________________
૧૭૩
વાત આ છે કે પ્રભુદર્શન કરવાને ઉદ્દેશ જ લક્ષમાં નથી; દર્શન મરણ માટે. ” એ ધ્યાનમાં નથી તેથી દર્શનમાં અંતરાય આવતાં “સ્મરણની તક મળી, તો આંખ મીંચી મરણ કરું, મન એમાં લગાઉં.” એ ખ્યાલમાં નથી, એટલે જ મન બીજા બીજા વિકલ્પ અને ગુસ્સામાં પરેવાય છે.
પ્રભુનાં દર્શન પ્રભુનાં સતત મરણ માટે છે એ ખૂબ ખ્યાલમાં રાખો,
આ ખ્યાલ રહેતાં દર્શન કરતી વખતે વચ્ચે આંએ મીચી મીંચી એ જોવાનું મન થશે કે પ્રભુ કેટલા યાદ રહ્યા ? કેવા યાદ આવે છે ?” બરાબર સ્મરણમાં લેવા આંખ પ્રભુ પર બરાબર લગાવી લગાવી, એમાં ય ખાસ કરીને પ્રભુની કીકીમાં વીતરાગતા જોઈ જોઈ એ વીતરાગતા પ્રભુએ ક્યાં ક્યાં જાડી, એ ધ્યાન પર લેવાનું કરાશે ત્યાં વચમાં કેઈ આડે આવ્યું તો મનને કાંઈ નહિ. આંખ મીંચી સ્મરણ ચાલુ થઈ જશે.
મનના રોગ હટાવવા છે? દર્શન વખતે બીજા પર ગુસ્સે થાય એ મનને રોગ છે એ હટાવવાને માટે આ ચાવી છે કે આંખ મીંચી પ્રભુનું સમરણ ચાલુ કરી દો. સમરણમાં મન રોકાયાથી ગુસ્સો અટકી જશે. આ ચાવી બીજે પણ કામ લાગશે. પણ પહેલી વાત એ છે કે
આપણા ક્રોધ-અહંકાર રાગ-દ્વેષ વગેરે એ જાલિમ માનસિક રોગો છે એનો પાકો ખ્યાલ, ને સાથે એ સેવતાં અરે કારો-અફસેસી-ગ્લાનિ થવી જોઈએ. એની પાછળ ભય લાગવો જોઈએ.