________________
૧૨૭
કૃપણ માણસ આ સ્વભાવને ન સમજી શકે. જેમકે, સંસારના અતિ આસક્ત માણસે-“શાલિભદ્ર જેવાથી મહાસંપત્તિ અને પરિવાર વગેરે સંસારનો એકીકલમે ત્યાગ શે કરાયે?”—એ નથી સમજી શકતા.
લક્ષ્મી અને વિષયેની અતિ આસક્તિ ચીજ જ એવી છે કે પિતે તે દાન અને ત્યાગ કરવાની તે વાતે ય શી, પરંતુ બીજાઓ દાન અને ત્યાગ કરે એ સમજવાનું પચાવવાનું અને અનુદવાનું પણ એમનું ગજુ નહિ! પછી ઊંચે માનવભવ મળે છતાં એમાંથી એવાને શું કમાઈ જવાનું ? રાખ ને ધૂળ. અતિ આસક્તિના લીધે તે એવા ઘેરા કુસંસ્કારને જશે તથા પાપકર્મોને એ રાશિ કમાઈને જવાનું થાય કે પછી દુર્ગતિના હલકા અવતાર અને એમાં અપરંપાર દુઓમાં કામણ, ઉપરાંત વિષયની અતિ આસક્તિના ઘોર પાપોનું આચરણ જ જોવા મળે. ધન-માલ-પરિવાર અને વિષયેની અતિ આસક્તિ ભૂંડી.
અફસી આટલી જ કે એવા જાલિમ દુઃખદાયી પરિણામને પણ લક્ષમાં ન લેવરાવતાં અતિ આસક્તિ કેટે વળગી રહે છે. જાણે જીવને સ્વભાવ જ એવ! આમ્રભટ્ટને દાન દેવાને સ્વભાવ એની પાસે સહેલાઈથી મહાદાન કરાવી દે છે.
(૨) મહાદાનનું બીજું એ પણ કારણ છે કે યાચકેએ જૈન ધર્મની વાહવાહ ગાવા માંડી હોય તેથી અવસર પર ધર્મની એવી વાહવાહ બેલાવવા માટે છૂટે હાથે દાન દીવ્યે રાખ્યું હોય. કિંમતી શું ? પૈસા કે જૈન ધર્મની વાહવાહ ?