________________
૧૫૦ દુઃખ શું માનવું ? ધર્મની રૂએ રેગાદિ પ્રસંગને તે કઠિન કર્મોના કચરા સાફ થઈ જવાના પ્રસંગ માન્યા હોય, એટલે જાણે “દિવાળી આવી” ની કલપના અને હરખ હોય,
ધર્મ જીવને આ કપના અને હરખ આપે, એ જ જીવનું મહાન સંરક્ષણ કર્યું.
ધર્મ અહીં પણ જીવને નિશ્ચિત્ત-નિર્ભીક અને મસ્ત બનવાનું કરી આપે. એને મન પીડા એ પીડા જ ન લાગે. અનંત લાભદાયી નવકાર અને પરમેડી મળ્યાથી બીજી કશી વાતની ખોટ જ ન લાગે તેમ ધર્મ પરલેકે જીવને મહાન સદ્ગતિ અને શુભદય સજી આપે.
ધર્મને આ કે સંરક્ષણ ગુણ ! કેવ ને ! બચું બધેથી હારીને મા પાસે જાય ત્યારે માતા તરફથી એને એકલી ભારે હુંફ-આશ્વાસન-હિંમત મળે છે એમ જીવ બધેથી હારીને ધર્મ પાસે જાય ત્યારે ધમ તરફથી જીવને જ્ઞાનીનાં વચનનાં, તવ સમજનાં અને મહાપુરુષનાં આલંબનના બળ ઉપર ભારે હુંફ-હિંમત–આશ્વાસન મળે છે. હારેલા અજિતસેનને ધર્મ શી હિંમત આપી? :
શ્રીપાલના હાથે કાકા અજિતસેન હાર્યા, ભારે નાલેશી થઈ, ત્યારે કાકાએ ધર્મનું શરણું લીધું. ધમે બતાવ્યું એમને,
અરે પામર ! તું આ હારને શું ગણે? આ નાલેશી શી વિસાતમાં છે? તું (૧) જે તારા આંતરશત્રુ રાગ-તૃણાઅહં – આદિથી અને (૨) કર્મથી હારેલે છે, તેમ (૩) એથી નરક-નિગોદ સુધીના ત્રાસ અને દીર્ઘતિદીર્ઘ કેદમાં નખાઈ જે નાલેશી વેઠતે આવે છે, એજ ખરેખરી.