________________
૧૪૯ સોનેરી તક ગુમાવી અશુભ કર્મોના પળે પળે થેક બાંધવાનું થાય. શી મઝા આવું જીવન જીવવામાં? માટે શક્ય રાણીઓ તરફથી ને મળે કે ગુસ, તું કયારે ય ન અભિમાન કે ન ગુસો કરીશ. શું ચંદ્રમાં રાહુથી આખો ને આખે ગળાઈ જાય છતાં ક્યારે ય તપી ઊઠે છે? ના, એ તે શીતળ તે શીતળ જ રહે છે. આપણે એ આલંબન નજર સામે રાખી આપણી શીતલ સ્વભાવની વિશેષતા કયારે ય નહિ છોડવાની. (૫) ધર્મ ન ભૂલાય : ધમ એ જ સાચા માતાપિતા :
“વળી હું પ્રિય પુત્રી ! શું સુખમાં કે દુખમાં, કદી તું ધર્મ–પરાડુ-મુખ ન બનીશ, ધર્મ ન ભૂલીશ. જાણે છે ને કે આ સંસારમાં જીવને સાચા માતાપિતા પુત્ર ને સ્વામી કોણ? એક માત્ર ધર્મ. દુન્યવી માતાપિતા સાચા માબાપ નહિ કેમકે એમના સનેહ અને સંરક્ષણ કેવાં અને કયાં સુધી મળે ? બહુમાં બહુ માત્ર આ જીવનના અંત સુધી જ ને? તેય એમનો સ્વાર્થભંગાતે હોય તે આ જીવનમાં પણ સ્નેહ મૂકી દે ને? ત્યારે આપણે રેગ–અકસ્માતુ-અંગભંગથી ઘેરાયા હોઈએ તે સંરક્ષણ માં શું એ આપણી અંદરની વેદના ટાળી શકે ? ના, કશું નહિં.
દામ કેસ સંરક્ષક ? – એ તો એક ધર્મ જ આપણી પાસે હોય તો એ આપણને એવું બળ આપે, એવી તત્ત્વ સમજ આપે કે જેના આધારે અંતરની હાયેય અટકે, રોગ-આપત્તિઅકસ્માત્ કશું દુઃખરૂપ જ ન લાગે, પછી એની વેદનામાં