Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 230
________________ ર૧૫ ગઈ કે એને તરત તમ્મર ચડી આવ્યા ને ધસ કરતી નીચે પડી. આ પુણ્યને ઉદય ? કે પાપનો? પડી એ સારું થયું કે ખોટું ? ચંડાળને હવે તલવારના ઝટકા દેવાનું વધારે ફાવે? કે પિલી ઊભી હોય ત્યાં વધુ ફાવે ? ઉતાવળી કલ્પના કરશે નહિ, દેખીતા નરસા પ્રસંગ કેટલીકવાર સારા માટે થાય છે. તેથી કહેવું પડે કે એનરસે પ્રસંગ ઊભું કરનારા કર્મને ઉદય શુદયનું કામ કરનાર કહેવાય. અહીં વિદત્તાને એવું જ બને છે. જ્યાં એ ધસ કરતાં નીચે પડી ને બેભાન છે ત્યાં ચંડાળ સમજ્યા કે આ બીકથી એમજ મરી ગઈ લાગે છે, તેથી એ એને એમજ પડતી મૂકીને ત્યાંથી ચાલી ગયા, અને નગરમાં પહોંચી ગયા. પિત્તા ગભરાઈ મૂછ પામી ગઈ, અને પડી નીચે, તથા વાગ્યું, એ અશુભકર્મનો ઉદય છે. પરંતુ એ એના શુભને માટે બન્યું; કપાઈ જતી બચી. ત્યારે “જીવતે નર ભદ્રા પામે, એ ન્યાયે જો જીવતી રહી છે તે કલ્યાણ દેખવા પામશે. જીવતી કપાઈ મરી હોત તો અહીં કલ્યાણ પામવાને અવકાશ કયાં રહેત? વિદત્તાનું ચિંતન :ચંડાળો મૂકીને ચાલ્યા ગયા, અહીં રાત્રિના ઠંડા પવનથી પિત્તાની મૂર્છા વળી, એટલે ભાનમાં આવીને જુએ છે તે ચંડાળ મારી નાખવા સજજ થયેલા દેખાતા નથી, એટલે ત્યાંથી ઊડીને જંગલ તરફ ચાલે છે. એના મનને વિચાર આવે છે કે

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256