________________
૧૯૫
કલંકિત કર્યું ! જા જઈને જે એનું માં, કે એ કેવું ઘરકૃત્ય કરનારી છે એની ખબર પડે. ”
કુમારે જઈ ષિદત્તાને જગાડી પૂછ્યું કે “આ શું ? ” એણે કહ્યું “હું કાંઈ જાણતી નથી.” કુમારને વિશ્વાસ છે પણ પિતા માને એમ નથી. એ તે કુમારને ધમકાવે છે. ત્યાં કુમારના મનને ઘણું દુઃખ થયું, એ જુએ છે કે આ ઋષિદત્તા પર ખોટું કલંક ચડી રહ્યું છે.” નિર્દોષની વિટંબણા ન થાય એ હેતુથી પિતાને હાથ જોડીને કહે છેપિતા આગળ કુમારને પત્ની અંગે બચાવ -
પિતાજી ! આપની પુત્રવધુ નિર્દોષ છે. બહાર હત્યા થઈ છે એ વાત સાચી, પરંતુ હજી સુધી કોઈ એ તે જોઈ નથી લાવ્યું કે નષિદત્તાએ જ ખરેખર હત્યા કરી. ત્યારે એનું માં લેડી–ખરડયું તે ઊંઘમાં ગમે તે માણસ કરી શકે. માટે આપ ક્ષમા કરે, નિર્દોષની ઉપર વહેમ ન લાવશે. બાપુ! હજી ય તપાસ કરવી હોય તે આ સ્વપ્નની વાત કરનારની તપાસ કરો.”
રાજકુમારે આમ ભલે ને યુક્તિયુક્ત કહ્યું, પરંતુ ત્રાષિદત્તાને અને એને અશુભ ઉદય હોય ત્યાં એની યુક્તિયુક્ત પણ વાત પિતા જેવા પિતા પણ શાના માને ? એ તે વધુ ગુસ્સે થઈ કુમારને ધમકાવે છે -
“અરે ! સ્ત્રીના ગુલામ ! એને ખોટો બચાવ કરે છે ? પ્રત્યક્ષ પકડાયું કે પુરુષની હત્યા થઈ છે અને ત્રષિદત્તાનું મોટું લેહિયાળું તથા એશિકે માંસના ટૂકડા છે, પછી એને