________________
૧૪૭
વધે. વળી આપણા સંતાન આપણામાં સેવાગુણ જુએ તે જ એને સેવાનું સકિય શિક્ષણ મળે છે; નહિતર આપણા અવિનય-સ્વાર્થોધતા વગેરે જોઈ એને એ જ શીખવાનું મળે. માટે, સંતાનના ભલાં ખાતર પણ ગુરુજનેની સેવા કીશ નહિ.
(૨) શુશ્રષા :-એમ,ગુરુજનેની શુશ્રષા એટલે એમનું સાંભળવાની ઈચ્છા રાખજે; જેથી એ ઈછા હશે તે એમના ટોણાં–ડપકાના બોલ પણ હિતશિક્ષારૂપે સાંભળવાની રુચિ રહેશે; ને એ સાંભળતા કેમ નહિ થાય; ઉલટું જીવનમાં હિતની શિક્ષા વધશે તેમજ ક્ષમા–સમતા કેળવવાની તક મળશે.
હે બાળા ! આ જીવનમાં હિતને ખ્યાલ વધારતા રહેવાનું છે, અને ક્ષમા સમતા-સૌમ્યતા ડગલે ને પગલે કેળવતા જવાનું છે,
એથી જ જીવનની સફળતા છે; નહિતર જીવન તે અનાર્ય માણસ પણ અહિતનાં ખ્યાલે અને કેધ ધમાધમ વગેરે કરતે પણ જીવે છે; કિન્તુ એવાં મનુષ્ય જીવન સરાસર નિષ્ફળ છે. કુતરાનું જીવન પામ્યા કરતાં માનવજીવન પામીને એનામાં કઈ વિશેષતા નથી.
(૩) શીલઃ “હે પતિવ્રતા ! તું શીલ બરાબર પાળજે, જેથી મન ધરપતવાળું બન્યું રહે. નહિતર કુશીલમાં તો મનનું ભૂખારવાપણું વધી જતાં એ રાક્ષસી બને છે. ભૂલીશ નહિ, આ જીવને ગમે તેટલા વિષયો મળ્યા પણ કદી તૃપ્તિ નથી થઈ. વિના સંપર્કથી તો વાસનાની આગ વધતી જાય છે, શાંતિ તૃતિ વધતી નથી.
એ આગ વધતાં મન એમાં જ રક્ત રહેવાથી પછી