________________
૧૩૬
મોટર અને બગલા આપું, પણ આ મારી કન્યાને જ્યાં ભટકવુ હોય ત્યાં લઈ જવાની, અને એને જેની સાથે ખેલ ખેલવા હાય એની સાથે એને ખેલાવી ખુશી થવાનું; ' તે આ શરતે કણ એને પરણે ? પણ પૈસા અને વિષયસુખને લાભયા લાલચુ યુવાન એને પરણવા તૈયાર થાય, અને પરણીને પછી શું કામ કરે ? આ જ કે એ ઊખડેલ નવાઢા નવી વહુને જયાં ખેલ ખેલવા હોય ત્યાં હાંશે હોંશે એને લઈ જવાના ! પેલી ખેલ ખેલે ત્યાં ખવાસની જેમ ઊભા રહીને એ જોવાને ! પેલી પૂછે, ‘· કેમ તમને ગમ્યું ? ’તા આ ખવાસ ધણી કહેશે કે, ‘ તને ગમે છે ને ? બસ, તને ગમે એમાં હું રાજી’ આ કેવી નિજ ગુલામી ? ડાહ્યા લેક ભલે ને આની નિંદા કરે પણ આ મૂઢને એની લજ્ત નહિ, એ તો આ રાણી સાહેબની કુલટાગીરીના ખેલમાં જ રાજી. ઇન્દ્રિયરાણીઓના જીવ ખવાસ :
એમ, કસત્તાએ જીવને પાંચ ઇન્દ્રિયારૂપી ઊખડેલ કન્યાએ પરણાવીને ઘણી વાતની સગવો આપી પણ આ શરતે ! તો જીવ શુ કરે છે ? ખવાસની જેમ ઈદ્રિયરાણીઓને એના ગમતા વિષયેામાં તેડી જાય છે! અને વિષયે સાથે ખેલતી ઇન્દ્રિય-કુલટાઓને કહે છે, કે ‘કેમ ? તું રાજી ને ? બસ, તને ગમે છે તે હું એમાં રાજી છું.’ જીવને આમાં શું મળવાનું ? નામનુ ય પુણ્ય નહિ, લેશમાત્ર જ્ઞાનમગ્નતા નહિ, છાંટા ચ ઉપશમ-પ્રશાંતતા નહિ. જે મળશે તે ઈન્દ્રિયાને ખુશખુશાલી, ઈન્દ્રિયાને તૃષ્ટિ-પૃષ્ટિ મળવાની, જીવ લુખ્ખા બાકસ ! એ ખુશી માનશે તે ઇન્દ્રિયાની ખુશી
ય