________________
૧૭૭
થાય છે ! એ જ પાણી વળી કાળી જમીનમાં પડી ઘઉં ને કપાસ બનાવે છે! ત્યારે ઉકરડા પર પડી ગંદવાડ-કહોવાટદુર્ગધ વધારે છે ! પૈસા કેટલાયને મળેલા હોય છે, છતાં એનાથી ભારે જિનભક્તિ-સાધુસેવા દયા-પરોપકાર વગેરે ઉપગ થવાનું કેટલામાં દેખાય છે? બહુ થોડામાં જ ને? કારણ? પૈસા સારા પાત્રના હાથમાં પડ્યા હોય તો એને સદુપયોગ થાય. કપાતરના હાથે ચડયા પૈસા રંગ-રાગ, જીવહિંસામય, આરંભસમારંભે અને આગળ વધીને જુગાર-દુરાચાર-જુલમ વગેરેમાં વપરાતા હોય છે. વસ્તુ તો કિંમતી મળી, કિન્તુ આપણી પાત્રતા–ગ્યતા ઊંચી રાખીએ તે એને તારક સદુપયેગ થવાને. માટે જ
આપણે પહેલી તે આપણી પાત્રતા સારી ખીલવવાની જરૂર છે. પછી તે આપણને મળેલ ઠેઠ આ મનુષ્ય દેડથી માંડી ઈંદ્રિયે માનવ-મન, વાણી, બુદ્ધિ, તર્કની અને પુરુષાર્થની શક્તિ, તથા બીજી બાહ્ય સામગ્રી-સરંજામના ઊંચા સદુપયેગ કરવા તરફ જ લક્ષ રહેવાનું, અને એ ઉદ્યમ થવાને ચિંતન જ મુખ્ય એનું ચાલવાનું.
જોગણુનું ગેઝારું કૃત્ય :
પેલી બિચારી જોગણમાં પાત્રતા નથી તેથી વિદ્યામંત્રને દુષ્ટ ઉપયોગ, ગેઝારે ઉપગ, કરવા તરફ એ પ્રેરાય છે. ઋષિદત્તાના દુર્ભાગ્યે એ ઊપડી કનકરથ રાજકુમારના નગરમાં ત્યાં જઈ એણે તપાસ કરી લીધી કે રાતના ઋષિદત્તા પાસે શી રીતે પહોંચી જવાય. પછી મેડી તે મહેલ નજીકમાં માણસને અવસ્થાપિની નિદ્રા આપી જેથી કેઈ જાગી ન શકે; અને ૧૨