________________
૨૧૧
શકિત પ્રમાણે ભક્તિ કરવી છે ? મંદિરમાં દેખાય કે સુખડના ટુકડાને બદલે લાકડાને યા હલકા સુખડનો ટુકડો ઘસાઈ રહ્યો છે, તે સારા ચોખા સુગંધિત સુખડને ટુકડો લાવીને મૂકી શકે. એમ–અવરનવર સાફ અંગલુછણ ઝાંખા શ્યામ પડેલા જોઈ ઘરે લઈ જઈ બાફ સફેદ કરીને લાવી શકે.
આ પણ વાત એ હતી કે ધર્મના જે ખાતામાં ખાસ જરૂરિયાત હોય એમાં દાન કરવાથી સીધી કે પરંપરાએ ભગવાનની ભક્તિ થાય. પેલા શેઠને સ્વાર્થી સ્ત્રીની ગભરામણથી એ વિચાર આવ્યો કે “ આગેવાનોને ખાનગીમાં બેલાવીને વીલ કરું અને જે જે ખાતાઓમાં ખાસ જરૂરિયાત હોય એમાં સારી રકમ નકકી કરી નેંધ કરાવું.”
શેઠ સુકૃતનું વીલ કરાવે છે – હવે એ ખાનગી અવસરની રાહ જુએ છે એમાં એકવાર પિતે નરમ શરીરના કારણે ઘરે છે, અને પત્ની ક્યાંય બહાર ગઈ છે, એ વખતે અવસર જોઈ જ્ઞાતિના આગેવાનોને બોલાવી પિતાની ઈચ્છા જણાવે છે. અને વીલ લખાવે છે એમાં એમને પૂછી પૂછીને વિવિધ જરૂરી ખાતાઓમાં સારી સારી રકમો લખાવે છે. વીલ તૈયાર થઈ ગયું. પાસે દસેક લાખ રૂપિયા જેવું પહોંચતું હશે. એમાંથી બાઈ માટે રૂ. ૨-૩ લાખનું ધન રાખી બાકીની રકમ નંધાવી દીધી. વીલ તૈયાર; હવે સહી-શાખ સિકકા કરવાની વાર છે એટલામાં તે શું ગજબ બન્યું એ જુઓ.