________________
૧૯
વિષયલંપટતા અને કષાયાવેશની દુષ્ટતા દબાય ધર્મ સાધતાં જે વીતરાગતાને ઝંખ આવે છે, તે એ ઝંખના પછી થોડી જ ભૂલાય ? એટલે જ કહેવાય કે, “ધમ જિનેશ્વરનાં ચરણ પકડયા પછી દુનિયાદારીમાં પણ એવાં ભારે કર્મ ન બંધાય; ” કેમકે એ બંધાવનારી વિષયલંપટતા અને કષાયાવેશની દુષ્ટતા વીતરાગની ઝંખનાને લીધે ઊભી રહે નહિ.
પેલી જોગણ બચારી દુષ્ટતામાં પડેલી, એને કયાં વીત રાગ ભગવાનનાં ચરણ પકડવાનું સૌભાગ્ય છે ? તેથી પોતે ઘેર કૃત્ય કરવા પર પણ ધાર્યા પ્રમાણે કનકરથ રાજકુમાર પત્ની ઋષિદત્તા પર અભાવ-તિરસ્કારવાળો નથી બનતે એ જોવા છતાં દુષ્ટતા મૂકવા તૈયાર નથી. એટલે હવે એ, જુઓ કેવી આગળ વધે છે.
ર૭. વિદત્તા પર કલંક આ બાજુ રોજ એક એક માણસ હણાયાની ફરિયાદ રાજા પાસે આવે છે, અને કોટવાળોની તપાસમાં કેઈ હત્યારે મળતો નથી, એટલે રાજા હવે દિવાન પર ગુસ્સે થઈ કહે છે –“તમારા કારભારમાં શું ચાલી રહ્યું છે?”
સંન્યાસીઓને નિકાલ | દિવાન કહે છે, “તપાસ તે પૂરી કરાવીએ છીએ, મહારાજા! પરંતુ લાગે છે કે આ કોઈ સામાન્ય માણસનું કામ નથી, આ તે કેઈ વિદ્યા–મંતર-તંતર જાણનારનું કાર્ય લાગે છે. એ