________________
૧૭૮
ત્યાં એક માણસને મારી નાખી એનું લેહી માંસ લઈ પહોંચી રષિદત્તા પાસે, અવસ્થાપિની વિદ્યાથી પહેરગીર જેવાને પણ ઊંઘતા કરી દીધા છે, એટલે એને કઈ રોકનાર નથી. એણે ઋષિદત્તાને જોઈ તે એને લાગ્યું કે, “અહો શું આનું રૂપ ! કેવી આની કાન્તિ ! આ કુમાર પુણ્યશાળી કે આને આવી સ્ત્રી મળી ! પરંતુ મારે આ જેવાનું શું કામ છે? મને મારું ધારેલું બજાવવા દે.” એમ કરી એણે નષિદત્તાનું માં લેહી ખરડ્યું કર્યું, અને એના એશિકે માંસના ટુકડા મૂકી દીધા. પછી ત્યાંથી નીકળી જઈને અવસ્થાપિની વિદ્યા ઉઠાવી લીધી.
હવે અહીં જાગેલા લોકોએ માણસ મરાયેલો જોઈ કેહલ કરી મૂક્યા, અને રાજાને જઈને આ ભયંકર હત્યા થયાનું જણાવ્યું.
રાજા પૂછે, “આ હત્યા કેણે કરી ?”
લેક કહે –મહારાજા ! ગમે તે પુરૂષે ચા સ્ત્રીએ કરી હશે, એની ખબર નથી, પરંતુ હત્યા થઈ છે એ હકીકત છે. આપ પ્રજાના ન્યાયી માલિક છે, તેથી હત્યારાને પકડાવીને આપે ભયંકર સજા ફટકારવી જોઈએ.”
રાજા કહે છે. “આવું કામ કરનાર તો કઈ રાક્ષસ કે રાક્ષસી જ હોવી જોઈએ. જે હશે એને ખેંચી કાઢવામાં આવશે, એમ કહી સિપાઈઓને બોલાવી કહે છે. “જાઓ, તપાસ કરે, અને પકડી પાડે કેણ છે એ હત્યારે-હત્યારી ?'
કુમારને ચિંતા :હવે જ્યારે અહીં આ ધમાધમ ચાલી ત્યારે કુમાર જાગી જાય છે, અને વાતાવરણ પરથી સમજી જાય છે કે “કેઈ નિર્દોષ