________________
૧૮૪
પછી ઋષિદા જ હત્યારી લાગે છે જે રોજ રાતના આ એકેક માણસને મારી નાખતી હાય.”
જોગણુની ગણતરી કેમ નિષ્ફળ? :પરંતુ ગણની ગણતરી પાર પડતી નથી, કેમકે (1) નષિદત્તાનું પુણ્ય તપે છે; (૨) વળી રાજપુત્ર કનકરથને ત્રાષિદત્તા પર અથાગ વિશ્વાસ છે, તેમજ (૩) એને પિતા હરિપેણ તાપસે આ કન્યા માટે જે ભલામણ કરી છે કે “આ વનમાં જ ઉછરેલી બાળા ભેળી છે, મુગ્ધ છે, માટે એ ધ્યાનમાં રહે કે એ શહેરી પ્રપંચને ભેગ ન બને” એ ભલામણ બરાબર ખ્યાલમાં છે. તેથી ત્રાષિદત્તા પર લેશ પણ અકાર્યની શંકા એને ઊઠતી નથી. તેમ પિતાનેય શંકા ન પડે એ માટે ઋષિદત્તાના મુખની રાતની વાત જરાય જણાવતે નથી.
હવે શું કરે જોગણ? કૃત્ય તો ગેઝાર કર્યો, પરંતુ ઋષિદત્તા પર કુમારને અભાવ તિરસ્કાર ઊભો કરાવવાનું કરી શકતું નથી એટલે એને પોતાની મેલી મુરાદ બર આવતી દેખાતી નથી. રોજ ને રેજ કષિદત્તાનું પ્રભાતે મોટું લેહી ખરડ્યું ને માંસ-ઘેરાયેલું દેખાડવાનું, છતાં કુમારને ઋષિદત્તા પર જરાય શંકા જ જતી નથી પિતે સજજન છે, અને ઋષિકત્તા સુશીલ-સદ્ગુણી હોવાને એને પાકે વિશ્વાસ છે. ત્યાં જોગણનું શું ચાલે ?