________________
૧૬૭
એમાં જુએ છે કે આ તે મારા બદલે વનવાસી કઈક ત્રાષિદત્તા પર ગઈ. એટલે એને ઈર્ષ્યા પણ થઈ આવી કે, “હે ? મારા બદલે આ પરણી જાય ?” રાગ કુમાર સાથે પરણવાની તાલા વેલી રખાવે છે, અને ઈર્ષ્યા ષિદત્તાને કેમ હેઠી ઉતારુ એવી નિર્દયતા કરાવે છે.
રાગ ઈ કરાવે છે. ને ઈર્ષ્યા નિર્દી બનાવે છે. રફિમણીની ક્રૂર વિચારણા -
એ વિચારે છે કે, “ ત્યારે હવે મારે શું રસ્તે લેવો ? ” જ્યાં સુધી કુમાર ઋષિદત્તા પ્રત્યે અભાવ અરુચિષવાળે ન બને ત્યાં સુધી એ એને છેડે નહિ, ને મને પરણે નહિ. એ તે એના પર ભારે દ્વેષ કરીને એને કાઢી મૂકે તે જ મને ત્યાં પેસવાની જગા મળે. માટે નષિદત્તાને હું કુમારની નજરમાં એવી કોઈ હલકટ જંગલી તરીકે દેખાડું જેથી કુમ ૨ ગુસ્સામાં ધમધમીને એને ખત્મ જ કરી દે, અગર દૂર જંગલમાં હટાવી દે. બસ, હવે આ માટે મારે રસ્તો શોધવે રહ્યો.”
જેજે, રુક્િમણી કેટલી ક્રૂરતાભરી વિચારણા પર ચડી છે કોણ કરાવે છે આ? અંતરને કુમાર સાથે પરણીને મનમાન્યા વિષયસુખ ભોગવવાની લાલસા ભર્યો રાગ અને એમાંથી જન્મેલ ઋષિદત્તા પ્રત્યેની ઈર્ષ્યા આ ભયાનક ક્રૂર વિચારણા કરાવી રહી છે.
જીવની પાસે ગોઝારી વિચારણા અને ગોઝારો અપકૃત્યો કરાવનાર રાગ અને ઈર્ષાના જાલિમ માનસિક રોગની ચિંતા છે.