________________
૨૧૯ “ હે તાત તમે જીવંત હતા તે આ જંગલ પણ શહેરની માફક રમણીય હતું. આજે આ વન દાવાનળની જેમ મને ખાવા ધાય છે. ભલે મારે મોટા કલંકનું દુઃખ અને પતિવિયેગનું કષ્ટ આવ્યું છતાં હે તાત ! જે તમે અહીં જીવતા દેખાઓ, તે મારે આ દુખ પણ ઉત્સવરૂપ થાય; કેમકે વાત્સલ્ય ભર્યા તમારું દર્શન તો મારે અથાગ સુખ ભંડાર છે.
પરંતુ હું પિતાજી! આવું તમારા જીવંત થવાનું ઘેલું ઘેલું કેટલું બોલું ? પૂર્વે જેવું વાવ્યું હોય તેવું જ લણવા મળે છે. પૂર્વ જન્મમાં મેં બીજનાં સુખ લૂંટી એમને દુઃખનાં દાન કરવાના બીજ વાવ્યા હોય પછી અડી અને એના પાકમાં સુખને પાક કયાંથી જોવા મળે? ખેર ! હવે મારે પૂર્વતના ફળ ભોગવી જ લેવા રહ્યાં”
એ પ્રમાણે નષિદત્તા પોતાના દિલના શેક પોતાની જાતે જ હલકો કરે છે. બાકી તે અહીં આશ્વાસન આપનાર કોણ છે? પિતે ગમે તેટલી સારી છે, છતાં સસરો : અખંડ પ્રેમી પતિ, કઈ જ બચાવનાર યા આશ્વાસન પણ આપનાર છે નહિ, તેમ માતાપિતાને જમરાજે ઉપાડી લીધા છે એટલે એ હવે બચાવવા તે શું આશ્વાસન આપવા ય આવે એમ નથી.
૩૧. ધમ રે રક્ષણ આપે ? :આપણને ધર્મની શ્રદ્ધા છે એમ કહીએ છીએ. ત્યાં આ વિચારવા જેવું છે કે આ શ્રદ્ધા છે ખરી કે સર્વસંગત્યાગ અને ક્ષમારિ ધર્મો જ રક્ષણ આપનાર છે? રક્ષણ એટલે ? કાયિક બચાવ રામજ તા નહિ; કાયાને બચાવ, ધનનો બચાવ,