________________
૧૪૧ ત્યાગ–તપસ્યાથી ઓગાળી શકીએ છીએ. સાથે (૩) કેવા કેવાય વ્રતનિયમો લઈ પાળી શકીએ છીએ.(૪) આંખેને પ્રભુજ જોવામાં ને શાસ્ત્ર વાંચવામાં ને (૫) કાનને સદગુરુની વાણી જ સાંભળવામાં જોડી શકીએ છીએ. (૬) આનાં અંતરાય હોય તે ય મન આવા બધામાં જોડાય,(૭) શુભ વિચારો, શુભ ભાવનાઓ,મહાપુરુષ અને તીર્થકર ભગવાનનાં ચરિત્રોના ચિંતન....વગેરે બધું જીવતા રહીએ તે જ કરવાની તક, તે જ એ બધું કરી શકીએ. આપઘાતથી એકદમ મરી ગયા પછી પરલેકમાં આ શું થઈ શકવાનું ? એ તો ગઈ એ બધી તક.
વળી જીવતા રહીએ તે જીવનમાં પાપોને નાશ કરવાની પણ તક છે, જ્યારે દુઃખ ભર્યું જીવન કંટાળાજનક લાગ્યું છે, તો પછી જીવનમાં આજસુધી આચરેલા થોકબંધ અશુભ વિચાર, મેહભર્યા બેલ, અને અઢાર પાપસ્થાનકના વર્તાવનાં પાપ શું કંટાળાજનક નથી લાગતા?
૨૨. શબ્દાર દુ:ખને કંટાળો ખરે, અને પાપનો કંટાળો નહિ એ સરાસર મૂઢતા છે, મિથ્યાત્વ છે, જેનપણું છે.
જૈનને તે ખરેખર પાપનો કંટાળો હોય. તેથી જ એ ઘરવાસને–સંસારને દુઃખદ માને, અસાર માનનારે હોય. મનને એમ થયા કરે કે, “આ સંસાર-ઘરવાસન નિમિત્તે, કેટકેટલાં ય પાપે સેવવાં પડે છે! પાપની હોંશ પણ થાય, પાપની જનાઓ થાય, દા. ત. સગાઈ થઈ લગ્ન થયા.