________________
૧૨૩
જેની સાથે જિંદગી કાઢવી છે એના નેહ-સદ્દભાવ ટક્યા રહે એ જીવનભરની ઉપયેગી બાબત છે. તો કોણ એ મુખે હોય કે કામચલાઉ ચીજને સુધારવા જીવનભરની ચીજને નંદી કાઢે ? માટે શાણા થાઓ, સમજદાર બને, જીભને અવિવેક-અનુચિતતા-ઉદ્ધતાઈ-કર્કશતા વગેરેથી બચાવી લે. જીભ પર મધપુડો મૂકી દો જેથી એમાંથી મધ જ મધ ઝર્યા કરે. બસ, પછી પ્રસંગે પ્રસંગે મધ જેવાં મીઠાં વેણ ઝરવાથી વિરોધીને પણ વહાલા લાગશે તે સગા-સ્નેહીના તો તમારા પર હેત વરસે એમાં નવાઈ શી? સીતાના ચમત્કારિક બોલ :
ચોગ્ય શબ્દ તે ચમત્કાર છે. ટ્રેષની આગ પર હિમની વર્ષા કરે, શેકના હૃદય પર ચંદનરસના વિલેપન કરે ! બ્રાન્ત માન્યતાના અંધકારને નષ્ટ કરી દે! અનંત, કાળની મહમૂઢતાને ઉડાવી દે ! જુઓ -
સીતાજીને માટે રામચંદ્રજીને લાગ્યું કે “લેક કહે છે કે એ રાવણને ત્યાં રહી આવેલા માટે રામચંદ્રજી જેવા મહાન રાજાએ ઘરમાં ન રખાય, તે પછી મારે એક સારા રાજા તરીકે એમને રાખવા નહિ. જોઈએ,’ એમ વિચારીને એમને જંગલમાં મૂકાવી દીધા. પરંતુ મૂકવા જનાર સેનાપતિએ સીતાજીને વનમાં છોડી એમની પાસે સ્વામીને કહેવાને સંદેશે મા, તે મહાસતીએ કહ્યું – સ્વામીને કહે છે કે લેકનાં વચનથી તમે મને છેડી તે ભલે, પરંતુ કાલે ઊઠીને લોક તમારા જૈન ધર્મની નિંદા કરી એ છોડવાનું કહે, તે