષમા–નિર્લોભતા-નિર હંકાર વગેરે સેવેલાના શુભ સંસ્કારની મહાન મૂડી સાથે છે એ મારે તારણહાર છે, પછી શી ફિકર ?”
અરિહંત મારે શરણભૂત..ધર્મ અર્થાત્ ચારિત્ર ધર્મ મારે શરણભૂત, એવું સાચું શરણું લેવું હોય ત્યારે બહારના દેવતાઈ સુખસગવડના સંગને બેકાર સમજવા પડે. તેમ પ્રસંગે પસંગે જે રેફ બતાવી, રેષ કરી, વટબંધ જીવીએ છીએ, એ રેફરોષને પણ બેકાર સમજી લેવા પડે. બધું મનગમતું રાખીને બેઠા હોઈએ અને નવું એવું લાવતા પણ હોઈએ, છતાં દિલના ઉંડાણમાં એ બધું બેકાર લાગે, રક્ષણદાતા ન લાગે. કોઇ–મદ,