________________
૧૫૮
થઈ જાય ? હું તાત ! એ મારા અનન્ય ઉપકારી તાત ! તમે એકાએક ચાલ્યા ગયા ??
ઋષિદત્તાના કરુણ કલ્પાંત પર એના પતિ કનકરથને લાગે તે છે જ કે આ બાળા એકલા પિતા સાથે આ વનવગડામાં ઊછરેલી, એમની પાસેથી શિક્ષણ સ ́સ્કરણ પામેલી, એને આવા ઉપકારીને! આમ એકાએક વિયેગ થઈ જાય એ અસહ્ય બને, એ સ્વભાવિક છે. પરંતુ હવે કલ્પાંતથી શું વળે ? તેથી મારે એને આશ્વાસન આપવું જોઈએ; ’ એટલે એ એને કહે છે,
કુમારની તત્ત્વવાણી
:
ધીરી પડ, ધીરી પડ, હું પ્રિયા ! આટલેા બધા કલ્પાંત કરવા હવે રહેવા દે. તુ જાણે છે કે આ તારા દેવ જેવા પિતાએ પાતાના ઘસાઇ ગયેલા શરીરમાં અત્યન્ત વેદના હેાવાથી એનાથી છૂટવા પરલોકયાત્રાને મા લીધા છે. આપણે આપણા સ્વાર્થ જોઈ એ છીએ કે આવા પિતા કેમ અમને રખડતા કરીને ચાલ્યા ગયા ?’ પરંતુ એમના દુઃખને શું આપણે જેવાનું નાડુ ? અને
· હું સુશીલા ! આ તારા પિતાએ તે મેટાં રાજ્યસુખ પણ ભોગવ્યાં અને મડ઼ાન તાપસવ્રત પણ પાળ્યું; એમ સાંસારિક છો અને યાગીજના અનેની દૃષ્ટિએ જીવન કૃતાર્થે કર્યું. હવે તે, સમય થયે ચાલતી પકડે, એના પર શુ શેક કરવા જેવા છે? સૂ ઉદય પામી આખા દિવસ પ્રકાશમાન રહી જગતને પણ આન' આપી, પછી સાંજે સમય થયે અસ્ત પામે. એના
6