________________
૪૭ કઈ યાદ કરાવે, ધ્યાન ખેંચે; તે ય મનને એમ થાય છે કે “અત્યારે શું છે? એ આવશે ત્યારે જોવાશે, પરંતુ એ વિચાર નથી કે “પરલેકગમન અને દુઃખ આવીને ઊભા રહેશે એ વખતે શું જોઈશ? એક અત્યારે જ પત્ની કે પુત્ર થોડા આઘા જાય તે મન મુંઝાય છે, એમાં વળી મહિને થયે કશે કાગળ ન આવે તે આકુળવ્યાકુળ થાય છે, તે પછી જ્યાં પરલેક જતાં કાયમના અને વિના– કાગળ-ખબરઅંતરના વિયેગ પડશે ત્યારે કેટલી મુંઝવણ થશે? એમ અત્યારે કે શારીરિક વેદના કે બીજું દુઃખ ઊભું થાય તે સહન નથી થતું, હાય ને ય થાય છે, તે પલેકમાં એવા કેઈ જાલિમ ત્રાસ ઊભા થયે શું જઈશ ? શાન્તિ રહેશે ?”
પરલોક–ગમન અને એના ત્રાસ-દુઃખ-વેદનાને આ તુલનાત્મક વિચાર નથી એટલે બોલાય છે કે “આવશે ત્યારે જેવાશે.” પણ પછી શું જઈશ ? આવવાનું નક્કી છે, માટે અત્યારે જ જે અત્યારે જ વિચાર કર કે “એ કેમ ન આવે? કેમ મુંઝવણ ન થાય ?”
(૧) શું પરલોકગમન અટકે? – પ્ર-તો શું વિચારણા કરવાથી પરલેકગમન અટકે?
ઉ૦-અટકે નહિ, પણ એ આવે ત્યારે મુંઝવણ ન થાય એવું કરાય. ત્યારે એ જુએ કે માણસને મરતાં ને પરલોક જતાં મુંઝવણ કેમ થાય છે ? કારણું આ છે કે અહીં મળેલા કાયા-માયાના મનગમતા સંગ પર ભારે