Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 224
________________ ૨૦૯ આરાધના કરવાની અવસરે અવસરે પ્રેરણા કરી શકાય અને એ આરાધના કરવા લાગે, એથી પ્રભુની અને શાસનની બેલબાલા થાય. (૩) એમ ઉપાશ્રયના સાધારણમાં ભરતી કરી હોય, તે ઉપાશ્રયમાં રોનકદાર પૂર્વ પુરુષોનાં ચિત્રોથી ઝગમગતે થાય; એમાં ધર્મોપકરણોની મજેની સગવડ હોય, ઉપાશ્રયમાં આરાધના કરવા આવનારને સુંદર પ્રભાવના અપાતી થાય, વગેરે વગેરે દ્વારા ઉપાશ્રયમાં આવનારા વધે, આરાધનારા વધે, એથી પ્રભુશાસનની વાહવાહ થાય. એ આરાધકે પછી સારી જિનભક્તિ કરે એથી પ્રભુની વાડવાહ થાય. સારંશ, જે ક્ષેત્ર સીદાતાં હોય એમાં સારું દેવાથી શાસનને જયજયકાર થાય, પ્રભુને જયજયકાર થાય. પરંતુ જે એના બદલે એકલે દેવદ્રવ્યમાં જ દેવાનો ને મંદિરના ભંડારમાં જ નાખવાને આગ્રહ રાખ્યું હોય તો આજે દેખાય છે ને કે સાધારણના તેટા, મંદિરમાં મુફલીસ દૂધ-કેશર, આરાધકેની ઓછાશ, વગેરે વગેરે કેવું ચાલી પડ્યું છે? અરે મંદિરમાં દેવદ્રવ્યના પૈસા હોય છતાં શિખર કાળા, ભીત ઝાંખી, થાંભલા ફિકકા ! પ્રભુજીને આંગી નહિ, પ્રભુની આગળ રાજશાહી દરબારની સજાવટ નહિ ! છતે પૈસે આમ કેમ? કહો. મનમાં બેઠું છે કે પૈસા ખરચાઈ જાય તો પછી વહીવટદારે વહીવટ શાને કરવાને?” નહિતર જે પૈસા ખરચતા રહેવું હોય તે દેરાસર હંમેશા અંદરથી અને બહારથી ચાટલા જેવા રખાય, પ્રભુજીની અનેક ચાંદીના ખોખા પર જુદી જુદી ફેશનની મીનાકાર થી કે ટીકાથી યા જડાવથી આંગીઓ ૧૪

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256