Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 226
________________ ૨૧૧ શકિત પ્રમાણે ભક્તિ કરવી છે ? મંદિરમાં દેખાય કે સુખડના ટુકડાને બદલે લાકડાને યા હલકા સુખડનો ટુકડો ઘસાઈ રહ્યો છે, તે સારા ચોખા સુગંધિત સુખડને ટુકડો લાવીને મૂકી શકે. એમ–અવરનવર સાફ અંગલુછણ ઝાંખા શ્યામ પડેલા જોઈ ઘરે લઈ જઈ બાફ સફેદ કરીને લાવી શકે. આ પણ વાત એ હતી કે ધર્મના જે ખાતામાં ખાસ જરૂરિયાત હોય એમાં દાન કરવાથી સીધી કે પરંપરાએ ભગવાનની ભક્તિ થાય. પેલા શેઠને સ્વાર્થી સ્ત્રીની ગભરામણથી એ વિચાર આવ્યો કે “ આગેવાનોને ખાનગીમાં બેલાવીને વીલ કરું અને જે જે ખાતાઓમાં ખાસ જરૂરિયાત હોય એમાં સારી રકમ નકકી કરી નેંધ કરાવું.” શેઠ સુકૃતનું વીલ કરાવે છે – હવે એ ખાનગી અવસરની રાહ જુએ છે એમાં એકવાર પિતે નરમ શરીરના કારણે ઘરે છે, અને પત્ની ક્યાંય બહાર ગઈ છે, એ વખતે અવસર જોઈ જ્ઞાતિના આગેવાનોને બોલાવી પિતાની ઈચ્છા જણાવે છે. અને વીલ લખાવે છે એમાં એમને પૂછી પૂછીને વિવિધ જરૂરી ખાતાઓમાં સારી સારી રકમો લખાવે છે. વીલ તૈયાર થઈ ગયું. પાસે દસેક લાખ રૂપિયા જેવું પહોંચતું હશે. એમાંથી બાઈ માટે રૂ. ૨-૩ લાખનું ધન રાખી બાકીની રકમ નંધાવી દીધી. વીલ તૈયાર; હવે સહી-શાખ સિકકા કરવાની વાર છે એટલામાં તે શું ગજબ બન્યું એ જુઓ.

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256